હોય સરળ કે બરછટ ઘણું, પડવાની અસર પક્ષપાતની.
સીધા સરળ શબ્દોને અહી નડવાની અસર પક્ષપાતની.
રેલાવે સુરજ આભેથી એના કિરણોને બધે એક સમાન,
હોય મહેલ કે ઝુંપડી, નાં પડવાની અસર પક્ષપાતની.
છે શ્વાસોનો મહિમા બધો, જેની ભીતર આવનજાવન છે,
થાય નશ્વર દેહ પછી, નાં નડવાની અસર પક્ષપાતની.
ગમતું મળે મુખ મલકાય, જો દુઃખ આવે ચિરાય છાતી,
સમજદારી લેશે જન્મ, નાં જડવાની અસર પક્ષપાતની
દાન ધરમ થી માન મળે, મંદિરમાં જગ્યા ખાસ સચવાય,
એવા ભેદભાવની ક્યા ઈશ્વરને અડવાની અસર પક્ષપાતની
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply