ડાયરીનું એક પાનું
તારીખ : ૫-૮-૨૦૧૨
સમય : રાત્રે ૧-૦૦ વાગે
“જીવન જે શીખવે છે તે કોઈ શીખવતું નથી.. જિંદગી એક શિલ્પકાર છે જે તમારો ઘાટ ઘડે છે”
“મારી બારીએથી”..માં સુરેશ દલાલે સરસ વાર્તાની વાત કરી છે.
“રાધા, આજે નહિ રાંધે”… આ વાર્તામાં સતત ઘરકામ અને રસોડામાં ડૂબેલી રહેતી રાધા…
એક સવારે નક્કી કરે છે કે, આજે તે નહિ રાંધે. જે થવું હોય તે થાય..ઘરના લોકો ગમે તે કહે કે કરે..પણ આજે તો રાધા નહિ જ રાંધે!!
પોતાના નિર્ણય પર અડગ રહેતી રાધા આખરે પોતાના રડતા બાળકને સ્તનપાન કરાવે છે.
આ વાર્તાનો સાર અને મર્મ એવો સમજાયો કે,
સ્થૂળ સ્વરૂપે રાધા નથી રાંધતી…
અડગ રહે છે, પણ એની અંદર તો એના બાળક માટે ખોરાક તૈયાર થાય જ છે. માતૃત્વની વિભાવનાનો સરસ ચિતાર આમાંથી સાંપડે છે.
સ્ત્રીને ‘અન્નપૂર્ણા’ નું બિરુદ એમ જ નથી મળ્યું.
હું આભારી છું એ શુભ તત્ત્વોની કે મારામાં પણ એ માતૃત્વ છે. જેનો મહિમા હું કરી શકું છું. આભાર 🙏
લક્ષ્મી ડોબરિયા
7 may
Leave a Reply