લલિતાદિત્ય મુકતાપીડ – ભાગ : 3
⚔ લલિતાદિત્ય મુકતાપીડ – ભારતનો એક અત્યંત શક્તિશાળી રાજા ⚔
(ઇસવીસન ૭૨૩ – ઇસવીસન ૭૬૦)
✍ —ભાગ- 3 — ✍…
➡ લલિતાદિત્ય મુક્તાપીડનું વિજય અભિયાન ——-
ગતાંકથી ચાલુ ——
👉 ચીને તો નોંધ ના લીધી તો ના લીધી પણ ભારતે પણ ક્યાં લીધી જ છે તે !!!
ભારતમાં ઈતિહાસકારો કદાચ પ્રાંતીય હતાં એમ માનવાનું કે શું ?
કાશ્મીરવાળાંને રાજસ્થાન વિષે ખબર ના હોય કે ગુજરાતને દક્ષિણ વિષે ખબર ના હોય
કે બંગાળને ગુજરાત વિષે ખબર ના હોય એવું જ લાગ્યાં કરે છે મને તો
જયારે કલ્હણે “રાજતરંગિણીની રચના કરી ત્યારે એમણે ૧૧ જેટલાં પુસ્તકોનો આધાર લીધો હતો
માત્ર આધાર જ નહીં પણ વિગતે એનો અભ્યાસ પણ કર્યો હતો
એટલે જ એ ગ્રંથ કાશ્મીરના ઈતિહાસ માટેનો એક પ્રમાણભૂત ગ્રંથ બની ગયો છે
એટલે એની હકીકતને નજરઅંદાજ કરવી એ નરી મૂર્ખતા જ ગણાય !!!
હવે …… ભારતન ઈતિહાસ લખતી વખતે પાશ્ચાત્ય ઈતિહાસકારો શું દારુ પીને લખતાં હતાં કે શું ?
તેઓએ માત્ર સંદર્ભો જ આપ્યાં કર્યા છે પોતાને શું કહેવું છે ઠોસપૂર્વક કહી જ શક્યા નથી
આને લીધે જ ભારતના ઇતિહાસમાં કયાંક ક્યાંક વિગતદોષ જોવા મળે છે !!!
સાલવારી અને માહિતી ઘણી બધી જગ્યાએ ખોટી જ છે !!!
ઇતિહાસનું નિરૂપણને બદલે એનું પિષ્ટપેષણ વધારે જોવાં મળે છે
એમાંને એમાં ઈતિહાસ અભરાઈએ ચડાવી દેવાય છે અને પોતાનું પિષ્ટપેષણ જ માથે મરાતું નજરે પડતું હોય છે !!!
બીજી એક વાત એ પણ છે કે એક જ માહિતી જે વિકિપીડિયામાં હોય એનેને એને જ “કોપી-પેસ્ટ” કરી ફેસબુક, ટવીટર કે વોટસએપમાં સ્ટેટસ રૂપે ચડાવી દેવાતી હોય છે
અનુ પરિણામ એ આવે છે કે જે માહિતી ખોટી છે એજ બધે પ્રસરે છે અને સાચા ઈતિહાસ કે સાચી માહિતીથી લોકો વંચિત જ રહી જાય છે
જે તે રાજયના લોકો જ એનાં ઈતિહાસ વિષે વધુ માહિતગાર હોય અને એજ લખાણ હિન્દીમાં વધારે સારી રીતે ઉપલબ્ધ થતું હોય છે
એમનાં લખાણો શા માટે નજરઅંદાજ કરાય છે એજ મને તો ખબર પડતી નથી !!!
નહિ સુધરે ભાઈ આ પ્રજા નહીં જ સુધરે !!!
ચાલો એ વાત જવા દઈએ પાછાં લલિતાદિત્ય મુકતાપીડ પર આવી જઈએ !!!
👉 ઇસવીસન ૭૨૪થી ઇસવીસન ૭૩૦ સુધીમાં સમ્રાટ લલિતાદિત્યે ભારત માટે આ પહેલાં કે અત્યાર સુધીમાં કોઈએ ના કર્યું હોય એવું કાર્ય કર્યું હતું
તિબેટ અને ચીન જીતવાનું !!!
જો કે સંયોગિક પુરાવાને અભાવે એ વાત હજી સુધી લોકો સુધી પહોંચી જ નથી !!!
પણ આ હકીકતને નકારી શકાય એમ પણ નથી માટે જ સમ્રાટ લલિતાદિત્ય મુક્તાપીડ એ ભારતનાં સૌથી શક્તિશાળી રાજવી કહેવાયાં છે !!!
ઇસવીસન ૭૩૦ની આસપાસ એમને અફઘાનિસ્તાન પણ જીત્યું હતું
આ જ પ્રદેશ છે કે જ્યાંથી કાશ્મીર પર વારંવાર હુમલા થતાં હતાં
પણ એ હુમલાઓ ખરેખર થયા છે એની માહિતી કોઈપણ જગ્યાએ મળતી જ નથી આપણને
પ્રજા એનાં નેતા વગર તો હુમલો ના જ કરી શકે ને !!!
આ નેતા કોણ હતો ? એ કેવો હતો ? અને એને ક્યારે કાશ્મીર પર હુમલો કર્યો હતો આ બધાં પ્રશ્નો એ પ્રશ્નો જ રહ્યાં છે હજુ સુધી તો !!!
પણ એક વાત છે કે અફઘાનિસ્તાન જીત્યાં પછી લલિતાદિત્ય મૂળ તેઓ જ્યાંથી આવ્યાં હતાં
તે પ્રદેશ એટલે કે કાસ્પ્પિયન સીની આજુબાજુનો પ્રદેશ પણ એમણે જીતી લીધો હતો
આ વાત મારાં માનવામાં તો નથી જ આવતી
કારકોરમ પર્વતમાળા પર કબજો જમાવ્યા પછી જ તેમણે આ કર્યું હશે એવું આપણે મન મનાવીને ચાલવું પડશે !!!
એવું કહેવાય છે કે અફઘાનિસ્તાનમાં જે વિશાળકાય બામિયન બુદ્ધ પ્રતિમાઓ હતી એના પરથી જ પ્રેરિત થઈને
લલિતાદિત્યે ચૈત્ય અને પરિહાસપૂરમાં બુદ્ધ પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું !!!
આ નગરો વિષે વાત પછીથી !!!
અફઘાનિસ્તાન જયારે લલિતાદિત્યે જીત્યું ત્યારે ત્યાં તુર્કીક શાહી વંશનું રાજ્ય હતું
જેઓ ખુબ જ નબળાં હતાં મુસ્લિમો મુલતાન પછી બહુ શક્તિશાળી નહોતાં
આનો જ લાભ લઈને લલિતાદિત્ય છેક તુર્કસ્તાન સુધી પહોંચી ગયાં હતાં
આનુંએક કારણ એ પણ છે કે ઇસ્લામ ધર્મની તો આ હજી શરૂઆત હતી
ધર્મઝનુન તો મુસ્લિમ પ્રજામાં થોડાં વર્ષો બાદ આવ્યું હતું !!!
એટલે એ તો સ્વાભિક જ છે કે લલિતાદિત્યને આ પ્રદેશોમાં આસાનીથી વિજય પ્રાપ્ત થઇ ગયો !!!
એ બહાને ત્યાં હિન્દુત્વ અને ભારતીય વિજય પતાકા તો લહેરાઈ !!!
👉 સમ્રાટ લલિતાદિત્યે યાશોવર્મન જે પંજાબનો રાજા હતો આ પ્રદેશ એટલે અત્યારનું હરિયાણા ગણાય
તેને પદભ્રષ્ટ કર્યો ઇસવીસન ૭૩૩માં !!
એ વખતે આ પ્રદેશ કનૌજ કહેવાતું હતું !!!
એના પર પણ સમ્રાટ લલિતાદિત્યનો કબજો થઇ ગયો
એની આગળ પાછળના પ્રદેશો તે છેક મુલતાન અને અરબસ્તાન સુધી તો બપ્પા રાવલનો ડંકો વાગતો જ હતો
ત્યાંથી પશ્ચિમ ભારત તરફ જવાના બદલે લલિતાદિત્યને પૂર્વમાં જવાનું વધારે મુનાસીબ લાગ્યું
પણ પછીથી તેઓ પશ્ચિમ ભારત તરફ ગયાં તો જરૂર હતાં અને જીત્યું પણ હતું !!!
સમ્રાટ લલિતાદિત્યે ઇસવીસન ૭૩૫ -૭૩૬ દરમિયાન બિહાર .બંગાળ અને ઓડીશા પર પોતાનો કબજો જમાવ્યો હતો
કહેવાનો મતલબ છે કે આ બધાં રાજ્યો અને પ્રદેશો તેમણે જીતી લીધાં હતાં
ત્યાર પછી તેમને મધ્ય ભારતનાં માળવા અને કૌશલ રાજ્ય પણ પોતાનાં વિજયનો ડંકો વગાડયો હતો
આ બંને રાજ્યો દક્ષિણ ભારતને અડીને આવેલાં હતાં એટલે એમ જરૂરથી કહી શકાય કે દક્ષિણ ભારતમાં પણ સમ્રાટ લલિતાદિત્યનો ડંકો વાગ્યો હતો !!!
ત્યાં એમને ચાલુક્યોને હરાવ્યાં હતાં અને પોતે એ જ રાજાની પુત્રીને પરણ્યા પણ હતાં
પશ્ચિમ ભારતમાં શૈલહારા અને કોંકણ પર એમને વિજય મેળવ્યો હતો
ઇસવીસન ૭૪૦થી ૭૪૬ની વચ્ચે એમને કાઠીયાવાડનાં ચાલુક્યોને પણ હરાવ્યાં હતાં
👉 આટલું બધું જીત્યાં પછી લલિતાદિત્ય પાછાં પોતાનાં રાજ્ય કાશ્મીરમાં પાછાં ફર્યા
૨૫ વરસનનાં અવિરત પ્રવાસ અને આટલાં બધાં વિજયો પછી કોઈને પણ થાક લાગે અને પોતાના રાજયમાં શું ચાલતું હશે કે શું થયું હશે એની ચિંતા કોઈને પણ સતાવે એ સ્વાભાવિક જ ગણાય
તેઓ પાછાં ફરતાં હતાં ત્યારે જ તેઓ ઉજ્જૈન, ચિત્તોડગઢ ,મારવાડઅને થાનેસર થઈને પાછાં ફર્યા હતાં !!
થાનેસરમાં તો એ વખતે પણ રાજપૂતોનો ડંકો વાગતો હતો !!!
પૃથ્વીરાજ તો ઘણાં પાછળથી થયાં !!!
જ્યાં તેનું ગોહિલ અને લીજેન્ડરી બપ્પા રાવલ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત થયું
બાપ્પા રાવલે લલિતાદિત્યનું ખુબ સન્માન કર્યું અને એને એક અજેય યોદ્ધા તરીકે ગણાવ્યો !!!
આ જ વાત મનાય એમ છે બાકી બાપ્પા રાવલ સાથે એમને ક્યારે સંઘર્ષમાં ઉતરવું નહોતું પડયું
અલબત્ત આ એક અનુમાન કે મત છે પણ તેમાં જ મને સત્ય જણાય છે
યુદ્ધ એ પોતાનાં હિતેચ્છુઓ અને પોતાનાં કરતાં વધારે શક્તિશાળી રાજાઓ સાથે કયારેય ના કરાય
ગુહિલ્લા અને બાપ્પા રાવલ આવાં રાજાઓ હતાં કે જેમના આશીર્વાદ જ લેવાય એમની સાથે યુદ્ધ તો ના જ કરાય ?
બાય ધ વે આ માટે ક્યાં યુધની નોબત જ ઉભી થઇ હતી તે !!!
જે છે એ વાત તો કાસિમ અને સાલવારીની જ છે ને !!!
આમાં સંઘર્ષ ક્યાં આવ્યો બોલો !!!
જો કે આ વાતમાં પણ મતમતાંતર જરૂર પ્રવર્તે છે
પણ એમાં તથ્ય તો છે એ વાત તો આપણે સ્વીકારવી જ રહી !!!
એક પ્રશ્ન જરૂર મનમાં ઉભો થાય છે કે —–
મુહંમદ -બિન- કાસિમ ની સાલવારી ઘણી બધી જગ્યાએ ખોટી ચિતરવામાં આવી છે
પણ એનાં વિષે વિશેષ અભ્યાસ કરતાં એવું માલૂમ પડયું છે કે
એની સાલવારી એવું કહે છે કે એનો શાસનકાળ તો ઇસવીસન ૬૯૫થી ૭૧૫ હતો
જે બપ્પા રાવલ સાથે તો મેળ ખાય છે પરંતુ સમ્રાટ લલિતાદિત્ય સાથે બિલકુલ મેળ ખાતો નથી
આમેય લાલિતાદિત્યએ અફઘાનિસ્તાન જીત્યું ત્યારે ત્યાં તો કાસિમ પછીનાં નબળાં શાસકો હતાં !!!
તો પછી કાશ્મીર પર આક્રમણ કર્યું કોણે ?
મૂળ વાત એ કે કાસિમ એ લલિતાદિત્ય પછી થયો છે
અને કાશ્મીર પર પહેલું આક્રમણ સિકંદર બુટશિકાન દ્વારા જ થયેલું ગણાય !!!
કાસિમ ઐતિહાસિક દ્રષ્ટીએ ભલે પ્રથમ આવતો હોય
પણ ….કાસિમે ભારત પર આક્રમણ કર્યું જ નથી એ વાત તો તમને હું પહેલાં પણ જણાવી જ ચુક્યો છું
આરબોને અરબ સુધી જ રાખવાં હિતાવહ ગણાય !!!
એટલે એનો અર્થ એ થયો કે કાશ્મીર પર ભવિષ્યમાં આક્રમણ ના થાય એ માટેની સમ્રાટ લાલીતાદિત્યની આ પૂર્વભૂમિકા હતી
કાશ્મીરને સલામતી બક્ષવાનું એક સ્વચ્છ અભિયાન !!!
પાછાં કાશ્મીર ફરીને એમને થોડીક હાશ અનુભવી અને પોતાનો અને સેનાનો થાક ઉતાર્યો
પછી પાછાં તેઓ નવાં અભિયાન માટે સજ્જ થઇ ગયાં !!!
👉 અંગ્રેજી ઈતિહાસકાર ગોએટઝનાં મતે એમણે કાશ્મીર પાછાં ફર્યા પછી પછી તેમને તિબેટ અને તુર્કસ્તાન જીત્યું હતું
આ વખતે એમણે ટારીમ બાસીન પણ જીત્યું હતું !!!
ગોએટઝ આની સાલવારી આપે છે ઇસવીસન ૭૫૬-૭૫૭
શરૂઆતમાં જ લલિતાદિત્યે એક રાજદૂત ચીની નરેશ પાસે મોકલ્યો હતો
અને સમ્રાટ લલિતાદિત્યે પોતાના શાસનકાળના ૩૭ વર્ષો એટલે કે તમામેતમામ વર્ષો યુદ્ધ અભિયાનમાં જ ગાળ્યાં હતાં
એટલે એવું માનીને ચાલવું જોઈએ કે શરૂઆતમાં ચીન અને તિબેટ જીત્યું પછી જ તુર્કસ્તાન !!!
આ બધી વાતમાં કારકોરમ પર્વતમાળા કોઈ ભૂલી ના જ જવી જોઈએ !!!
બની શકે કે જે પ્રદેશો જીત્યાં પછી એમાં શહેરો અને સ્મારકો બનાવવાનું કાર્ય લલિતાદિત્યે કર્યું હોય !!!
સાલવારીને મારો ગોળી પણ બધા એકી અવાજે એ વાત તો સ્વીકારે છે કે
સમ્રાટ લલિતાદિત્યે કાશ્મીરનો વિસ્તાર પામીર અને હિંદુકુશ પર્વતમાળા સુધી વધાર્યો હતો !!!
👉 હવે એક વાત તરફ આપ સૌનું ધ્યાન દોરું છું કે ઇસવીસન ૭૫૭ થી તે ઇસવીસન ૭૭૦ દરમિયાન
સમ્રાટ લલિતાદિત્ય હાથ પર હાથ દઈને બેસી નહોતાં રહ્યાં
એમણે કાશ્મીરના વિકાસનું કાર્ય આરંભ્યું એમાં વચ્ચ્ચે જે પ્રજા નડતી હતી અને જે રાજ્યો ખટકતાં હતાં તે તેમને જીતી લીધા
જેના તરફ કદાચ તેમનું પહેલાં ધ્યાન ના પડયુ હોય એવું પણ બને !!!
આ વિકાસ એટલે શું અને તે પણ એ જમાનામાં !!!
એ જમાનો વિકાસ એટલે પ્રજાનું હિત એમની ધાર્મિક વૃત્તિને પોષવી અને માટે એ સમયમાં જે પ્રચલિત હતી તેવી શિલ્પસ્થાપત્યની શૈલીમાં શિલ્પ – સ્થાપત્યો બનાવવાં તે
પ્રજાની ધર્મપારાયણતાનો ખ્યાલ રાખવો તે !!!
પ્રજાને શાંતિનો અનુભવ કરાવવો તે !!!
આમ કરવાનો હેતુ લલિતાદિત્ય નો એ હતો કે પ્રજાને પણ પોતાનાં રાજમાં વિશ્વાસ હોવો જોઈએ અને રાજને પોતાની પ્રજામાં
જેમાં સમ્રાટ લલિતાદિત્ય ૧૦૦ ટકા ખરાં ઉતર્યા છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી જ
નગરોની સ્થાપના અને સ્થાપત્યોનું બાંધકામ એ સમ્રાટ લલિતાદિત્યનાં વિજય અભિયાનના એક ભાગરૂપે જ હતું !!!
સમ્રાટ લલિતાદિત્યની એક ખાસિયત એ પણ હતી કે તેઓ જે જે પ્રદેશો જીતતાં ગયાં ત્યાં પ્રજાનું હિત પણ એમને જોયું
એમને ત્યાં નવેસરથી નગરો બાંધવાનું નક્કી કર્યું અને પ્રજા માટે તેમના ધાર્મિક સ્થાનો પણ બંધાવ્યા
પ્રજાથી જ રાજા ઉંચો આવે છે એવું તે સ્પષ્ટપણે માનતાં હતાં
પોતે જાતે સૂર્યવંશી હોવાને કારને દરેક ભગવાનમાં એમને આસ્થા હતી
એટલે એમ જરૂરથી કહી જ શકાય કે તેઓ પ્રજાવત્સલ હોવાની સાથેસાથે ધર્મનિષ્ઠ પણ હતાં !!!
👉 રાજ્યોને પોતાનામાં સમાવી દેવાથી કશું જ સિદ્ધ થતું નથી બધાએ હળીમળીને સુખેથી સંપેથી એકજૂથ થઈને રહેવું જોઈએ
આમાં દરેક ધર્મના વ્યક્તિને સમાન છૂટ અને અધિકાર મળવો જોઈએ
આ હેતુસર્જ એમને નાગર્સરાચન અને સ્થાપત્યો બાંધ્યા હતાં
➡ લલિતાદિત્યે બાંધેલાં નગરો ———-
👉 કલ્હણનાં જણાવ્યા અનુસાર લલિતાદિત્યે નીચે પ્રમાણેના શહેરો- નગરો બનાવ્યાં હતાં
સુનિશ્ચિતપુરા – આ નામ એ સૂચવે છે કે એણે જયારે વિશ્વને જીતવાનો અને એની સાથે લડવાનો દ્રઢનિશ્ચય કર્યો એટલે કે સુનિશ્ચિત
દ્રપિત પુરા – એ જ્યારે ગૌરવ અનુભવ હતાં
ફલપુરા – તેઓ જયારે ફળાહાર ગ્રહણ કરતાં હતાં …… આ નગર એ એમને બંધાવેલું પ્રખ્યાત નગર પરિહાસપુરાની નજીક જ હતું !!!
પર્ણોત્સા – એ જયારે કોઈ ઝાડનું પાંદડું તોડતાં હતાં …… એમ કહેવાય છે કે આજનું પૂંચ એ આજ હતું !!!
લોકપુણ્ય નગર – અત્યારનું લારકીપુર
પરિહાસ પુરા – આ નગર એ એ દેવ્રાજા ઇન્દ્રની નગરી કરતા પણ વધુ ઉત્તમ અને વૈભવશાળી હતું આ જ મનુ રહેઠાણ હતું અને એમની રાજધાની
આ નાગર નાશ પામ્યું બિલકુલ કલ્હનના સમયમાં !!! એમ પણ કહેવાય છે કે શ્રીનગર એ બીજું રજધાની હતું પહેલાં તો આ જ હતું
લોકો એમ કહે છે કે આ જ તો અનંતનાગ છે !!!
જયારે ઈતિહાસ એમ કહે છેકે પરિહાસપુર એક અલગ જ નગર હતું
અને એ જ તો લલિતાદિત્યની રાજધાની હતું
આ પરિહાસપુરામાં એમને બંધાવેલો બૌદ્ધ સ્તૂપ એ માર્તંડ સૂર્યમંદિર કરતાં વાળું સુંદર અને વિશાલ છે જેના અવશેષો આજે પણ જોઈ શકાય છે
આ પરિહાસપૂરનું મુખ્ય મંદિર એ જ માર્તંડ સુર્ય મંદિર કરતાં ઘણું મોટું છે
આ મંદિર એટલેકે સ્તૂપ એ ખરેખર લલિતાદીત્યની ધર્મપરાયણતાનું સૂચક છે
એ સાબિત કરે છે કે એ જમાનામાં પણ બૌદ્ધો અહીં હતાં
જે પાછળથી એમણે તિબેટ જીત્યું ત્યારે ત્યાંથી આવેલાં બૌદ્ધો માટે અએક મોટી સુવિધા પૂરી પાડી હતી સમ્રાટ લલિતાદિત્યે !!!
એમ કહેવાય છે કે આ બૌદ્ધ સ્તૂપ સંપૂર્ણપાને તોડી પડયો ઇસવીસનની ૧૪મી સદીમાં સુલતાન સિકંદર દ્વારા !!!
એ પહેલાં સમ્રાટ હર્ષવર્ધનના વંશજો અહી આગ ચાંપીને નષ્ટ જરૂર કરી ચુક્યા હતાં બારમી સદીની શરૂઆતમાં !!!
આ પરિહાસપુરમાં સુલ્તાનગંજ બુદ્ધ, ભારતનો એકમાત્ર હયાત-ગુપ્તા પછીનો સ્મારક છે બુદ્ધના કદનો એક અંશ કાંસાનો છે જે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે !!!
👉 આ ઉપરાંત સમ્રાટ લલિતાદિત્યે અને તેમની રાણીઓ અને તેમના મંત્રીઓએ અનેક નગરો બંધાવ્યા હતાં અને વિકસાવ્યા હતાં
લલીતાદિત્યે ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવજી, ભગવાન સૂર્ય અને ભગવાન બુદ્ધનાં અનેક સ્મારકો બનાવ્યાં હતાં
જેમાંના કેટલાંક આજે જગવિખ્યાત છે !!!
લલિતાદિત્યે સોનાની, ચાંદીની અને કાંસની અનેકો મૂર્તિઓ બનાવીને મંદિરોમાં પ્રસ્થાપિત કરી હતી !!!
👉 આમ સાર્વજનિક આદર્શોની નીમ લલિતાદીત્યે પોતાનાં સૈનિક જીવનનાં અતિરિક્ત પણ અનેક ક્ષેત્રોમાં રુચિ દર્શાવી
એમનાં શાસનકાળમાં વ્યાપાર એવં કલાને પણ મહત્ય આપવામાં આવ્યું
ધાર્મિક ઉત્સવોનું પણ આયોજન થતું હતું
ચિત્રકળા, મૂર્તિકળાનાં ક્ષેત્રોમાં સમ્રાટ લલિતાદિત્યે વિશેષ પ્રોત્સાહન એવં સુવિધાઓ પ્રદાન કરી
જે કોઈ નથી જાણતા તેવી એક વાત પણ તમને કહી દઉં કે
સમ્રાટ લલિતાદિત્ય ખુદ એક સફળ લેખક અને વીણાવાદક હતાં
ઇતિહાસકાર બામજઈ લખે છે કે ——
“લલિતાદિત્યનાં સૈન્ય વિજયોને એમનાં વિભિન્ન શાસનકાલીન વર્ણનોમાં મહત્વપૂર્ણ સ્થાન મળે છે
ત્યાર પછીના સમયમાં પણ એમને કાશ્મીરીઓના હીરો બતાવવામાં આવ્યાં છે
નિર્માણકલા અને જનકલ્યાણનાં એમનાં મહાન કાર્યો, શિક્ષણ પ્રત્યેનો એમનો પ્રેમ, વિદ્વાનોનાં સરક્ષણ અને દયાળુ વિજેતા રૂપી
ગુણોને કારણે એમની ગણના કાશ્મીરના મોટાં મોટાં શાસકોમાં થાય છે !!!”
👉 એ સમયનું ભારતીય કાશ્મીર સાર્વજનિક જીવનનાં પ્રાય: બધાં ક્ષેત્રોમાં વિકાસનું મુખ્ય કેન્દ્ર હતું
પ્રત્યેક નાગરિકને ઉન્નતિનાં સમાન અવસર ઉપલબ્ધ હતાં
સમ્રાટ લલિતાદિત્યે જ્યાં એક તરફ ધર્મની સ્થાપના તથા સંરક્ષણન માટે શક્તિની ઉપાસના કરી હતી
ત્યાં બીજી તરફ એમણે સહ અસ્તિત્વ, સત્ય, અહિંસા જેવાં અનેકો સિદ્ધાંતોની રક્ષા માટે અનેકો પ્રયાસ કર્યા !!!
👉 સર્વશ્રેષ્ઠ હિંદુ નિર્માણ કળા સમ્રાટ લલિતાદિત્યનું અત્યંત સુંદર એવં ચિરસ્મરણીય કાર્ય છે
એમનાં દ્વારા નિર્મિત વિશાળ માર્તંડ મંદિર જેને સમ્રાટે ખુદ ભગવાન ભાસ્કર સૂર્યદેવ (આદિત્ય)નાં સન્માનમાં બનાવડાવ્યું હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે સમ્રાટ લલિતા દિત્ય સ્વયં પણ એક શક્તિશાળી સૂર્યવંશીય ક્ષત્રીય હતાં
વિશ્વના ઇતિહાસમાં મંદિર નિર્માણની અનુપમ શૈલી અને તેના નિર્માણની અતુલ્ય ક્ષમતા દુર્લભ છે
👉 ઇતિહાસકાર સ્ટેન કહે છે – “સંપૂર્ણ વિશ્વાસ સાથે લલિતાદિત્યનાં શહેરો, નગરો અને ખંડેરોને શોધી કાઢવું શક્ય નથી
પરંતુ આમાંથી જે મળ્યું તેના ભવ્ય અવશેષો ખ્યાતિ દર્શાવે છે કે લલિતાદિત્ય નિર્માતા હતા
માર્તંડ સૂર્ય મંદિર નાં અવશેષો આજે પણ એ સાક્ષી પૂરે છે કે સમ્રાટ લલિતાદિત્યે આ જ નામનાં તીર્થસ્થળ પર બનાવ્યું હતું
અ મંદિર આજે પણ પ્રાચીન હિંદુ નિર્માણ કલાનું સૌથી અનોખું ઉદાહરણ છે
પોતાની વર્તમાન ક્ષત -વિક્ષત અવસ્થામાં પણ આ ભગ્નાવશેષોને એમનાં આકાર-પ્રકાર તથા નિર્માણ કલા સંબંધી ડીઝાઈન અને સુંદરતાને કરને સારાહવામાં આવે છે !!!”
ઇતિહાસકાર યંગહસબંડ અનુસાર – “વિશ્વનાં મહાન નિર્માણ કળા નમૂનાઓમાં માર્તંડ સૂર્ય મંદિરનું સ્થાન ઘણું ઊંચું છે
આ મંદિર માત્ર કાશ્મીરી નિર્માણ કલાનું જ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ નથી પણ વિશ્વના એક અતિ સુંદર સ્થળ પર બનવાનું ગૌરવ પણ એને પ્રાપ્ત છે !!!
પાર્થેનોન , તાજમહલ , સેન્ટ પીટર્સ . એક્સક્યુરિ યલ ભાવનોથી પણ ઉમદા સ્થાન ઉપર !!!
આપણે આને શેષ બધાં મહાન ભાવનોનું પ્રતિનિધિ કે આ બધાં ગુણોનો સમન્વય માની જ શકીએ છીએ
આમાં આપણને કાશ્મીરી લોકોની સર્વશ્રેષ્ઠતાનું પણ જ્ઞાન થાય છે !!!”
➡ સુખી સંપન્ન સમાજ રચના ———–
👉 સમ્રાટ લલિતાદિત્યનાં શાસનકાળમાં સમાજ બહુ જ સુખી એવં સંપન્ન હતો
એશિયાના પ્રાય: બધાં દેશો સાથે ખુલ્લી વ્યાપાર વ્યવસ્થા હોતી હતી
ખેતી માટે અનેક સુવિધાઓ હતી અને એ માટે અનેકો નવી ખોજ પણ કરવામાં આવી હતી
જળસંચાર યોજનાને પણ મહત્વ આપવામાં આવતું હતું
👉 લલિતાદિત્યે વિદેશોમાં પણ પોતાનાં વિજય સ્મૃતિ સ્થળો બંધાવ્યા હતાં
સુનિશ્ચિતપુર અને દર્પિતપુર નામનાં બે મહાનગરોનું વર્ણન રાજતરંગિણીમાં આવે છે
યદ્યપિ આ નગરોનાં કહ્ન્દેરો સુદ્ધાં મુસ્લિમ હમલાવરોએ સમાપ્ત કરી દીધાં છે
એમણે ફલપુર અને પર્ણોત્સવ નામનાં પણ બે નગરો બનાવ્યાં હતાં અને ત્યાં માણસોને વસાવ્યાં પણ હતાં
ફલપુર આજકાલ શાદીપુર નામનું ગામ છે જયારે પર્ણોત્સવને અપને આજકાલ પૂંચ નામે જાણીએ છીએ
લલિતાદિત્યે લલિતપુરમાં જે આજે લેતાપુર તરીકે ઓળખાય છે ત્યાં એક બહુ જ મોટું મંદિર બનાવ્યું હતું !!!
હુશ્ક્પુર જે આજકાલ ઉશકુર નામે જાણીતું થયું છે ત્યાં સમ્રાટ લલિતા દિત્યે એ ક મોટો બૌદ્ધ વિહાર એવં બૌદ્ધ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું
કાશ્મીરના ઇતિહાસમાં આજે પણ માર્તંડ સૂર્ય મંદિર અને પરિહાસપુર શહેર અમરત્વ પામી ચુક્યા છે
આજે જે શાળીપુર છે એની જ આસપાસ જ પરિહાસપુર નાગર હતું !!!
➡ આતંકી જિહાદની કાલિમા —–
👉 મેં અગાઉ જણાવ્યું છે તેમ જ જે રસ્તેથી થઈને -જઈને લલિતા દિત્યે જો વિજયો મેળવ્યાં હોય તો કોઈ એ રસ્તે આવીને અક્રમન -હુમલો કરે પણ ખરું
પણ એમનિ પહેલાં અનેક પ્રતિભાશાળી લોકોને કાશ્મીર આવવાનું નિમંત્રણ આપ્યું હતું
વિદેશી પ્રખ્યાત ઇતિહાસકાર અલ બરુનીના લેખન દ્વારા આપણને ખબર પડે છે કે
સમ્રાટ લલિતાદિત્યે એક તુર્ક સરદાર કાન્યકુન્યને પોતાનો કાહ્સ મંત્રી પણ બનાવ્યો હતો
પછીથી આ સરદારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો
આજ સમયથી કાશ્મીરમાં એક વાર્ષિક ઉત્સવની પ્રથા ચાલી હતી !!!
અ વિજયોત્સવ સમ્રાટ લલિતાદિત્યનાં તુર્કસ્તાન પર થયેલાં વિજયની સ્મૃતિમાં અનેકો શતાબ્દીઓ સુધી માનવવામાં આવતો હતો
સમ્રાટ લલિતાદિત્યની સાથે કાશ્મીરમાં હિંદુ સ્વાભિમાનનો સ્વર્ણ -સવર્ણયુગ પ્રારંભ થયો
હિંદુ ધર્મની વિશાળતા, સહિષ્ણુતાનું પ્રતિક બની ગયાં હતાં સમ્રાટ લલિતાદિત્ય
પણ તેમના પછી તેમની આભાને મુસ્લિમ આક્રાંતાઓ અને પછીથી થયેલાં મુસ્લિમ શાસકોએ બરબાદ કરી દીધી !!!
👉 ઈતિહાસકારો એક વાત તો ખુલ્લેઆમ કહે છે કે —–
સમ્રાટ લલિતાદિત્ય એ ભારતના ઇતિહાસનું એક ઉજળું પાનું છે
તેઓએ લલિતાદિત્યની સરખામણી એલેકઝાંડર સાથે કરી હતી
મારાં મતે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય કે સમ્રાટ અશોક સાથે કરવાં જેવી હતી !!!
ટૂંકમાં ચીન. તિબેટ અને તુર્કસ્તાન પર મેળવેલાં વિજયોને કારણે લલિતાદિત્યનું સ્થાન ચિરંજીવ છે અને સદાકાળ ચિરંજીવ જ રહેશે
એ રાખવાનું આપણા જ હાથમાં છે ને !!!
આપણે એમનાં પ્રદાનને કયારેય નહીં ભૂલીએ એવી આજથી કસમ ખાઓ બધાં
અને જયારે પણ અનંતનાગ માર્તંડ સૂર્યમંદિર જાઓ ત્યારે આ સમ્રાટ લલિતાદિત્યને ભૂલતાં નહીં હોં પાછાં !!!
!! જય માં ભારતી !!
!! જય હિંદ !!
!! વંદે માતરમ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply