સાચું શિક્ષણ – એક પ્રેરક પ્રસંગ
👉 આ પ્રસંગ મેં પહેલાં લખેલો જ છે
પણ…… આજના દિવસે એ યોગ્ય હોવાથી ફરીવાર તમારી સમક્ષ મુકું છું
શિક્ષક કેવો હોવો જોઈએ ?
એનું આ ઉત્તમ ઉદાહરણ છે
સન ૧૯૬૪ની આ વાત છે લોકસાહિત્યના ખુબજ જાણકાર અને સાહિત્યકાર શ્રી. કનુભાઈ જાની એ વખતે જામનગરની કોલેજમાં અધ્યાપક હતાં
જામનગર તે વખતે તો આટલું વિકસિત નહોતું પણ એ ઐતિહાસિક શહેર જામનગર તો અવશ્ય હતું
જો કે હું તો માત્ર એક જ વર્ષનો હતો એટલે મને એની તો ખબર ના હોય એ સવાભાવિક જ છે
મુરબ્બી કનુકાકા અમારાં પરમ મિત્ર થાય
એટલે અમે સહકુટુંબ જામનગર ગયાં હતાં
ત્યાં ત્રણ દિવસ રોકાયા હતાં
👉 હવે મારાં પપ્પાએ મને કહેલી વાત છે
કે હું પ્રથમવાર “મમ્મી -પપ્પા ” બોલતાં શ્રી કનુભાઈની પુત્રી શ્રીમતી નયનાબેન શુક્લ જેઓ પ્રખ્યાત કવિશ્રી રાજેન્દ્ર શુક્લનાં પત્ની છે
તેમનાં ખોળામાં રમતાં રમતાં શીખ્યો હતો
એમણે જે બીજી વાત કરી હતી તે ખુબ જ પ્રેરણાદાયક છે
👉 આ વાત એજ સમય દરમિયાન જામનગર કોલેજમાં બની હતી
બન્યું એવું હતું કે કાનુકાકાની ઊંચાઈ છે ખુબ ઓછી એવી કોઈ પડછંદ કાયા નહીં એમની પણ તેઓ એક ખુબ જ સારાં અધ્યાપક હતાં
અરે હતાં નહીં આજે પણ છે જ !!!
જામનગર તો દરબારોનું શહેર
દરબારો કોલેજમાં કલાસમાં આવે નહીં અને આવે તો મોડાં આવે
કોઈએ એમને કશું કહેવાનું નહીં
જો કહો તો તમારું આવી જ બને !!!
આવી ગુસ્તાખી મુરબ્બી કનુકાકાથી થઇ ગઈ
એમણે એક દરબાર જે દેખાવમાં કદાવર હતો તેને કલાસમાં મોડાં આવવા બદલ અને પરવાનગી ન લેવાં બદલ ક્લાસમાંથી બહાર જવાનું કહી દીધું
ત્યારે એ દરબારે એમ કહ્યું કે —–
” તમને ખબર નથી કે તમે કોને કાઢી મુકો છો ….. હું તમને જોઈ લઈશ !!!”
ત્યારે કનુકાકાએ કહ્યું —- “તારે જે કરવું હોય તે કરવું કરજે અને જો તું મોડો આવ્યો છું તો દરેક વખતે હું તને કાઢી તો મુકીશ જ !!!”
અને આવું તું જો વારંવાર કરીશ તો દરેક વખતે હું તને કાઢી મુકીશ !!!
પેલો દરબાર વિદ્યાર્થી ત્યાંથી ગુસ્સામાંને ગુસામાં ત્યાંથી જતો રહ્યો
એનાં બીજાં દિવસે અમે સાંજે જામનગરના દરિયા કાંઠે ફરતાં હતાં ત્યાં આવ્યો અને કનુકાકાને ધમકી આપવાં લાગ્યો
“હું તમને જાનથી મારી નાખીશ ”
ત્યારે કનુકાકાએ જરાય અસ્વસ્થ થયાં વગર અને જરીક પણ ગભરાયાં વગર કહ્યું —-
” તારે મને મારી નાંખવો હોય તો મારી નાંખજે હું કઈ તારો મુકાબલો તો કરી શકું એમ નથી
પણ હું તને દરેક વખતે ટોકતો જ રહીશ અને દરેક વખતે હું તને કાઢી મુકીશ !!!
હું મારાં કર્ત્વય્માંથી જરા પણ વિચલિત નહીં થાઉં !!!
લે હવે મને મારી નાંખ !!!”
👉 પેલો વિદ્યાર્થી આવી આભા જોઇને અવાચક બની ગયો
અને તરત જ કાનુકાકાના પગમાં પડી ગયો અને કહ્યું કે
” સાહેબ તમે સાચાં છો ખોટો તો હું જ છું તમે મને આજે સાચું શિક્ષણ આપ્યું છે
જાઓ સાહેબ …… આજથી તમારું કોઈ નામ નહીં દે અને જો કોઈ દેશેને તો હું જ તેમને જાનથી મારી નાંખીશ
જાઓ સાહેબ તમે તમે નિશ્ચિતપણે તમારી ફરજ બજાવો !!!”
ત્યારે કનુકાકાએ માત્ર એટલું જ કહ્યું કે —–
“ભાઈ….. આવું કશું કરવાની જરૂર નથી !!!”
👉 કહેવાની જરૂર ખરી કે ત્યાર પછી એ છોકરાનું જીવન બદલાઈ ગયું અને ભણીગણીને તે એક ઊંચા હોદ્દા પર બિરાજમાન થયો !!!
👉 આને જ કહેવાય સાચાં શિક્ષક !!!
——— જનમેજય અધ્વર્યુ
🙏🙏🙏🙏🙏
Leave a Reply