માવતરનાં ભાગ્યમાં હવે ફાધર્સ કે મધર્સ ‘ડે’ છે
છોડવાનું વિચારનારા તો કદી ક્યાં કંઈ છોડે છે
છોડી દેનારાં સમજે છે કે આ તન પણ ભાડે છે
પીરસનારાં જ બેસી ગયા છે પંગતમાં હવે
જોડનારાં જ બહુધા બધેબધું તોડે છે
સફળતાનાં તો એક હજાર બાપ હોય છે
નિષ્ફળતામાં જ તો સૌ પ્રણેતાને વખોડે છે
ભીનાશ જોઈએ છે જેને તે તો બને છે મરજીવા
લવારીવીરો બેઠાંબેઠાં ઝાકળનાં પરપોટાં ફોડે છે
રામાયણની એ જ તો છે ને રામાયણ કળિયુગમાં
જટાયુ,વિભીષણ,ખિસકોલી ના રાવણને કનડે છે
સમય માટે માંગવી પડે અપોઈન્ટમેન્ટ સંતાનોની
માવતરનાં ભાગ્યમાં હવે ફાધર્સ કે મધર્સ ‘ડે’ છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply