Sun-Temple-Baanner

બાબરી મસ્જિદ – બાબરકી જુબાની


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


બાબરી મસ્જિદ – બાબરકી જુબાની


📚 બાબરી મસ્જિદ – બાબરકી જુબાની 📚
(એક નગ્ન સત્ય )

***** ઇતિહાસ રસિકજનો આ ખાસ વાંચે *****

🙏 નમસ્કાર 🙏
👉 મારાં પ્રિય ભારતીયો……
હું મોગલ સલ્તનતનો સ્થાપક બાદશાહ બાબર બોલું છું
મારાં પ્રિય ભારતીય પ્રજાજનો મારી હકીકત મારાં શબ્દોમાં હું બયાન કરું છું
જે તમને સત્યતાથી વાકેફ કરાવશે
સમજવાનું તમારે છે મારે નહીં હું તો અત્યારે હયાત નથી કારણકે મને મરે તો સાડા ૫ સદીઓ વીતી ગઈ છે
હું તો સાડા પાંચસો વર્ષ સુધી કબરમાં પોઢેલો છું
મારું તો અસ્તિત્વ રહ્યું જ નથી પણ મને આનંદ છે કે તમારું અસ્તિત્વ તમારાં સત્વ અને સત્યને લીધે અનેક ધરતીકંપો અને સુનામીઓ સહન કર્યા પછી એ ટકી રહ્યું છે
એ તમારે કાયમી ટકાવવું પડશે અને મને ખુદમાં વિશ્વાસ છે કે એ તમે ટકાવી શકશો
કારણકે મને માનવજાત પર ભરોસો છે
જો ના હોય તો કરજો જરૂરથી !!!

👉 માણસ હંમેશા મહત્વાકાંક્ષી જ હોય છે
જો માણસમાંથી મહત્વાકાંક્ષા મરી જાય ને તો એ માણસ જ ન ગણાય
સવાલ એ નથી કે આપણે કેવાં માણસો છીએ પણ આપણી મહત્વાકાંક્ષા કેટલી છે તે છે !!!
કોકમાં વધારે હોય તો કોકમાં ઓછી.
મારામાં વધારે હતી એ હું કબુલ કરું છું !!!

👉 હું મારાં જ શબ્દોમાં કહું તો મારી હકીકત તમારી આગળ રજુ કરવાની ઈજાજત લઉં છું
મેં અયોધ્યાનું રામમંદિર નથી તોડયું કે નથી મેં બાબરી મસ્જિદ બનાવી.
એમ તો મને મારી જિંદગી માટે મને કોઈજ શિકાયત નથી.
પણ તમે મારાં પોતાનાં છો એટલે હું તમને જણાવું છું આજે.
કારણકે શિકાયત તો પોતાનાંઓથી જ થાય ને વળી !!!
કેટલાંક રાઝો એવાં છે કે જે આજે પણ મને કબરમાં શાંતિથી સુવા નથી દેતાં !!
મારું મન આજે પણ ઉદ્વીગ્ન જ છે !!!
જેની તમને તો ખબર જ ક્યાંથી હોય !!!
તમે તો આંધળા અને ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાઓ તેવાં છો.
તમે લોકો બહુ જલ્દીથી કોઈના બહેકાવામાં આવી જાવ છો.
અત્યારે અને આજ સુધી તમે જે કર્યું તે ભલે કર્યું પણ હવેથી આવું ના કરો અને આવું ભવિષ્યમાં ન થાય તેની તકેદારી રાખશો.
અમારે ખુદા છે તો તમારે ભગવાન છે પણ આસ્થા અને શ્રધ્ધા તો બંનેની સરખી જ છે
કોઈની વધારે કે કોઈની ઓછી નહીં
આખરે તો એ બંને એક જ છે અને એ જ તો છે આપણો સનાતન ધર્મ
માન્યું કે સનાતન ધર્મ તો હિદુઓ એટલે કે તમારો પોતાનો અમારાંથી વધારે જુનો અને ભવ્યાતિભવ્ય છે જેનું તમે ગૌરવ લો એમાં એમાં જરાય ખોટું નથી !!!
વાત માણસજાતની કરાય એ કયા ધર્મનો છે એની નહીં !!!
જન્મ પર આપણો ઈજારો નથી એ આપણા કહ્યામાં પણ નથી
તો પછી ધર્મને નામે ઝગડાઓ કરવાથી શું ફાયદો ?
ફાયદાની વાત કરીએ તો એ ફાયદો કેટલાંક અસંતુષ્ટો અને ખેપાનીઓ સદીઓ પછી એ મેળવતાં હોય છે
જેમાં પ્રજા જ બલીનો બકરો બનતી હોય છે જે આમાં બન્યું છે તેવું જ !!!

👉 હવે મને સાંભળો હે સુજ્ઞ ભારતીય પ્રજાજનો…….
એ સર ઝમીને હિન્દુસ્તાન ……. અસલામ વાલેકુમ !!!
મારું નામ તમે પૂરું ના જાણતાં હોય તો હું તમને જણાવી દઉં છું કે —
મારું પૂરું નામ છે ઝહિરુદ્દીન મહોંમદ બાબર.
એ જ બાબર કે જેણે સન ૧૫૨૬માં સુલતાન ઈબ્રાહીમ લોદીને પાણીપતનાં પ્રથમ યુધ્ધમાં હરાવીને ભારતમાં મુગલ સલ્તનતનો પાયો નાંખ્યો.
પાણીપત પછી પણ યુધ્ધોનું સાક્ષી બન્યું જ છે
એ દિલ્હીની નજીક હોવાથી એ યુદ્ધ માટે મોકળું મેદાન હતું.
યુદ્ધ મેદાનમાં જ થાય છે ઘરની અગાસીઓમાં નહીં ઘરની અગાસીઓ પર તો ઉતરાણમાં પતંગો ચગાવાય અને ઉનાળામાં સુવાય !!!
પણ …… આ પાણીપતનાં યુદ્ધથી જ મેં ભારત પર રાજ્ય કરવાનું શરુ કર્યું.
જો હું હાર્યો હોત તો ઈતિહાસ કૈંક જુદો જ હોત.
હાર અને જીત એ તો આપણા બસની વાત તો નથી જ ને !!!
જીતે એજ સિકંદર એ તો દરેક યુદ્ધનો નિયમ જ છે ને !!!
હું જીત્યો એટલે હું સિકંદર બન્યો એમાં એ કઈ મોટી ધાડ નથી મારી.
મેં કોઈ આ જીતનો મોટો જશ્ન ફટાકડાઓ ફોડીને નથી મનાવ્યો.
પણ આ જીતથી મારું સપનું મને સાકાર થતું લાગ્યું.
જે મેં નાનપણમાં જોયું હતું ભારત પર રાજ કરવાનું !!!
આ જીતથી તે શક્ય બન્યું !!!
આ જીત હું મેળવી શક્યો કારણકે મેં સૌ પ્રથમવાર ભારતમાં તોપોનો ઉપયોગ કર્યો હતો.
જેનો ગેરલાભ પાછળથી અંગ્રેજોએ ઉઠાવ્યો એ મને ખબર નહોતી એ વખતે તો !!!
મહારાણા પ્રતાપ, હમીરસિંહ રાણા, વિક્રમાદિત્ય હેમુ, ગુરુ ગોવિંદ સિંહ અને મહાન છત્રપતિ શિવાજીએ આમારી સલ્તનત હચમચાવી મૂકી હતી
અરે હું તો એ વખતે હતો નહીં પણ સમગ્ર ભારત જેનના ગુણગાન ગાતાં જરાય થાકતું નથી અને જેમની યુદ્ધકલા આગળ તો અમારી તોપો અને અમારી કુટનીતિ પણ પાછળ પડે છે તેવાં મહાવીર યોદ્ધાનું હું નામ અહી લેવાં માંગું છું
જેનું નામ છે બાજીરાવ પેશ્વા…..
આ બધાં જ મહાવીરો હતાં જેમની વીરતા મેં કબરમાં સૂતાં સુતાં નિહાળી છે.
છત્રપતિ શિવજીએ તો આમારી સલ્તનતના પાયા જ હચમચાવી નાંખ્યા હતાં.
આજ કદાચ અમારાં પતનનું એક કારણ છે.
જોકે મુખ્ય કારણ આ નહોતું એની જ હું તમને આજે વાત કરવાં માંગું છું !!!

👉 મેં મારી જીંદગીમાં ઘણાં યુદ્ધો કર્યાં છે.
ઘણી બધી કત્લેઆમો કરી છે અને જોઈ પણ છે.
હું લૂંટારો હતો અને ભારત સોનાની ચીડિયા !!!
મારી પાસે લડવૈયાઓ એટલે કે સૈનિકો તો વધારે નહોતાં પણ જેટલાં પણ હતાં એ બધાં જ વફાદાર હતાં !!!
આ રીતે મારું સપનું જે મેં જોયું હતું કે ભારત પર રાજ કરવાનું તે પૂરું પણ થયું.
આમ મેં હિન્દુસ્તાનનો તખ્ત સંભાળ્યો એ સંભાળતી વખતે હું બહુ ખુશ થયો !!!

👉 હિન્દુસ્તાનથી સેંકડો કિલોમીટર દુર કાબુલના બાગે બાબરની કબરમાં હું દફન છું.
પણ આજે હું તમારી સમક્ષ હાજર થયો છું.
મારું આ હાજર થવાનું એક કારણ પણ છે અને એટલાં જ માટે મારે આજે તમારી હાજર થઈને મારે મો ખોલવું પડે છે
કારણકે અયોધ્યાની બાબરી મસ્જિદ પર કેટલીક ખોટી અટકળો પ્રવર્તી રહી છે.
જેને આજે લોકો સત્ય માની બેઠાં છે વાંધો મને એનો જ છે !!!
સાડા પાંચસો વર્ષોથી પણ વધુ વર્ષોથી હું કબરમાં સૂતેલો જ છું.
પણ છેલ્લાં કેટલાંક દાયકાઓથી અરે દાયકાઓ શું કામ છેલ્લી બે સદીથી લગભગ ભારતમાં એક મસ્જિદ છે
જેને લોકો વારંવાર બાબરી મસ્જિદ કહેતાં આવ્યાં છે !!!
તેના પર સૌ પોતપોતાની રોટલીઓ શેકતાં આવ્યાં છે.
આવી બીજી કેટલીક મસ્જિદો ભારતનાં અન્ય સ્થળોએ પણ છે પણ મુખ્ય નામ છે અયોધ્યાની મસ્જિદ જેને વારતહેવારે લોકો બાબરી મસ્જિદકહે છે !!!
આનો ઉલ્લેખ ભારતની સર્વોચ્ચ અદાલતમાં વારંવાર ઉછાળવામાં આવ્યું.
છેલ્લાં ૪૦ દિવસથી અયોધ્યા વિવાદમાં થતી દલીલોને ખુબ શાંતિથી સાંભળતો હતો.
અને સર્વોચ્ચ અદાલતની કાર્યવાહીમાં કોઈનાથી વચ્ચે ના બોલાય એટલે હું ચુપ જ હતો.
પણ બુધવાર ૧૬ ઓક્ટોબર ૨૦૧૯માં આ સુનવાઈ પૂરી થઇ તો મેં તમારી સમક્ષ પ્રગટ થઈને તમારી આગલા સત્ય બહાર લાવવાનો દ્રઢનિશ્ચય કર્યો.
આ એ સત્ય છે કે જેને અંગ્રેજ સરકારે દફન કરી દીધું હતું.
બરાબર એવી જ રીતે હું જેમ અત્યારે કબરમાં દફન છું એમ જ !!!
અયોધ્યાનાં રામ મંદિર અને બાબરી મસ્જિદને લઈને સર્વે પોતપોતાનાં તર્ક છે તો મારી પાસે મારી પણ દલીલો અને તર્ક છે જે હકીકત છે
જે હકીકતથી આપ સૌ અજાણ જ છો અને તમે આજન્મ અજાણ ના રહો અને મારાં વિષે ખોટી અટકળો ના બાંધો એટલે આજે મારે તમને એ સાચી હકીકત કહેવી જ છે !!!
જે કહેતાં મને કોઈ નહીં અટકાવી શકે કારણકે ભારત દુનિયાનો સૌથી મોટો પ્રજાસત્તાક દેશ છે.
આજે મને ગર્વ થાય છે કે ભારતના ગૌરવમાં મેં પણ મારી રીતે થોડુંઘણું યોગદાન આપ્યું હતું !!!
તમે મને ગમે તેવો ચિતરો એનો મને કોઈ જ વાંધો નથી પણ મારી પૂરી વાત સાંભળ્યાં પછી જ મને ખોટો ચિતરજો કે ખોટો સાબિત કરજો એટલી મારી આપ સૌને નમ્ર આજીજીભરી વિનંતી છે
કોર્ટ પણ બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી જ કોઈ ફેંસલો આપે છે તો તમે પણ મને પુરેપુરો સાંભળ્યા પછી જ કોઈ નિષ્કર્ષ કાઢજો !!!

👉 એક વાત છે ને સુજ્ઞ ભારતીય પ્રજાજનો કે—-
મડદાં ક્યારેય જુઠું નથી બોલતાં હોતાં.
એમ તો મારાં ગુનાઓનું લીસ્ટ બહુજ લાંબુ છે જે માટે મને ખુદા પણ માફ કરી શકે એમ નથી !!!
પણ હે સમય !!!
રામ મંદિર તોડવાનો ઇલ્જામ મારાં પર ન લગાવ.
મેં ભારતમાં ઘણી બધી લુંટફાટ મચાવી છે ઘણીબધી કત્લેઆમો કરી છે એ તો સત્ય જ છે જેની હું તમારી સમક્ષ કબુલાત કરું છું.
પણ …. અલ્લાહ જાણે છે કે મેં કોઈ પણ મંદિર ભારતમાં તોડયું જ નથી કે મારાં નામે કોઈ મસ્જિદ બંધાવી.
મેં કોઈ મસ્જિદ જ ના બંધાવી હોય તો પછી એ મસ્જિદનું નામ બાબરી કેવી રીતે પડયું ?
ભારત પર રાજ કરતાં પહેલાં ૭૦૦ -૮૦૦ વર્ષ પહેલા ભારતમાં ઇસ્લામનું આગમન થઇ જ ચુક્યું હતું.
અરે ભારતમાં તો ઇસ્લામનો જન્મ પણ નથી થયો એનો જન્મ તો આરબ રાષ્ટ્રમાં થયો છે અને ત્યાંથી તે સમગ્ર વિશ્વમાં પહોંચ્યો છે -ફેલાયેલો છે.
તો પછી માત્ર મારાં પર જ આવો ગીલોનો ઇલ્જામ કેમ ?
મને જ કેમ દોષિત ગણો છો તમે બધાં ?

👉 પણ એ હિન્દુસ્તાનવાસીઓ જરા ગૌર ફરમાવો.
હું જે આગ્રાની રાજગાદી પર બેઠો હતો એનાથી માત્ર ૫૦- ૧૦૦ જ કિલોમીટર દુર મથુરા સ્થિત છે.
જે ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ છે !!!
જો મારે મંદિર તોડીને મસ્જિદ બનાવવું હોતને તો પહેલાં હું ત્યાં ગયો હોત અયોધ્યા કેમ ગયો હોત પહેલાં !!!
મેં રાજગાદી તો ઈસ્વીસન ૧૫૨૬માં સંભાળી હતી અને સર્વોચ્ચ અદાલતમાં એવી દલીલ થઇ છે કે એ મેં ઇસવીસન ૧૫૨૮માં બંધાવી હતી
તો મેં પહેલાં મથુરામાં જ બંધાવી હોત ને અને અયોધ્યા કેમ પહેલાં ?
જરા વિચારો તો સારું આ બાબતમાં !!!
હા…. હું અવધ ગયો જરૂર હતો પણ મેં એ મંદિર મેં નથી જ તોડયું એ તો પહેલેથી તોડી નાંખવામાં આવ્યું હતું.
એ મંદિર તો ઈબ્રાહીમ લોદીએ આ પહેલાં જ તોડી નાંખ્યું હતું.
એ મારી બદકિસ્મતી છે કે આનો ઇલ્જામ મારાં પર આવ્યો છે.
કુટિલ બ્રિટીશરોએ મારી વિરુદ્ધ સાજીશ રચી અને એ મસ્જિદને બાબરી મસ્જિદનું નામ આપી દીધું !!!
આ મસ્જિદ તો મંદિર તોડીને ઈબ્રાહીમ લોદીએ બંધાવ્યું હતું.

👉 ઇતિહાસમાં થોડાંક પાછલ જાઓ.
બ્રીટીશરો સન ૧૮૫૭ના બળવાથી બોખલાઈ ઉઠયાં હતાં.
તેઓએ જોયું કે આ સમયમાં તો ભારતમાં હિંદુ-મુસ્લિમ એક થઈને એમની સામે લડયા હતાં.
તેઓ આ એકતાથી ડરી ગયાં અને ત્યારથી જ તેમનાં મનમાં એક બિજાંકૂર ફૂટ્યો.
“ભાગલાં પાડો અને રાજ કરો”.
મુસ્લિમોને હિંદુ વિરુદ્ધ ઉપસાવ્યા અને ને હિન્દુઓને મુસ્લિમ વિરુદ્ધ ભડકાવ્યા !!!
આની શરૂઆત તેમણે મારાંથી જ કરી.
જે સબૂતો મારાં પક્ષમાં હતાં એને એમણે મીટાવવા માંડયા.
અરે એટલે સુધી કે મારી આત્મકથા સમાન મેં જે નિખાલસતાથી પુસ્તક લખ્યું હતું —–“બાબરનામા”
એના કેટલાંક પાનાઓ પણ ફડાવી નાંખ્યા જેથી કરીને લોકોને સાચી હકીકતની ખબર જ ના પડે !!!
આજે પણ આ પુસ્તક અધૂરું જ મળે છે લોકોને વાંચવા માટે અને માહિતી માટે.
આ પુસ્તક જેટલું પણ ઉપલબ્ધ છે એ વાંચી જવા હું આપ સૌને અનુરોધ કરું છું !!!
એટલું જ નહીં પણ ઇબ્રહીબા લોદીના જીવતાં હોવાનાં સબુતોની સાક્ષી પૂરતાં શિલાલેખો પણ એમને નષ્ટ કરાવ્યા
જોકે અંગ્રેજો આવું ના જ કરે તો જ નવાઈ !!!

👉 હવે હું પૂરી હકીકત તમને જણાવું છું મારી જુબાનીમાં.
૨ એપ્રિલના રોજ હું અવધ ગયો હતો સાલ તો હતી ૧૫૨૮માં.
મેં મારી જીવનગાથા “બાબરનામા”માં આનો ઉલ્લેખ પણ કર્યો હતો.
પણ એનાં પછીની અને એની સાચી હકીકત શું છે એ મેં લખ્યું જરૂર હતું પણ એના પછીનાં પાનાંઓ જ આ કમબખ્ત અંગ્રેજોએ ગાયબ કરી નાંખ્યાં.
મારી હકીકતથી તમને અજ્ઞાત જ રાખવામાં આવ્યાં.
જેથી કરીને ભારતના લોકો હિંદુ- મુસલમાનના ઝગડાઓ માં જ વ્યસ્ત રહે કોમવાદમાં જલ્યા કરે સદાય માટે.
આજે પણ આવું જ બને છે અંગ્રેજોના ગમન પછી પણ તેનું મને અપાર દુખ છે.
કેટલાંક લોકોએ આનો વોટબેંક માટે ઉપયોગ કરીને પોતાનો કથિત લાભ ખાટવામાં કોઈ જ કમી નથી રાખી.
એમણે પણ આ કોમી હિંસા ભડકાવી જ છે એ ઠારવાને બદલે !!!
જેથી આજે પણ ભારતના લોકો જાતિવાદ અને કોમવાદમાં જલ્યા કરે છે.
મેં આવું નહોતું કર્યું કે નહોતું ઈચ્છયું!!!
હું અલ્લાહની કસમ ખાઈને કહું છું તમે મને જેવો ચિતરો છો એવો હું બિલકુલ નથી !!!
ઇરીફ્યુરલ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનાં ડાયરેકટરે ઈબ્રાહીમ લોદીના નામવાળો આ શિલાલેખ વાંચ્યો હતો.
એમાંથી ઈબ્રાહીમ લોદીનું નામ કાઢી નાખીને મારું નામ ઉમેરી દેવામાં આવ્યું.
અત્યારના લોકોને તો તો ખબર જ ન હોય ને !
કારણકે તમે બધાં તો સોશિયલ મીડિયાના એડીકટ છો કોકે કૈંક નવું વાર્તા રૂપે લખ્યું હોય એને તમે પૂર્ણ સત્ય માની લો છો.
તેઓ જે આ સમયમાં થયાં જ નહોતાં એમને આ સમયની જાણકારી ના હોય એ સ્વાભાવિક પણ છે.
પણ જો તમને ઇતિહાસમાં જરાક પણ રસ હોય અને તમારે સત્ય ઉજાગર કરવું હોય તો મારી હકીકત પર તમારે ધ્યાન જરૂર આપવું જ પડશે.
વાર્તા સત્ય્ત્તાથી વેગળી હોય છે ઘટના અને હકીકત જ ઇતિહાસની વધુ નજદીક હોય છે
આનો તમને જરીકે અંદાજો નથી જ !!!

👉 ઇરીફ્યુરલ જે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનાં ડાયરેકટરે જે આ ઈબ્રાહીમ લોદીના નામવાળો શિલાલેખ વાંચ્યો હતો.
તેમણે આનો અનુવાદ પણ કર્યો હતો જે આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટમાં પડયો જ રહી ગયો અને કોઈએ એનાં પર ધ્યાન સુધ્ધાં પણ આપ્યું નહીં !!!
એને નષ્ટ કરવાનો ખ્યાલ કોઈના પણ મનમાં આવ્યો જ નહીં.
આવું કરવાનું હોય એવું કોઈને પણ સુઝયું પણ નહીં.
અને એ જીવતોજાગતો પુરાવો મારાં પક્ષમાં જાય છે અને એ દર્શાવે છે કે બાબરનો બાબરી મસ્જિદ સાથે કોઈ જ નાતો નથી અને એને એની સાથે કોઈ લેવાદેવા નથી !!!
અંગ્રેજોએ જ હિંદુ મુસલમાનમાં નફરત ફેલાવવાના આશયથી જ મારી જીવનગાથા “બાબરનામા”ના કેટલાંક પાનાં નષ્ટ કરી નાંખ્યાં !!!
જેમાં મેં પૂરો કિસ્સો સવિસ્તર બતાવ્યો હતો.
હું અવધ તો ગયો હતો પણ અયોધ્યામાં નહોતો દાખલ થયો.
હું તો અવધ ગયો હતો શેખ બાહીદની બગાવતને ખત્મ કરવાં માટે !!!
૨૮ માર્ચ ૧૫૨૮માં અવધથી ૫ -૮ માઈલ પહેલાં મેં મારો પોતાનો પડાવ નાંખ્યો હતો.
મેં અને મારાં સૈનિકોએ શેખ બાહિદને પાછો કાઢી મુક્યો હતો ત્યાંથી બહુ કત્લેઆમ કર્યા વગર.
મેં શેખ બાહિદની હત્યા પણ નહોતી કરી અને તેમ કરવાનો મારો કોઈ ઈરાદો પણ નહોતો અને એની જરૂરત પણ નહોતી.
આ માત્ર નાનકડો બળવો માત્ર હતો એ કંઈ પાણીપત જેવું ભીષણ યુદ્ધ તો હતું જ નહીં.

👉 “બાબરનામા” “તુદુકે જહાંગીરી”થી લઈને “આઈને અકબરી” સુધીના મુગલ ઈતિહાસને દર્શાવતાં મુગલકાલીન પુસ્તકોમાં પણ ક્યાંય પણ આ બાબરી મસ્જિદનો ઉલ્લેખ સુધ્ધાં પણ નથી થયેલો જોવાં મળતો !!!
તો એ મેરે પ્યારે હિન્દુસ્તાન મારી આ દલીલો પર ભરોસો કર
મેં અયોધ્યામાં રામ મંદિર તોડીને એનાં પર મસ્જિદ નથી બનાવી
આ બાબતમાં તો હું નિર્દોષ જ છું અને નિર્દોષ જ રહીશ !!!

——— આપનો વિશ્વાસુ ભારતીય પ્રજાનો પ્રશંસક મુગલ બાદશાહ ઝહિરુદ્દીન મહોંમદ બાબર

મારી ટીપ્પણી ———

👉 હું ચુસ્ત હિન્દુવાદી છું.
હું જન્મે શૈવ છું અને કર્મે પણ શૈવ જ છું.
ભગવાન રામચંદ્રજીનો પરમ ભક્ત છું.
પૂર્ણ શક્તિશાળી ભગવાન હનુમાનજી મારાં આરાધ્ય દેવ છે.
હું દરેક માતાજીનો અને ભગવાન શ્રીકૃષ્ણનો પણ પરમ ભક્ત છું !!!
સનાતનતા અને માનવતા એ જ મારો ધર્મ છે.
આટલું લખવાનું કારણ એ કે હું કોઈપણ રીતે કોંગ્રેસનો કે મુસ્લિમ સમર્થક નથી જ નથી
ચુસ્ત ભાજપીયો જ છું !!!
એટલે રખે કુદી પડતાં આમાં એ કહી દઉં છું તમને !!!
પણ જયારે વાત ઇતિહાસની આવે ત્યારે હું ધર્મ કે કોમ જોતો નથી
જે સત્ય છે એજ ઉજાગર કરવું એ જ મારી નેમ છે.

👉 બાબરે ક્યારેય મંદિર નથી તોડયું કે હિંદુ પ્રજાને મુસ્લિમ નથી બનાવી.
બાબર પહેલાનો ઈતિહાસ તપાસો અને કોણ કોણ ગદ્દારો હતાં તેમના નામ જુઓ તો થઇ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
આ બધા ગદ્દારો શું મલેચ્છો હતાં ?
નહીં ને !!!
એઓ જે પણ કોઈ કોમના હોય પણ હતાં તો બધાં ભારતીય જ ને !!!
ગદ્દારી ક્યારેય આયાત નથી હોતી એ તો તમારી લાલચનું જ ફળ છે !!!
આ બધાંને કારણે જ મુગલો ભારતમાં ૩૭૫ વર્ષ જેટલું રાજ કરી શક્યાં હતાં.
આ હકીકતનો કોણ અસ્વીકાર કરી શકે એમ છે?
મુગલો હિંદુ કન્યાઓ સાથે લગ્ન કર્યા એની શરૂઆત થઇ હતી અકબરથી.
હિન્દુઓને મુસલમાન બનાવવાંના બીજ મુગલો દ્વારા રોપાયાં.
જોકે મુગલો પહેલાંથી જ આની શરૂઆત તો થઇ ગઈ હતી.
પણ એક કુર અને ઘાતકી મુગલ બાદશાહ ઔરંગઝેબને કારણે.
એનાં ધર્મઝનૂનીપણાની કારણે આખી મુગલ સલ્તનતને જવાબદાર ગણવી કેટલે અંશે વ્યાજબી ગણાય ?
જો છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહ ના થયાં હોત તો ભારત આજે મુસ્લિમ રાષ્ટ્ર જ હોત એમાં કોઈ શંકાને સ્થાન નથી.
આજે ભારત હિંદુ રાષ્ટ્ર છે એના મૂળમાં છત્રપતિ શિવાજી જ છે જે ક્યારેય પણ એક પણ યુદ્ધ નહોતાં હાર્યા.
એમની જ ગેરીલા યુદ્ધ પદ્ધતિ એ જ મુગલોની ઘોર ખોદી અને એમનાં પતનનું કારણ બન્યું.
આ બધામાં ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે ભારતમાં મંદિરો તોડવાની શરૂઆત તો ઇસ્લામ પહેલાં બુટશિકાન નામના મોંગોલિયને આઠમી સદીમાં જ કરી હતી.
ત્યાર બાદ ગઝની ૧૦મી સદી.
ઘોરી બારમી સદી.
ચંગીઝખાન બારમી સદી.
તૈમુર ચૌદમી સદી.
અલ્લાઉદ્દીન ખિલજી ૧૩મી સદીનો અંત ભાગ અને ૧૪મી સદીની શરૂઆત.
મુહંમદ તુઘલખ ૧૪મી સદી.
ઈબ્રાહીમ લોદી ૧૬મી સદી.
જેણે ૧૫૨૬ સુધી દિલ્હી સલ્તનતની રાજગાદી સંભાળી હતી.
આ બધાંએ મંદિરો લુંટ્યા હતાં અને તોડયાં હતાં અને ભારતના હિન્દુઓને બળાત્કારે મુસ્લિમો બનાવ્યાં હતાં.

👉 ઈબ્રાહીમ લોદી વિષે કેટલીક ખોટી માન્યતાઓ કેટલાંક ઈતિહાસકારોમાં પ્રવર્તે છે કે
એનાં જીવિત રહ્યાનો કોઈ પુરાવો એમને મળ્યો નહોતો.
આના વિષે પુરતી માહિતી ક્યાંય પણ ઉપલબ્ધ જ નથી સિવાય કે અયોધ્યાનો શિલાલેખ.
અયોધ્યામાં પુષ્યમિત્ર શૃંગનો શિલાલેખ મળે તો એ ખરાબ રાજા ગણાય અને ઈબ્રાહીમ લોદી ત્યાં શિલાલેખ કોતરાવી શકે.
આપણી અત્યારની પ્રજા કેટલી મુર્ખ છે તે તો જુઓ પુષ્યમિત્ર શૃંગના શિલાલેખ પર ઉહાપોહ મચાવે છે કે કેમ કે તે બ્રાહ્મણ રાજા હતો
એમ કહેવાય છે કે મૌતનું બીજું નામ એટલે રાજા પુષ્યમિત્ર શૃંગ.
અને ઈબ્રાહીમ લોદીનાં શીલાલેખનો અનુવાદ પર કોઈ જ ઉહાપોહ મચાવતા નથી.
કેમકે ભારતીય પ્રજા પાસે એની જાણકારી જ નહોતી.
જે આજે મેં આપી છે એ જ સ્તો !!!
બાબરનામામાં જ ઈબ્રાહીમ લોદી જીવિત હોવાનો પુરાવો મળે છે જે નષ્ટ થયો હતો પણ એનો અનુવાદ નષ્ટ કરવાનું અંગ્રેજો ભૂલી ગયાં હતાં.

👉 બાબરે રાણા સાંગાનાં ભરપુર વખાણ કર્યા છે
આ બધા બાદશાહોમાં જો કોઈ ઇસ્લામ પ્રેમી અને ધર્મસહિષ્ણુ બાદશાહ તો એ બાબર જ હતો નહીં કે અકબર
હુમાયુની બીમારી વખતે એની ઇસ્લામ ભક્તિ એ સાબિત કરે છે
હુમાયુ પણ સારો જ રાજા હતો કારણકે એને રાની કુર્માંવતીની લાજ રાખી હતી
અકબર વિષે ખોટી માન્યતાઓ પ્રવર્તે છે એ સારો રાજા હતો એ જ તો !!!
પછીમાં જઘંગીર અને શાહજહાં પણ પ્રજાને કનડતાં નહોતાં.
પણ મુગલકાળમાં જો કોઈ સૌથી ખરાબ બાદશાહ થયો હોય તો તે છે ઔરંગઝેબ
આ ઔરંગઝેબ વિશેની મંદિરી વિશેનાં ચમત્કારોની એ માત્ર વાર્તાઓ જ છે માત્ર !!!
જેનું સાક્ષ્ય પ્રમાણ ક્યાંય પણ મળતું નથી એટલાં જ માટે જ સ્તો !!!

👉 હવે વાત અયોધ્યાની તો બાબરની વાત સાચી માની લેવા સિવાય છૂટકો જ નથી આપણી પાસે
કારણકે એમાં સંયોગિક પુરાવાઓ છે જેનાથી આપણે અત્યાર સુધી અજાણ જ હતાં
આ સત્ય જ છે જોનો આપણે સ્વીકાર કરવો જ જોઈએ

👉 રામ મંદિર તોડાયું હતું પણ એ ઈબ્રાહીમ લોદી દ્વારા નહીં કે બાદશાહ બાબર દ્વારા
મસ્જિદ બનાવડાવી હતી ઈબ્રાહીમ લોદીએ
એટલે ચુકાદો તો આપણી ફેવરમાં આવે એ તો જાણે સ્વાભાવિક જ છે.
હજી વધારે એક પુરાવો આપું છું.
ભારતનાં પાટનગર દિલ્હીમાં લોદી વંશના ઘણાં સ્મારકો આજે હયાત છે.
જેની સ્થાપત્યકલા અને બાબરી મસ્જિદની સ્થાપત્યકલા મેળ નજરે પડે છે.
મોગલોની એક આગવી વિશેષતા હતી લાલ પત્થરોના સ્થાપત્યો.
જયારે લોદી કાળમાં અને એ પહેલાં તો ચૂનો માટી અને ઇંટોનો જ ઉપયોગ થતો હતો.
જેને અને બાબરી મસ્જિદને મેલ બિલકુલ ખાતો નથી !!!
સંગેમરમરનો ઉપયોગ પણ મુગલકાળમાં બહોળા પ્રમાણમાં થયો હતો
તાજમહેલ એનો ઉત્તમ નમુનો છે !!!
હજી વધારે પુરાવાઓ કોઈને જોઈએ છે ?
જોઈતા હોય તો હું આપીશ.
આઈ એમ રેડી ફોર ધેટ !!!
જે અભાગીયાઓને આમાં બાબરનો વાંક લાગતો હોય તો તે કાળમાં જતાં રહે અને નહીં તો છાનામાના એક ખૂણામાં પડયાં રહે
બાકી ઇતિહાસમાં હમ તુમ્હારે બાપ હૈ
કોઈ શક ? હોના ભી નહી ચાહીએ !!!!

👉 હજી બીજાં હિન્દુરાજાઓ છે જેના વિષે કોઈએ બહુ લખ્યું જ નથી એવાં રાજાઓ આવશે જ એ બધું ફરી કોઈવાર !!!

!! જય શ્રી રામ !!

——— જનમેજય અધ્વર્યુ

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.