હૈયાં ને મગજને નવી-જૂની જેવી રકઝક હોય છે
લેખક એ જ બની શકે કે જે વાંચક હોય છે
મોહ જ જુઓ ને બહુધા દુઃખનું કારક હોય છે
બધામાં ને બધે જ ભળી જાય અને ભાઈબંધી કરે
એ અને એવાં ક્યાં ભરોસાને કદી લાયક હોય છે
એક જ શરીરનાં સંતાનો છે ને આ અંગો તો પણ
હૈયાં ને મગજને નવી-જૂની જેવી રકઝક હોય છે
મોહ,માયા કે જેનાં માટે જ જીવે છે ને આ વિશ્વ
અંતમાં તો જે જીવાડે છે ને તે જ તો મારક હોય છે
ન કાલની પીડા,ન કાલની ચિંતા,બસ આજની મોજ
સૌથી નસીબદાર દુનિયામાં બસ બાળક હોય છે
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply