Sun-Temple-Baanner

પત્નીના ધોખાથી રાજા ભરથરીના સાધુ બનવાની કથા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પત્નીના ધોખાથી રાજા ભરથરીના સાધુ બનવાની કથા


🙏 પત્નીના ધોખાથી રાજા ભરથરીના સાધુ બનવાની કથા 🙏

👉 પહેલાં જે વાર્તા મૂકી હતી તે અધૂરી હતી
પણ સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સાહિત્યમાં એનો ઉલ્લેખ નથી થયો
આ કદાચ કદાચ આપણું લોકસાહિત્ય હોય એવું બની શકે છે
પણ એ વાર્તા સારી છે અને ઉપદેશાત્મક છે એટલે મુકું છું
કેટલાંક મિત્રોએ મારું ધ્યાન દોર્યું
એટલે ગુ આખી વાત જાણવા પ્રેરાયો
હું આપનો ક્ષમાપ્રાર્થી છું !!!!

👉 આ રહી એ આખી વાત ——-

👉 ઉજ્જૈન પણ ઉજજૈની તરીકે ઓળખાતું હતું
ઉજજ્યની શહેરમાં પરમ પ્રતાપી રાજાઓ થયાં હતાં
વિક્રમાદિત્ય વિક્રમાદિત્યના પિતા મહારાજ ગાંધર્વને હતા અને તેમની પાસે બે પત્નીઓ હતી.
એક પત્નીના પુત્ર વિક્રમાદિત્ય હતા અને બીજી પત્ની એનો પુત્ર હતો ભર્ત્રુહરિ
ગાંધર્વસેનના મૃત્યુ પછી ઉજ્જૈનનું રાજપાટ ભર્ત્રુહરિને પ્રાપ્ત થયું
કારણકે ભરથરી વિક્રમાદિત્ય કરતાં મોટાં હતાં
રાજા ભર્ત્રુહરિ ધર્મ અને નીતિશાસ્ત્રના ગણાતા હતાં
પ્રચલિત કથાઓ અનુસાર ભર્ત્રુહરિની બે પત્નીઓ હતી
પરંતુ તે છતાં ય એમને ત્રીજું લગ્ન કર્યું પિંગળા સાથે
પિંગળા બહુજ સુંદર હતી આને આ કારણે ભર્ત્રુહરિ ત્રીજી પત્ની પર વધારે મોહિત થઇ ગયાં હતાં

👉 કથાઓ અનુસાર ભર્ત્રુહરિ પોતાની ય્રીજી પત્ની પિંગળા પર આસક્ત હતાં
એ એના પર આંધળો વિશ્વાસ મુકતાં હતાં
રાજા પ્પત્નીના મોહમાં પોતાનાં કર્તવ્યોને ભૂલી ગયાં
એ સમયે ઉજ્જૈનમાં એક તપસ્વી ગુરુ ગોરખનાથનું આગમન થયું
ગોરખનાથ રાજાના દરબારમાં પહોંચ્યા
ભર્ત્રુહરિએ ગોરખ્નાથનો ઉચિત આદર સત્કાર કર્યો
આનાથી તપસ્વી ગુરુ બહુજ પ્રસન્ન થયાં
પ્રસન્ન થઈને ગોરખનાથે રાજા ભર્ત્રુહરિને એક ફળ આપ્યું
અને કહ્યું કે —–
” આફળ ખાવાથી એ સદૈવ જવાન રહશે ……. ક્યારેય વૃદ્ધત્વ નહીં આવે ………સદાય સુંદરતા બની રહેશે !!!!”

👉 આ ચમત્કારિક ફળ આપીને ગોરખનાથત્યાંથી ચાલ્યા ગયાં
રાજાએ ફળ લીધું અને વિચાર કર્યો કે તેને શા માટે યુવાની અને સુંદરતાની જરૂર છે.
કારણ કે રાજા તેની ત્રીજી પત્ની દ્વારા ખૂબ જ પ્રભાવિત અને મોહિત હતાં
તેથી તેમણે વિચાર્યું કે જો આ ફળ પિંગળા ખાય તો તે હંમેશા સુંદર અને યુવાન રહેશે.
આ વિચારથી, રાજાએ એ ફળ પિંગળાને આપ્યું.
રાણી પિંગળા ભર્ત્રુહરિ પર નહીં પણ એમનાં રાજ્યના કોટવાલ પર મોહિત હતી
રાજાને આ વાતની ખબર નહોતી
જ્યારે રાજાએ તે ચમત્કારિક ફળ રાણીને આપ્યું
તો રાણીએ વિચાર્યું કે જો કોટવાલ દ્વારા ફળ ખાવામાં આવે તો તે લાંબા સમય સુધી તેની ઇચ્છાઓ પૂરી કરી શકશે.
રાણીએ આ ચમત્કારને ફળ કોટવાલને આપી દીધું
આ કોટવાલ એક વેશ્યાને પ્રેમ કરતો હતો
એટલે એ ફળ એણે એ વેશ્યાને આપી દીધું
જેથી એ વેશ્યા સદાય જવાન અને સુંદર બની રહે
વેશ્યાએ આ ફળ લઈને વિછાર્યું કે —-
“જો તે સદાય સુંદર જવાન બની રહેશે
તો એને કાયમ માટે ગંદા કામો કરવાં પડશે
નર્ક સમાન જીવનમાં કયારેય મુક્તિ નહીં મળે
આ ફળની જરૂર તો અમારાં રાજાને છે
રાજા હંમેશા જવાન રહેશે તો જ લાંબા સમય સુધી પ્રજાને સુખ -સુવિધાઓ આપતાં રહેશે !!!”
આમ વિચારીને એણે આ ચમત્કારી ફળ રાજા ભર્ત્રુહરિને આપી દીધું
રાજા આ ફળ જોઇને હતપ્રભ બની ગયો !!!!

👉 રાજાએ વેશ્યાને પૂછ્યું કે આ ફળ તને ક્યાંથી પ્રાપ્ત થયું છે
વેશ્યાએ કહ્યું કે કોટવાલે મને આ ફળ આપ્યું છે.
ભર્ત્રુહરિએ તરત કોટવાલને બોલાવી મંગાવ્યો
સખ્તાઈપૂર્વક કોટવાલની પૂછપરછ પછી કોટવાલે બતાવ્યું કે —-
” આ ફળ રાણી પિંગળાએ આપ્યું છે ……”
જ્યારે ભર્ત્રુહરિને પૂરી વાતની ખબર પડી ગઈ કે
રાણી પિંગળા એને દગો કરી રહી છે
પત્નીના વિશ્વાસઘાતથી રાજા ભર્ત્રુહરિના મનમાં વૈરાગ્ય જાગી ઉઠ્યું
અને પોતાનું સંપૂર્ણ રાજ્ય રાજા વિક્રમાદિત્યને સોંપીને ઉજ્જૈનની એક ગુફામાં જતાં રહ્યાં
આ ગુફામાં એમણે ૧૨ વર્ષ સીધી કઠોર તપશ્ચર્યા કરી હતો !!!!

👉 રાજા ભર્ત્રુહરિની કઠોર તપસ્યાથી દેવરાજ ઇન્દ્ર પણ ભયભીત થઇ ઉઠયો
ઇન્દ્રે વિચાર્યું કે ભર્ત્રુહરિવરદાન પ્રાપ્ત કરીને સ્વર્ગ પર આક્રમણ કરી દેશે
આ વિચારીને ઇન્દ્રદેવે ભર્ત્રુહરિ પર એક વિશાળ પથ્થર ગીરાવ્યો
તપસ્યામાં બેઠેલાં ભર્ત્રુહરિએ એક હાથથી એ પથ્થર રોકી દીધો અને પોતે તપસ્યા કરતાં રહ્યાં
આ રીતે કેટલાય વર્ષો સુધી તપ કર્યાં પછી એ પથ્થર પર ભર્ત્રુહરિના પંજાનું નિશાન પડી ગયું
આ નિશાન આજે પણ ભર્ત્રુહરિની ગુફામાં રાજાની પ્રતિમાની ઉપરવાળાં પથ્થર પર જોવાં મળે છે !!!!
આ પંજાનું નિશાન બહુજ મોટું છે
જેણે જોઇને સહજ જ એ અંદાજ લગાવી શકાય છે કે
રાજા ભર્ત્રુહરિનું કદ કેટલું મોટું હશે !!!

👉 ભર્ત્રુહરિએ વૌરાગ્ય પર વૈરાગ્ય શતકની રચના કરી જે બહુજ પ્રસિદ્ધ છે
આમી સાથે સાથે ભર્ત્રુહરિએ શ્રુંગાર શતક અને નીતિ શતકની પણ રચના કરી
આ ત્રણે શતકો આજે પણ ઉપલબ્ધ છે અને વાંચવાલાયક પણ !!!!

——- જનમેજય અધ્વર્યુ

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.