નવરાત્રી – મારું દર્શન
👉 નવરાત્રી એટલે એક પાવન પર્વ
નવરાત્રી એટલે માતાજીનો પવિત્ર તહેવાર
નવરાત્રી એટલે ઝૂમતું મારું મહાનગર
નવરાત્રી એટલે ચારેકોર હર્ષોલ્લાસ
નવરાત્રી એટલે નિર્દોષ આનંદ
નવરાત્રી એટલે ઘરમાં ચાર દિવાલો વચ્ચે પુરાઈ રહેવાને બદલે
લોકોને મળવાની એમને ઓળખવાની એક તક
નવરાત્રી એટલે સંબંધોને વધુ ગાઢ બનાવવાનો એક મોકો
નવરાત્રી એટલે કુટુંબ સાથેનું નજીકત્વ !!!
👉 વાહ અમદવાદ વાહ
સૌ પ્રથમ તો હું અમદાવાદને ધન્યવાદ આપું છું
કે વર્ષો પહેલાંના શેરી ગરબા હવે પાછાં ફર્યા છે
આલીશાન બંગલાવાળી સોસાયટી હોય કે પછી એપાર્ટમેન્ટ કે ફલેટ હોય
લગભ ગ દરેક જગ્યા એ ઝાકઝમાળ લાઈટોથી એને સુશોભિત કરીને એને શણગારીને લોકો ગરબા રમતા નજરે પડે છે
જો કે પાર્ટી પ્લોટો અને ફાર્મ હાઉસોમાં ગરબા એટલા જ ઉત્સાહથી રમાય છે
ન કોઈ Me Too કે ન કોઈ અશ્લીલતા
માત્ર અને માત્ર નિર્દોષ આનંદ
મારા મતે આ જે પ્રિ વેડિંગનું ભૂત લોકોને વળગ્યું છે
એના કરતા તો તમે નવરાત્રીમાં જાઓ હારો-ફરો ખાઓ -પીઓ અને મોજ કરો
આમાં તમે એકબીજાની વધુ નજીક આવશો
આવું થવાં પણ માંડ્યું છે હવે !!!
કદાચ આજ વર્ષથી એની શુભ શરૂઆત થઇ છે
“ખંડહર બતા રહા હૈ ઇમારત બુલંદ થી ”
પણ ……… માનવતા અને ચારીત્યની ગગનચુંબી ઈમારતનો એહસાસ મને આ નવરાત્રીએ કરાવ્યો છે !!!
18 વર્ષે હું ગરબામાં ફરતો થયો પાછો
લોકો એટલા બધા સરસ છે ને કે એની વાત જ ના પૂછો
ડગલેને પગલે મને એનો એહસાસ થતો જ રહ્યો છે અને થતો જ રહેવાનો છે
માંડવડી ભલે ના હોય પણ અતિ લાર્જ સાઈઝના માતાજીના ફોટા આગળ આરતી કરવી અને
એટલું જ નહીં પણ લગભગ દરેક જણ પાસે આરતી કરાવવી એ માનવાતને સંબંધો વિકસાવવાનું એક એવરેસ્ટ્રીય પગલું જરૂર છે
ગરબા માં ડ્રેસ એક અગત્યનો ભાગ બજવે છે પણ હમણાં હમણાં એ ડ્રેસ તો એના એ જ રહ્યાં છે પણ ખૂબીની વાત એ છે કે માં બાપ સાથે જ્યાં રહેતા હોય ત્યાં જ ગરબા રમે છે
ન કોઈ બહાર જવાની લાલસા
કે ના કોઈ એકાંત માણવાની ખેવના
આની ફલશ્રુતિ એ કેએકબીજાનો વિશ્વાસ એજ મહામૂલી મૂડી છે આપણી
એ જ તો આપણી સંસ્ક્રુતિ છે જે ક્યારેય ખત્મ નહિ થાય અને થવા પણ નહીં જ દઉં !!!
હજી એ સંકૃતિ વિષયક લેખો તો બાકી જ છે !!!
પણ જે સંસ્કૃતિ લોકોએ સ્વયં જાગૃત કરી છે એના વખાણ તો અવશ્ય જ કરવાં પડે !!!
👉 થીમ બેઝ અને ખાણીપીણીનું બજાર લોકોના મહેરામણથી હાઉસફુલ જાય છે
અને આ જ તો છે મારું -આપણું – તમારાં સૌનું પોતીકું અમદાવાદ !!!
👉 એક વાત કહું
તમને જાણીને નવાઈ લાગશે કે માતાજી આરતીમાં લોકો શું પ્રાર્થના કરે છે તે
હે માતાજી। …. જે તે સોસાયટી કે ફ્લેટમાં લોકો વચ્ચે કોઈ મતભેદ હોય તો તે દૂર કરજો
આપણે સૌ એક છીએ અને સાથે હળીમળીને રહીએ અને અંગત વેરઝેર ભૂલી જઈએ એવી શક્તિ પ્રદાન કરજો
ધન્ય છે અમદાવાદ
સાષ્ટાંગ દંડવત પ્રણામ અમદાવાદ !!!
👉 આ નવરાત્રીમાં અમદવાદ જોવાની
અમદાવાદની અવનવી વાનગીઓ આરોગવાની
અમદાવાદને ઓળખવાની ,અંડવડને માણવાની તક મને પ્રદાન કરવા બદલ
હું નવરાત્રીનો આભાર માનું છું
ધન્ય છે લોકોની શિસ્તબદ્ધતા અને અદભુત છે એમની માનવતા
અને એજ અમદાવાદને મહાન બનાવવા માટે પૂરતું છે
મને આજે અમદાવાદી હોવાનો ગર્વ છે
એમ હું છાતી ઠોકીને અવશ્ય કહી શકું છું !!!
જય અંબે !!!
———————- જનમેજય અધ્વર્યુ
👏👏👏👏👏👏👏👏👏
Leave a Reply