Sun-Temple-Baanner

પ્રાસાદિક વિવિધતા


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


પ્રાસાદિક વિવિધતા


🙏 પ્રાસાદિક વિવિધતા 🙏

👉 કહેવાય છે ને કે નાનાં બાળકોની જીદ આગળ ભલભલાંને ઝૂકવું પડતું જ હોય છે
આપણે ક્યાંક રસ્તામાં જઈએ અને બાળક એકદમ રડવાં માંડે છે કે
મમ્મી ……. મમ્મી મારે ચોકલેટ તો જોઈએ એટલે જોઈએ જ
પપ્પા…… મારે મારે બિસ્કીટ ખાવું છે
કાકા -કાકી મને પેલું રમકડું અપાવોને
મામા મારે ચાઇનીઝ નુડલ્સ ખાવાં છે
ફોઈ …… મારે લાડુ ખાવાં છે
દીદી ……… મારે રમકડાનું જામ સેન્ડવીચ ખાવી છે
વગેરે ……. વગેરે !!!!
આ બધું તમે ક્યાંક ફરવાં ગયાં હોવ અને તમને ના મળે તો તમે શું કરો ?
અને બાળકોય શું કરે બાપડાં???
આપણને જે જગ્યાએ ફરવાનો શોખ હોય ત્યાં તે જગ્યાઓમાં બાળકોને રસ ના પણ પડે એવું પણ બને
અરે બને શું કામ એવું જ બનતું હોય છે દરેક જગ્યાએ !!!
મંદિરમાં આપણે પૂરી આસ્થાથી પુરતી શ્રધ્ધાથી જઈએ છીએ
મંદિર પણ તેની આગવી વિશિષ્ટતાઓથી ભરપુર હોય છે
શિલ્પ સ્થાપત્યને એક વાર બાજુએ મુકીએ તો
કેટલાંક મંદિરોમાં વિચિત્ર માન્યતાઓ પણ પ્રવર્તતી હોય છે
અને એમાં પ્રસાદ પણ વિધવિધ સ્વરૂપે મળતો હોય છે
આવાં મંદિરોમાં જયાં અને જ્યારે પણ જાઓને તો એનો પ્રસાદ અરોગવાનું ભૂલતાં નહીં આમાં તમેય ખુશ અને નાનાં નાનાં ભૂલકાઓય ખુશ !!!!
બધાં જ એનો આનંદ લેતાં નજરે પડશે !!!
આ એક સારી નિશાની છે ?

👉 પ્રસાદ અમુક જ હોવો જોઈએ એવી કોઈ ચોક્કસ ગણતરી કે માન્યતા નથી હોતી
હા અમુક ભગવાનને અમુક જ પ્રસાદ ચડાવાય એવી એક માન્યતા પ્રચલિત છે ખરી ?
પણ હવે મંદિરો એ કમાણી કરવાનું ધીખતું સાધન અને સ્થળ બની ગયું છે !!!
મંદિરની આવક વધારવા અવનવાં નુસખા અપનાવાય છે જે કારગત સાબિત થતાં હોય છે
જેણે કારણે મંદિરોની આવક દિન-પ્રતિદિન વધતી જ જાય છે
અને મંદિરમાં ભક્તોની સંખ્યા વધે છે અને મંદિરનો વિકાસ થાય છે તે નફામાં
કેટલીક પ્રણાલીઓ હમણાં શરુ થઇ છે ત્યારે કેટલીક અમુક વર્ષો પહેલાં
વિકાસ કરવા માટેનું આ એક સરાહનીય પગલું છે
અલ્યા ભાઈ હું શું કહેવા માંગું છું તટે તો મેં કહ્યું જ નહીં હજી સુધી તો !!!!

👉 ગત વર્ષે મેં કેટલીક વેબ સાઈટોમાં ભારતનાં કેટલાંક મંદિરોમાં અજબ-ગજબ પ્રસાદ મળે છે એ વિષે લખ્યું હતું
પણ બહુ લાંબુ લખવું શક્ય નહોતું એટલે એ વિચાર ત્યાં પડતો મુક્યો અને મારું લખવાનું પણ વચ્ચે કેટલોક સમય બંધ થઇ ગયું હતું
હવે જયારે ફરીથી લખુ છું ત્યારે મને થયું કે આવા ચિત્ર-વિચિત્ર પ્રસાદો વિષે એક જ લેખમાં બધું જ કહી દઉં —–લખી દઉં
આ વિષે બધેજ બધું છપાયું છે અને ન્યુઝ ચેનલોમાં પણ આવ્યું છે
પણ સમાચાર ઈ સમાચાર
ભાષાને એમાં પ્રાધાન્ય મળતું નથી
એટલે મને થયું લાવ એ બધી માહિતી એકઠી કરીને ૫૬ ભોગની જેમ એક જ સ્થળે પીરસી દઉં !!!
એક રીતે તો આ મારું અનુસંધાન જ છે
કે જ્યાંથી હું અટક્યો હતો ત્યાંથી ફરી શરુ કરું !!!

👉 શરૂઆત કરીએ આપણા ગુજરાતથી જ
તો ગાંધીનગર પાસે મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરનાં મંદિરમાં સુખડીનો પ્રસાદ મળે છે
એ સુખડી ત્યાં જ ખવાય બહાર ના લઇ શકાય
જે પ્રસાદ તમે સૌએ ચાખ્યો જ હશે
આ જ ગાંધીનગર જીલ્લામાં ડાભોડીયા હનુમાનજીના અતિપુરાણા અને અતિપ્રખ્યાત મંદિરમાં પણ સુખડીનો પ્રસાદ મળે છે
જે ત્યાં બેસીને સમુહમાં અરોગી શકાય છે
આ પ્રસાદ બહાર લઇ જઈ શકાય છે
જલારામ મંદિર અમદાવાદમાં ખીચડીનો પ્રસાદ મળે છે
ઇસ્કોન મંદિર અમદાવાદમાં પણ આવો જ પ્રસાદ મળે છે
સરખેજ -ગાંધીનગર રોડ પર આવેલાં તિરુપતિ બાલાજીના મંદિરમાં પણ નિત નવો ગરમાગરમ પ્રસાદ પડિયામાં મળે જ છે
આવાં બીજાં પણ કઈ કેટલાય સ્થળો ગુજરાતમાં હશે જે વિષે મને ખબર નથી
જો તમને કોઈને હોય તો કહેજો ખરાં મને !!!
લાંભા બળિયાદેવના મંદિરમાં ચવાણાનો પ્રસાદ મળે છે
કિલોના માત્ર ૮૦ રૂપિયા શુદ્ધ અને સરસ અને સાત્વિક !!!
ગણપતપૂરામાં પ્રસાદ ખાધા પછી ત્યાં મંદિર ટ્રસ્ટ તરફથી ચા મફતમાં પીવ્દાયા છે વર્ષોથી
જે લોકો ખુબ ખુબ જ હોંશે હોંશે પીવે છે
અહીં જમવાનું પણ મળે છેખુબજ કિફાયતી દામમાં
અમદાવાદમાં જગન્નાથ મંદિર. જલારામ મંદિર
સૌરાષ્ટ્રમાં સતાધાર. વિરપુર, તુલસીશ્યામ વગરમાં પણ મંદિર તરફથી લોકોને મફત જમાડે છે
જમ્યા પછી તમારે જે કઈ આપવું હોય તે આપો અને ના આપવું હોય તો કઈ વાંધો નહિ
આવું જ કાર્ય પ્રસંગોપાત ભાડજનું રાધા-સ્વામી મંદિર અને અમદાવાદનું પ્પ્રખ્યાત કેમ્પનું હનુમાન મંદિર પણ જમાડે જ છે !!!
આ તો થઇ ગુજરાતની વાત બહારનાં રાજ્યોમાં શું શું પ્રસાદ મળે છે એની અલપઝલપ માહિતી પણ તમને આપી જ દઉં છું

👉 જગન્નાથ પૂરી ગયાં છો કોઈ વાર ?
ત્યાં જો તમે એક સમયનું ભોજન નથી લીધું તો ત્યાનો પ્રસાદ એકવાર જરૂર અરોગી લેજો તમને પછી જમવાની ય જરૂર નહિ પડે
તમારી ભૂખ મિટાવી દેશે આ પ્રસાદ
ત્યાનો ૫૬ ભોગ એટલેકે ૫૬ વાનગીઓવાળો પ્રસાદ દુનિયાભરમાં મશહૂર છે

👉 નાથદ્વારા એટલે કે શ્રીનાથજીમાં થોર -મઠડી અને માલપુડાનો પ્રસાદ વૈષ્ણવો અને ગુજરાતીઓને અતિપ્રિય છે
ટેસથી તેઓ આ પ્રસાદ આરોગે છે ઘરે પણ લાવે છે !!!

👉 રાજસ્થાનના ગોગામેંથી મદિરમાં કાંદા અને મસૂર દાળ પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે
જ્યારે દેશમાં કાંદાની અછત હતી અને એક સમયે કાંદાનો ભાવ જ્યારે સાતમે આસમાને પહોંચ્યો હતો ત્યારે પણ અહીં પ્રસાદમાં કાંદાની અછત નહોતી વર્તાઈ
કેટલાંક લોકો તો કાંદાની અછત દરમિયાન અહીંથી કાંદા લઇ જઈને ઘરે એનું કચુંબર કે શાક પણ બનાવતાં હતાં !!!

👉 મહારાષ્ટ્રનું એક પ્રખ્યાત ગણપતિ મંદિર છે જે દરિયા કિનારે આવેલું છે
જેનું નામ છે ગણપતિપુલે !!!
અહિયાં બુંદી , પાપડ અને ખીચડી પ્રસાદના રૂપમાં વહેંચવામાં આવે છે
એવું કહેવાય છે કે અહી જેટલી સ્વાદિષ્ટ ખીચડી ક્યાંય પણ નથી મળતી !!!

👉 કોલકતામાં એક મંદિર છે જેનું નામ જ છે ચાઇનીઝ કાલી મંદિર
આ વિસ્તારની એક ખાસિયત એ પણ છે કે અહીં ચાઇનીઝ લોકોની વસ્તી વધારે છે
નામ પરથી જ તમને અંદાજો આવી ગયો જ હશે ણે કે અહીં શું પ્રસાદ મળતો હશે !!!
જી હા અહિયાં ચાઇનીઝ નુડલ્સ પ્રસાદમાં મળે છે
ઘરે જો બાળકોને ચીની નુડલ્સ ખાવા પર પ્રતિબંધ લગાડવામાં આવતો હોય તો તેઓ આહી આવીને ટેસથી ચાનીઝ નુડલ્સ આરોગી શકે છે !!!
આ મંદિર છે એટલે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરો એવું હું કહી શકું નહીં કે કરી શકું નહીં !!!
અહીંની એક વિશેષતા એ છે કે અહીં ચાનીઝ નુડલ્સ આલગ રીતે બનાવીને પ્રસાદરૂપે વહેંચવામાં આવે છે !!!

👉 તામિલનાડુમાં એક વિષ્ણુ મંદિર છે
અલગાર કોવીલ મંદિર
અહીની એક વિશેષતા એ છે કે અહીં પ્રસાદ માટે લાઈનમાં ઉભાં રહેવું નથી તમે જ્યાં બેઠા હોય ત્યાં જ એ પ્રસાદ આપી જાય છે
પણ આ પ્રસાદ શેનો છે એ ખબર છે ?
ઢોસા અને સાંભારનો
દક્ષિણ ભારત અને એમાંય દક્ષિણ ભારતીય પ્રસાદ ભાઈ વાહ !!!!

👉 દક્ષિણ ભારતનું અતિપ્રખ્યાત અને દુનિયાનું એક સમૃદ્ધ મંદિર એટલે તિરુપતિ બાલાજી જે આંધ્રપ્રદેશમાં આવેલું છે
આ મંદિર એના પ્રખ્યાત કાજુ-બદામવાળાં લાડુ માટે પ્રખ્યાત છે જેનું નામ સંભાળતાની સાથેજ મોંમાં પાણી આવી જાય !!!

👉 તો મધ્યપ્રદેશમાં એક મંદિર છે શ્રી પરમાહંસ મંદિર
અહિયાં પ્રસાદના રૂપમાં કુકીસ મળે છે બાલ્કોતો ખુશ થઇ જાયને આવા મંદિરમાં જવાં માટે
અને એટલાં જ માટે અહીં બાળકોની ભીડ વધારે જ જોવાં મળે છે

👉 તામિલનાડુમાં એક મંદિર છે ગુરુગન સ્વામી મંદિર
અહીંયા પ્રસાદના રૂપમાં ફ્રુટ જામ આપવામાં આવે છે

👉 ઉપર જણાવેલાં મંદિરમાં જગન્નાથ પૂરી અને તિરુપતિ બાલાજી સિવાય સિવાય બધાં અજાણ્યા મંદિર છે
પણ ભારતના અતિપ્ર્ખ્યાત એવા મંદિરમાં પણ જબગજબ પ્રસાદ મળે છે
એવા મંદિર વિષે પણ જાણવું અત્યંત આવશ્યક છે
આ મંદિરો વિશે મેં અને બીજાએ એક વેબસાઈટમાં લખેલું જ છે

👉 આવું એક અતિપ્રખ્યાત મંદિર છે
ઉજ્જૈનનું કાલભૈરવ મંદિર જે મધ્ય પ્રદેશમાં સ્થિત છે
આ મંદિરમાં પ્રસાદીરૂપે શરાબ આપવામાં આવે છે ‘અને એજ ભગવાનને ભેટ સ્વરૂપે ચડાવાય પણ છે
આ મંદિરમાં કાલ ભૈરવની મૂર્તિ ખુદ પ્રસાદ આરોગી જાય છે
એના વિષે તમારે વધારે જાણવું હોયણે તો તમારે ShareinIndia.inમાં મારો લેખ અવશ્ય વાંચવો પડે !!!
આપણે અહીં માત્ર પ્રસાદની જ વાત કરીએ છીએ !!!

👉 તો ઉત્તર પ્રદેશમાં એક મંદિર છે જેનું નામ છે ખબીસ બાબા મંદિર
અહિયાં લોકો બહુ મોટી સંખ્યામાં પોતાની માનતા પૂરી કરવાં માટે આવે છે
અહીંયા પણ બાબાને પ્રસાદ રૂપે શરાબ ચડાવવામાં આવે છે
અને એજ પ્રસાદી ભક્તોને પણ આપવામાં આવે છે !!!

👉 ભારતની ૫૧ શક્તિપીઠોમાં જેની ગણના એક અતિપ્રખ્યાત મંદિર તરીકે થઇ છે અને જેની ગણના ભારતના એક અભૂતપૂર્વ મંદિરમાં માં થઇ છે તે છે ગુવાહાટી સ્થિત કામાખ્યા દેવી મંદિર
આ મંદિર વિષે વિષે છોછ રાખ્યાં વગર તમે ShareinIndia.inમાં વાંચજો અને ત્યાં એક્વાર અવશ્ય જજો એવી મારી તમને સૌને ભલામણ છે !!!
અહીંયા ભક્તોને એટલે ખાસ કરીને સ્ત્રીઓને ભીનું કપડુ પ્રસાદરૂપે આપવામાં આવે છે
આવું કેમ તે તમે આ વેબસાઈતમાં વાંચી લેજો !!!

👉 ભારતનું એક અતિ પ્રખ્યાત મંદિર છે કરણી માતાનું મંદિર જે બિકાનેરથી માત્ર ૫૦ કિલોમીટર જ દૂર છે
આ મંદિરમાં અસંખ્ય ઉંદરો છે
અને એ એને માટે જ જાણીતું છે
આ મંદિરમાં ૨૦,૦૦૦ કરતાં પણ વધુ ઉંદરો છે જેઓ મંદિરની બહાર ક્યારેય જતાં નથી
આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા ઉંદરોનો ચાખેલો પ્રસાદ જ ભક્તોને આપવામાં આવે છે
કારણકે આહી લોકો ઉંદરોને માતાનું સંતાન માને છે !!!

👉 બીજું એક પ્રખ્યાત મંદિર છે થ્રીસુર મહાદેવ મંદિર જે કેરળમાં આવેલું છે
અહી ભક્તો પ્રસાદરૂપે ખાદ્ય સામગ્રી નથી આપવામાં આવતી
પણ ભક્તોને પ્રસાદ રૂપે ધર્મ અને જ્ઞાનથી ભરેલાં બોશર્સ, સીડી-ડીવીડી અને પુસ્તકો આપવામાં આવે છે
મંદિર ટ્રસ્ટનું એવું માનવું છે કે જ્ઞાન પ્રચાર અને પ્રસારથી વધીને અન્ય કોઈ સારો પ્રસાદ હોઈ જ ના શકે !!!

👉 હવે બાળકો રાજીના રેડ થઇ જાય એવું પણ એક મંદિર છે
જેનું નામ છે બાલસુબ્રમણીયા મંદિર જે કેરળમાં સ્થિત છે
આ મંદિર એના અનોખા પ્રસાદ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે
એમ કહેવાય છે કે અહીંયા ભગવાન બાલામુરુગનને ચોકલેટ બહુજ પ્રિય છે
એટલે અહીંયા ભગવાનને ચોકલેટ ચડાવવામાં આવે છે
અને એજ ચોકલેટ ભક્તોને એમાંય ખાસ કરીને આલ્કોને ચોકલેટ પ્રસાદ રૂપે આપવામાં આવે છે !!!

તો શ્રીકૃષ્ણ મંદિર થીરુવંતપૂરમ
આ મંદિર આમતો એલેપ્પીની નજીક આવેલું છે
અહી ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્તોને પ્રસાદના રૂપમાં દૂધ,સાકર અને ભાત આપવામાં આવે છે !!!!

👉 તો અન્ય ફાસ્ટફૂડ પણ બાકી ના જ રહી જવું જોઈએ ને વળી
ચેન્નાઈમાં એક મંદિર છે જય દુર્ગા પીઠમ મંદિર
અહીં ….. પ્રસાદના રૂપમાં લોકોને બ્રાઉની, બર્ગર, સેન્ડવીચ અને ચેરી ટામેટાંનો સલાડ આપવામાં આવે છે
આમાંન્દીરનો પ્રસાદ બકાયદા FSSAI દ્વારા પ્રમાણિત છે
આ પ્રસાદ પર એક્સપાયરી તારીખ પણ લખેલી હોય છે
મંદિરમાં ટોકન મશીનમાં ટોકન નાંખ્યા પછી જ આ પ્રસાદ પ્રાપ્ત કરી શકાય છે
અને પ્રસાદનો ડબ્બો તમને મળી શકે છે !!!

👉 ભુવનેશ્વરના અતિ પ્રખ્યાત મંદિર લિંગરાજ મંદિરમાં મમરાના લાડુ પ્રસાદ રૂપે મળે છે
જે ઘરે પણ લાવી શકાય છે
આપણા પ્રખ્યાત ધામ ડાકોરમાં મગજ અને સાકરિયા પ્રસાદ મળે છે
મથુરા તો એના પેંડાના પ્રસાદ માટે જગવિખ્યાત છે જ !!!
અને ભારતભરમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં આવાં કેટલાંય મંદિરો કે અન્ય ધર્મનાં દેવસ્થાનો હશે જ્યાં આવો વૈવિધ્ય પૂર્ણ પ્રસાદ મળતો હોય
જેની કદાચ આપણને ખબર ના હોય એવું પણ બને !!!

👉 થોડાંક જ સમય પહેલાં ચેન્નાઈના પડપ્પઈ મંદિરમાં મંદિરના અધિકારીઓ તરફથી ” બર્થડે કેક પ્રાસાદમ”ની શરૂઆત કરવામાં આવી છે
આ અંતર્ગત ભક્તોને એમનાં જન્મદિવસ પર બર્થડે કેકનો વિશેષ પ્રસાદ આપવામાં આવે છે
મંદિરમાં આનો વિધિસરનો રેકોર્ડ રહે છે એમનાં એડ્રેસ અને જન્મની તારીખ પણ લખેલી સચવાય છે
જે આ કેક પર પણ લખાય છે
વિકાસ કી ઔરનું આ પગલું અવશ્ય સરાહનીય છે
અને એક રીતે તેઓએ આધુનિકતાનો સ્વીકાર કર્યો જ ગાણાય
જેમાં કશું જ ખોટું નથી !!!

👉 ભારત પોતાની આગવી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત માટે વિશ્વભરમાં જાણીતું છે
ભારતમાં અનેક ધર્મોના લોકો છે અને એમની એક અલગ જ સંસ્કૃતિક પ્રથાઓ છે …….
સાસ્કૃતિસંપન્ન આપણા દેશમાં આસ્થાના કેન્દ્રસ્વરૂપ કરોડો મંદિર અને દેવસ્થળો અબે દેવસ્થાનકો છે
દરેક મંદિરની એક આગવી અને અલગજ માન્યતા પ્રવર્તમાન હોય એ પણ સ્વાભાવિક જ ગાણાય
કેટલાંક સ્થળો એમની દિવ્ય શક્તિઓ માટે જાણીતાં છે કેટલાંક મંદિરો એમની બનાવટના અલગ અને ભાતભાતનાં પ્રસાદ માટે આપણ દેશમાં મે પ્રસાદનું વધારે મહાત્મ્ય છે
અને આમાંથી જન્મ લેતી હોય છે આપણી માન્યતાઓ
માન્યતા પ્રસરતી જાય છે અને મંદિરની મહત્વ અને મહાત્મ્ય વધતું જાય છે !!!
પણ એક વાત છે કે મંદિરમાં ભક્તગણ અવ્ધારે આવે એ જ એમનું એક અનેમાત્ર એક લક્ષ્ય હોય છે
કેટલીક વાર મંદિરની કથાઓ અને ઈતિહાસ પણ બાજુએ મુકાઈ જાય છે
તો કેટલીક વાર આ પ્રસાદની કથાઓ પણ પ્રચલિત થાય છે
કેટલીક વાર ચમત્કારો તો કેટલીક વાર આસ્થાના અતિરેકને કારણે પણ જન્મ લેતી હોય છે આપણી માન્યતાઓ
જે જન્મે કે પ્રચલિત થાય એમાં આપણને કશો વાંધો ના જ હોવો જોઈએ
એની ધાર્મિકતા અલબત્ત મંદિરની એમાં ઓછપ ના જ આવવી જોઈએ …… અને એ ઓછી નથી જ થતી !!!
પ્રસાદ ગમે તે સ્વરૂપમાં અપાય તો પણ તે ભગવાનની પ્રાસાદી જ ગાણાય
અરે ભાઈ ………. જગ્નાનાથ પૂરી જઈને કઈ અમદાવાદના ફાફડા અને જલેબી ના મળે પ્રસાદમાં કે ત્યાં એ ના જ ખવાય
એટલું આપણે સમજતાં નથી અને કોણ જાણે ક્યારે સમજીશું તે
આ મંદિરો એ ધીખતો ધંધો છે વાત સાચી
પણ એ તો કોઈ પણ મંદિર ક મંદિરના ટ્રસ્ટીઓ કરે જ કરે
પણ એનાથી કઈ ભગવાનની પ્રતિષ્ઠાને લાંછન નથી જ લાગતું
આનાથી તો એ ભગવાનની નહીં તો મંદીરની પ્રતિષ્ઠામાં વધારો ઉત્તરોત્તર થતો જોવાં મળે છે અને એની ખ્યાતી પહેલાં ભારતમાં અને પછી જગમશહૂર થાય છે
કોઈ ભગવાન એવું તો નથી જ કહેતાંણે કે મને આ બહુ ભાવે છે અને મને આજ પ્રસાદ ચડાવશો તો જ હું પ્રસન્ન કે સંતૃપ્ત થઈશ !!!
ભારતનાં લોકોની રહેણી કરણી અલગ હોય
એમનો પહેરવેશ અને હાશ અલગ હોય તો
એમની ધાર્મિક માન્યતાઓ અને એમનો ખોરાક પણ અલગ જ હોય !!!
વિવિધતામાં જ એકતા છે
અને એમાંથી જન્મે છે માનવતા !!!
અને કદાચ આ માનવધર્મ કે સનાતન ધર્મની ભાવના વિકસાવે તો નવાઈ નહીં !!!
આ પ્રસાદની ગુણવત્તા સચવાય છે એ વાત લોકો સમજતાં નથી
અને ખાલીખોટો ધાર્મિક વિવાદ કરે છે
આવું ના જ થવું જોઈએ
જાઓ મંદિરમાં દર્શન કરો
મંદિરને માણો અને
એના વૈવિધ્યપૂર્ણ પ્રસાદને આરોગી જિંદગીનું અમુલ્ય ભાથું બનાવો
એજ મારી આપ સૌને નમ્ર વિનંતી છે !!!

———– જનમેજય અધ્વર્યું

👏👏👏👏👏👏👏👏👏

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.