પ્રતિજ્ઞાયોંગંધરાયણ – મહાકવિ ભાસ
👉 “પ્રતિજ્ઞા”નું મહત્વ પૌરાણિકકાલ થી ચાલ્યું આવે છે
પ્રતિજ્ઞાલેવામાં પહેલું નામ લક્ષ્મણનું આવે
ભગવાન શ્રી રામચંદ્રજીનું આવે
હનુમાનજીનું આવે
રાવણનું આવે
મહાભારતમાં શિરમો રસમી પ્રીગના પિતામહ ભીષ્મે લીધી હતી
એટલે પ્રતિજ્ઞા સાથે “ભીષ્મ પ્રતિજ્ઞા ” શબ્દ એવો ગૂંથાઈ ગયો છે કે જે આજ સુધી ચાલ્યો આવે છે અને એ મુહાવરો બની ગયો છે
પ્રતિજ્ઞા તો ભગવાન શ્રીકૃશને પણ લીધી હતી
પણ પિતામહ ભીષ્મે તોડાવી હતી
“પ્રતિજ્ઞા” જો તોડવી જ પડતી હોય તો પ્રતિજ્ઞા લેવાનો કોઈજ અર્થ નથી
પ્રતિજ્ઞા કર્ણેપણ લીધી હતી અને અર્જુને પણ લીધી હતી
ભીમે પણ લીધી હતી અને દુર્યોધને લીધી હતી
સ્ત્રીઓમાં ગાંધારીની પ્રતિજ્ઞા પહેલા નંબરે આવે
સીતા મૈયાની પ્રતિજ્ઞા પણ આવે
👉 ભારતનો ઈતિહાસ પણ આ પ્રતિજ્ઞાથી જ શરુ થયો છે ચાણક્યની ચોટલી છોડીને લીધેલી પ્રતિજ્ઞા તો સૌને યાદ જ હશે
અને
અને
અને સરદાર પટેલે ભારતને એક કરવાંની લીધેલી પ્રતિજ્ઞા
👉 કેટલીક લોકકથાઓ અને લોકનાટ્યો પણ આ પ્રતિજ્ઞા પર જ રચાયા છે
આ પ્રતિજ્ઞાને સંસ્કૃત સાહિત્યમાં અમર કરવાનું દુષ્કર કૃત્ય કર્યું હોય તો મહાકવિ ભાસે
“પ્રતિજ્ઞાયોંગંધરાયણ ” નાટક રચીને !!!
👉 પ્રતિજ્ઞાયોંગંધરાયણ
એક લોકકથાશ્રિત નાટક છે
એમાં કૌશાંબીના રાજા વત્સરાજ ઉદયન દ્વારા ઉજ્જયિનીના રાજા પ્રદ્યોતની પુત્રી વાસવદત્તાના હરણની કથા છે
એમાં ૪ અંક છે
આ નાટકનું નામકરણ અમાત્ય યૌગંધરાયણની પ્રતિજ્ઞાઓ પર આધારિત છે
આ નાટકમાં અમાત્ય યૌગંધરાયણ પોતાનાં સ્વામીને શત્રુના બંદીગૃહમાંથી છોડાવી લાવવાની પ્રતિજ્ઞા લે છે
તથા અનેક વિઘ્નોમાંથી પસાર થઈને એને પૂર્ણ કરે છે !!!
👉 આ નાટકનો નાયક વત્સ દેશનો રાજા ઉદયન કલાકારોનો શિરમોર છે
એ ભરતવંશી રાજા છે …….
એ અત્યંત રૂપવાન છે તથા એના અ રૂપ પર મહાસેન પ્રદ્યોતની સ્ત્રી પણ મુગ્ધ છે
વીણાવાદનમાં એ આચાર્ય છે
એમના વીણાવાદનની પ્રસિદ્ધિ દેશ-દેશાંતરમાં વ્યાપ્ત છે તથા બંદી અવસ્થામાં જ એને પ્રદ્યોતપુત્રી વાસવ્દાત્તાને વીણા શિખવાડવાનું દાયિત્વ મળે છે
અતુલિત કલાપ્રેમ હોવાની સાથે સાથે એ શૌર્ય તથા પરાક્રમમાં પણ માહિર છે !!!
કૃત્રિમ ગજને પકડવાના પ્રયત્નમાં જયારે પ્રદ્યોતની સેના એના પર તૂટી પડે છે
એ કિંચિત માત્રામાં પણ વિચલિત નથી થતો અને અનેકોને મૃત્યને ઘાટ ઉતારી દે છે
અહીં એના ધૈર્ય તથા પરાક્રમની પરીક્ષા થાય છે જેમાં એ સફળ થાય છે !!!
👉 જયારે એને બંદી બનાવી દેવામાં આવે છે એ પોતાની જાતને બંદી નથી માનતો
તથા યૌગંધરાયણ દ્વારા મુક્તિનો પુરેપુરો પ્રબંધ કરી લીધા પછી જ વાસવદતાને લઈને ચાલી નીકળવાનો નિશ્ચય કરે છે
આ કામમાં એ પોતાનાં કૌશલ તથા યૌગંધરાયણનાં બુદ્ધિકૌશલ્યથી સફળ થાય છે !!!
👉 ઉદયન સિવાય અમાત્ય યૌગંધરાયણની પણ આ નાટકમાં મહત્વની ભૂમિકા છે
એ બુદ્ધિમત્તા તથા નીતિકૌશલનું સુંદરનિદર્શન છે
અન્ય પાત્રોમાં ઉજ્જયિન્ન રાજા મહાસેન પ્રદ્યોત પ્રતાપી રાજા છે
સર્વત્ર એનાંજ અધીપત્યમાં જ છે
એ ગુણગ્રાહક છે !!!
મનોમન જ એ વત્સરાજ ઉદયનના ગુણોનો પ્રશંસક છે
રમ્ન્વાન તથા વિદુષક એ બંને સ્વામિભક્ત છે !!!
👉 “પ્રતિજ્ઞાયોંગંધરાયણ” એ બહાસનું અત્યંત સફળ નાટક ગણાય છે
કથાનકનો વિન્યાસ
પાત્રોનું ચરિત્ર ચિત્રણ
સંવાદ યોજના
એવં રસ્યોજના
બધું જા નાટકમાં બહુજ સુંદર રીતે સમ્ન્વાયિત થયું છે
કાવ્યકલાની પરિપાકની દ્રષ્ટિએ પણ આ નાટક ઉચ્ચસ્તરીય છે
એમાં રાજનીતિ એવંકૂટનીતિનું સામ્રાજ્ય છે
સ્વામીભક્તિનું મહત્વ આ નાટકમાં સર્વત્ર લક્ષિત થાય છે
સૂક્તિઓનું આમાં પ્રાચુર્ય છે !!!
👉 ટૂંકમાં ——–
ભાસની હથોટ માત્ર એકાંકીમાં જ નહીં
પણ
લાંબા નાટકોમાં પણ છે એ આ નાટક સાબિત કરે છે !!!!
———- જનમેજય અધ્વર્યુ
💐💐💐💐💐💐💐💐💐
Leave a Reply