Sun-Temple-Baanner

રીયાઝ નાયકુ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


રીયાઝ નાયકુ


❌ રીયાઝ નાયકુ ❌

✅ આની સાચી ઓળખ મેળવવા માટે
તમને કાં તો જમ્મુ અને કાશ્મીરની ભૂગોળની અને એનાં ઇતિહાસની ખબર હોવી જોઈએ
અથવા તો તમે જમ્મુ અને કાશ્મીર ગયાં હોવાં જોઈએ
આ એક એવું રાજ્ય છે જે ભારત સ્વતંત્ર થયું ત્યારથી અને એ પહેલેથી જ સુર્ખીઓમાં છવાયેલું રહ્યું છે
આ રાજ્યમાં ફેલાયેલી અરાજકતા અને વકરતા આતંકવાદ માટે નહેરુ ખાનદાન અને કોંગ્રેસ જ જવાબદાર છે
એ તમને હું આ પહેલાં પણ જણાવી ચુક્યો છું અને હવે પછી પણ જણાવતો રહીશ
કાશ્મીર લેખમાળા શરુ કરવાનો વિચાર કરું છું ત્યાં જ કાશ્મીરની સુંદરતાની જગ્યાએ કૈંક બીજું જ લખાઈ જાય છે
પણ એમાં એક વસ્તુ સર્વસામાન્ય છે તે છે કાશ્મીર !!!

✅ આ માણસની ઓળખ મેળવવી હોય તો તમને બુરહાન વાની વિષે ખબર હોવી જોઈએ
આ બુરહાન વાની એ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો જન્મદાતા છે
આ માણસે જ ત્યાના મુસ્લિમોમાં ભારત વિરુદ્ધ એટલું બધું ઝેર ભર્યું હતું અને એમને જીહાદ કરવાં ઉપસાવ્યાં હતાં
કોંગ્રેસના શાસનમાં એમને તો મોકળું મેદાન મળી ગયું હતું
તે સમયે ખાલી કાશ્મીરમાં કહેવાતું જ લશ્કર હતું
લશ્કર પણ ત્યાં એ સમયે આનંદ પ્રમોદ અને જલસા જ કરતુ હતું
કહેવાનું તાત્પર્ય એ કે કોંગ્રેસે લશ્કરને સુચના આપી હતી કે બહુ ઉહાપોહ થાય ત્યારે નાનકડી કાર્યવાહી કરવી
જેથી આપણા બંનેની આબરૂ બચી રહે !!!
૧૯૭૧ પછી યુદ્ધ ના થયું તેનું એક કારણ આ પણ છે —— મિલીભગત
કોંગ્રેસ ગિલગીટ અને બાલ્ટીસ્તાન અને એ પહેલાં અસ્કાઈન ચીનની ભૂલ દોહરાવવા નહોતું માંગતું
એમાં જ આ આતંકવાદે જન્મ લીધો
હતો પહેલેથી જ પણ વકર્યો ૧૯૯૨ પછી
જયારે પત્થરમારો થયો શ્રીનગરમાં ત્યારથી !!!
સરકારની તો સેનાને સુચના હતી પણ સેના પર હુમલો એમ કઈ સેના સાંખી તો ના જ લે ને
એણે જવાબી કાર્યવાહી કરી તો કોંગ્રેસે તેનાં પર રોક લગાવી દીધી
એમને એમનું ધાર્યું કરવાં દીધું જ નહીં !!!
પરિણામે આ તકસાધુઓ અને મોકાપરસ્ત પાકિસ્તાનને તો છુટ્ટો દોર મળી ગયો
આ બુરહાન વાની એની જ નીપજ છે !!!

✅ આ બુરહાન વાનીથી કાશ્મીરની પ્રજા અભિભૂત થઇ ગઈ હતી
સંખ્યા તો તે વખતે પણ કાશ્મીરમાં મુસ્લિમોની જ વધારે હતી
કારણકે ૧૯૯૧નાં તોફોના પછી કાશ્મીરમાં કોઈ કાશ્મીરી પંડિતો રહ્યાં જ નહોતાં
કેટલાંય મર્યા અને કેટલાંય સ્થળાંતર કરી ગયાં
અને કેટલા બધાં મુસ્લિમો ત્યાં પાકિસ્તાનથી આવીને વસ્યાં હતાં જેની તમે કલ્પના પણ ના કરી શકો !!!
૩૭૦મી કલમ જ એમને મદદ કરતી હતી જેથી કેન્દ્ર (કોંગ્રેસે) એ આમાં હસ્તક્ષેપ કરવાનું મુનાસીબ સમજ્યું !!!
આવુંને આવું ત્યાર પછી ૨૪ વર્ષ ચાલ્યું
૧૯૯૧થી ૨૦૦૪ સુધી તો ખરેખર કાશ્મીરમાં શું ગતિવિધિઓ ચાલી રહી છે એની ખુદ કેન્દ્રને પણ ખબર નહોતી તો આપણને ક્યાંથી હોય આની ખબર ?
આપણને ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીની સાલ યાદ રહી ગઈ કારણકે આ જમાનો એ ઈન્ટરનેટ અને ફેસબુકનો હતો
સોશિયલ મીડીયાના અસ્તિત્વમાં આવ્યાં પછી જ આપણું સત્વ ઉજાગર થયું અને સત્ય બહાર આવ્યું !!!
કયા કયા સત્યો સામે આવ્યાં તે અત્યારે હું અહી કહેવાનું ટાળું છું
આ સત્યો તે વખતે માત્ર ઉહાપોહ બનીને જ રહી ગયાં હતાં કારણકે સોનિયાના ઇશારે નાચતી મૌનીબાબાની સરકાર હતી
૨૦૧૪માં જયારે મોદી સારકાર આવી ત્યારે તાજ હોટલનો ઘાવ તાજો જ હતો
અસંખ્ય હુમલાઓ ભારતીય સેનાનાં જવાનો પર થયાં હતાં
જોકે ત્યાર પછી પણ થતાં જ રહ્યાં છે !!!

✅ દરેકના મનમાં એ સવાલ જરૂર પેદા થાય કે આ હુમલાઓ કેમ વધ્યાં?
મોદી સારકાર કેમ કંઈ કરતી નથી ?
અરે મુર્ખાઓ મોદીજી સત્તા પર આવ્યાં ત્યારથી જ કાશ્મીરની હાલત કફોડી થઇ ગઈ હતી
આતંકવાદ જે જડમૂળ સુધી પ્રસરેલો હતો એણે ડામવાનો જ પ્રયત્ન કરતાં હતાં
વિથ ઈમીજીયેટ ઈફેક્ટ
એમણે સત્તા પર આવતાની સાથે કાશ્મીરમાં જે સેના હતી તેને પછી બોલાવી નવાં વધારે કાર્યક્ષમ જવાનો તૈનાત કર્યાં
પોતે દર દિવાળી આ જવાનો સાથે વિતાવતા હતાં
એમને કાશ્મીરનો તાગ ત્યાં જાતે જઈને કાઢવો હતો !!!
એનું પરિણામ પણ આપણને તરત જ મળ્યું
જે આ આંધળા ચમચાઓને દેખાયું જ નહિ !!!
શું ના દેખાયું ?
તો આ બુરહાન વાની જે સેના સાથેની મુઠભેડમાં અનંતનાગ જીલ્લામાં કોંકણમર્ગ પાસે એના જ ઘરમાં ઠાર મરાયો
આ તારીખ હતી જુલાઈ ૮ સન ૨૦૧૬
કાશ્મીરમાં લોકોએ બંધ પાળ્યો ૯ -૯ મહિના સુધી !!!
કાશ્મીરની પ્રજા મોદી વિરોધી બની ગઈ
જો કે મોદીજીને એની પરવા નહોતી !!!
આનાથી પાકિસ્તાન અને કાશ્મીરી મુસ્લિમો ભૂરાયા બની જાય એ સ્વાભાવિક છે
કારણકે મોદીજીએ એમની દુખતી રગ જો દબાવી હતી

✅ આ બુરાહન વાનીના મૃત્યુ પછી હિજબુલ મુજાહિદ્દીન બંધ તો નહોતું જ પડવાનું
એની કમાંડ હાથમાં આવી રીયાઝ નાયકુ પાસે જે બુરહાન વાનીનો ખાસ જમણો હાથ હતો
જેના માથે ૧૨ લાખનું ઇનામ હતું
સન ૨૦૧૬થી સન ૨૦૧૯ કઈ બહુ લાંબો સમય ગાળો નથી
આ ત્રણ વર્ષ દરમિયાન ઘણા આતંકવાદીઓ મરાયા જોકે આપણા પણ ઘણા જવાનો મર્યા
પણ ભારતે એ બધાનો બદલો ગણી ગણી ને લીધો
અને આખરે એ એદિવસ આવ્યો ઓગષ્ટના પ્રથમ અઠવાડિયામાં જ્યારે ૩૭૦મી કલમ ૩૩૫A રદ થઇ
કાશ્મીરીઓનું મોઢું વિલાઈ ગયું પણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું
એણે ઘણા ધમપછાડા કર્યાં પણ ભારતે તેની એક ના માની !!!
એ વાતને હજી વરસ પણ નથી થયું ત્યાં વળી આ કોરોનાની મહામારી આવી
એટલું જ નહીં એ ફેલાવવામાં પણ પાકિસ્તાને પાછી પાની ના કરી
પાકિસ્તાન તો આતંકવાદને અગ્રીમતા આપતું જ રહ્યું અને કાશ્મીરનું ગીતુ ગાતું જ રહ્યું !!!
કાશ્મીરના અંદરના માણસોને આવરતું અને છાવરતું આતંકવાદી સંગઠન એટલે એટલે આ હિજબુલ મુજાહિદ્દીન !!!
એની કમાન હવે રીયાઝ નાયકુ સંભાળતો હતો
જે શરૂઆતમાં તો એક પોસ્ટર બોય હતો

✅ અત્યારે જે બે નામો છાપામાં ચમકે છે એ કુંપવાડા અને હિંદેવાડ
એ જ વિસ્તાર એ આતંકવાદીઓના માનીતાં -પોતીકા વિસ્તારો છે
એમાં આતંકવાદીઓ છુપાયા છે એવી બાતમી ભારતીય સેનાને પહેલેથી જ હતી
એમાં જયારે નિર્દોષ નાગરિકોનું અપહરણ કર્યું
ત્યારે ભારતીય સેનાનાં જાંબાઝ સિપાહીઓએ એમને છોડાવ્યા એમાં કેટલાંક ભારતીય સૈનિકો શહીદ થયાં
ભાઈ એ લોકો પાસે પણ હથિયાર હતાં એટલે મુઠભેડ તો થવાની હતી
એમાં પણ કેટલાંક આતંકવાદીઓ મરાયા હતાં
પણ તોય સોશિયલ મીડિયાના આલોચકની પરવાહ કર્યા વગર સેનાએ આ અતંકવાદીઓને અને એનાં ટોપ અતંકવાદીઓને શોધવાનું અને એમને મારવાનું કામ ચાલુ જ રાખ્યું
એમનું મુખ્ય લક્ષ્ય હતું આ રીયાઝ નાયકુ
સેનાએ પણ મનમાં ઠાની જ લીધું હતું કે ભલે આપણા જવાનો શહીદ થાય પણ આને તો અમે ખત્મ કરીને જ રહીશું
ત્રણ દિવસની ભારે જહેમત બાદ આખરે આ રીયાઝ નાયકુ આપણા સૈન્યના જવાનોને હાથે અવંતીપુરના બેઈગપુરા ગામે ઠાર મરાયો
આ ભારતીય સેનાની એક મોટી સિદ્ધિ છે જે બિરદાવવામાં આપણું કહેવાતું સોશિયલ મીડિયા પાછળ પડયું છે
જોકે આ મરાયો ત્યારથી જ ટવીટર ઉપર આ જ સમાચાર છવાયેલા છે એ જુદી વાત છે

✅ થોડીક વિગતો વધારે ——-

✅ અવન્તીપુરના ભવ્ય ખંડેરો જોયાં ત્યારે તો ત્યારે ત્યાં આવેલાં મુલાકાતીઓ જોડે મારે આ અવંતીપુરના નાગવંશીઓ અને કાશ્મીરી પંડિતો વિષે ચર્ચા થયેલી
જે હું આ અગાઉ લખી જ ચુક્યો જ છું
પણ ત્યારે મેં આ બુરહાની વાનીનો ઉલ્લેખ કર્યો હતો
તેના મર્યા પછી તેની કમાન રીયાઝ નાયકુ પાસે હતી તે મને ત્યારની જ ખબર છે
કાશ્મીરના લોકલ આતંકવાદીઓ જે આજે મરાયાં છે તેમનાં નામોની પણ પણ મને કાશ્મીર પ્રવાસ દરમિયાન જ પડી હતી
હજી કેટલા લોકો આમાં સંડોવાયેલા છે એ પણ મને ખબર જ છે
પણ હું તેમનાં નામો નહીં આપું તેઓ બધાં મરાશે પછીજ હું એ વાત જાહેર કરીશ

✅ આ અવન્તીપુર અને બેઈગપુરા એમાં અવંતીપુર તો મેં જોયું છે અને આ બેઈગપુરામાં મેં ચા પીધી છે
હજી વધારે માહિતી આપું
જયારે ધારા ૩૭૦ રદ થઇ ત્યારે પણ આ વિસ્તાર આતંકવાદથી ધમધમતો હતો
તો અજીત ડાભોલ અને ગૃહમંત્રી અમિત શાહે પોતાનાં એક વિશ્વાસુ મેજરને આ વિસ્તારનો ક્યાસ લેવાં મોકલ્યો
તેનું નામ છે —– મહેન્દ્રસિહ ધોની
જેનું પોસ્ટીંગ પછીથી થોડા સમય માટે લડાખમાં થયું હતું
આ માહિતી જે ભારતીય સેનાએ એકત્રિત કરી હતી તેનું પરિણામ છેક આજે મળ્યું છે

✅ ભાઈ ભારતીય સેનાને એક નહી લખો સલામ તો કહેવાં જ પડે
શું કહો છો તમે ???

——- જનમેજય અધ્વર્યુ

✌✌✌✌✌

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.