દસ વર્ષ – દસ લાખ ( એકાંતવાસ)
👉 વોટ્સએપ અને ફેસબુક વગર ના જ રહી શકાય એવું હું નથી માનતો
વર્ષો પહેલાં મારા પપ્પાએ એક એકાંકી લખ્યું હતું
શરૂઆતનું નામ હતું દસ વરસ ….. દસ લાખ
જે પાછળથી અમારા સૂચનથી એનું નામ રાખવામાં આવ્યું ——“એકાંતવાસ ”
આ નાટકે બહુ જબરી સફળતા મેળવી હતી એનો ઈમ્પેક્ટ આજે પણ એવોને એવો જ છે
આ નાટકની વાત કૈંક આવી છે એક મિત્ર બીજા જોડે શરત મારે છે કે
જોતું એક જ ઓરડામાં બહાર નીકળ્યા વગર ૧૦ વરસ રહી આપે તો હું તને ૧૦ લાખ આપીશ
પેલા મિત્રે આ શરત સ્વીકારી
એણે આ દસ વરસમાં એટલાં બધાં પુસ્તકો વાંચ્યા એની ચિંતન શક્તિ એટલી બધી વધી ગઈ કે
એણે હવે આ દુનિયાની કંઈ જ પડી નહોતી
એ એકલતાના પ્રેમમાં પડી ગયો અને પુસ્તકોના સહવાસને લીધે એનું જ્ઞાન પણ વધ્યું
એ શરત જીત્યો ?
અંતે શું થયું ?
એ માટે અત્યારે તો એ નાટક ભજવાતું નથી પણ વાંચી જરૂર શકાય છે તે વાંચજો બધાં ત્યારે જ તમને ખબર પડશે !!!
👉 હવે મારી વાત ——
આ નાટકની અપાર સફળતા પછી મેં પપ્પાને કહ્યું કે
” પપ્પા મને આપો ૧૦ લાખ મને આ શરત હું સ્વીકારું છું
અને મને ખાતરી છે કે હું જ જીતીશ એમાં કોઈ શંકાને સ્થાન નથી…… બોલો છે મંજૂર !!!”
ત્યારે પપ્પાએ મને શું કહ્યું ખબર છે ”
” મને ખબર છે કે તું જ જીતીશ કારણકે આ બધામાં તું જ સાચો પુસ્તક અને પ્રકૃતિ પ્રેમી છું
ઇતિહાસનો રસિક છું પણ તું મારો દીકરો છું અને હું મારો દીકરો ગુમાવવા બિલકુલ નથી માંગતો
સાહિત્ય એક વસ્તુ છે અને જીવનએ બીજી વસ્તુ છે એ બંનેને ક્યારેય સાથે ના સંકળાય !!!”
એ વાત તો એટલેથી રહી
👉 પણ આજે એ જ વાત મને કામ લાગી ગઈ
એમાંય જયારે અત્યારે નેટયુગમાં આગળ થયાં હોઈએ
અ ને સોશિયલ મીડિયા પર બહુ વધારે તો નહિ પણ સક્રિય તો છીએ જ છીએ
એટલે આ લોકડાઉનની એકલતા નથી સાલતી
તારતમ્ય એટલું જ પુસ્તકો વધારે વાંચજો
ફિલ્મો જોજો
સંગીત સાંભળજો
અને સોશિયલ મીડિયા પર દૂર દૂર વસતાં મિત્ર સાથે સંપર્કમાં રહેજો
તો જ આ લોકડાઉન પણ પોતીકું લાગવાં માંડશે એની મને સંપૂર્ણપણે ખાતરી છે !!!
અસ્તુ !!!
———- જનમેજય અધ્વર્યુ
🍁🌺🌻🌹🍁🌺🌻🌹🥀
Leave a Reply