🌝 શરદ પૂનમ 🌝
👉 શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે.
માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે.
આથી લોકો લક્ષ્મીજીને વધાવવાનું એક બિંદુ દરિયાની છાપમાં પડે તો મોતી બની જાય છે.
👉 આ પૂનમ ને એટલે માણેકઠારી પૂર્ણિમા કહે છે.
શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતા દોરો પરોવવાની ક્રિયા કરવામાં આવે તો આંખો નિરોગી બને છે.
આંખનું તેજ વધે છે. તેવી માન્યતા છે.
મહાકાવ્ય રામાયણના સર્જક મહર્ષિ વાલ્મીકી જયંતિ તરીકે ઉજવાય છે.
👉 ચંદ્ર એક્દમ પુર્ણ !
આજે ચંદ્ર ને જોઈને આ શ્ર્લોક તો જરુર યાદ આવી જાય
પુર્ણમદઃ પુર્ણમિદં
પુર્ણાત પુર્ણમુદચ્યતે
પુર્ણસ્ય પુર્ણમાદાય
પુર્ણમેવાવશિષ્યતે
શરદ પૂનમની રઢિયાળી સદા,
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
મને સાંભરે આપણી રાત, સખી !
વદને નવજીવન નૂર હતું;
નયને પ્રણયામૃત પૂર હતું,
હૃદયે રસમાં ચકચૂર હતું;
મને સાંભરે આપણી રાત, સખી !
ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી
કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી;
કલ્પનાની ઇમારત કૈંક ચણી;
મને સાંભરે આપણી રાત, સખી !
તારું સ્વાર્પણ અંતરમાં જ લહું;
કથા અદભુત એ જઈ કોને કહું ?
સ્મરનાં જલ માંહિં નિમગ્ન રહું;
મને સાંભરે આપણી રાત, સખી !
રાત રૂપાળી, રૂડી, રસાળી હતી;
આશકોની અપૂર્વ દિવાળી હતી;
આખી ઉત્સવ માફક ગાળી હતી;
મને સાંભરે આપણી રાત, સખી !
પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો,
અંગે અંગનો ઉત્તમ ભોગ થયો;
અને આખર આમ વિયોગ થયો !
મને સાંભરે આપણી રાત, સખી !
હસે આકાશે ચંદ્રમા, તારા લસે,
મને સાંભરે આપણી રાત, સખી !
શરદ પૂનમની રઢિયાળી સદા;
મને સાંભરે આપણી રાત, સખી !
– કવિ કાન્ત
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચુંદડલી.
આજ ઝમે ને ઝરે ચંદ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા :
હો ! ભીંજે મારી ચુંદડલી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મારી ચુંદડલી.
આનંદકન્દ ડોલે સુન્દરીનાં વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચંદા !
હો ! ભીંજે મારી ચુંદડલી.
——- -ન્હાનાલાલ
સખિ ! જોને શરદના આભમાં રે;
ઉગે ચંપાની કળાએ ચન્દ્રમા રે;
જાણે ઉછળે અવનીનો આનન્દ રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
માનું ઉઘડી રજનીની આંખડી રે,
ખીલી વિશ્વના પુષ્પની પાંખડી રે;
એવો-એવો ઉગે પેલો ચન્દ રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
ઘૂમે પૂર પૃથ્વીનાં પુણ્યનાં રે:
કે શું દૂધ છલકાયાં દેવનાં રે?
એવાં ઉજળાં ઉડે છે અનન્ત રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
સખિ ! જોને ગગનના ગોખમાં રે;
જોને-જોને જગતનાં ચોકમાં રે;
ઝીલે સંસારિયા ને સન્ત રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
જાણે અમૃત ઝરતાં અમરનાં રે;
જાણે હાસ્ય ઢળ્યાં પરિબ્રહ્મનાં રે;
રમે દિલદિલમાં ત્હો ય દૂર રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
સખિ ! શરદની રાત સોહામણી રે;
મ્હારા હૈયાની વેલી લજામણી રે,
એને અડશો મા, ભીડશે ઉર રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.
-૦-
—–ન્હાનાલાલ
👉 પ્રેમ મુદ્દિત મનસે કહો શ્રી રામ રામ રામ પાપ કરે દુઃખ મિટે લેકે રામ નામ ।। (તુલસીદાસ)
👉 શરદ પૂર્ણિમા એ યૌવનનો થનગણટના છે ગમે તેવી ઋતુ છે.
ચંદ્ર એટલે પૂર્ણતાનું પ્રતિક, શ્રીમદ ભાગવતના દશમ સ્કંધમાં આવે છે કે
શરદ પૂનમની રાત્રે સાથે મહારાસ રમ્યા હતા.
શરદ પૂનમને ઘણા રાસ પૂનમ કહે છે.
વ્રજ એટલે રાસ લીલાનું વૈકુંઠ રાસ ગરબા આજે પણ રમાય છે.
👉 શરદ પૂનમે પ્રભુએ વાંસળીના સૂર છેડયા હતા.
ઠાકોરજીની આ વેણું આજે પણ ભગવદીયોને વૃંદાવનમાં સંભળાય છે.
જે પ્રભુનો આશ્રય રાખે તેને ઠાકોરજી વાંસળી સંભળાવે છે.
વ્રજ એટલે વેણું, ઘેનું અને રેણું ગોપીઓનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ વર્ણવી ગોપી ને પ્રેમની ધ્વજ કહેવામાં આવે છે.
ગોપીઓ રાસ માં જવાની અને પ્રભુ મિલનની એટલી ઉત્કંઠા હતી કે આંખે લગાવવાનું કાજલ ગાલે લગાવ્યું કેવો ગોપી પ્રેમ ?
👉 ઇશ્વરને મળવાની આવી ભાવના હોય તો જીવનમાં પૂનમ ઉગે. ગોપી ગીત એ ભારતનું અને કૃષ્ણ- પ્રેમનું સર્વોત્તમ ગીતા છે.
શરદની રાત શ્રેષ્ઠ રાત્રિ ગણાય છે. પ્રભુએ રાસ ખેલ્યો એ શ્રેષ્ઠતાનું પ્રતિક છે.
👉 શરદ પૂનમે દુધ પૌઆ ખાવાનો રિવાજ છે.
વરસાદની વિદાય શરદનું આગમન એક અનુસંધાન છે.
આયુર્વેદના શાસ્ત્ર મુજબ શરીરમાં જે પિત્તનો પ્રકોપ થયો હોય તે આ દુધ પૌઆ ખાવાથી નાશ પામે છે.
દૂધ પિત્તનું દુશ્મન છે.
ચંદ્રના કિરણો દુધ, પૌઆમાં ભળવાથી દમના દર્દીને ફાયદો કરે છે.
આપણું કેલેન્ડર ચંદ્રના પંચાંગ મુજબ ચાલે છે.
👉 શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમાં સ્કંધમાં અધ્યાય ૨૯ થી ૩૩ રાસ પંચાદયાયી ના શ્લોકો છે.
ભગવાન શ્રી કૃષ્ણ રસ મય છે.
રસો વૈ સઃ ।। ભગવાન શ્રી કૃષ્ણ અનંત રસ રૃપ છે.
👉 ભગવાન શ્રી કૃષ્ણે પૂનમ નો મહિમા યુધિષ્ઠિરને સમજાવતા કહ્યું હતું કે
” શરદ પૂર્ણિમા’ ની રાત્રી મને ખુબ ગમે છે. પૂનમે કરેલું દાન, યાત્રા, દર્શન પ્રભુને ઘરેલો નૈવૈદ્ય ખુબ પુણ્ય આપે છે.”
👉 પૂનમ નો મહિમા ——-
👉 ફાગણ પૂનમ હોલિકા પર્વ રાજા રણછોડને મળવાનું પર્વ
ચૈત્રી પૂનમ મહાવીર હનુમાનનું પર્વ
જેઠ પૂનમ વટસાવિત્રી પર્વ
અષાડ પૂનમ ગુરૃ પૂર્ણિમાનું પર્વ
શ્રાવણ પૂનમ રક્ષાબંધનનું પર્વ
ભાદરવા પૂનમ પિતૃને શ્રધ્ધાંજલિનું પર્વ
આસો માસ શરદ પૂનમ
👉 આમ શરદ પૂનમ કવિઓને ખૂબ ગમે છે.
ઠાકોરજીના ચાહકોને ખુબ ગમતી આ પૂનમ છે.
શરદ પૂનમની આ પૂનમ છે. શરદ પૂનમની રાત દિવ્ય રાત્રિ છે.
કુદરતની કવિતાનું સૌંદર્ય એટલે શરદ પૂનમ.
👉 રાજા રણછોડ રાયને આ દિવસે દિવ્ય મુકુટ ડાકોરમાં ધરાવાય છે.
આ મુકુટોત્સવ દિવ્ય છે.
👉 ચાંદની રાતમાં કુદરતના સાનિધ્યમાં
પર્વની ઉજવણી જીવનમાં હંમેશા નવો સંચાર પ્રેરનારી જ હોય છે
આ દિવસે મહાકવિ ન્હાનાલાલને અવશ્ય યાદ કરવા જોઈએ !!!!
👉 ટૂંકમાં કુટુંબ સાથે આંનંદ
કરવાનો દિવસ એટલે શરદ પૂર્ણિમા !!!
——-જનમેજય અધ્વર્યુ
👉🍁🌷🌹🥀🌻🌼🌺🌴🌱🌿☘️🍀
Leave a Reply