સેના અને સરકારને સમજવા માટે
એમાં કાર્યરત થવું જોઈએ
એનો એહસાસ થવો જોઈએ
અને એ એહસાસ લોકોને કરાવવો જોઈએ
સાહિત્ય એ અર્થ છે….. શબ્દ નહીં
અર્થઘટન પોતાની રીતે ના જ કરાય
સાહિત્ય એ સર્જન છે
બે ચાર મોટા નામો લખવાથી કઈં તમે સાહિત્યકાર નથી જઈ જતાં
મેં પહેલાં પણ સાત્ર અને અલબેર કામુ વિશે લખ્યું છે
એ વાંચી જવા વિનંતિ છે !!!
પ્લીઝ…. ઇતિહાસને ખોટો ચીતરો દરેક
ઇતિહાસ એ દર્શન છે
મેં પહેલાં એ પણ કહ્યું હતું કે
મારે માટે અનંતનાગ સૂર્યમંદિર વિશે લખવું એક ચેલેન્જ હતી
જો કે આ અગાઉ પણ હું એ સૂર્યમંદિર વિશે લખી ચુક્યો છું અલબત્ત એક ભાઈના કહેવાથી
હું હજી પણ ફરી લખવાનો જ છું
કારણકે એ મેં જાતે જોયું છે
એ દર્શન
એ અનુભૂતિ
એ જાણકારી
તમને ફરી આપવાનો જ છું
અલગ રીતે એક સારા અનુભવને વાગોળવા
આ મેં હમણાં એક ઇતિહાસની સાઈટમાં વાંચ્યું
તો એમાં ઇતિહાસ ખોટો છેઅને ફોટો જૂનો છે
બીજી વાત સેનાની મેં પણ થોડીક તાલીમ લીધી છે
અને મને સેનાનો સારો અનુભવ છે
મતલબ કે થયો છે
સરકાર સાથે પણ મારો ઘનિષ્ઠ નાતો છે
સાહિત્યની વાત કરીએ તો
કાન્ત, કલાપી મુનશી અને બક્ષી જેવાં બીજા અનેકોને ભણવા પડે છે
સમજવા પડે છે
આ એ નામો છે જેના સિવાય ગુજરાતી સાહિત્ય અધૂરું છે
ખોટી ઠોકાઠોક કરશો નહિં
કેટલાયે મારો લલિતાદિત્ય પરનો લેખ વાંચ્યો?
નથી વાંચ્યો કારણકે ભાગ 1 છે એમ કરીને તમે વિસરી ગયાં !!!
તો ભાઈ બીજા ભાગની રાહ જુઓ
પહેલાં ભાગમાં પણ પ્રચલિત માન્યરતાઓને મેં ખોટી તો પાડી જ છે
એને ચેલેન્જ થઈ શકે એમ નથી જ
ઇતિહાસ એ કોપી પેસ્ટ નથી
એને માટે મનમાં પ્રશ્નો થવાં જોઈએ
પછી રિસર્ચ કરવું પડે છે
ત્યારે જ એ લખાય છે !!!
આ બધું હું શું કામ કહું છું ?
જ્યાં તમને લાંબુ લાગે એ તો તમે વાંચતા જ નથી !!!
આજે કેટલાંક સ્ટેટસ વાંચીને હું આ લખવા પ્રેરાયો છું
કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં !!!
અસ્તુ!!!
———————- જનમેજય અધ્વર્યુ
Leave a Reply