નટસમ્રાટ – મારો અનુભવ અને મારાં વિચારો
👉 તુલના એ મીડિયા અને વિવેચકોની નિપજ છે
કોઈ પણ ફિલ્મ જે ભાષામાં બની હોય એને ગુજરાતીમાં બનાવો તો વાંધો શું છે ?
મરાઠી ભાષા એ આપણને તો સમજાવાની તો નથી જ ને !!!
આપણે જેટલી હિન્દી-અંગ્રેજી -ગુજરાતી ફિલ્મો જોઈએ છીએ તેટલી મરાઠી ઘણી ફિલ્મો હોવાં છતાં આપણે જોતાં હોતાં નથી જ
એ સનાતન સત્ય છે
સબ ટાઇટલ્સ વાંચવા જઈએ તો ફિલ્મ સરખી રીતે ના જોવાય
અને
ડ્યુઅલ ભાષામાં સાઉથ ઇન્ડિયન ફિલ્મો જેટલી આવે છે
એમાં સમખાવાં પૂરતી પણ મરાઠી ફિલ્મો આવતી હોતી નથી જ
અપવાદ છે દગડી ચાલ અને આયના કા બાયના
પણ એમાં બંને ભાષાઓ સાથે આવે છે મરાઠી અને ગુજરાતી
બંનેને જુદી નથી પાડી
મરાઠીની એક સુંદર ફિલ્મ શ્વાસ એ ગુજરાતી સબટાઇટલ્સ સાથે આવી હતી
પણ ગુજરાતી તો શું એ હિન્દીમાં પણ ડબ નહોતી થઇ
દક્ષિણ ભારતીય ફિલ્મો જેટલી હિન્દીમાં ડબ થાય છે એટલી અન્ય પ્રાંતીય ભાષાની ફિલ્મો નથી થતી
પંજાબી અને બંગાળી ફિલ્મો થોડી થોડી હિન્દીમાં ડબ થાય છે ખરી
આતો એક પૂર્વભૂમિકા થઇ
એ કેમ કરી એ હવે હું કહું !!!!
👉 સૌ પ્રથમ નટસમ્રાટ નામનું મરાઠી નાટક ડો. શ્રીરામ લાગુ અભિનિત 1970માં નિર્માણ થયું હતું
ડો. શ્રીરામ લાગુ મરાઠી રંગભૂમિના એક ઉત્તમ કલાકાર હોવાથી એ નાટક ખુબ સફળ રહ્યું હતું
પછીઆની સફળતાથી પ્રેરાઈને મહેશ માંજરેકરે સિદ્ધહસ્ત મરાઠી-હિન્દી કલાકાર નાના પાટેકરને લઈને
ઇસવીસાન 2016માં 50 કરોડ કમાણી કરી આપેલી ફિલ્મ આજ નામની ફિલ્મ બનાવી
નાના પાટેકરનો અભિનય લાજવાબ છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી
આ ગુજરાતી ફિલ્મ એ એનું જ રૂપાંતરણ છે
સિદ્ધાર્થ રાંદેરીયાનું આવુંજ એક નાટક “અમારી દુનિયા તમારી દુનિયા ” નું ફિલ્માંકન એટલેજ ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ !!!
આ નાટક 2007માં બન્યું હતું અને ફિલ્મ આવી છેક 2018માં
આ નાટક શેમારુ કંપનીએ બહાર પાડ્યું જે ફુલ hdમાં ગયા જ વર્ષે યુટ્યુબ પર આવ્યું
જે ડાઉનલોડ કરી શકાય છે
👉 કોઈ પણ નાટક કે કોઈપણ વર્ઝનને જયારે ફરી બનાવો તો એમાં ફેરફાર અને નવીનતા આવશ્યક છે
જે આ ફિલ્મમાં જોઈ શકાય છે
રૂપાંતરણો ખરેખર તો એક માધ્યમાન્તરો જ છે જેમાં માધ્યમોનો વિકાસ અને ભાષાનો વિકાસ જોઈ શકાય છે
રંગભૂમિ અને ફિલ્મ એ બે જુદા જ માધયમો છે
એ વાત આપણે ક્યારે સમજી શકીશું ?
નાટકમાં અભિનય મહત્વનો છે પણ એમાં અદાકારને જે કૈં કરવાનું છે એ સ્ટેજ અને સેટની મર્યાદામાં જ રહીને
જયારે ફિલ્મમાં એવું નથી હોતું એમાં સારા લોકેશન પર ફિલ્મ શૂટ થઇ જ શકે છે !!!
હા …… અલબત્ત ફિલ્મોમાં અભિનય તો ઉત્કૃષ્ટ જ હોવો જોઈએ
નાટકમાં ટૂંકા સંવાદો એ એનું જમા પાસું છે
જયારે ફિલ્મમાં એ જરૂરી છે પણ કયારેક લાંબા સંવાદો એકોક્તિ રૂપે એ ફિલ્મને ચારચાંદ લગાડતાં હોય છે
ફિલ્મમાં રીટેક અને એડિટિંગની સુવિધા છે જે નાટકમાં નથી હોતી
પણ બંનેની મજા કૈં ઓર જ હોય છે !!!
2007માં જે સિદ્ધાર્થ રાંદેરિયા હતો એ 2018માં અનુભવી અને પરિપક્વ બને એ સ્વાભાવિક જ ગણાય
જેમાં એનો અભિનય નિખરી ઉઠે છે
જે આ નટસમ્રાટ ફિલ્મમાં બન્યું છે
👉 હવે આ ગુજરાતીઃ નટસમ્રાટ ફિલ્મ વિષે ——-
👉 મધુકર રાંદેરિયા જે સદાકાળ નાટકનો જ જીવ હતાં
તેમના પુત્ર સિદ્ધાર્થ રાંદેરીયામાં પણ એજ ગુણ ઉતરી આવ્યા છે
તેઓ માત્ર કોમેડીના રાજા નથી પણ એ એક ઉત્તમ અદાકાર છે એ એમણે આ ફિલ્મમાં સાબિત કરી આપ્યું છે
ક્યાં ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા અને કયાં નટસમ્રાટ સિદ્ધાર્થ રાંદેરિયા
આજ જ જવાબ છે એમનો એમના વિશ્લેષકોને !!!
👉 કોઈ પણ કલાકરનો આત્મા રંગભૂમિ છે
કોઈ ની તાકાત નથી કે એમનો આત્મા છીનવી શકે
નટસમ્રાટ એ એમને મળેલું બિરુદ છે
જેઓએ રંગભૂમિ પરથી નિવૃત્તિ લીધી ત્યારે એમને મળેલું
તેઓ નિખાલસપણે કબૂલે છે કે મનોજ જોશી મારાં કરતા ઉત્તમ કલાકાર છે પણ તે જ એને લાયક છે પણ આ બિરુદ મને મળ્યું છે
તેઓની નિવૃત્તિ લેવાની ઈચ્છા હવે તેમને પૂરતો સમય સમય પોતાની “સરકાર ” પોતાની પત્ની દીપિકા ચિખલિયાને આપવાનો છે
રામાયણમાં આવેલી આ દીપિકા ચિખલિયા આટલા વર્ષે ફરી ફિલ્માં આવી
એનો પણ અભિનય લાજવાબ છે
નટસમ્રાટ પોતાનાં બધાં જ પૈસા અને ઘરબાર તેમના પુત્ર-પુત્રીને નામે કરી દે છે
મુશ્કેલી હવે જ સર્જાય છે વહુ પૈસા પડાવી લે છે
જયારે પુત્ર સ્વમાની અને આખા બોલા પિતાને કાઢી મૂકે છે
પુત્રી પણ કાઢી મુકે છે
નટસમ્રાટ અને સરકાર દરબદર ઠોકરો ખાય છે
એમાં એમની પત્નીનું અવસાન થાય છે
અંતે રંગભૂમિના સિંહની જેમ નટસમ્રાટ પણ મૃત્યુ પામે છે
આ છે ફિલ્મની કથા !!!
👉 સંબંધો દોરા જેવાં હોય છે એને સોય પણ માંડમાંડ પરોવી શકાય છે
એમાં દોરા એટલે સંબંધો તૂટી પણ જાય
આંબાનું મહત્વ એ કેરી આપે ત્યાં સુધી જ હોય છે પછી સસ્તા ફર્નિચર બની જાય છે
જે દેખવે સુંદર હોય છે પણ ટકાઉ નથી હોતાં સાગ અને દેવદારની જેમ !!!
ભરોસો તૂટે એ ચાલે પણ પરિવાર કયારેય ના તૂટવો જોઈએ
આજ ફિલ્મનો મેસેજ છે
👉 આશિત દેસાઈ અને હેમા દેસાઈનો પુત્ર આલાપ દેસાઈ સારો સંગીતકાર અને ગાયક છે
એ આ ફિલ્મે સાબિત કરી દીધું છે
ફિલ્માં આવતાં નાનાં નાનાં પાત્રોનું કામ અદભુત છે
સંવાદો ચોટદાર છે
કથા સારી છે
દિગ્દર્શક ચોક એન્ડ ડસ્ટરવાળો છે
જેનું દિગ્દર્શન ઘણું જ સારું છે
પ્રોડ્યુસર જામુ સુગંધ છે !!!
આ ફિલ્મ ખાસ મદદ મણિરત્નમ અને પ્રસિદ્ધ સંગીતકાર શ્રી રહેમાન સરે કરી છે
એટલેજ આ ફિલ્મ વખાણવા લાયક બની છે
👉 લોકેશન અને કેમેરાવર્ક ઘણું જ સારું છે
અભિનયમાં દીપિકા ચિખલિયા અને મનોજ જોશી ઉત્તમ છે
પણ ફિલ્મમાં અભિનયને ચાર ચાંદ લગાવે છે ——– સિદ્ધાર્થ રાંદેરિયા
હેટ્સ ઓફ સિધાર્થ રાંદેરિયા
સલામ એક નહીં લાખો સલામ ભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા
👉 રૂપાંતર અને અને અનુકરણોની વાતો તો કરશો જ મા
જો એવું જ હોય ને તો બધોજ પ્રણય ત્રિકોણ એ સરસ્વતીચંદ્ર છે કે પછી પ્રેમકથા એ “રોમીઓ અને જુલિયેટ” છે
કે અંધારી આલમનો બેતાજ બાદશાહ ડોન એ “ગોડફાધર “ની જ કોપી છે ને
આના પર તો સેંકડો ફિલ્મો બની છે !!!
એટલે તુલના ના કરો જે બની છે એ માણો
👉 આ ફિલ્મ 30મી ઓગષ્ટે રિલીઝ થઇ હતી
પણ કાલે હું ચહીને આ ફિલ્મ જોવા ગયો હતો
વર્ષગાંઠ ઉજવવા જ્સ્તો !!!
એક રંજ જરૂર થયો કે આ ફિલ્મ હું મારા પિતાજી જે નાટ્કસમ્રાટ હતાં તેમની સાથે ના નિહાળી શક્યો
આ ફિલ્મના ભરપૂર વખાણ થયાં છે
બંધુ જ કામ છોડીને આ ફિલ્મ એકવાર જોઈ જ આવજો
તમને ગામશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી જ
ટૂંકમાં
A Must Must Watch Movie છે
સારા કામમાં ઢીલ ના કરશો
અને મહેરબાની કરીને તુલના ના કરશો !!!
————– જનમેજય અધ્વર્યુ
🌺🌻🌹🥀🌷🌼🌸💐🍁🌾
Leave a Reply