બરાબર એક વર્ષ જૂની પોસ્ટ ——-
👌 સૂફીયુગનો અદલ ઇન્સાફ 👌
✍️ રમજાન માસના વીસમા રોજે (હિજરી સન ૮૪૯, ઇ.સ.૧૪૪૬) જન્મેલ
અને બીજા રોજે અસર (સાંજ)ની નમાજ બાદ ૭૦ વર્ષની વયે અવસાન પામેલા મહંમદ બેગડાના શાસનને સૂફીયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
✍️ ગુજરાત પર પંચાવન વર્ષ શાસન કરનાર મહંમદ બેગડાના સગા માસા સૂફીસંત શાહેઆલમ હતા
. બેગડાના શાસનકાળમાં જાણીતા સૂફીસંતોની ભરમાર હતી. સૂફીસંતોનો પ્રભાવ મહંમદ બેગડાના શાસન પર દેખાતો હતો.
✍️ મહંમદ બેગડાને ચાર રાણીઓ હતી.
એમાંની એક શેહપરી અત્યંત ખૂબસૂરત હતી.
તેને એક પુત્ર હતો. જેનું નામ આબાખાન.
આબાખાન રંગીન મિજાજી. એ
ક દિવસ આબાખાનની સવારી અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી.
પ્રજા એ નિહાળવા રસ્તાની બંને બાજુ ઊભી હતી.
રસ્તા પરના એક મકાનના ઝરૂખામાં એક ખૂબસૂરત કન્યા પણ શાહજાદાની સવારીને નિહાળી રહી હતી.
✍️ આબાખાનની નજર એ કન્યા પર પડતાં તેણે કન્યાને પ્રેમભર્યો ઇશારો કર્યો.
પ્રજા આબાખાનના આ અપકત્યને જોઇ ગુસ્સે ભરાણી
અને આબાખાન અને તેના રસાલા પર તૂટી પડી.
શાહજદાનાં કીમતી વસ્ત્રોના લીરેલીરા ઊડી ગયા. તેના સિપાઇઓ ભાગી ગયા.
✍️ આ ઘટનાની જાણ મહંમદ બેગડાને થઇ. તેણે રાણી શેહપરી (સીપરી)
અને પુત્ર આબાખાનને ખુલ્લા દરબારમાં બોલાવી ઘટનાની સત્યતા તપાસી.
પ્રજાનાં નિવેદન સાંભળ્યાં પછી ઇન્સાફ કરતા કહ્યું,
‘આ સામે પડેલ ઇશ્ખોલ (પ્યાલો) ઉપાડો. તેમાં ઝેરની પડીકી નાખો. તેને પાણી, અરે ભૂલ્યો, શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપો.’
✍️ રાણી શેહપરી (સીપરી) આ સાંભળી ધ્રૂજી ગઇ.
મહંમદ બેગડાને તેણે આક્રંદ સાથે વિનંતી કરી,
‘જહાંપના, શાહજાદા આબાખાન આપનો પુત્ર છે. આ તેની પહેલી ખતા છે. તેને આવી સખ્ત સજા ન કરો.’
મહંમદ બેગડો પોતાની પ્રિય રાણીની વ્યથા જોઇ રહ્યો.
પોતાના ઇન્સાફને વળગી રહેતા તે બોલ્યો,
‘આ તમારો પુત્ર છે અને જેને તેણે બીભત્સ ઇશારો કર્યોહતો એ મારી પ્રજા પુત્રી છે.
✍️ મારી પ્રજાની ઇજજત આબરૂની હિફાજત કરવાની મારી પ્રથમ ફર્જ છે. પ્રજાના રક્ષકો જ પ્રજાના ભક્ષકો બનશે તો સૂફીસંતોની આ ધરા ધ્રૂજી ઊઠશે.’
રાણી શેહપારી (સીપરી) એ પોતાની વિનંતી ચાલુ રાખતાં કહ્યું,
‘પણ જહાંપના આટલી નાની બાબતની આટલી મોટી સજા?’
✍️ આ સાંભળી મહંમદ બેગડો બોલી ઊઠયો,
‘આપની વાત સાચી છે, પણ મારો ઇન્સાફ આપના શાહજાદાની જિંદગી બરબાદ કરી નાખશે.
તેના હાથ-પગ કાપી નાખવાનો મારો હુકમ તેને આખી જિંદગી રિબાવશે
અને એક મા તરીકે આપ એ જોઇ નહીં શકો માટે ઝેર દ્વારા મુક્તિ
એ જ એના માટે ઉત્તમ સજા
અને રાણી શેહપરીએ પોતાના એકના એક પુત્રને શરબત -એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપ્યું.
આખો દરબાર મહંમદ બેગડાના ઇન્સાફને ચકિત નજરે જોઇ રહ્યો.
થોડી પળોમાં શાહજાદા આબાખાનના શરીરમાં ઝેર પ્રસરી ગયું
અને એક સુલતાન પિતાનો પ્રેમ ભૂલીને પોતાના અદલ ઇન્સાફને ભીની આંખે તાકી રહ્યો.
✍️ આજે પણ આસ્ટોડિયા દરવાજા બહાર આવેલી શેહપરી (સીપરી)ની મસ્જિદમાં રાણી સીપરીની કબર પાસે જ શાહજાદા આબાખાનની કબર મહંમદ બેગડાના ઇન્સાફની સાક્ષી પૂરતી મોજૂદ છે.
🍁🍁🍁🍁🍁🍁
Leave a Reply