રાજા ભરથરી અને અમરફળ
👉 આ દેશના તમે રાજા છો તમે સભામાં આવતા નથી એટલે પ્રજામાં બહુ અસંતોષ ફેલાણો છે
👉 ભોજ રાજા ફરી પાછા સારૂ ચોઘડિયું જોઇ પેલા દેવતાઇ સહાસન ઊપર બેસવા જાય છે
ત્યાં તો સરસ્વતી નામની પૂતળી હાં હાં કરતી બોલી ઉઠી ઃ રાજાની !
👉 ઉભા રહો, આ સહાસન ઊપર પગ ન મૂકશો. વિક્રમરાજા જેવો પરોપકારી અને પરદુઃખભંજન રાજા હોય
તે જ આ સહાસને બેસી શકે.
તેમની એક વાત કહું તે સાંભળો.
આમ કહી પૂતળીએ વાત કહેવા માંડી.
👉 ઉજ્જૈન નગરીમાં રાજા ભરથરી રાજય કરતા હતા.
તેમના નાના ભાઇનું નામ વિક્રમ હતું.
વિક્રમ મોટાભાઇને રાજકાજમાં સંપૂર્ણ ટેકો કરતા હતા.
👉 મહારાજા ભરથરીને અનગસેના નામે રાણી હતી,
તેના રૂપનો કયાંય જોટો જ મળે. તેને ચંદ્ર જેવું રૂપાળું મોં અને માત્તુંન્ગ જેવાં વિશાળ નેત્રો હતો.
વળી તે સંગીત અને નૃત્યકળામાં પણ નિપૂણ હતી.
અનંગસેનાએ પોતાની ચતુરાઇથી રાજાને વશ કરી દીધો. હવે તો રાજાને રાણી સિવાય બીજો વિચાર જ ન આવતો
તે સૂતે બેસતે ઉઠતે, હીડતે, હાલતે કામ. નરપત ઝંખે સ્નેહથી, નારી કેરૂ નામ. જેમ જોગી વશ માકંડુ; જેમ વાયુવશ તરણે
ભામિનીવશ એમ ભૂપતિ, સૂણે કથા નિજકરણ.
👉 આમ અન્ગસેનાના પ્રેમમાં રાજા એવા ડૂબ્યા કે,
તેમને રાજકાજમાં ધ્યાન રહ્યું નહિ. રાતદિવસ તે રાણી પાસે જ પડી રહે.
કોઇના દુઃખસુખની વાત સાંભળે નહિ.
આથી કામકાજનો બધો ભાર વિક્રમ માથે આવી પડ્યો.
એક દિવસ વિક્રમ કંટાળીને ભરથરીના રાણીવાસમાં આવ્યો અને કહ્યું
ઃ મોટાભાઇ ! આ દેશના તમે રાજા છો. તમે સભામાં આવતા નથી એટલે પ્રજામાં બહુ અસંતોષ ફેલાણો છે, માટે રાજસભામાં આવો પ્રજાનાં દુઃખ
સાંભળો અને યોગ્ય ન્યાય આપો.
ભરથરીને વિક્રમની વાત સાચી લાગી,
તેથી બીજે દિવસે તેઓ રાજસભામાં ગયા.
રાજાને ઘણે દહાડે સભામાં આવેલા જોઇ બધાં રાજી થયા પ્રજાએ પોતાનાં દુઃખો કહેવા માંડ્યાં.
રાજાએ પ્રધાનોની સંમતિ લઇ બધાનો યોગ્ય ન્યાય કર્યો. આથી બધાના મનમાં આનંદ થયો.
👉 અનંગસેનાને ભરથરી વિના જરા યે ચેન ન પડ્યું,
એટલે તેને વિક્રમ પર ક્રોધ આવ્યો તેને તે પોતાના પ્રેમમાં આડખીલીરૂપ લાગ્યો.
તેથી વિક્રમનો કાંટો કાઢવા તેણે એક યુકિત રચી.
રાજા સાથે તે રૂસણું લઇને બેઠી.
સાંજે ભરથરી રાણીવાસમાં આવ્યા. આવીને જુએ છે તો
રંગમહેલમાં એકેએક ઓરડામાં અંધારૂ !
રાણીએ શરીર પરથી ઘરેણાં ઊતારી નાંખેલા,
વાળ વિખરાયેલા અને ઓરડાના ખૂણે બેઠેલી રાણીને આવી સ્થિતિમાં જોઇ રાજાએ પૂછ્યું
ઃ રાણી ! આ શું ? આજે તમે ઊદાસ કેમ ? તમને કોણે દૂભવ્યાં ?
મને કહો તો હમણાં જ હું તેનું માથું ઊતારી લાવું ;
રાજાની વાત સાંભળી રાણી કશું બોલ્યા વિના ધ્રુસકે ધ્રુસકે રડી પડી. થોડીવારે તે બોલી
ઃ મહારાજ ! વાત કહેવાય તેવી નથી. વળી કહીશ તો તમે માનશો પણ નહિ,
છતાં કુળની લાજ બચાવવા કહેવી પડે છે ;
તે દિવસે તમારા ભાઇ તમોને રાજસભામાંથી તેડવા આવેલા પણ તે તો બહાનું જ હતુ.
તે કાંઇ પ્રજાની લાગણીથી બોલાવવા નહોતા આવ્યા પણ તેમની મારા ઊપર કુડી દૃષ્ટિ છે.
તેથી તમારી ગેરહાજરીનો લાભ લેવા આવ્યા. હતા.
ગઇ કાલે તેમણે મારી પાસે અઘટિત માંગણી કરી, તેથી મ ધૂતકારી કાઢ્યા,
આટલું સાંભળતાં રાજાના ક્રોધનો પાર ન રહ્યો.
આખી રાત તેમને ઉંઘ ન આવી. સવારે તે રાજસભામાં ગયા અને પોતાના ભાઇ વિક્રમને દેશવટો દીધો.
👉 ખરેખર રાજાઓ ક્રોધે ભરાય ત્યારે કોઇના મિત્ર કે સગા રહેતા નથી. તેમનો સ્વભાવ જ વિચિત્ર હોય છે.
કો વેળા દે સરપાવ, કો વેળા લક્ષ લે લુંટી, કો વેળા પરસન, કો વેળા કાઢે
કૂટી, ઘડી ઘડીમાં ગુણ ઘણા, શામળ સાચું કહે સહી,
નવ દીઠો નવ સાંભળ્યો, રાજા મિત્ર કેનો નહિ.
વિક્રમ પણ જબરો ટેકીલો તેણે તરત જ
મોટાભાઇની આજ્ઞા માથે ચડાવી અને કહું બોલ્યા વિના ઊજજન છોડી ચાલી નીકળ્યો.
હવે ઊજજનમાં નરપત શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે મહાકાળીની ઊપાસના કરવામાંડી, બ્રાહ્મણની એકધારી તપશ્ચર્યાથી
માતાની પ્રસન્ન થયાં અને તેને એક ફળ આપતાં કહ્યું
ઃ લે આ ફળ ! તેમામાં એવા ગુણ છે કે જે ખાય તેને રોગ, ઘડપણ કે માૃત્યુ ન આવે,
સદા નિરોગી અને અમર બની જાય બ્રાહ્મણને અમરફળ આપી માતાજી અદૃશ્ય
થઇ ગયાં નરપત શર્માએ વિચાર કર્યો કે હું ગરીબ બ્રાહ્મણ ? અમર થઇને કોનું ભલું કરવાનો હતો !
ભીખ માગીને જીવું છું તેથી વધારે જીવીશ તો વધારે ભીખ માગવી પડશે.
👉 માટે આ ફળ જો મહારાજા ભરથરીને આપું તો તેઓ લોકોનું ભલું કરશે.
🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋
Leave a Reply