એક વફાદાર કુતરો અને મુગલ સેના
👉 મિત્રો,
જેમ તમે જાણો છો કે કૂતરોએક સૌથી વફાદાર પ્રાણી તરીકે ગણાય છે
પોતાના સ્વામીને બચાવવા માટે એપોતાની જાનની જરા પણ
પરવાહ કર્યાં વગર મોતને ગળે લગાવવા સદાય તત્પર જ રહે છે !!!!
કૂતરાની વફાદારીનાં અનેક કિસ્સાઓ આપણને સમાચારમાં જોવાં મળતાં જ હોય છે
હાલમાં, શ્વાન પણ સૈન્યમાં લેવામાં આવે છે, જ્યાં તેઓ તેમના યુદ્ધ કૌશલ્ય દર્શાવે છે.
પોલીસ પણ સુરાગ શોધવાં માટે તાલીમબદ્ધ કુતરાઓનો જ ઉપ્યીગ કરતી હોય છે
આવા વફાદાર કૂતરાઓમાં ભારતના ઇતિહાસમાં એક કુતરો એવો પણ હતો કે
જેણે પોતાના માલિકની સાથે મળીને મોગલો સાથે યુધ્ધમાં ભાગ લીધો હતો
અનેમોગલોના છક્કા છોડાવી દીધાં હતાં !!!!
એ કૂતરાની વાતમાં તમને અવશ્ય રસ પડશે !!!!
👉 કઈ હતી એ વાત !!!!
તો લયો આ રહી એ વાત ——-
👉 વાત આજથી લગભગ ૩૫૦ વર્ષ પુરાણી છે
જ્યારે મુગલોએ દિલ્હીના સિંહાસન પર કબજો કર્યો હતો.
મુગલ સમ્રાટ ઔરંગઝેબ તે સમયે મુગલ સામ્રાજ્યનો રાજા હતો
જે હિન્દુ શાસકો પ્રત્યે તેની ક્રૂરતા માટે કુખ્યાત છે.
ઔરંગઝેબે નાના રજવાડાઓનાં રાજાઓ પર આક્રમણ કરીને એમને પોતાના રાજ્યમાં સામેલ કરી દીધાં હતાં
તે સમયે ઘણા રજવાડાંના રાજાઓએ મુઘલ સમ્રાટની ક્રૂરતા સમક્ષ પોતાનાં ઘૂંટણા ટેકવી દીધાં હતાં
કારણ કે તેઓ મુગલોના વિશાળ સૈન્ય સામે લડવામાં અસમર્થ હતાં
જ્યારે કેટલાક રજવાડાઓના રાજાઓએ સતત આક્રમણ થથતું રહેતું હોવા છતાં મુગલો સાથે લડાઈ કરવાનું સ્વીકાર્યું હતું !!!!
👉 આ બહાદુર શાસકોમાં ઠાકુર મદનસિંહના નામનો પણ ઉલ્લેખ છે
એ લોહરુ નામના એક રજવાડું ના માલિક હતા.
ઠાકુર મદનસિંહનું પોતાની રીયાસતમાં ઘણું મોટું નામ હતું
અને પ્રજા માટે સારાં કામો માટે એમનું સન્માન કરવામાં આવતું હતું .
ઠાકુર મદનના બે પુત્રો હતા, તેમાં એકનું નામ મહાસિંહ હતું અને બીજો હતો તેનું નામ નોંરાબાજી હતું
ઠાકુર મદનસિંહ નો એક વફાદાર સેવક પણ હતો તેનું નામ બખ્તાવર સિંહ હતું !!!!
જેણે પોતાની વફાદારી વડે મહારાજન્ય દિલ જીતી લીધું હતું
આ સેવક પાસે એક કુતરો પણ હતો
એ કુતરાને બખ્તાવરસિંહ બહુજ લાડપ્યાર કરતો હતો !!!
અને એ કુતરો પણ દોલોજાનથી માલિકને ચાહતો હતો
અને એમનાં માટે પુરતી વફાદારી નિભાવતો હતો !!!!!
👉 ઇસવીસન ૧૬૭૧ની આ વાત છે
જયારે ઠાકુર મદનસિંહે ઔરંગઝેબને પોતાનું રાજસ્વ આપવાની ના પાડી દીધી
જયારે ઔરંગઝેબને આ વાતની ખબર પડી તો
ઔરંગઝેબે હિસ્સારમાં પોતાનાં દ્વારા નિયુક્ત કરવામાં આવેલાં ગવર્નર, અલફુ ખાનને આદેશ આપ્યો કે
તે લોહારૂ પર આક્રમણ કરીને એમનું રાજપાઠ છીનવી લે !!!!
અલફૂ ખાન પોતાની સેના લઈને લોહારૂ પહોંચી ગયો ………..
જયાં ઠાકુર સાહેબની સેના પણ લડવા માટે તૈયાર જ હતી
હવે બંને સેનાઓએ એકબીજા પર ચડાઈ કરી દીધી
અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ છેડાઈ ગયું ……..
જેમાં બંને સેનાઓને ભારે નુકશાન થયું !!!!!
આ ભીષણ યુદ્ધમાં ઠાકુર સાહેબના બંને પુત્રો માર્યા ગયાં !!!!
👉 હવે ઠાકુર સાહેબની સેનામાં તેમના વફાદારસેવક બખ્તવારસિંહ પુરી તાકાત સાથે લડતા હતા.
બખ્તવર સિંહ સાથે, તેમનો વફાદાર કૂતરો પણ યુદ્ધભૂમિમાં આ કુતરો પણ લડવા આવ્યો હતો
એ કુતરો એટલો બધો વફાદાર હતો કે
એ પોતાનાં માલોકને જખમી કરનાર મુગલ સૈનિકોને નોચી નાખતો હતો !!!!!
આ કુતરો માત્ર પોતાના માલિકની રક્ષા કરવાં માટે જ નહીં
પણ પોતાની માતૃભૂમિ ની રક્ષા કરવાં માટે લડતો હતો !!!!
એ કૂતરા દ્વારા બહુજ બેરહેમીથી ૨૮ જેટલાં સૈનિકો મોતને ઘાટ ઉતર્યા ……….
જયારે મુગલ સૈનિકોએ આ કુતરાને મુગલ સૈનિકો પર આક્રમણ કરતાં જોયાં
યો તેઓન આ જોઇને દંગ રહી ગયાં !!!!
હવે આકુત્રો એમને માટે સૌથી મોટી સરદર્દ અને સૌથી મોટી ચુનૌતી હતી ………
જેણે કોઈ એક મુગલ સૈનિક મારી શકે એમ નહોતો
એટલાં માટે બધાં એ ભેગા મળીને એક સાથે હુમલો કરીને આ કુતરાને મારવાનું નક્કી કર્યું !!!!
અને તેમણે સાથે મળીને એ કુતરા પર હુમલો કરી દીધો !!!
👉 તે સૈનિકો સાથે વીરતાપૂર્વક લડતાં લડતાં એ કુતરો વીરગતિ પામ્યો
તે કૂતરાના મૃત્યુ પછી તરત જ,તેના માલિક બખ્તાવર સિંહ પણ મુગલ સેના આગળ ના ટકી શક્યાં
અને તેઓપણ વીરગતિ પામ્યાં
આબન્નેની બહાદુરીને કારણે મુગલ સૈન્યે એમની આગળ હાર સ્વીકારી લીધી
જેનાં પરિણામ સવરૂપ ઠાકુર સાહેબના આવતાંની સાથેજ અલફૂ ખાનને રણમેદાન છોડીને ભાગવું પડ્યું !!!!
યુદ્ધ પૂરું થઇ ગયાં બાદ ઠાકુર મદનસિંહે એ બહાદુર કૂતરાની યાદમાં એક ગુંબજનું નિર્માણ કરાવ્યું !!!!
જયાં એ કુતરો વીરગતિ પામ્યો હતો એજ જગ્યાએ ……..
આજ ગુંબજથી થોડેક જ દૂર સતીનું મંદિર છે !!!
જયાં બખ્તાવર સિંહની પત્ની સતી થઇ હતી !!!!
👉 ધન્ય છે એ કુતરો
અને
ધન્ય છે એ માલિક !!!!
——– જનમેજય અધ્વર્યુ
🌱🌿☘️🍀🌱🌿☘️🍀
Leave a Reply