સૂર્યમંદિર મોઢેરા – શિલ્પશાસ્ત્ર
#ભારતનાં_અદભૂત_શિલ્પો
#સૂર્યમંદિર_મોઢેરા_શિલ્પશાસ્ત્ર
ભારતીય શિલ્પકલામાં સ્તંભશાસ્ત્રનું અનોખું સ્થાન છે. જે વિશે ઘણાંયને કશી જ ખબર નથી. આ સ્તંભો જો જોયાં જ ન હોય તો એ વિશે તમને કે કોઈને કશી જ ખબર નથી પડવાની! ભારતીય સંસ્કૃતિમાં સ્તંભોનું મહત્વ વધારે છે, એનું કારણ એનું આર્કિટેક્ચર છે.
ભારતના મંદિરોમાં અગણિત સ્તંભો છે, આ સ્તંભોને કારણે જ જગતી અને છત એકબીજા સાથે જોડાયેલા લાગે છે ક્યારેક ક્યારેક બહુમાળી મંદિરો કે ઇમારતો પણ આ બધું એક રૂપ લાગે છે. એની શિલ્પસ્થાપત્ય કલાને લીધે ભારતના રાજવંશોની એક ખાસિયત એમણે એ સમયમાં અખત્યાર કરેલી શૈલી છે. ઘણીવાર એક જ રાજવંશમાં એક સ્થાપત્યથી અલગ ભાત પાડવા માટે તેઓ અવનવી કલકોતરણી કરતાં હોય છે, પણ એક વાત તો કબુલવી જ રહી કે ભારતીય સંસ્કૃતિની શાન સમાં પ્રાચીન મંદિરો જેટલાં દેવી-દેવતાઓની મૂર્તિઓ એટલે કે શિલ્પોથી ઓળખાય છે એનાથી વધારે એ સ્તંભોની ગોઠવણી અને એના પરની બેનમૂન કલાકોતરણીને લીધે ધ્યાનાકર્ષક લાગે છે.
આજ તો સનાતન ધર્મના પ્રતિક બની ગયાં છે, જે શિલ્પસ્થાપત્યના ઉત્તમ નમૂના બની રહયાં છે. સનગીતમય સ્તંભો હોય કે ઘોડાઓ પર વહન કરતાં દેવતાઓ હોય, દટેક જગ્યાએ સ્તંભો પોતાની આગવી ઓળખ ઉભી કરી શક્યાં છે એ જ તો છે ભારતીય શિલ્પસ્થાપત્ય કલા, બેલૂરના ચેન્નાકેશવ મંદિરના સ્તંભો, હમ્પીનાં સંગીત મય સ્તંભો, ખજૂરહોના સ્તંભો, મદુરાઈના મીનાક્ષી મંદિર ના સ્તંભો કે રામેશ્વરમના સ્તંભો આ લિસ્ટ ઘણું જ લાબું બની શકે છે. પણ મારે તો આપણા પોતીકા ગુજરાતના સોલંકીયુગીન મોઢેરાના સૂર્ય મંદિરની વાત કરવી છે.
આ સૂર્યમંદિર ઇસવીસનની દસમી સદીમાં બંધાયું હતું અને ઇસવીસનની ૧૧મી -૧૨મી સદીમાં તેને વિસ્તૃત કરવામાં આવ્યું હતું. કોણે ? કેવી રીતે? અને કઈ સલમા બંધાવ્યું અને તેની કથા અને એની વિશેષતાઓ વિશે હું સોલંકીયુગમાં લેખ લખી જ ચુક્યો છું એટલે એ વાત હું અહીં દોહરાવતો નથી. મોઢેરાના સૂર્યમંદિરના સ્તંભો એ માત્ર સ્તંભો નથી પણ સ્તંભ શાસ્ત્ર છે, આ ફોટો તમે જો ધ્યાનપૂર્વક જોશો તો જ ને એ શાસ્ત્ર સમજાશે. શું તમને લાગે છે કે આ માત્ર મંદિરનો સ્તંભ છે?
આ “દ્વાદશ લક્ષ સ્તંભ” – ૧૨ તત્વોનો સ્તંભ સૂર્ય મંદિર, મોઢેરા, ગુજરાતના હિંદુ મંદિરના સ્તંભોના “વિષ્ણુકાંતા” (અષ્ટકોણ) વર્ગનો છે.
(૧) ઘટા/આહવાન પટ્ટા (પટ્ટ) – કળશ – વેલકમ બેન્ડ જેવા બેઝ વોટર પોટમાં સામાન્ય રીતે શ્રી ગણેશ અથવા શ્રી મહાલક્ષ્મી હોય છે
(૨) સિંહમુખ પટ્ટા (પટ્ટ) – સિંહ બેન્ડ – બહાદુરી અને હિંમતનું પ્રતિનિધિત્વ કરે છે
(૩)દ્વારપાલા પટ્ટા (પટ્ટ)- ગાર્ડિયન બેન્ડ – મંદિરમાં પ્રમુખ દેવતાના વાલીઓ હાજર છે
(૪) )વડકા/વડાકી પટ્ટા (પટ્ટ) – સંગીતકારોનું બેન્ડ ભગવાનની આદરમાં ગાય છે.
(૫) અવતાર પટ્ટા (પટ્ટ)– મેનિફેસ્ટેશન બેન્ડ – પ્રમુખ દેવતાના વિવિધ અવતારો.
(૬) કાલિકા પટ્ટા (પટ્ટ) – લોટસ બડ બેન્ડ – દરેક વ્યક્તિની મોક્ષ પ્રાપ્ત કરવાની સંભાવના દર્શાવે છે.
(૭)ખંડિકા/ઘંટ પટ્ટા – બેલ બેન્ડ – ધ્વનિ દ્વારા આ બ્રહ્માંડની અસ્થાયી, ક્ષણિક રચનાને દર્શાવે છે.
(૮)દેવગણ પટ્ટા (પટ્ટ) – દૈવી લક્ષણોના મૂર્ત સ્વરૂપ – દૈવીત્વના તમામ સારા પાત્રો જેવું લાગે છે.
(૯)ગાંધર્વ પટ્ટા (પટ્ટ )- ભૌમિતિક બેન્ડ મૂળભૂત રીતે વજ્ર અથવા પદ્મ કુલિકા હાજર છે. વજ્ર અવિનાશી સૂચવે છે. પદ્મ કુલિકા સૂચવે છે – મોક્ષની સંભાવના તમામ મનુષ્યો.
(૧૦) કીર્તિમુખ પટ્ટા (પટ્ટ)- કીર્તિમુખ એ તેમના ગુરુ મહાદેવને સમર્પણનું મૂર્ત સ્વરૂપ છે.
(૧૧) કુંભિકા/પૂર્ણકુંભા – કળશ – ટોચ પર પાણીનો કુંભ
(૧૨) શીર્ષ (સિરસા) – સ્તંભનું માથું- તેનું પ્રતિનિધિત્વ કરે છે કે વજન વહન કરવામાં સિરસા કેટલું મહત્વપૂર્ણ છે જેમ કે માથું માનવ શરીરની સંભાળ રાખે છે. પાયામાં ઘડો એ પાણીનું પ્રતિનિધિત્વ છે, ટોચ પર કુંભિકા પાણીનું પ્રતિનિધિત્વ છે – તે કેવી રીતે સૂચવે છે. જીવન પાણીમાં ઉદ્ભવે છે અને પાણીમાં સમાપ્ત થાય છે.
જાણકાર અને રસિકજનો માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે. આશા છે કે આ માહિતી તમને ગમી હશે !
ધન્યવાદ !!!
!! ૐ સૂર્યાય નમઃ !!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply