જરા ગોંર ફરમાઈએગા આ સમાચાર પર
પહેલાં શાકના ફેરિયાઓને પાસ આપ્યા, બે દિવસમાં શાકનો ધંધો જ બંધ કરાવી દેતાં લોકો પણ અઠવાડિયાનું શાક-કરિયાણું ખરીદવા દોડ્યા
અમદાવાદના લોકો પણ હવે સુખ-સુવિધા વિના રહી શકતા નથી, હદ તો ત્યાં થાય છે કે આઈસક્રીમ પાર્લર બહાર લાંબી લાઈનો લાગી
અમદાવાદ. કોરોના કેપિટલ બની ચૂકેલા અમદાવાદમાં હવે કાબૂ બહાર થઈ ગયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા અમદાવાદ મ્યુનિ. યુદ્ધના ધોરણે કેટલાંક નિર્ણયો લઈ રહી છે. પરંતુ પ્રજાજનોની હાલાકી કે સુખાકારીને બિલકુલ ધ્યાનમાં લીધા વિના આ પ્રકારના તઘલખી નિર્ણયોથી ઊલટાનું સ્થિતિ બદથી બદતર થઈ જાય તેવું જોખમ પેદા થયું છે. મ્યુનિ.એ અમદાવાદ શહેરમાં 7 મેના રોજ સવારે 6 વાગ્યાથી દૂધ અને દવા સિવાયની તમામ સેવાઓ પર એક સપ્તાહનો પ્રતિબંધ મૂકી દીધો છે. આ સ્થિતિમાં હવે એક અઠવાડિયા સુધી શાકભાજી, ફળફળાદિ અને અનાજ-કરિયાણું નહીં મળે તેવી દહેશતે અમદાવાદવાસીઓ ખરીદી કરવાની લ્હાયમાં લાખોની સંખ્યા પર સડકો પર આવી ગયા હતા. લોકડાઉનના લીરેલીરાં ઉડાડતાં દૃશ્યો જોવા મળ્યા હતા, રોડ પર બે કિ.મી. સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને શાકભાજીની લારીઓ તથા કરિયાણાની દુકાનો પર પડાપડીના દૃશ્યો સર્જાયા હતા. આમ, ફરી એક વાર મ્યુનિ. સત્તાવાળાઓએ તઘલખી નિર્ણયો શહેરવાસીઓ પર લાદી દેતાં અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા અને આ કારણે કોરોના કંટ્રોલમાં આવવા કરતાં વધુ માત્રામાં ફેલાવાનું અનેકગણું જોખમ કલાકો સુધી પ્રવર્તમાન રહ્યું હતું.
નોટબંધીની જેમ લાઈનો લાગી, આ વખતે બેંક નહીં શાકની લારી-કરિયાણાની દુકાને
કોઈ ભારતવાસી 8 નવેમ્બર, 2016ની તારીખ નહીં ભૂલી શકે કારણ કે તે દિવસે દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી. નોટબંધી પછી બે મહિના સુધી દેશના આમ નાગરિકની શું હાલત થઈ હતી તે પૂરવાર કરવા કશું કહેવાની જરૂર નથી. મહિનાઓ સુધી બેંકો બહાર દેશના સામાન્ય નાગરિકોએ જાણે કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ પોતાના જ પૈસા લેવા ભિખારીની જેમ કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું. આજે પણ આવું જ કાંઈક થયું. અચાનક મ્યુનિ. સત્તાવાળાઓએ જાહેરાત કરી કે કાલે સવારથી દૂધ અને દવા સિવાય કશું નહીં મળે. આ રીતે જાણે મ્યુનિ. સત્તાવાળાઓ અમદાવાદવાસીઓને આડકતરી રીતે સૂચન કર્યું હોય કે સાંજે 7 વાગ્યા સુધીનો સમય છે, જે લેવું હોય તે લઈ લો. અને શહેરીજનો પણ જાણે જિંદગીમાં કશું મળવાનું જ ન હોય તે રીતે જીવનનું અંતિમ શાક ખાવા અને કરિયાણું લેવા રીતસરની દોટ મૂકી હતી.
જૂના કમિશનરના બધા નિર્ણયોને નવા કમિશનર એક પછી એક ઊંધા પાડે છે
હજી પરમદિવસે જ અમદાવાદના પૂર્વ મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ શાકભાજીના ફેરિયાઓને પાસ આપવાની જાહેરાત કરી હતી. આ પાસ તેમને દરરોજે સવારે સ્કેનિંગ કરીને કોરોનાના લક્ષણો નથી તેની ખાતરી કર્યા બાદ જે-તે વોર્ડમાંથી અપાવાના હતા. હવે બે દિવસ બાદ નવા મ્યુનિ. કમિશનરે શાકનો ધંધો જ બંધ કરાવી દેતો નિર્ણય લીધો. આ પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે કોરોનાને નિયંત્રિત કરવાની દિશામાં અગાઉના કમિશનરનો નિર્ણય ખોટો હતો ક્યાંતો નવા કમિશનરનો. ખેર, કારણ ગમે તે હોય પરંતુ હવે નવા મ્યુનિ. કમિશનર તેમના પૂરોગામીએ કોરોનાને નિયંત્રિત કરવાના નામે જે પણ મોટા નિર્ણયો લીધા હતા તેને એક પછી એક બદલવા માંડ્યા છે.
અમદાવાદીઓનો પણ વાંક છે, મનગમતા શાક-કરિયાણા વિના અઠવાડિયું ના ચાલે!
અગાઉ પહેલી વખત અમદાવાદ સહિત દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે દૂધ-કરિયાણા સહિતની આવશ્યક સેવાઓમાં કોઈ ફરક નહીં પડે. પરંતુ તે સમયે લોકડાઉનની સવારે જ આખા અમદાવાદમાં દૂધની ભયંકર અછત સર્જાઈ હતી. આનું કારણ એ નહોતું કે દૂધનો સપ્લાય ઓછો હતો પણ ખરું કારણ એ હતું કે લોકોએ જાણે 15 દિવસ સુધી દેશમાં દૂધ મળવાનું જ ન હોય તે રીતે અઠવાડિયા સુધીનો દૂધનો સ્ટોક કરી દીધો હતો. આ વખતે પણ મ્યુનિ.એ અઠવાડિયા સુધી શાક-કિરાણાની દુકાનો બંધ કરાવી દીધી તો લોકો પંદર દિવસના શાકનો સ્ટોક કરવા શેરીઓમાં આવી ગયા. હદ તો ત્યારે થઈ ગઈ કે આઈસક્રીમ પાર્લરની બહાર પણ આ વખતે લાંબી લાઈનો લાગી ગઈ હતી અને લોકો પાંચ-પાંચ અને દસ-દસ ફેમિલિ પેક ખરીદવા લાગ્યા હતા.
આ દિવ્યભાસ્કરમાં આજના ન્યુઝ છે
આ અર્ધસત્ય છે
લોકો ડરીને બહાર નીકળ્યાં હતાં
એમના મનમાં અઠવ ૮ દિવસ સુધી કશું નહીં મળે તો ઘર કેવી રીતે ચલાવવું એની ચિંતા છે એટલે તેઓ આ ૮ દિવસ બહાર નીકળવું નાં પડે એ માટે તેઓ ખરીદી કરવાં ભેગા થયાં હતાં
લોકો જે સમજદાર છે તેમને સોશિયલ અંતર જાળવ્યું જ હતું
ત્યાં લાઈનો હતી એ વાત સાચી
પડાપડી થઇ હતી તો અમે પણ વછે પડી આ સામાજિક અંતર રાખવાં દુકાનદારોને પુરતી મદદ કરી હતી
ત્યાં શું વાત થઇ એ તો તમને આ ગોસીપીયું છાપું દિવ્ય ભાસ્કર નહીં જ કહે
અમે બધાં ને ઇવન અને તમે જેણે ગરીબ કહો છો એ બધાએ આ નિર્ણયની વાહ વાહ કરી હતી
બધાએ એક જ અવાજે કહ્યું હતું કે આ પહેલાં કરવાની જરૂર હતી
આમાં કોના નિર્ણયોણે ધોઈ નાખવાની કે કોઈની ઉપરવટ જવાની વાત જ નથી આવતી
મારો તો વિચાર હતો કે
અમદાવાદમાં અને સમગ્ર ગુજરાતમાં જુમૂઠનાં બંને કોમોને વિશ્વાસમાં લઈને કોમી રમ્ખાનોનું નાટક કરાવો
તો જ આ પ્રજા સુધરશે
આપની પ્રજા ડરથી જ ઘરમાં પુરાયેલી રહેશે બાકી નહીં રહે
આ વાત મારે મારાઘરમાં ત્રણ દિવસ પહેલાં થઇ હતી
જે કાલે હું બહાર નીકળ્યો ત્યારે લોકો સમક્ષ કરી હતી
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પુરુષો જ નહિ પણ મહિલાઓ અને છોકરાઓ અને છોકરીઓએ એક જ અવાજે કહ્યું હતું
“બ્રેવો કાકા બ્રેવો સલામ છે તમારી સોચને અમને તમારાં જેવાં નેતા જ જોઈએ છે”
પણ હું આ નિર્ણયથી અત્યંત ખુશ થયો છું આ તો સાપ પણ ના મરે અને લાઠી પણ ના તૂટે એવો નિર્ણય છે
હું પોતે આ નિર્ણયને સાચા દિલથી વધવું છું
આવું જ કરવું જોઈએ ખોટાં રમખાણો નહીં !!!
આ જ રસ્તો વધારે સારો છે જે સરકારે લીધો એ જ વધારે ઉચિત છે
એક પ્રસંગ કહું કાલનો ——–
આ કોરોનામ સૌ એક વાત ભૂલી ગયાં છે તે છે સંગ્ર ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી
સાલો પારો ૪૪નિ નીચે જ નથી જતો
કાલે પણ અસહ્ય ગરમી હતી
સાંજે ૬ વાગે લાઈનમાં ઉભા હતાં ૧૦ વાગે નંબર લાગ્યો
વચ્ચે વચ્ચે ક્યાંકથી નાસ્તો અને શાકભાજી પણ ખરીદી લાવ્યાં બધાં
પણ બધા લાઈનમાં એટલા માટે ઉભા હતાં કઠોળ,લોટ અને તેલ ખરીદવા માટે
તેલ વગર ઘરમાં કશું જ રંધાય નહીં જ ને !!!
આને માટેજ લાંબી લાંબી કતારો હતી
ડી માર્ટસ બંધ હતાં !!!
હવે એમાં લાઈનમાં ઉભેલા એક કાકાની સહનશક્તિ ખૂટી
તેઓ દુકાનદાર સાથે ઝગડયા
તો દુકાનદારે શટર પાડી દઈને તાળું મરી દીધું
અમે બધાએ બહુ વિનતી કરી કે ભાઈ આ લાઈનમાં જેટલાં ઊભાં છે એમને પતાવો નવાં ના લેતાં
પણ પેલાભાઈ ના જ માન્યા
એવામાં ત્યાંથી એક પોલીસવાન જતી હતી
તેમાં બેઠેલા અધિકારી સાથે બધાએ વાત કરી
પેલા અધિકારીએ ખાસ મરી જોડે જ વાત કરી
એમણે કહ્યું કે ” હું વિનંતી કરી જોઇશ એની દુકાનનો માલિક એ છે એ મારું માનશે કે નહીં એ મને કહ્બ્ર નહિ પછી તમે તમારું જાણો !!!”
મેં કહ્યું સાહેબ વાંધો નહીં એટલી વિનતી કરો એ અમારા માટે ઘણું છે
તેઓ ગાડીમાંથી નીચે ઉતર્યા અને દુકાનદારને કહ્યું કે તમે દુકાન ખોલો
તો એમણે માત્ર એક જ વાત કહી
આ લોકો સામાજિક અંતર નથી જાળવતા અને તોલે વાલે છે એ જો સખણા ઉભા રહે તો હું દુકાન ફરીથી ખોલું છું
મેં કહ્યું એ જવાબદારી મારી
બધાંને વિનંતી કરી ૫-૫ ફૂટ દુર રાખ્યાં
પેલા પોલીસ અધિકારી ખુશ થઇ ત્યાંથી જતાં રહ્યાં
પછી ૨ કલાક રહીને પાચા આવ્યાં તો કુટુંબ કબીલા સાથે આવેલાં લોકો તીતરબીતર થઇ ગયાં અનેકોને કાઢયા
પછી હું બાઈક પર બેઠો હતો ત્યાં આવ્યાં અને મને કહ્યું
“કાકા હવે બધું બરોબર છે ને કોઈ પ્રોબ્લેમ તો નથી ને !!!”
મેં કહ્યું ના કોઈ જ પ્રોબ્લેમ નથી તમારો ખુબ ખુબ આભાર
તેઓ ઉલટાનો મારો આભાર માનીને ત્યાંથી જતાં રહ્યાં
પોલીસો જોડે આમ વાત કરાય કઈ ટણી નાં બતાવાય
આ સમાચાર જો દિવ્યભાસ્કર આપે-છાપે તો હું માનું કે
એ તટસ્થ છાપું છે !!!
———- જનમેજય અધ્વર્યુ
Leave a Reply