દૂતવાક્યમ – મહાકવિ ભાસ
👉 આ પણ એક એકાંકી નાટક છે ‘
રૂપકના ભેદ અનુસાર આ “આયોગ” છે
👉 આમાં ભગવાન શ્રીકૃષ્ણનું દૂતના રૂપમાં વર્ણન કરાયું છે
પહેલાનાં જમાનામાં એટલે કે ——
રામાયણ-મહાભારતકાળમાં યુદ્ધ નિવારવા માટે ખાસ દૂતો મોકલવામાં આવતા
એ પ્રતિસ્પર્ધિઓ એટલેકે શત્રુઓ પાસે એવી વિનતી કરવાં જતાં કે
તમે આય્ધ્ધની ઘડી અટકાવી શકો છો
જો બની શકે તો સાથે બેસીને આપ્રશ્નોનું નિરાકારના લાવીએ
જેથી કરીને યુદ્ધ અને યુધ્દમાં પરિણામો અટકાવી શકાય
અને બંને દેશો કે રાજ્યોની પ્રજા શાંતિમય જીવન પસાર કરી શકે
આમેય યુધ્દથી તો સરવાળે પ્રજાને જ નુકશાન થાય છે
હાર-જીત એ તો ગૌણ બબબ્ત છે
સંસ્કૃતમાં આ માટે એક બીજો શબ્દ પણ વપરાયો છે
“વિષ્ટિકાર” !!!
👉 દૂતની એક ખાસિયત એ હોય છે કે
એ ગમે તેટલો પરાક્રમી હોવાછતાં એ શસ્ત્રનો ઉપયોગ ના કરી શકે
બની શકે તો સલુકાઈથી અને કુનેહપૂર્વક જ એને વર્તવું પડે
આમ જોવા જીતો શત્રુપક્ષ પણ દુતનો વધના કરી શકે
હા કેટલાંક અવિચારી રજાઓ એને જેલમાં પુરી દેવાનો હુકમ જરૂર આપે છે
જે બિલકુલ પણ વ્યાજબી નથી
સામાપક્ષે એમની દલીલો ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ
અને એની સામે પોતાની દલીલો રજુ કરવી જોઈએ
👉 દૂત એવો હોવો જોઈએ કે જેનું વજન પડે
અને સામો પક્ષ એમની વાત સ્વીકારવા તૈયાર થઇ જાય
ટૂંકમાં એ પ્રતિભાશાળી હોવો જોઈએ !!!
👉 રામાયણમાં આવા દુત્ત તરીકે વાલિપુત્ર અંગદ ગયો હતો
આંગળ એના પિતા જેવોજ બળવાન અને શક્તિશાળી હતો
ભગવાન રામે અંગદને રાવણ પાસે મોકલ્યો હતો
પણ રાવણ જેનું નામ એકયા કોઈનુંય સંભાળે તેમ હતો તે !!!
એને અંગદને નીચે બેસાડ્યો
જે પરંપરાગત રીતે ખોટું જ કહેવાય
અંગદે પણ રાવણના અભિમાનને ઉતારવાનો નિશ્ચય કર્યો
એને પોતાનું પુચ્છાસન એટલું ઊંચું બનાવ્યું અને એના પર બેસી ગયો
રાવણને ય હવે ઊંચું જોવું પડ્યું
અને એમને એનો મુગુટ પડી ગયો
આ હતી અંગદની કુનેહ
👉 હવે…. મહાભારતમાં આવું કાર્ય કોણ કરી શકે ?
એ માટે તો ભગવાન શ્રીક્રુણ જ યોગ્ય હતાં
એમને દુર્યોધન પાસે મોકલ્યાં એમ કહેવું એ મને ઉચિત નથી લાગતું
પણ ભગવાન શ્રીકૃષ્ણએ જ આ દુષ્કર કાર્ય પોતાનાં શિરે લઇ લઇ લીધું
👉 એવું નથી કે દુત્તો માત્ર રામાયણ -મહાભારતના કાળમાં હતાં
ચાણક્ય પણ આવાં જ હેતુસર ધનનંદ પાસે ગયાં હતાં
અનેમનું અપમાન કરીને કાઢી મુકાયા હતા
ચાણક્યે આનો બદલો લેવાનું નક્કી કર્યું અને ભારતને મળ્યો એક શક્તિશાળી રાજા ——— ચંદ્રગુપ્ત મૌર્ય
મક્બરનો દૂત પણ મહારાણા પ્રતાપ પાસે આવ્યો હતો
જે એક વાત તમને ખબર નથી એ કહું છું કે
ઔરંગઝેબે પણ જયસિંહને દૂત તરીકે છત્રપતિ શિવાજી મહારાજ પાસે મોકલ્યો હતો
👉 આટલું મારે કહેવું હતું કે દૂત એટલે શું ?
એ મેં કહી દીધું !!!
👉 હવે ભાસના નાટક દુત્વાક્યમ પર આવી જઈએ
આ એકાંકી નાટકમાં ભગવાન શ્રીકૃષ્ણનું દૂતના રૂપમાં વર્ણન કરાયું છે
શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે સંધિનો પ્રસ્તાવ લઈને જાય છે
પરંતુ એમનું ખુબજ અપમાન કરવામાં આવે છે અને એ પોતાના કાર્યમાં અસફલ થઈને પાછાં ફરે છે
ભગવાન શ્રીકૃષ્ણ ક્રોધિત થઈને સુદર્શન ચક્રનું આવાહન કરે છે
અને એને દુર્યોધનનો વધ કરવાનો આદેશ આપે છે
પરંતુ તે એને એમ કરતા રોકે છે
આનું કથાવસ્તુ (plot) મહાભારતમાંથી લેવામાં આવ્યો છે !!!
👉 આનું નામકરણ બહુજ સટીક છે
સંપૂર્ણ નાટક દૂત વેશધારી ભગવાન શ્રીકૃષ્ણના વચનોથી અનુપ્રમાણિત છે
અત: “દૂતવાક્ય”નામ સમુર્ણપણે યથોચિત જ છે
સંપૂર્ણ નાટક વીરરસથી ભરેલું છે
ભગવાન શ્રીકૃષ્ણના અસ્ત્રોની સહસા ઉદભાવના તથા વિરાટ રૂપના દર્શનમાં અદ્ભુત રસનો ચમત્કાર છે
પ્રધાન સ્વરૂપે આરભટીવૃત્તિની યોજના છે !!!
👉 રાજનીતિક સિદ્ધાંતોની આ નાટક ખાણ છે
દ્રાયાદ્યને દુર્યોધન એવં શ્રી કૃષ્ણની વછે થયેલા સંવાદો અત્યંત રોચક એવં સટીક છે
રાજ્યશાસન સંદર્ભમાં દુર્યોધાનું આ કથન અત્યંત સારગર્ભિત એવં મહત્વપૂર્ણ છે !!!।
એ કહે છે કે —-
“રાજ્ય શાસન અશક્તોનું કામ નથી એ તો મહાન બલશાળીઓથી જ સિદ્ધ થાય છે ” ——
राज्यं नाम नृपात्मजैः सहृदयैर्जित्वा रिपून् भुज्यते।
तल्लोके न तु याच्यते न तु पुनर्दीनाय वा दीयते॥
👉 ભાસની ભાષા સરલ, પાત્રનુંકુળઅને રસનુરૂપ છે
“દુતવાક્યમ” એ ભાસનું ઉત્તમ નાટક છે એમાં બે મત નથી ‘
જેણે ભાસની કીર્તિમાં ચાર ચંદ લગાવી દીધાં હતાં !!!
——– જનમેજય અધ્વર્યુ
🌴🌱🌿☘️🍀🍁💐🌷🌹🥀🌻🌼
Leave a Reply