પ્રેરક પ્રસંગ – લોકમાન્ય બાલ ગંગાધર ટીળક
👉 એકવાર બાલગંગાધર ટીળક પોતાનાં કેટલાંક ખાસ મિત્રો સાથે વાત કરી રહ્યાં હતાં
આ દિવસોમાં એમણે વકીલાતની પરીક્ષા પાસ કરી હતી
એક મિત્ર બોલ્યો “ટીલક વકિલાત તો તેં પાસ કરી દીધી
પરંતુ આગળ શું વિચાર્યું છે ?
હવે તું શું સરકારી નોકરી કરીશ કે કોર્ટ-કચેરીમાં વકીલાત?
મિત્રની વાત સંભાળીને ટીળક બોલ્યાં –
“હવે તેં પૂછી જ લીધું છે તો સાંભળ
મારે પૈસાની બિલકુલ જરૂર નથી
કે જે મને સરકારનો ગુલામ હંમેશ માટે બનાવી રાખે
હું એવી વકીલાત નથી કરવાં માંગતો જ્યાં દિવસમાં કોણ જાણે કેટલાંય જુઠ બોલવા પડે !!!”
👉 વાત આવી-ગઈ થઇ ગઈ
દરેક જણા પોતપોતાનાંકામમાં લાગી ગયાં
એક દિવસ એમની મિત્ર મંડળીને ખબર પડી કે બાલ ગંગાધારે એક સ્કૂલમાં ભણાવવાનું શરુ કરી દીધું છે
પગાર હતો માત્ર મહીને ૩૦ રૂપિયા
આ સાંભળીને એ મિત્રના મનમાં વધારે આશ્ચર્ય થયું કે
જેણે કેટલાંક સમય પહેલાં એમનું મન જાણવાનો પ્રયાસ કર્યો હતો !!!
એ સીધો જ ટીળક પાસે પહોંચ્યો અને બોલ્યો —-
આ તેં શું કર્યું ટીળક ?
વકીલાતની ડીગ્રી લઈને શિક્ષક કેમ બન્યો ?
શું તું શિક્ષકોની આર્થિક સ્થિતિ અને ઘરની પરિસ્થિતિ વિષે નથી જાણતો ?
મારા પ્યારા મિત્ર …….
જયારે તું અંતિમ શ્વાસ લઈશ ત્યારે તારાં દાહ-સંકાર માટે ઘરમાં પણ કંઈ બચ્યું નહીં હોય
ના પૈસા કે ના પોતાનાં કુટુંબીજનો !!!’
👉 મિત્રની વાત સંભાળીને ટીળક મનમાં હસ્યાં અને બોલ્યાં
મેં જે નોકરી સ્વીકારી છે એ બહુજ પવિત્ર છે
ઈમાનદારી વાળી છે !!!
સમજપયોગી છે
આખરે મારી એમને માટે કોઈ જવાબદારી ખરી કે નહીં !!!
રહી વાત મારા અંતિમ દાહ સંસ્કારની તો એનો પ્રબંધ તો નગરપાલિકા કરી દેશે !!!
હું એની ચિંતા શું કામ કરું ?”
ટીળકની વાત સાંભળીણે એ મિત્ર તો દંગ જ રહી ગયો !!!
એણે આજ સુધી આવી સદભાવના અને આવી સંતુષ્ટિ કોઈપણ વ્યક્તિમાં નહોતી જોઈ !!!
એ મનોમન જ ટીળક પ્રત્યે શ્રધ્ધાથી અભિભૂત થઇ ગયો !!!
👉 મારી ટીપ્પણી —–
👉 આવી ઉદાત્ત ભાવનાઅને આવાં ઉચ્ચ વિચારો આજે કોનામાં કેટલાં છે !!!
પૈસા પાછળ અંધ્લી દોટ મુકતાં આજના રઘવાયા માનવીએ આ વાત સમજવા જેવી છે
ધંધો કે નોકરી એ તમારી પસંદગી છે
પણ એમાં લોકોનું ભલું ઉચ્ચ અને ટકાઉ વસ્તુઓ આપો
માત્ર કમીશન માટે ધંધો ના કરો
વફાદારીપૂર્વક નોકરી કરો અને બની શકે તો એમાં પણ લોકોની ભલાઈ કરો
ભગવાન તમારું કલ્યાણ જરૂર કરશે જ કરશે
👉 જ્યાં આરોપી એ ગુનેગાર જ છે એવું માનવામાં આવે છે એ વકીલાત છોડીને ટીળકે સારું જ કર્યું છે
તમે ગુનેગાર જ છો અને તમારાં પર કેસ થયો છે એટલે તમે કંઈ ખોટું તો કર્યું જ હશે ને !!!
અરે કોઈએ જાણીબુઝીને આપણને ફસાવવા માટે પણ ખોટ કેસ કર્યો હોય !!!
આની સચ્ચાઈ અને સાબિતી માટે જ કેસ લો અને કોર્ટમાં લડો !!!
ગુનાહિત માનસ સમાજમાં જ નહિ પણ વકીલાતનાધંધામાં જ વધારે છે !!!
જેઅત્યારે વધારે પડતી દેખાય છે
આ વાત ટીળક બહુ પહેલેથી જ પારખી ગયાં હતાં
એટલેજ એમને શિક્ષક બનવાનું પસંદ કર્યું !!!
👉 અને માટેજ તેઓ પાછળથી લોકમાન્ય ટીળકને નામે મશહૂર બન્યાં
અને તેથીજ તેઓ કહી શક્યાં કે
“સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે એ હુંકોઈપણ સંજોગોમાં લઈને જ રહીશ ”
એમણે એ કરી પણ બતાવ્યું
👉 એ કેટલા સ્વપ્નદ્રષ્ટા હતાં લોકપ્રિય હતાં
તે આજે આપણે જે રથયાત્રા અને ગણપતિ ઉત્સવ માનવીએ છીએ એના પરથી જ સાબિત થાય છે
કહેવાની જરૂર ખરી કે
આ આનંદોતસ્વ એ ટીળકની જ દેન છે !!!!
👉 સલામ લોકમાન્ય બાલ ગંગાધર ટીળક સલામ
એક નહીં લાખો સલામ છે તમારા કરાયો અને તમારી ભાવનાને !!!!
👉 આપણે આજે આ વ્યક્તિને ભૂલી જ ગયાં છીએ
કસમ ખાઓ કે હવે આપણે એમને ક્યારેય નહિ ભૂલીએ !!!!
——- જનમેજય અધ્વર્યુ
🌴🌱🌿☘🍀🍁🌺🌻🌹
Leave a Reply