Sun-Temple-Baanner

કાશી – બનારસ – વારાણસી


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કાશી – બનારસ – વારાણસી


કાશી – બનારસ – વારાણસી

#આપણો_મંદિર_વારસો

કાશી વિશે તો ભાગ્યે જ કોઈ અજ્ઞાત હશે. કાશી – બનારસ – વારાણસીનું નામ આવે એટલે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ યાદ આવે જ આવે, ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવાં હશે કે જેણે ભારતનું આ અભૂતપૂર્વ જ્યોતિર્લિંગના દર્શન ના કર્યા હોય કે પૂજા અર્ચના કરી હોય.

મેં વારાણસી ૨ વખત જોયું છે. હું નસીબદરતો ખરો જ કે બીજી વખતના વારાણસી પ્રવાસમાં શ્રાવણ મહિનાના સોમવારે પૂજા અર્ચના કરી. બીલીપત્રો ચડાવતાં શિવ મહિમન સ્તોત્રનો પાઠ પણ કર્યો હતો.

આજે એ યાદ કરી પોરસાઉ છું, વારાણસી આધુનિક શહેર બન્યું છે. પણ પૌરાણિકતા જરાય ઓછી નથી થઈ મંદિરને પણ નવો ઓપ આપવામાં આવી રહ્યો છે એ જાણી અતિઆનંદ ! વારાણસી પર અને કાશી વિશ્વનાથ મંદિર પર એક દીર્ઘ લખવો જ છે.

પણ એ પહેલાં ટુંકનોંધ — કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તો સ્કંદ પુરાણના કાશી ખંડમાં કરવામાં આવેલો જ છે. જો કે એનો ઉલ્લેખ અન્ય પૌરાણિક ગ્રંથોમાં પણ થયેલો જ છે એ વિદિત થાય ! એ મંદિરના ઇતિહાસની વાતમાં વિગતે આવશે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના કોણે અને કેવી રીતે કરી હતી તે! લોકો કયા મંદિરને ઓળખે છે ?

ઇતિહાસની શરૂઆત થઇ ત્યારે તે મંદિર કેવું હતું એનાથી પણા આપણે અજાણ જ છીએ, થોડો ઇતિહાસ મળે છે પણ એ મંદિરનો નહિ એ કોણે કોણે તોડ્યું તેનો જ સ્તો ! કાશી વિશ્વનાથનું મૂળ મંદિર સૌ પ્રથમવાર તૂટ્યું કુતબુદ્દીન ઐબકના હાથે ઇસવીસન ૧૧૯૪માં, જ્યારે એણે કનૈજના રાજાને હરાવ્યો હતો ત્યારે વિજયના નશામાં અને ઇસ્લામ ધર્મના ફેલાવા માટે તેણે આ દુષ્કૃત્ય કર્યું હતું.

ગુજરાતના ઇતિહાસમાં પણ તેણે આવું જ દુષ્કર્મ કર્યું હતું. હવે કનૌજના રાજા અને ગુજરાત પરના આક્રમણ વખતે આ ઐબકે એ તો સુલતાન મહંમદ ઘોરીનો સરસેનાપતિ હતો. ઘોરી તો ગયો પૃથ્વીરાજ જેવાં મહાન રાજાને હણીને પછી ગુલામ વંશ શરૂ થયો અને ઐબક પણ ગયો.

પણ ઇસવીસન ૧૧૯૪ પછી થોડાંક જ વર્ષોમાં આ તૂટેલા કાશી વિશ્વનાથ મંદિરની જગ્યાએ ત્યાં રઝીયા mosque બન્યો. અરે બન્યો નહીં પણ બનાવી દેવામાં આવ્યો. પણ તે લાબું ટક્યો નહીં ! ઇસવીસન ૧૨૩૦માં કોઈ ગુજરાતી વ્યાપારીએ સુલતાન ઇલતુમિશના સમયગાળા દરમિયાન ત્યાં એટલે કે વારાણસીમાં એ જ જગ્યાએ મંદિર પાછું બનાવ્યું. હે સોલંકી યુગના વિરોધીઓ સુનો રે ….

જો ઇલતુમિશે ગુજરાત પર આક્રમણ કરી મંદિરો તોડ્યા હોય તો આ થિયરી એ ખોટી ઠરે છે, ગુજરાતના જ વેપારી જો સુલતાન ઇલતુમિશના સમયમાં છેક વારાણસીમાં જઈને મંદિર બંધાવી શકતા હોય તો ગુજરાતમાં કેમ નહીં ! ઇલતુમિશની પરવાનગી વગર તો આ શક્ય ના જ બને ને !

ગુજરાત પરના આક્રમણો શકના દાયરામાં જ છે. એની વાત એ વખતે ! મારૂં તો સ્પષ્ટ માનવું છે કે ઇલતુમિશના સમયમાં ગુજરાતમાં પણ સોમનાથ સહિત ઘણાં શૈવ મંદિરો ફરી બંધાયા હતાં. આ વાત હું ગુજરાતના ઇતિહાસમાં કરી જ ચુક્યો છું.

વાંચજો બધાં શાંતિથી એ ! કાશી વિશ્વનાથ મંદિર ફરી પાછું તૂટ્યું, પણ એનો ચોક્કસ સમય નિશ્ચિત થઈ શકતો નથી. કદાચ એ હુસૈન શાહ શરકી (ઇસવીસન ૧૪૪૭-૧૪૫૮) કે સિકંદર લોઢી(ઇસવીસન ૧૪૮૯ – ૧૫૧૭)ના સમયગાળા દરમિયાન તોડવામાં આવ્યું હોય એવું એક અનુમાન અવશ્ય બાંધી શકાય ! અકબરના નવ રત્નોથી તમે બધાં પરિચિત જ હશો.

રાજા માનસિંહ અને રાજા ટોડરમલના નામથી સૌ પરિચિત જ છો. રાજા માનસિંહે આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ફરીથી બંધાવ્યું, તો રાજા ટોડરમલે એ મંદિર મૂળ સ્વરૂપે અને મૂળ જગ્યાએ ઇસવીસન ૧૫૮૫માં બંધાવ્યું. છેવટે ઔરંગઝેબે ઇસવીસન ૧૬૬૯માં આ મન્દિર ફરી પાછું તોડ્યું. આ વખતે આખું મંદિર તોડ્યું અને જોડે જોડે પવિત્ર અને પૌરાણિક લિંગ પણ નષ્ટ કર્યું. ઔરંગઝેબ આટલેથી અટક્યો નહીં એ નાપાકે ત્યાં જ્ઞાનવ્યાપી Mosque એ જ જગ્યાએ બંધાવ્યો. તેના પાયામાં મંદિરના અવશેષો આજે પણ દ્રષ્ટિગોચર થાય છે. જેનો પાછલો ભાગ અને થાંભલાઓ આ મોસકને અફીને જ આવેલા છે.

ઔરંગઝેબ પછીના નબળા મુગલ શાસકોનો મહાન બાજીરાવ પેશ્વાએ ભારતના લોકોને ભયમુક્ત કર્યા અને મુસ્લિમોથી વારાણસી સહિત ગુજરાતના લોકોને બચાવ્યા અને કરવેરા પણ માફ કર્યા. વારાણસીના વિકાસની શરૂઆત જ બાજીરાવ પેશ્વાએ ક્રિહતીએમ ચોક્કસપણે કહી શકાય તેમ જ છે.

સાન ૧૮૨૮માં બૈઝાબાઈ જેઓ ગ્વાલિયર રાજ્યના સિંધિયા રાજા દૌલતરાવના વિધવા હતાં તેમણે નાના છાપરાંવાળો એક ઓરડો એટલે કે ગૃહ- પરિસર બંધાવ્યું જેમાં ૪૦ જેટલા સ્તંભો પણ બનાવ્યા જે આજે પણ જોઈ શકાય છે અને સ્થિત છે.આ જગ્યા એટલેકે જ્ઞાનવ્યાપી જ હતી.

ઇસવીસન ૧૮૩૩થી ઈસવીસન ૧૮૪૦ દરમિયાન એમણે જ્ઞાનવ્યાપી કુવાને વાડથી સુરક્ષિત કરી અને વારાણસીના પવિત્ર ગંગા ઘાટ પર અસંખ્ય મંદિરો બંધાવ્યા. તેમના આ નેક અને ઉમદા કાર્યમાં ભારતના અને ભારતીય ઉપખંડના

અનેક રાજાઓએ યથાશક્તિ મદદ કરી અને પૂરતું યોગદાન પણ આપ્યું. માત્ર રાજાઓએ જ નહીં પણ ભારતવર્ષના કુટુંબોએ પણ આમાં ખૂબ મદદ કરી હતી, આ રીતે મંદિર વિશાળ બન્યું હતું અને વારાણસી શહેરનો વિકાસ થયો હતો.

ઇસવીસન ૧૮૩૫માં મહાન શીખ રાજવી રણજીતસિંહે પોતાની પત્ની મહારાણી દાતાર કૌરના માનમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ના શિખર માટે ૧ ટન સોનું પણ આપ્યું હતું. ઇસવીસન ૧૮૪૧માં નાગપુરના રઘુજી ભોંસલે તૃતીયે ઘણી બધી ચાંદી મંદિરને ભેટમાં આપી હતી. તો નેપાળના મહારાજા એ એ જ ફૂટ ઊંચો નંદી પથ્થરનો બનાવડાવી આપ્યો હતો, એમ કહેવાય છે કે આ નંદી નેપાળના રાજાએ ઇસવીસન ૧૮૬૦ની આસપાસ બનાવડાવી આપ્યો હતો. આમાં કઈંક ખોટું હોય એમ મને તો લાગતું નથી જ ! તો પણ કેટલીક વાર્તાઓ છે

ઇતિહાસની ઘણી થિયરીઓ ખોટી પફે છે, સત્ય હજી બહાર આવવાનું બાકી જ છે. એ સત્ય ઉજાગર થશે દીર્ઘ લેખમાં…

ત્યાં સુધી અસ્તુ 🚩

ॐ નમઃ શિવાય

🙏🕉️ હર હર મહાદેવ 🕉️🙏

– જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.