ચેર્નોબિલ હાદસા અને ચેર્નોબિલ વાઈરસ
➡ આ વરસ તો વાઈરસનું જ છે એ તો જાણે સિદ્ધ થઇ જ ગયું છે
આવાં અનેક વાઈરસોએ માનવજાતને ખત્મ કરવામાં કોઈ જ કમી નથી રાખી એ પણ એટલી જ સાચી વાત છે
પહેલાં એટલે કે ૧૯૯૩ થી લગભગ ૨૦૧૩ સુધીનો જમાનો એ કોમ્પ્યુટર વાઈરસનો હતો
એમાં બે વાઇરસો એટલા બધાં ખતરનાક હતાં કે લોકો કોમ્પ્યુટર લેતાં પહેલાં લાખ વાર વિચાર કરતાં હતાં
તે વખતે કઈ આટલાં સસ્તા કોમ્પુટર્સ તો હતા નહીં !!!
દોઢ લાખમાં પ્રિન્ટર સાથે ૨૮૬સીરીઝના કોમ્પ્યુટર્સ મળતાં
હાર્ડ ડિસ્ક ખાલી ૨૫૬ એમબીની કે ૫૦૦ એમબીની
ફ્લોપીઓનો જમાનો
સીડી રોમ્સ તો પાછળથી આવી
જે અત્યારે તો ડીવીડી રોમ્સ અને બ્લુ રે સુધી આગળ વધી ગઈ છે
મેં જયારે ૪૮૬ પ્રોસેસર વાળું કોમ્પ્યુટર લીધું ત્યારે બધા મને આધુનિક અને પૈસાદાર ગણતાં હતાં
જે અત્યારે પેન્ટીયમ ઇન્ટેલ આઈ ૭ સુધી પહોંચી ગયાં છે
તે વખતના પેકેજમાં ૬૫ હજારનું તો લેસર પ્રિન્ટર આવતું જે આજે લગભગ ૧૨ થી ૧૫ હજારમાં અત્યંત નવી ટેકનોલોજીવાળા મળે છે !!!
પણ ત્યારે કામ પણ આસાનથી થતું હતું
તો આ વાઈરસનોને કારણે હેરાન પણ ઘણાં થતા હતાં
આમાં બે વાઇરસો બહુ ખતરનાક એક છઠ્ઠી માર્ચનો માઈકલ એન્જેલો અને બીજો ૨૬મી એપ્રિલનો ચેર્નોબિલ વાઈરસ !!!!
➡ આ વાઇરસો આમ તો આપણા કોમ્પુટરમાં જ શુશુપ્ત અવસ્થામાં પડેલાં હોય છે
જે જે તે તારીખે એક્ટીવેટ થઇ જતા હોય છે આપમેળે જ એની જાતે જ !!!
માનવોના ફળદ્રુપ ભેજાએ આનો બે તોડ કાઢયા એક જે સહેલો હતો તે એ કે
આગળ દિવસે આ કોમ્પ્યુટરની તારીખ જ બદલી નાંખવામાં આવે
બીજો જે અત્યારે બહુ કારગત નીવડયો છે એ એ કે એન્ટીવાઈરસ ઓરીજીનલ નાખો તો કોઈ જ મુશ્કેલી નથી આવતી
ઇસવીસન ૨૦૧૩ પછી આ ઈન્ટરનેટ સીક્યુરીટી અને એન્ટીવાઈરસો ક્રેક વર્ઝન મળતાં થયાં
વર્લ્ડ વાઈડ વેબની કૃપાથી !!!
પછી લાઇસન્સ વર્ઝનનો જમાનો આવ્યો એટલે આ વાઇરસો નામશેષ થઈને રહી ગયાં છે !!!!
પણ તે સમયમાં એ બહુ જ હેરાન કરતા હતાં અને આપણો ડેટા ગાયબ કરી દેતાં હતાં અને કોમ્પ્યુટરને બહુ જ નુકશાન કરતાં હતાં !!!
➡ આ અત્યારે કોરોનાનું બહુ ચાલ્યું છે એટલે મને થયું કે લાવ તમને આ કોમ્પ્યુટરના વાઇરસો વિષે પણ અવગત કરાવી જ દઉં
અરે ભાઈ હું પોતે પણ બહુ જ હેરાન થયો છું !!!
હવે તમને એક વાત જણાવી જ દઉં કે તારીખ છઠ્ઠી માર્ચ એ પ્રખ્યાત ચિત્રકાર અને શિલ્પકાર માઈકલ એન્જેલોની જન્મ તારીખ છે
જયારે ૨૬મી એપ્રિલ એ ચેર્નોબિલ ન્યુક્લીયર દુર્ઘટનાની તારીખ છે
માનવોના કુરૂપ ભેજાઓએ આના પરથી વાઈરસ બનાવ્યા તો સકારાત્મક ભેજાંબાજોએ એનો તોડ પણ કાઢયો એન્ટી વાઈરસ બનાવીને !!!
➡ ૨૬મી એપ્રિલ હજી કાલે જ ગઈ છે
એટલે તમને થોડાં માહિતગાર કરી દઉં કે આ ચેર્નોબિલ નુક્લીયર દુર્ઘટના એ શું છે ?
અને તે કેવી રીતે થઇ હતી ?
✅ ચેર્નોબિલ દુર્ઘટના – ૨૬ એપ્રિલ ૧૯૮૬
➡ આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ હતી ?
૨૬ એપ્રિલ ૧૯૮૬ની સવારમાં ચેર્નોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટના ચોથા સંયંત્રમાં કૈંક ગરબડ પેદા થઇ !!!
પહેલાં તમને એ જણાવી દઉં કે આ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટ એ પ્રીપયાત શહેર જે યુક્રેનમાં આવેલું છે તેની નજીક જ આવેલો છે
હવે આ તારીખે બપોરે ૧ વાગે અને ૧૬ સેકન્ડે સંયંત્રનાં સંચાલકોએ સમગ્ર સંયંત્રને ૨૦ સેકંડ માટે બંધ કરવાંવાળી મશીન શરુ કરી દીધી
પછી બરાબર ૭ સેકંડ પછી વીજળી એક જોરદાર લહેર -તરંગ નીકળી અને રાસાયણિક વિસ્ફોટ શરુ થઇ ગયાં !!!
આ વિસ્ફોટ એટલા બધાં શક્તિશાળી હતાં કે સંયંત્રની ઉપર બનેલી ૧૦૦૦ ટનની છત પણ ઉડી ગઈ !!!
સંભવત: વીજળીની આઅનિયંત્રિત લહેર પ્લાન્ટને ઠંડા કરવાંવાળી મશીનની ડીઝાઈનમાં ત્રુટીઓ હોવાને કારણે પેદા થઇ હતી !!!
✅ સંચાલકોની ભૂલ ——–
➡ ચેર્નોબિલ સંયંત્રને અત્યારે સમગ્ર રીતે કોન્ક્રીટ અને લોખંડની ચાદરો વડે ઢાંકી દેવામાં આવેલો છે
આ સિવાય સંયંત્નાં સંચાલકોના હાથે પણ ઘણી ગંભીર ભૂલો થઇ હતી !!!
સંચાલકોએ વીજળીનાં કેટલાંક ઉપકરણોને તપાસ દરમિયાન સંયંત્રણે ઠંડા રાખતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવાંવાળી ઘણી મશીનોને બંધ કરી દેવામાં આવી હતી
અને ઘણા બધા એવાં પગલાં લીધા હતાં કે જે ઉઠાવવાનો એમને કોઈ જ અધિકાર નહોતો !!!
સંયંત્રને સુનિશ્ચિત કરવાંવાળી ઘણી મશીનો સમગ્ર રીતે પ્રભાવશાળી ન હોવાનાં કારણે સંયંત્રમાં અનિયંત્રિત અને અપ્રત્યાશિત વીજળીના કરંટને કારણે ખતરો વધી ગયો હતો !!!
ત્યાં ચેર્નોબિલ પરમાણુ ઉર્જા સંયંત્રમાં રેડિયોધર્મિતાયુક્ત પદાર્થોની અંદર સુરક્ષિત રાખી શકે એ માટેનો પ્રભાવી ઢાંચો હતો જ નહીં !!!
આ સુરક્ષાના અભાવમાં રેડિયોધર્મિતાયુક્તપદાર્થો ખુલ્લા વાતાવરણમાં ફેલાઈ ગયાં !!!
દુર્ઘટનાગ્રસ્ત સંયંત્રને ઢાંકવા માટે એટલી બધી ઉતાવળ કરી કે કોન્ક્રીટનો એક ઢાંચો જે બનાવવામાં આવ્યો એ ધીરે ધીરે કમજોર પડતો ગયો !!!
✅ વિકિરણ ——-
➡ સંયંત્રમાં થયેલા વિસ્ફોટથી ૩૧ લોકો તો ત્યાંને ત્યાં માર્યા ગયાં
પરંતુ સોવિયેત વૈજ્ઞાનિકોનું તો એવું માનવું છે કે સંયંત્રમાં મૌજુદ ૧૯૦ ટન યુરેનિયમ ડાયઓક્સાઈડનો ચાર પ્રતિશત હિસ્સો હવામાં ફેલાઈ ગયો !!!
આનાંથી ચેર્નોબિલની આસપાસના ક્ષેત્રોપણ વિકિરણથી રભાવિત થઇ ગયાં
તત્કાલીન સોવિયેત પ્રશાસને દુર્ઘટના થયા પછીના ૩૬ જ કલાકમાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના શરુ કરી દીધાં હતાં !!
આ દુર્ઘટનાની ખબર સોવિયેત પ્રસાર માધ્યમોમાં બે દિવસ પછી જ આપવામાં આવી!!!
મોસ્કો રેડિયો સમાચારમાં આ ખબર ચોથા નંબર પર હતી !!!
આ દુર્ઘટના સર્જાયા પછી વિકિરણણે વધારે ફેલાતું અટકાવવા માટે ૬ લાખ લોકોએ આ કામમાં ભાગ લીધો હતો
એ કહેવું તો મુશ્કેલ છે કે આમાંથી કેટલાં લોકો વિકિરણથી કેટલાં ગંભીર રૂપે પ્રભાવિત થયાં છે તે !!!
પણ અનુમાન છે કે રશિયા, યુક્રેન અને બેલારુસમાં ૫૦ લાખ લોકો આ વિકિરણની ચપેટમાં આવી ગયાં હતાં !!!
➡ આ દુર્ઘટના આજે પણ એક રહસ્યમય દુર્ઘટના જ માનવામાં આવે છે
એનાં ક્રમાંક પર ના જઈએ તોય આજે એના વિષે જાણીને પણ આંખે કમકમા આવી જાય છે
બની શકે છે આ દુર્ઘટનાથી પીડિત એવાં લોકોમાંથી કોઈકે દુનિયા સાથે બદલો લેવાં માટે આ નામનો વાઈરસ બનાવ્યો હોય
એ જે હોય તે પણ બને વસ્તુ માનવજાત માટે હાનિકર્તા જ છે
આ કોઈ ઉકેલ નથી
આ તો એક રીતનો માનસિક ત્રાસવાદ જ ગણાય !!!
એ તો ભલું થાજો અત્યારના આધુનિક સાધનોનું અને માણસોનું કે જેમણે આ કોમ્પ્યુટર વાઈરસનો તો તોડ શોધી કાઢયો
પણ માનવજાતને નેસ્તનાબુદ કરનાર વાઈરસનો તોડ કયારે શોધશે એ પ્રશ્ન હજી પણ મારાં મનને કોરી ખાય છે
એનો પણ તોડ જલ્દીથી જ શોધવો જોઈએ !!!
➡ એક ટીપ આપું છું
સન ૨૦૧૯માં HBO પર ચેર્નોબિલ નામ્મની ૫ એપીસોડની એક મીની સીરીઝ આવી હતી
હવે તે હિન્દીમાં પણ ડબ થઇ છે
એ ખાસ જ જોઈ લેજો !!!
➡ આ કાલે લખવું હતું
પણ કઈ વાંધો નહિ આજે ૨૪ કલાક મોડું
પણ કામનું અને રેલેવન્ટ હોવાથી લખ્યું છે
આશા છે કે તમને ગમશે
અસ્તુ !!!
——— જનમેજય અધ્વર્યુ
🌼🌷🥀🍀☘🌿🌱🌼🥀
Leave a Reply