Sun-Temple-Baanner

નવું વર્ષ પહેલી જાન્યુઆરીએ જ કેમ માનવવામાં આવે છે !!!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


નવું વર્ષ પહેલી જાન્યુઆરીએ જ કેમ માનવવામાં આવે છે !!!


👌 નવું વર્ષ પહેલી જાન્યુઆરીએ જ કેમ માનવવામાં આવે છે !!! 👌

👉 ક્યારેય તમે એવું વિચાર્યું છે ખરું કે નવું વર્ષ પહેલી જ જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે તે !!!

👉 નવું વર્ષ એક ઉત્સવની જેમ આખાં વિશ્વમાં આલગ-અલગ તિથિઓ તથા વિધિઓથી મનાવવામાં આવે છે
કારણકે દુનિયાભરમાં ઘણા કેલેન્ડર છે અને દરેક કેલેન્ડરનું નવું વર્ષ અલગ-અલગ હોય છે
એનાં મહત્વની પણ વિભિન્ન સંસ્કૃતિઓમાં પરસ્પર ભિન્નતા છે
એક અનુમાન અનુસાર ભારતમાં લગભગ ૫૦ કેલેન્ડર (પંચાંગ) છે એમાં ઘણાંનું નવું વર્ષ અલગ દિવસોએ હોય છે !!!

👉 નવ વર્ષનો ઈતિહાસ ——

👉 નવ વર્ષનો ઉત્સવ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં બેબીલોનમાં ૨૧મિ માર્ચે મનાવવામાં આવતો હતો
જે વસંતના આવવાની તિથિ પણ મનાતી હતી
પ્રાચીન રોમ્મમાં પણ નવ વર્શોત્સવ ત્યારેજ મનાવવામાં આવતો હતો !!!

👉 ૧ લી જાન્યુઆરીએ માનવવામાં આવતું નવવર્ષ દરઅસલ ગ્રેગોરીયન કેલેન્ડર પર આધારિત છે
આની શરૂઆત રોમન કેલેન્ડરથી થઇ છે
પારંપરિક રોમન કેલેન્ડરનું નવવર્ષ ૧ માર્ચથી શરુ થાય છે
પ્રસિદ્ધ રોમન સમ્રાટ જુલિયસ સીઝરે ૪૭ ઈસા પૂર્વે આ કેલએન્દરમાં પરિવર્તન કર્યું અને એમાં જુલાઈ માસ જોડી દીધો
એનાં પછી એનાં ભત્રીજાનાં નામનાં આધાર પર એમાં ઓગષ્ટ માસ જોડયો
ત્યારે સમગ્ર વિશ્વમાં પહેલી જ વખત ૧ જાન્યુઆરીએ નવ વર્ષનો ઉત્સવ મનાવવામાં આવ્યો

👉 દુનિયાભરમાં આજે જે કેલેન્ડર પ્રચલિત છે એને પોપ ગ્રેગોરી અષ્ટમે ઇસવીસન ૧૫૮૨માં તૈયાર કર્યું હતું
ગ્રેગોરીએ એમાં લીપ ઈયરનું પ્રાવધાન કર્યું હતું
ઈસાઈઓનાં એક અન્ય પંથ “ઇસ્ટર્ન ઓર્થોડોક્સ ચર્ચ” તથા એનાં અનુયાયી ગ્રેગોરીયન કેલેન્ડરને માન્યતા ન આપીને પારંપરિક રોમન કેલેન્ડરને જ માને છે
આ કેલેન્ડરઅનુસાર નવું વર્ષ ૧૪ જાન્યુઆરીએ માનવવામાં આવે છે
આ કેલેન્ડરની માન્યતા અનુસાર જોર્જિયા, રૂસ, જેરુસલેમ, સર્બિયા આદિમાં ૧૪ જાન્યુઆરીએ જ નવું વર્ષ માનવવામાં આવે છે !!!

👉 ભારતમાં નવવર્ષ ——–

👉 ભારતમાં પણ ઘણાં કેલેન્ડર છે
આ સમયે દેશમાં
વિક્રમ સંવત
શક સંવત
હિજરી સંવત
ફસલી સંવત
બાંગ્લા સંવત
બૌદ્ધ સંવત
જૈન સંવત
ખાલસા સંવત
તમિલ સંવત
મલયાલમ સંવત
તેલુગુ સંવત આદિ અનેક પ્રચલિત છે
એમાંથી દરેકને પોતાનું અલગ-અલગ નવ વર્ષ હોય છે
દેશમાં સર્વાધિક પ્રચલિત સંવત વિક્રમ અને શક સંવત છે
એવું માનવામાં આવે છે કે વિક્રમ સંવત ગુપ્ત સમ્રાટ વિક્રમાદિત્યએ ઉજ્જયનીમાં શકોને પરાજિત કરવાની યાદમાં શરુ કર્યું હતું
આ સંવત ૫૮ ઈસા પૂર્વે શરુ થયું હતું
વિક્રમ સંવત ચૈત્ર માહની શુક્લ પક્ષની પ્રતીપદાથી શરુ થાય છે
એ જ સમયે ચૈત્ર નવરાત્રનો પ્રારંભ થાય છે
ચૈત્ર શુક્લ પ્રતિપદાને દિવસે ઉત્તર ભારત અલાવા ગુડી પડવો અને ઉગાદીનાં રૂપમાં ભારતના વિભિન્ન હિસ્સામાં નવ વર્ષ માનવવામાં આવે છે
સિંધી લોકો આ દિવસે ચેટી ચાંદનાં રૂપમાં નવવર્ષ મનાવે છે !!!

👉 શક સંવતને શાલિવાહન શક સંવતનાં રૂપમાં જાણવામાં આવે છે
માનવામાં આવે છે કે શક સમ્રાટ કનિષ્કએ ઇસવીસન ૭૮ માં આ શરુ કર્યું હતું
સ્વતંત્રતા પછી ભારત સરકારે આ શક સંવતમાં મામુલી ફેરબદલ કરીને એને રાષ્ટ્રીય સંવતના રૂપમાં અપનાવી લીધો હતો
રાષ્ટ્રીય સંવતનું નવવર્ષ ૨૨ માર્ચે શરુ થાય છે
જ્યારે લીપયરમાં આ ૨૧મી માર્ચે શરુ થાય છે
ચૈત્ર શુક્લા પ્રતિપદાએ વિક્ર્મીય સંવતની દ્રષ્ટિએ નવું વર્ષ મનાવવામાં આવે છે !!!

👉 આ સિવાય પંજાબમાં નવું વર્ષ બૈસાખી નામથી ૧૩ એપ્રિલે માનવવામાં આવે છે શીખ નાનકશાહી કેલેન્ડર અનુસાર ૧૪ માર્ચે હોલા મહોલ્લા નવું વર્ષ હોય છે
આ તિથીની આસપાસ બંગાળી તથા તામિલ નવ વર્ષ પણ આવે છે
તેલુગુ નવું વર્ષ માર્ચ એપ્રિલની વચ્ચે આવે છે
આંધ્ર પ્રદેશમાં એને ઉગાદી (યુગાદિ = યુગ + આદિનો અપભ્રંશ)નાં રૂપમાં મનાવાય છે
આ ચૈત્ર મહિનાનો પહેલો દિવસ હોય છે
તામિલ નવું વર્ષ વિશુ ૧૩ કે ૧૪ એપ્રિળે તામીલનાડુ અને કેરળમાં માનવવામાં આવે છે
તામીલનાડુમાં પોંગલ ૧૫ જાન્યુઆરીએ આવી સાલનાં રૂપમાં આધિકારિક તૌર પર માનવવામાં આવે છે
કાશ્મીરી કેલેન્ડર નવરેહ ૧૯મી માર્ચે હોય છે

👉 મહારાષ્ટ્રમાં ગુડી પડવાનાં રૂપમાં માર્ચ- એપ્રિલના મહિનામાં મનાવવામાં આવે છે
કન્નડ નવું વર્ષ ઉગાદી કર્ણાટકનાં લોકો ચૈત્ર માહનાં પહેલાં દિવસે મનાય છે
સિંધી ઉત્સવ ચેટી ચાંદ,ઉગાડી અને ગુડી પડવો પણ એક જ દિવસે મનાવવામાં આવે છે
મદુરાઈમાં ચિત્રેય મહિનામાં ચિત્રૈય તીરુવાજા નવ વર્ષનાં રૂપમાં મનાવવામાં આવે છે
મારવાડી નવું વર્ષ દીપાવલીના દિવસે હોય છે
ગુજરાતી નવું વર્ષ દીપાવલીના બીજા દિવસે હોય છે
આ દિવસે જૈન ધર્મનું પણ નવું વર્ષ હોય છે
પરંતુ આ વ્યાપક નથી
ઓક્ટોબરમાં કે નવેમ્બરમાં એ આવે છે
બંગાળી નવું વર્ષ પોહેલા બૈસાખી ૧૪ કે ૧૫ એપ્રિલે આવે છે
પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આ જ દિવસે નવું વર્ષ હોય છે !!!

👉 વિભિન્ન દેશોમાં નવવર્ષ ——–

👉 ભારતનાં પાડોશી દેશની પુરાણી સભ્યતાઓમાં એક ચીનમાં પણ પોતાનું અલગ જ કેલેન્ડર હોય છે
તકરીબન બધી જ પુરાણી સભ્યતાઓ અનુસાર ચીનનું કેલેન્ડર પણ ચંદ્રમાની ગણના પર આધારિત છે
એનું નવું વર્ષ ૨૧ જાન્યુઆરી થી ૨૧ ફેબ્રુઆરીની વચ્ચે પડે છે
જાપાની નવ વર્ષ “ગનતન- સાંઈ”અથવા “ઓષોગત્સુ”નામથી જાણવામાં આવે છે
મહાયાન બૌદ્ધ ૭ જાન્યુઆરી, પ્રાચીન સ્કોટમાં ૧૧ જાન્યુઆરી, વેલ્સની ઇવાન વેલીમાં નવ વર્ષ ૧૨ જાન્યુઆરી
સોવિયેત રૂસના રૂઢિવાદી ચર્ચો આર્મેનિયા અને રોમમાં નવવર્ષ ૧૪ જાન્યુઆરીએ હોય છે
ત્યાં સેલ્તિક,કોરિયા, વિયેતનામ, તિબેટ, લેબેનોન અને ચીનમાં નવું વર્ષ ૧ જાન્યુઆરીએ પ્રારંભ થાય છે
પ્રાચીન આયર્લેન્ડમાં નવવર્ષ ૧ ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે તો પ્રાચીન રોમમાં ૧ માર્ચે !!!

👉 આ અતિરિક્ત ઈરાન, પ્રાચીન રૂસ તથા ભારતમાં બહાઈ, તેલુગુ તથા જમશેદી (જોરોસ્ટ્રીયન)નું નવું વર્ષ ૨૧ માર્ચે શરુ થાય છે
પ્રાચીન બ્રિટનમાં નવું વર્ષ ૨૫મી માર્ચે પ્રારંભ થાય છે
પ્રાચીન ફ્રાન્સમાં ૧ એપ્રિલથી પોતાનાં નવા વર્ષને પ્રારંભ કરવાની પરંપરા હતી
આ દિવસને “એપ્રિલ ફૂલ”નાં રૂપમાં જાણવામાં આવે છે

👉 થાઈલેન્ડ, બર્મા, શ્રીલંકા, કંબોડિયા અને લાઓના લોકો ૭ એપ્રિલથી બૌદ્ધ નવવર્ષ મનાવે છે
બૌદ્ધ ધર્મનાં કેટલાંક અનુયાયી બુદ્ધ પૂર્ણિમાનાં દિવસે ૧૭ એપ્રિલે નવું વર્ષ મનાવે છે
આસામમાં નવું વર્ષ ૧૫ એપ્રિલે, પારસી પોતાનું નવવર્ષ ૨૨ એપ્રિલે
તો બેબીલોનિયન નવ વર્ષ ૨૪ એપ્રિલથી શરુ થાય છે
પ્રાચીન ગ્રીકમાં નવું વર્ષ ૨૧મિ જુને મનાવવામાં આવે છે
પ્રાચીન જર્મનીમાં નવું વર્ષ ૨૯મી જુને મનાવવાની પરંપરા હતી અને પ્રાચીન અમેરિકામાં ૧લી જુલાઈએ !!!
આ પ્રકારે આરમેનિયન કેલેન્ડર ૯ જુલાઈએ પ્રારંભ થાય છે
જ્યારે મ્યાંમારનું નવું વર્ષ ૨૧મી જુલાઈએ શરુ થાય છે !!!

👉 ઇસ્લામિક કેલેન્ડર ——–

👉 ઇસ્લામ ધર્મનાં કેલેન્ડરને હિજરી સાલના નામેં જાણવામાં આવે છે
આ કેલેન્ડરનો ન સિર્ફ મુસ્લિમ દેશોમાં પ્રયોગ થાય છે પણ એને પુરા વિશ્વનાં મુસ્લિમો પણ ઇસ્લામિક ધાર્મિક પર્વોને મનાવવાનો સાચો સમય જાણવા માટે પ્રયોગ કરે છે
એમનું નવવર્ષ મોહર્રમ માહનાં પહેલા દિવસે થાય છે
હિજરી કેલેન્ડર કરબલાનાં પહેલાંજ નિર્ધારિત કરી લેવામાં આવ્યું હતું
મોહર્રમનાં દસમે દિવસે આશૂરાનાં રૂપમાં જાણવામાં આવે છે
આજ દિવસે પયગંબર મોહમ્મદનાં નવસે ઈમામ હુસૈન બગદાદ પાસે કરબલામાં શહીદ થયાં હતાં
હિજરી કેલેન્ડરની બાબતમાં એક દિલચશ્પ વાત એ છે કે એમાં ચંદ્રમા ઘટતી -વધતી ચાના અનુસાર દિવસોનું સંયોજન નથી કરવામાં આવ્યું !!!
એનો અર્થ એ થાય છે કે એનાં મહિના દર વર્ષે લગભગ ૧૦ દિવસ પાછળ ખસતાં રહે છે !!!

👉 એ જે હો તે હો
બાકી સૌને નવવર્ષની અનેકાનેક શુભ કામનાઓ …….

——– જનમેજય અધ્વર્યુ

🌱🌾🌹🍁🍂🌼🍀🥀🌷🌻

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.