શું આ તમે જાણો છો ?
એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલેકે સિકંદર
વિશે કોઈ જ આર્કિયોલોજીકલ પુરાવો મળતો નથી
જે મળે છે એ ઇતિહાસ્કારોના દસ્તાવેજી પુરાવાઓ છે જ એલેક્ઝાન્ડરના મર્યા પછી લગભગ 400 વર્ષ પછી પાશ્ચત્યના ત્રણ ઇતિહાસકારો
(૧) સ્ટેબો
(૨) એરિયન
અને
(3) પ્લુટાર્ક પરથી મળે છે
આમાં મેગેસ્થેનિસનું ક્યાંય પણ નામોનિશાન નથી
એ વાત સાબિત થઈ ચૂકી છે
આમા એ ખરેખર થયો હતો
એ વાત પણ એક શંકાસ્પદ છે
જો પોરસની ઘટનાને સાચી માનીએ તો એ અવશ્ય થયો હતો…
પણ ઘટના અને ઇતિહાસ ખોટો ચિતરાયો છે
આ એક અગત્યનો પુરાવો છે
સિકંદરની બાબતમાં આપણે પાશ્ચાત્ય ઇતિહાકારો પર જ નિર્ભર રહેવું પડે છે ….
ભારતીય ઇતિહાસકારોએ પોરસનાં મોં ફાટ વખાણ કર્યા છે જ ….
પોરસની રાજા બનાવવામાં ચક્રવર્તી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે મદદ કરી હતી
ચંદ્રગુપ્ત મૌર્યે અને ચાણક્યના આર્કિયોલોજીકલ પુરાવાઓ છે
યુનાનીઓના સમકાલીન એવા મૌર્ય વંશથી જ ભારતનો ઇતિહાસ શરૂ થાય છે જેના આર્કિયોલોજીકલ પુરાવાઓ છે
અને ચાણક્ય સહિત અન્ય સાહિત્યકારો અને ઇતિહાસકારો આની પુષ્ટિ કરે છે…
આવું જ ખીલજીની બાબતમાં બન્યું હતું
એનાં આર્કિયોલોજીકલ પુરાવાઓ નથી
સિવાય કે એની દિલ્હી સ્થિત એની કબર અને મદરેસા…
મલિક મોહંમદ જાયસીના પદ્માવતથી જ આપણે એનાથી જ્ઞાત થઈએ છીએ
એ પણ 350 વર્ષ પછી જ રચાયું હતું
ચિત્તોડમાં પદ્મિની પેલેસ છે
પણ ખીલજીવાળા અરીસાઓ જરૂર પ્રશ્નાર્થ કરે છે
કલ્પના એ ઇતિહાસ નથી
અને
ઇતિહાસ એ કલ્પના નથી
જૌહરના તો પુરાવાઓ છે પણ એ ખીલજીની કારણે થયું હતું એવું ઇતિહાસકરો કહે છે બાકી સત્ય તો હજી પણ કોઈનેય ખબર નથી જ
આપણી મૂળ વાત તો સિકંદરની હતી જો 400 વર્ષ પછી ઇતિહાસ લખાયો હોય તો એમને આની સત્યતાની ખબર પણ ના જ હોય
એ સ્વાભાવિક છે
તાત્પર્ય એ કે ઇતિહાસકારો જે કંઈ પણ કહે એ સાચું જ છે
એ માની કાઈ રીતે લેવાય!!
સિકંદર વિશે કયા ઇતિહાસકારોએ આ દસ્તાવેજી પુરાવાઓ આપ્યા હતાં એનાથી તમને જ્ઞાત કરવાનો જ હેતુ માત્ર છે મારો!!!
Leave a Reply