Sun-Temple-Baanner

ફિલ્મ ” હેલ્લારો ” નાં દિગ્દર્શક – નિર્માતા પર જાતિવાદનો આરોપ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


ફિલ્મ ” હેલ્લારો ” નાં દિગ્દર્શક – નિર્માતા પર જાતિવાદનો આરોપ


🤜 થનાર ચીજો નવ થાય અન્યથા
ન જાણ્યું જાનકીનાથે સવારે શું બનવાનું છે?
સત્ય છપ્પર ફાડીને બહાર આવ્યું 🤛

ફિલ્મ ” હેલ્લારો ” નાં દિગ્દર્શક – નિર્માતા પર જાતિવાદનો આરોપ
સૌથી મોટો આરોપ ડાયલોગ લખનાર સૌમ્ય જોશી સામે છે
આ ફરિયાદ એક કોંગ્રેસી નેતા દ્વારા અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે

હું ધારતો હતો તેવું જ થયું
મેં મારાં આ ફિલ્મનાં રીવ્યુમાં અતિસ્પષ્ટપણે જણાવ્યું હતું કે
સન ૧૯૭૫માં હરિજન શબ્દ વપરાયેલો ત્યારે મેં એનો ઉગ્ર વિરોધ કરેલો
આ શબ્દ જ વાંધાજનક છે એનો આડકતરો ઈશારો પણ મેં આપી જ દીધો હતો

ફરિયાદ અનુસુચિત જનજાતિ અને આ હરિજન શબ્દ સામે ફૂલ ૭ જણા સામે નોંધાવવામાં આવી છે
મુખ્ય વાંધાઓ માટે પણ માત્ર ફરિયાદ જ નહીં પણ એમને જેલ જ થવી જોઈએ !!!!
કચ્છીઓ જાગો અને ફરિયાદ નોંધાવો
લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દો

એક નજર આ આગાઉનાં ગુજરાતી ફિલ્મ કે ગુજરતી ગીતોના વિવાદ પર નાંખી લઈએ ——–

આ વિવાદની શરૂઆત ગુજરાતની સુપ્રસિદ્ધ નવલકથા “સરસ્વતીચંદ્ર” નામની હિન્દી ફિલ્મથી શરુ થયો છે
આ ફિલ્મમાં શ્રી ગોવિંદ સરૈયાએ નૂતનને “ચંદન સા બદન ” ગીત ગાતી બતાવી હતી ત્યારથી શરુ થયેલો છે
કારણકે ક્થાનાયિકા અંતમાં પણ સરસ્વતીચંદ્રને મળતી જ નથી
એ બંનેનો મેળાપ કે મિલન ક્યારેય થયું જ નથી !!!
પછી આવી ધીરુબેન પટેલની વાર્તા પરથી રચાયેલી ગુજરાતી ફિલ્મ ” ભવની ભવાઈ” નો વિવાદ થયો હતો
કૈંક રોયલ્ટી બાબતે
આ બાબતમાં કેતન મહેતા અને ધીરુબેન પટેલ વચ્ચે સમાધાન તો થઇ ગયું
તો પણ હજી એ બંને વચ્ચે અબોલા જ છે !!!
પછી વિરોધમાં અટવાવું જેને ગમે છે એ ભાઈ ભણશાલી આવ્યાં
“રાસલીલા”માં રાજપૂતોનો વિવાદ થયો એ શમ્યો ત્યાં એમાં એમને વાપરેલું ગીત “મોર બની થનગનાટ કરે “એ ગીત કોનું છે એ લખવાનું ભૂલી ગયાં હતાં
પણ છેવટે તેનો વિવાદ શમી ગયો કારણકે તેમણે એમાં મેઘાણીનું નામ ઉમેર્યું
ત્યાર પછી ફરી પાછાં ભણસાલી છટકી ગયાં ” સરસ્વતીચંદ્ર “નામની સીરીયલમાં આ મારું પોતાનું ઇન્ટરપ્રીટેશન છે એમ કહીને
જોકે એનો વિરોધ તો ચાલુ જ છે હજી !!!
બાજીરાવમાં ગુજરાત કે ગુજરાતીઓ ન આવતાં હોવાથી એની વાત આપણે નથી કરતાં
પણ “પદ્માવત”માં એમણે ગુજરાતના રાજપૂતોનો રોષ વહોર્યો હતો !!!!

પણ ભણસાલી એ પદ્માવતનું સ્ક્રીનીંગ રાજપૂતો આગળ કર્યું પછી કોઈ જ વિરોધ ન થયો
અને આ મુવી ૧૦૦૦ કરોડ ઉપરાંત કમાયું

આ ભૂલ ” હેલ્લારો ” વખતે થઇ ગઈ
ગુજરાતીઓ અને એમાં કચ્છીઓને જ બાકાત રાખ્યાં એ
વિરોધ વધશે હજી !!!!

હવે એક બાબત તો સાબિત થઇ ગઈ કે હવે પછી કોઈ ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ નહી મળે
અતિઉતાવળ એ વિનાશ જ નોંતરે છે એ આનું નામ !!
કેસમાં નિર્દોષ કદાચ છૂટે પણ એ કલંક સાથે અને આટલાં બધાં વિરોધ વચ્ચે જીવવું અઘરું તો છે જ !!!
કમસે કામ આ ફિલ્મ “હેલ્લારો”માં રીસર્ચ તો કરવું હતું
સેન્સર બોર્ડ બરખાસ્ત કરો કે કેમ તે આવું ચલાવી લે છે ?
મીલીભગતોથી કોઈ ભલીવાર ના વળે એ સમજી લો બધાં ….
હજી ગુજરાતની સંસ્કૃતિનું અધ:પતન બતાવવા બદલ આ ફિલ્મ પર રીતસરનો Ban જ આવવો જોઈએ !!!

——– જનમેજય અધ્વર્યુ

🥀🌹🌻🌺🌾🍁🍀☘🥀

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.