મૂક્યાં પછી જ તો મેળવવાનું હતું
મેળવીને પછી તો એ મૂકી દેવાનું હતું
મૂક્યાં પછી જ તો મેળવવાનું હતું
માલિકી બરબાદ કરે છે સજ્જનતાને
જીવતાં મરીને જ તો જીવવાનું હતું
તીન પતીમાં રમો સત્ય,પ્રેમ,કરુણાને
જીવનબાજીમાં બંધેબંધ રમવાનું હતું
છેતરવા કરતાં છેતરાઈ જવાનું હતું ને
અક્ષૌહિણી દઈ કૃષ્ણત્વ પામવાનું હતું
દાનવમાંથી બન્યાં માનવ, ને હવે પછી
દેવત્વ તરફ જવાનું ને જન્મવાનું હતું
– મિત્તલ ખેતાણી
(મિત્તલ ખેતાણી નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં)
Leave a Reply