Sun-Temple-Baanner

વીર છત્રપતિ શિવાજી મહારાજ : ભાગ – ૧


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વીર છત્રપતિ શિવાજી મહારાજ : ભાગ – ૧


વીર છત્રપતિ શિવાજી મહારાજ
(ભાગ – ૧)

👉 શિવાજી ભોંસલે, જેમને છત્રપતિ શિવાજી તરીકે ઓળખવાંમાં આવે છે
એક ભારતીય યોદ્ધા અને મરાઠા વંશના અંશ હતા.
શિવાજીએ આદિલશાહી સલ્તનતની સર્વોપરિતાને સ્વીકારી નહોતી
અને તેમની સાથે ઘણી લડાઈઓ કરી હતી
શિવાજીએ ગેરીલા પદ્ધતિનો આવિષ્કાર કરીને એમની સાથે ઘણી લડાઇઓ જીતી હતી.
શિવાજીને આદ્ય૯ રાષ્ટ્રવાદી અને હિન્દુઓનો મહાનાયક માનવામાં આવે છે
૧૬૭૪માંએમનો રાજયાભિષેક કરવામાં કરવામાં આવ્યો હતો
અને તેમને છત્રપતિનું બિરુદ મળ્યું હતું.

👉 શિવજીનો જન્મ પુના જિલ્લાના જુનર શહેરમાં શિવનેરી કિલ્લામાં ૧૬૨૭ માં થયો હતો.
તેમના જન્મદિવસ પર એક વિવાદ છે
પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેમનો જન્મદિવસ ૧ ફેબ્રુઆરી, ૧૬૩૦ ના રોજ સ્વીકાર્યો છે.
તેમની માતાએ શિવાજીને ભગવાન શિવના નામ પરએમનું નામ શિવાજી રાખ્યું
શિવાજીના પિતા શાહજી ભોંસલે મરાઠી સેનાપતિ હતા જેમણે ડેક્કન સલ્તનત માટે કામ કર્યું હતું.
શિવાજી મહારાજની માતા જીજાબાઈ સિંધખેડના લખુજીરાવ જાધવની પુત્રી હતી.
શિવાજીના જન્મ સમયે, ડેક્કનની સત્તા ત્રણ ઈસ્લામિક સલ્તનત બીજપુર, અહમદનગર અને ગોલકોન્ડામાં હતી.
શાહજી વારંવાર નિઝામશાહી, આદિલશાહ અને મુગલ વચ્ચે તેમની વફાદારી બદલતાં રગેતા હતાં
પરંતુ તેમણે પોતાની જાગીર હંમેશા પુણેમાં જ રાખી અને એમની સાથે એમની નાનકડી સેના પણ હતી !!!!

👉 શિવાજી પોતાની માં જીજાબાઈ પ્રત્યે બેહદ સમર્પિત હતાં .
ધાર્મિક વાતાવરણે શિવાજી પર ઊંડી અસર પડી હતી,
જેના કારણે મહાન હિન્દૂ ગ્રંથો રામાયણ અને મહાભારતની વાતો તેમણે તેમની માતા પાસેથી સાંભળી હતો
આ બે ગ્રંથોના કારણે, તેમણે જીવનપર્યંત હિન્દુ મૂલ્યોનો બચાવ કરતાં રહ્યાં !!!
આ સમય દરમિયાન શાહજીએ તેની બીજી પત્ની તુકાબાઈ સાથે લગ્ન કર્યા હતા
લશ્કરી કાર્યવાહી માટે શાહજી કર્ણાટકમાં આદિલશાહનાં સૈન્ય તરફ અભિયાન ચલાવવાં ગયાં
તેઓએ શિવાજી અને જીજાબાઈ ને છોડીને એમનાં સંરક્ષક તરીકે દાદોજી કોણદેવને બનાવી દીધાં
દાદોજીએ શિવજીને બુનિયાદી લડાઈ પદ્ધતિઓ જેવીકે ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવાડી !!!!

👉 બાળપણથી શિવાજી ઉત્સાહી યોદ્ધા હતા,
પરંતુ તેના કારણે તેને માત્ર ઔપચારિક શિક્ષણ આપવામાં આવ્યું હતું
જેણે કારણે તેઓ લખી વાંચી શક્યા નહોતા,
પરંતુ તેમણે સાંભળેલી વાતો હજુ પણ તેમને યાદ છે.
ટૂંકમાં તેમની યાદશક્તિ તેજ હતી !!!!
શિવાજીએ માવલ ક્ષેત્રમાંથી પોતાનાં વિશ્વાસુ સાથીઓ અને સેનાને એકત્રિત કરી
શિવાજી માવલ સાથીઓ સાથે પોતાને મજબૂત કરવાં
અને પોતાની માતૃભૂમિના જ્ઞાન માટે સહ્યાદ્રિ પર્વતમાળામાં
અને જંગલોમાં ભટકતાં – ફરતાં રહ્યાં
જેથી કરીને સૈન્ય પ્રયાસો માટે તે તૈયાર રહી શકે !!!!!

👉 શિવાજીને ૧૨ વર્ષની ઉંમરે બેંગ્લોરમાં લઇ જવામાં આવ્યાં
જ્યાં તેમના જયેષ્ઠ ભાઇ સામ્ભાજી અને તેમના સાવકા ભાઇ એકોજી પહેલેથીજ ઔપચારિક તાલીમ પામ્યા હતા.
૧૬૪૦માં માં શિવાજી મહારાજ નિમ્બાલ્કર પરિવારના સહબાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયાં
૧૬૪૫ માં, કિશોર શિવાજીએ સૌ પ્રથમ વખત હિન્દવી સ્વરાજની અવધારણા દાદાજી નરસ પ્રભુ અમક્ષ પ્રગટ કરી !!!

👉 શિવાજીનો આદિલશાહી સલ્તનત સાથે સંઘર્ષ ———

👉 ૧૬૪૫ માં, ૧૫ વર્ષની ઉંમરે, શિવાજીએ આદિલશાહ લશ્કર પર હુમલો કર્યો
અને તે પણ આક્રમણની કોઈપણ સુચના આપ્યાં વગર
અને તોરણા કિલ્લા પર પોતાની વિજયપતાકા લહેરાવી હતી !!!
ફિરંગોજી નરસાએ શિવાજીની સ્વામીભક્તિ સ્વીકારી લીધી
અને શિવાજીએ કોન્ડાના કિલ્લાને પણ કબજે કર્યો.
કેટલાક તથ્યો અમને કહે છે કે શાહજીને આ શરત પર ૧૬૪૯ માં છૂટા કરવામાં આવ્યા હતા કે
શિવાજી અને સંભાજી કિલ્લો છોડીને જતાં રહે …..
પરંતુ કેટલીક હકીકતો શાહજીને ૧૬૫૩ થી ૧૬૫૫ સુધીનો કારાવાસ બતાવે છે
શાહજીની રિહાઈ બાદ તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી.
અને શિકાર દરમિયાન, તે ૧૬૪૫ ની આસપાસ મૃત્યુ પામ્યો.
પિતાના મૃત્યુ પછી, શિવાજીએ હુમલો કર્યો અને
ફરીથી ૧૬૫૬ માં, પડોશી મરાઠા વડા પાસેથી જાવલીનું સામ્રાજ્ય કબજે કરી લીધું !!!!

👉 બહુજ પ્રખ્યાત શિવાજી અને અફઝલખાનની વાત ———-

👉 ૧૬૫૯માં આદિલશાહે એક અનુભવી અને બાહોશ અને દિગ્ગજ સેનાપતિ અફઝલખાનને શિવજીને તબાહ કરવાં મોકલ્યો
જેથી તે પ્રાદેશિક બળવો ઘટાડી શકે ……
૧૦ નવેમ્બર, ૧૬૫૯ના રોજ, તેઓ પ્રતાપગઢના કિલ્લાની તળેટીમાં એક કુટીરમાંએ બંને મળ્યા હતા.
આવા હુકમનામું તૈયાર કરવામાં આવ્યું હતું કે બન્ને ફક્ત એક જ તલવાર સાથે રૂબરૂ મળશે
શિવાજીને સંદેહ થયો કે અફઝલ ખાન તેમની પર હુમલો કરવા માટે એક અલગ વ્યૂહરચના સાથે આવશે.
તેથી, શિવાજી તેના કપડા હેઠળ નીચે કવચ , જમણી ભુજા પર છુપાવેલો વાઘનખ આને ડાબા હાથમાં એક કટાર લઈને એ કુટિરમાં પ્રવેશ્ય હતાં !!!!
તથ્યો અનુસાર બંનેમાંથી કોઈ એકે પહેલો વાર કર્યો
અફઝલ ખાનને મરાઠા ઇતિહાસમાં વિશ્વાસઘાતી તરીકે વર્ણવવામાં આવ્યો છે, જ્યારે શિવાજીને પારસીના ઇતિહાસમાં બેવફા તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ લડાઈમાં, અફઝલ ખાનની કટાર શિવજીના કવચમાં ભરાઈ ગઈ …….
અને શિવાજીએ પોતાનાં ઘાતક હથિયાર વાઘનખ દ્વારા એવો તે ઘાતક હુમલો કર્યો કે
અફ્ઝલખાન ત્યાને ત્યાં મારી ગયો
કહો કે શિવજીએ એને ફાડી નાંખ્યો ……….
આ પછી શિવાજીએ પોતાના છુપાવેલાં સૈનિકોને બીજાપુર પર જ્રવાના સંકેત આપ્યાં
અને આદેશ પણ આપી દીધો !!!!

👉 શિવાજીની વાત આગળ જારી રહેશે
એનો બીજો ભાગ આવતીકાલે
ત્યાં સુધી મધ્યાંતર !!!!!

——– જનમેજય અધ્વર્યુ

🥀🌷🌱💐🥀🌷💐🥀🌷🌱💐

👃 વીર છત્રપતિ શિવાજી મહારાજ 👃
(ભાગ – ૨)

👉 પ્રતાપગઢનું યુદ્ધ ૧૦ નવેમ્બર, 1૧૬૫૯ ના રોજ લડાયું હતું
જેમાં શિવાજીની સેનાએ બીજપુરના સલ્તનતની સેનાને હરાવી દીધી હતી …….
ચુસ્ત મરાઠા પાયદળ અને ઘોડેસવારએ બીજપુર પર હુમલો કરવો શરૂ કર્યો
અને બીજપુરના ઘોડેસવાર તૈયાર થાય એ પહેલાં જ આક્રમણ કરી દીધું ………
મરાઠા સૈન્યે બીજોપુર લશ્કરને પાછું ધકેલ્યું !!!!
બીજપુરસૈન્યના૩૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા અને અફઝલ ખાનના બે પુત્રોનેબંદી બનાવી લેવામાં આવ્યા હતા.
આ બહાદુરીથી શિવાજી મરાઠા લોકગીતમાં હીરો અને મહાન નાયક બની ગયાં !!!!
મોટી સંખ્યામાં જપ્ત કરાયેલા શસ્ત્રો, ઘોડા અને અન્ય લશ્કરી સાધનો સાથે મરાઠા સૈન્ય મજબૂત બન્યું.
મુગલ સમ્રાટ ઔરંગઝેબે શિવાજીને મુગલ સામ્રાજ્ય માટે મોટો ખતરો માની લીધો !!!!

👉 પ્રતાપગઢમાં થયેલા નુકશાનની ભરપાઇ કરવા અને નવોદય મરાઠા શક્તિને હરાવવા
આ વખતે બીજપુરના નવા સરસેનાપતિ ર રસ્તમઝમનના નેતૃત્વ હેઠળ
શિવાજી સામે૧૦,૦૦૦ સૈનિકો મોકલ્યા
મરાઠા સૈન્યના૫૦૦૦ સવારના સૈનિકોની મદદથી, શિવાજીએ ૨૮ ડિસેમ્બર ૧૬૫૯ ના રોજ કોલ્હાપુર નજીક હુમલો કરી દીધો ……
આક્રમણને તેજ કરી દઈને શિવાજી એ દુશ્મન સેના પર બરાબર મધ્યમાં જ પ્રહાર કર્યો
અને બે ઘીડેસવાર સેનાએ બંને બાજુએથી હુમલો કરી દીધો !!!!!
કંઈ કેટલાંય કલાકો આ યુદ્ધ ચાલ્યું
પરંતુ અંતમાં બીજાપુરની સેના વિના લોઈ નુકશાન સહન કર્યાં વગર પરાસ્ત થઇ ગઈ ……
સેનાપતિ રુસ્તમઝમન રણભૂમિ છોડીને જતો રહ્યો !!!
આદિલશાહી સેનાએ આ વખતે ૨૦૦૦ ઘોડા અને ૧૨ હાથી ગુમાવ્યા !!!

👉 ૧૬૬૦માં, અદિલશાહે તેના નવા સેનાપતિ સિદ્દી જોહર સાથે, મુગલો સાથે ગઠબંધન કરીને હુમલા માટે તૈયારી કરી
તે સમયે શિવાજીની સેના પનહાલામાં [હાલના કોલ્હાપુર] માં તેમની છાવણીમાં હતી.
સિદ્દી જોહરના સૈન્યએ શિવાજીના સૈન્યને ઘેરો ઘાલ્યો હતો અને કિલ્લાથી પુરવઠામો રસ્તો બંધ કરી દીધો હતો.
પનહાલામાં બોમ્બવર્ષા દરમિયાન, સિદ્દી જોહરે બ્રિટિશરો પાસેથી યુદ્ધની સંભવિતતા વધારવા માટે ગ્રેનેડ્સ ખરીદ્યા હતા.
કેટલાક બોમ્બ વિસ્ફોટ કરવા માટે કેટલાક બ્રિટિશ તોપચીઓ પણ નિમણૂક કરવામાં આવ્યાં હતાં.
આ કથિત વિશ્વાસઘાતને કારણે શિવાજીને ગુસ્સો આવ્યો હતો
કારણ કે તેમણે રાજાપુરમાં અંગ્રેજી કારખાનામાંથી હાથગોળા લુંટયા હતાં ……..

👉 ઘેરાબંધી પછી, વિવિધ લેખોમાં જુદી જુદી વાતો બતાવાઈ છે
જેમાંથી શિવાજી એક લેખમાં બચીને ભાગી જાય છે ……..
આ પછી આદિલશાહ પોતે જાતે કિલ્લા પર હુમલો કરવા આવે છે
અને ચાર મહિનાના ઘેર પછી કિલ્લા પર કબ્જ્જો લઇ લે છે !!!!
અન્ય લખાણોમાં ઘેરાબંધી કર્યા પછી, શિવાજી સિદ્દી જૌહર સાથે વાત કરે છે અને વિશાલગઢના કિલ્લાને તેમને સોંપી દે છે !!!!
શિવાજીના સમર્પણ અથવા ભાગી નીકળવા પર પણ એક વિવાદ છે …….
લખાણો અનુસાર, શિવાજી રાત્રે અંધારામાં પન્હાલામાંથી નીકળી જાય છે અને દુશ્મન સૈન્ય તેમને પીછો કરે છે.

👉 મરાઠાના સરદાર બંદલ દેશમુખના બાજી પ્રભુ દેશપાંડે પોતાનાં ૩૦૦ સૈનિકો સાથે
સ્વેચ્છાએ દુશ્મન લશ્કર રોકવા માટે લડે છે ……..
અને કેટલાક સૈનિકો શિવજીને વિશાલગઢના કિલ્લા સુધી પહોંચાડી દે છે
પવન ખિંન્ડના યુધ્ધમાં નાનાકડી મરાઠા સેના વિશાળ દુશ્મન સેનામેં રોકી રાખીને શિવાજીને બચીને નીકળવા માટે સમય આપે છે !!!!
બાજીપ્રભુ દેશ્પમ્ડે આ ઉઇધ્દ્મ ઘાયલ થવાં છતાં પણ
એ ત્યાં સુધી લડતાં રહ્યાં જ્યાં સુધી વિશલગઢ થી એમની તોપોનો અવાજ ના સંભળાય !!!!
તોપનો અવાજ એ વાતનો સંકેત હતો કે શિવાજી સુરક્ષિત કિલ્લા સુધી પહોંચી ગયાં છે !!!!

👉 ૧૬૫૭ સુધીમાં, શિવજીએ મુગલ સામ્રાજ્ય સાથે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપ્યાં.
શિવાજીએ ઔરંગઝેવને બીજપુર કબજે કરવા માટે મદદ કરવાની દરખાસ્ત કરી હતી
અને બદલામાં, તેણે બીજાપુરી કિલ્લાઓ અને ગામોને એનાં અધિકારમાં આપવાની વાત કટી !!!!
મુગલો સાથે શિવાજીનો સંઘર્ષ ૧૬૫૭ માં શરૂ થયો હતો
જ્યારે શિવાજીના બે અધિકારીઓએ અહમદનગર નજીક મુગલ વિસ્તારમાં હુમલો કર્યો.
આ પછી, શિવાજીએ જુનાર પર હુમલો કર્યો અને ૩ લાખ સિક્કા અને ૨૦૦ ઘોડા લઈને ભાગી ગયા.
ઔરંગઝેબે જવાબી હુમલામાં નસીરી ખાનને આક્રમણ કરવાં માટે મોકલ્યો
એવું કહેવાય છે કે અહમદનગરમાં શિવાજીની સેનાને જરાવી હતી ……..
આ વાત મુસ્લિમ ઈતિહાસકારોએ ચગાવેલી છે
જ્યારે શિવાજી કયારેય હાર્યા જ નહોતાં
ઇતિહાસમાં શિવાજી અપરાજિત રાજા તરીકે જ જગમશહૂર છે !!!
પરંતુ, શિવાજી વિરુદ્ધ ઔરંગઝેબની લડાઇ વરસાદી ઋતુને કારણે અને શાહજહાંની નાદુરસ્ત તબિયત કારણે બાધિત થઇ ગયું !!!!
આ વાત પણ મુસ્લિમોએ ચલાવેલી જ છે !!!!

👉 બીજપુરની બડી બેગમની વિનંતીને આધારે, ઔરંગઝેબે તેની મામા શાઈસ્તા ખાનને ૧૫૦,૦૦૦ સૈનિકો સાથે મોકલ્યા.
આ સૈન્યએ પુણે અને ચાકનના કિલ્લાને કબજે કરીને એક મહિના સુધી હુમલો કર્યો અને ઘેરો ઘાલ્યો.
શાઈસ્તા ખાન તેના વિશાળ સૈન્યનો ઉપયોગ કરીને મરાઠા પ્રદેશો
અને શિવાજીના નિવાસસ્થાન લાલ મહલ ઉપર હુમલો કર્યો.
શિવજીએ શાઈસ્તા ખાન પર અનપેક્ષિત હુમલો કર્યો
જેમાં શિવાજી અને તેના૨૦૦ સાથીઓએ પુણેમાં લગ્નની આડમાં ઘુસણખોરી કરી હતી.
મહેલના પહેરદારોને હરાવીને દુબળ પર ચઢી જઈને શાઈસ્તા ખાનના નિવાસ સ્થાન સુધી પહોંચી ગયાં હતાં
અને ત્યાં જે કોઈ મળ્યા એમને મારી નાંખ્યા !!!!
શાઈસ્તા ખાન અને શિવાજીના ઝઘડામાં, તેમણે અંગૂઠો ગુમાવ્યો અને ત્યાંથી બચીને ભાગી નીકળ્યો
આ ઘૂસણખોરીમાં, તેમના પુત્રો અને પરિવારના અન્ય સભ્યો માર્યા ગયા હતા.
શાઈસ્તા ખાન પૂણેની બહાર મુગલ લશ્કરમાં આશરો લીધો
અને ઔરંગઝેબે તેને શરમની સજા રૂપે એને બંગાળમાં મોકલી દીધાં !!!!

👉 શાઈસ્તા ખાને એક ઉઝ્બેક સેનાપતિ કરતલબ ખાનને હુમલો કરવા મોકલ્યો.
તે ૩૦૦૦૦ મુગલ સૈનિકો સાથે પૂણે જવા રવાના થયો
અને પ્રદેશની પાછળથી અણધારી રીતે મરાઠાઓ પર હુમલો કરવાની યોજના બનાવી.
ઉમ્મેરખિન્ડના યુધ્ધમાં શિવાજી ની સેનાએ પાયદળ અને ઘોડેસવાર સેના સાથે ઉમ્મેરખિન્ડના ગાઢ જંગલોમાં ઘાતક હુમલો કર્યો
શાઈસ્તા ખાનના અક્ર્મણોના પ્રતિશોધ લેવાં અને સમાપ્ત રાજકોષને ભરવાં માટે ૧૬૬૪માં શિવાજીએ મુગલોના વ્યાપાર કેન્દ્ર સુરતને લુંટી લીધું !!!!

👉 ઔરંગઝેબ ગુસ્સામાં આવ્યા હતા અને ૧૫૦,૦૦૦ સૈનિકો સાથે મિર્ઝા રાજા જયસિંહને મોકલ્યા હતા.
જય સિંહના સૈન્યએ અનેક મરાઠા કિલ્લાઓ પર કબજો કર્યો
અને શિવાજીને વધુ કિલો ગુમાવવાને બદલે, ઔરંગઝેબે શરતો પાળવાની ફરજ પાડી.
જયસિંહ અને શિવાજી વચ્ચે પુરંદરની સંધિ થઈ,
જેમાં શિવાજીએ ૨૩ કિલ્લા આપ્યા અને મુગલોને જુર્માના પેટે ચાર લાખ રૂપિયાનો દંડ ભરવો પડ્યો
તેઓ ઔરંગઝેબના દરબારમાં મુઘલ સરદાર તરીકે તેમના પુત્ર સંભાજીની સેવા આપવા માટે સંમત થયા હતા.
શિવાજીનાએક સેનાપતિ નેતાજી પલકર ધર્મ પરિવર્તન કરીને મુગલોમાં જોડાયા !!!!
અને તેમને બહાદુરીને પુરસ્કારો પણ આપવામાં આવ્યાં હતાં
મુગલોની સેવા કર્યાંના દસ વર્ષ પછી, તે ફરીથી શિવાજી પાસે પાછો ફર્યો અને શિવાજીના આદેશ પર ફરીથી હિન્દુ ધર્મ સ્વીકાર્યો.

👉 અંતિમ ભાગ આવતીકાલે
ત્યાં સુધી મધ્યાંતર !!!!!

——– જનમેજય અધ્વર્યુ

🥀🌷🌱💐🥀🌷💐🥀🌷🌱💐

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.