રીયાઝ નાયકુ – સવિસ્તર અજાણી વાતો
👉 કાલે એક લેખ તો લખ્યો હતો આની હત્યા વિષે
એમાં ખાલી અછડતો જ ઉલ્લેખ એની ગતિવિધિઓનો હતો
મારાં મનમાં ક્યારનું થતું હતું કે આ આતંકવાદી એટલો બધો કુખ્યાત છે કે એને માથે ૧૨ લાખનું ઇનામ રાખવું પડે !!!
એણે એવાં તે શાં કારનામા કર્યાં છે તે કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી બની ગયો ?
આ લખવા પાછળનો ઉદ્દેશ શું છે તે આગળ જતાં આવશે
પણ મારાં મનમાં હતું કે મેં ખાલી એનું નામ સાંભળ્યું હતું
એણે કાશ્મીરી યુવાનોને આતંકવાદમાં પ્રેર્યા એટલી જ ખબર હતી બુરહાન વાની સાથે એ કામ કરતો હતો એટલી જ ખબર હતી
નામ અને એનાં કાર્યોની ઝલક તો મને મારાં કાશ્મીર પ્રવાસ દરમિયાન જ ખબર પડી હતી
એ પ્રવાસ હતો માત્ર ૮ જ દિવસનો એમાં બહુ છણાવટ થાય નહીં
ફરવાં અને જોવાં અને વધારે માણવા પર જ ધ્યાન અપાય
એટલે વિગતોમાં સાલી શરતચૂક રહી ગઈ
તોય જે માહિતી પ્રાપ્ત થઇ હતી તે દિમાગને ચકરાવી દે તેવી હતી
હું આ માહિતી એકઠી કરી શક્યો એ માટે તો મારે મારાં કાશ્મીરના ડ્રાઈવર મિત્ર અને ખાસ તો ભારતીય સેનાનો આભાર માનવો પડે !!!
તે વખતે એટલે કે જુન અંત અને જુલાઈની ત્રીજી તારીખ ૨૦૧૯માં કાશ્મીર અરાજકતાથી ભરેલું અને આતંકવાદથી ખદબદતું જ હતું !!!
તોય જવાની હિમત કરી અને જોયું તો જોયું પણ મારાં પત્રકાર જીવને તસલ્લી મળે એટલી માહિતી એકત્રિત કરી આવ્યો
આ માહિતી મેં કેમ એકત્રિત કરી એનો પણ એક ઈતિહાસ છે
મારી કઝીનબેનનો દીકરો આતંકવાદ પર થીસીસ લખવાં માંગતો હતો
મારી બેને એને તેમ કરવાની નાં પડી કે આતંકવાદીની ગતિવિધિ જોવાં તો ત્યાં જવું પડે,
લોકોને મળવું પડે અને જો એમને વિષે કઈ પણ લાખો તો એ તમને રહેંસી પણ નાંખી શકે
આ વાતે મારી બેને તેને તેમ કરતાં રોક્યો
ત્યારે તો હું મારી બેનના પક્ષમાં હતો પણ મનમાં તો નક્કી જ કરી રાખ્યું હતું
જો મને કાશ્મીર જવા અને જોવાં મળશે તો હું આનો તાગ જરૂર મેળવીશ અને મારાં ભારતીય દેશભક્ત હોવાનો પુરાવો જરૂર આપીશ
હું પોતે પત્રકાર પણ છું
સૈન્યની પણ અલ્પમાત્રામાં તાલીમ પણ લીધેલી છે
સાહિત્યકાર હોવાને નાતે ભાષા પર પણ કાબુ છે
સ્વભાવે નિડર છું અને સ્પષ્ટવકતા છું
કોઈની સાડેબારી હું રાખતો નથી
તો જે વિષય પર બધાં ડરીને એને છોડી દે છે
તો કેમ ના હું જાતે જ એ વિષય પર સંશોધન કરું !!!
આજ કારણોસર અનેકોની ના હોવાં છતાં એમને કડવા અનુભવો થયાં હોવાં છતાં હું તૈયાર થયો
આમાં પણ મારી ચાણક્ય બુદ્ધિ જ કામ કરી ગઈ
હું ભલી ભાંતિ જાણતો હતો કે મોદીજીની બીજી ટર્મ આ કાશ્મીર પ્રશ્ન જરૂર સુલઝાવશે
હું ત્યાં બેરોકટોક બધી માહિતી એકથી કરતો હતો એમાં પણ મારી બુદ્ધિ જ મને કામે લાગી
જે દિવસે મેં શ્રીનગરમાં પગ મુક્યો તે જ દિવસે અમિત શાહ પણ ત્યાં ૨ દિવસની મુલાકાતે આવ્યાં હતાં
ત્યાંના લોકોને એટલી જ ખબર હતી કે અમિત શાહ અમરનાથ યાત્રાના ઇન્તેજામ જોવાં આવ્યાં હતાં
ત્યાં જ મારું માથું ભમ્યું
અમરનાથ યાત્રા તો દર વરસે થાય છે એનો ઇન્તેજામ જોવાં આમ કઈ આવે નહીં !!!
આવે તો આવે આ કાશ્મીર છે ૨ દિવસ તો રોકાય નહી
જરૂર કઈ દાળમાં કાળું છે !!!
પણ એનું પરિણામ આપણને એક મહિનામાં જ મળવાનું છે એ મને નહોતી ખબર !!!
બસ માત્ર એટલું મોઢામાંથી નીકળી ગયું હતું મોદીજી – અમિત શાહ પાણી સરથી ઉપર જતું રહ્યું છે જલ્દીથી કઈ કરજો !!!
ઈતિહાસ સાક્ષી છે કે હું જે કઈ બોલું છું એ થાય છે અને એ પણ ત્વરિત જ !!!
👉 આજે બપોરે વામકુક્ષી કરતાં જ મને એક વિચાર આવ્યો કે બુરહાન વાનીનો જમણો હાથ તો ઝાકીર મુસા હતો
અને મેં પણ ત્યાં આના વિષે બહુ સાંભળ્યું હતું
એનો ફોટો પણ મેં મોબાઈલમાં જોયો હતો
પણ તોય મને ત્યાં જ અવંતિપુરમાં જ આ રીયાઝ નાયકુનું પણ નામ પણ સાંભળવા મળ્યું હતું
મનમાં થયું કે એ બન્ને મહિતી ખોટી તો હોય નહીં
કોઈ આપણને અંદરની વાત દિલ ખોલીને કહેજ નહી
એમાં પણ દેશભક્ત ગુજરાતી આગળ તો ક્યારેય નહીં
તેઓ ખોટાં હોઈ જ ના શકે !!!
આ જ ગણિત પર મને થયું કે ક્યાંક કશું ખૂટે છે સાલું !!!
એ ખૂટતી કડી કઈ છે !!!
એ શોધતાં શોધતાં મને મારે જે જોઈતી હતી તે માહિતી મળી જ ગઈ આખરે !!!
👉 આજ વાત વધારે કામની છે અને અત્યંત ઉપયોગી પણ
કાશ્મીર ઘાટીમાં હિજબુલ મુજાહિદ્દીનનો મુખ્ય કમાન્ડર રિયાઝ નાયકુ અને એનો એક સાથી માર્યા ગયાં
સુરક્ષાકર્મીઓએ આતંકવાદીઓના સફાયા માટે જે ઓપરેશન – અભિયાન ચલાવ્યું હતું એનું નામ હતું જૈકબૂટ
આ ઓપરેશનને સફળ બનાવવામાં સેના અને પોલીસને ઘણી બધી ચુનૌતીઓનો સામનો કરવો પડયો હતો
આ નાયકૂના સફાયા દરમિયાન કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારનું નુકશાન ના થાય !!!
આ માટે એને લોકોથી દુર કોઈ સલામત જગ્યાએ લઇ જવો અત્યન આવશ્યક હતો
જે સેનાએ કર્યું
એક વાત તરફ તમારું ધ્યાન દોરું છું કે આનો ખાત્મો સેનાએ નથી કર્યો
પોલીસે કર્યો છે
(એ માટે કાલે એનો લેખ લખું ત્યારે વાંચજો )
સેનાએ એણે સલામત જગ્યાએ જવા મજબુર કર્યો હતો માર્યો છે પોલીસે !!!
હવે સીધાં મૂળ મુદ્દે આવી જઈએ !!!
✅ રિયાઝ નાયકૂ ——–
👉 આ માણસ પહેલાં ગણિતનો શિક્ષક રહી ચુક્યો છે
તે પોતાનાં તેજ અને શાતિર દિમાગથી આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો કમાન્ડર બની ગયો !!!
નાયકૂએ માત્ર આઠ વર્ષ સુધી આતંકી હુમલાઓને અંજામ આપ્યો છે અને સુરક્ષાદળનાં જવાનોને માર્યા છે એટલું પુરતું નથી
પણ એણે ઘણાં કાશ્મીરી યુવકોને ફોસલાવીને આતંકી બનાવી દીધાં હતાં !!!
👉 અવંતિપુરનાં પંજગામનો નાયકૂ મહોલ્લાનો રહેવાસી રિયાઝ નાયકૂ બુરહાન વાનીનો બેહદ કરીબી માણસ હતો
હિજબુલ મુજાહિદ્દીનમાટે બુરહાન વાની પછી આ રિયાઝ આતંકી તંજીમ માટે પોસ્ટર બનવ્યા કરતો હતો
બુરહાન વાની ઠાર મરાયા પછી સીધે સીધો રિયાઝ નાયકુ એનો સર્વેસર્વા નહોતો બન્યો
બુરહાનનાં મરાયા પછી સબ્જાર ભટને હિજબુલ મુજાહિદ્દીનની કમાન સોંપવામાં આવી હતી
પણ ભારતીય સેના સાથેની મુઠભેડમાં વર્ષ ૨૦૧૭માં ત્રાલમાં એ મરાયો
હિજબુલ મુજાહિદ્દીનમાં સબ્જારનાં મરાયા પછી એનાં જુના અને સક્રિય આતંકવાદી અલ્તાફ કાચરુ અને સદ્દામ પડડરનાં કરતાં રિયાઝ નાયકૂને હિજબુલ મુજાહિદ્દીનની કમાન સોંપવામાં આવી
પોલીસખાતાંના જણાવ્યા અનુસાર રિયાઝ નાયકૂને કમાન્ડર બનાવીને હિજબુલ મુજાહિદ્દીન દક્ષિણ કાશ્મીરમાં ઝાકીર મૂસાનો પ્રભાવ ઓછો કરવાં માંગતું હતું
સબ્જારની પહેલાં ઝાકીર મૂસા જ હિજબુલ મુજાહિદ્દીનની કમાન સંભાળતો હતો અને એજ એનો કમાન્ડર હતો
પરંતુ થોડાં સમય પછી એની કટ્ટરવાદી વિચારધારાને મહત્વ આપવાને કારણે એનો પ્રભાવ એટલે કે મૂસાનો પ્રભાવ કાશ્મીરમાં વધી રહ્યો હતો
આનાથી પ્રભાવિત થઈને મુસાએ પોતાની મહત્વાકાંક્ષા સાધવા હિજ્બુલથી અલગ થઈને સન ૨૦૧૭માં અલ-કાયદાનાં સમર્થનવાળા ગજવાતુલ હિંદ સંગઠનની શરૂઆત કરી – એની સ્થાપના કરી !!!
આ ઝાકીર મૂસા ૨૩ મે ૨૦૧૯માં જ પાછો ત્રાલમાં જ સેનાના અભિયાનમાં માર્યો ગયો
એ મરાયો ૨૩મી મેએ હું કાશ્મીર ગયો ૨૬મી જુને
આજે મને સમજાય છે કે કેમ મને પહેલગામમાં ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં લોકો અને આ મૂસાની જ પ્રેમિકા મળી હતી
તે કેમ ગુસ્સે હતી તે મને હવે સમજાય છે !!!
કારણકે ઘાવ હજી તાજા હતાં
પણ થેંકસ ટુ ઇન્ડિયન આર્મી એની હાજરીને કારણે મેં એ લોકોની બોલતી બંધ કરી હતી !!!
એ લોકો કેમ ઝેર ઓકતા હતાં તે મને આજે જ ખબર પડી કારણકે એને મરાયાને હજી ૩૩ દિવસ પણ નહોતાં થયાં
ચલો જે થયું તે સારું જ થયું !!!
👉 કાશ્મીરના યુવાનોને આતંકની રાહ પર લાવવાવાળો અને અનેકો આતંકી સાજીશો રચનાર કુખ્યાત રિયાઝ નાયકુએ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીના જનાજાઓમાં ગન સેલ્યુટનું ચલણ ફરી પાછું શરુ કરાવ્યું હતું !!!
એ કોમ્બેટ ડ્રેસ પરિધાન કરીને આતંકીઓના જનાજામાં પહોંચતો અને હવાઈ ફાયરીંગ કરીને જનાજામાં જે યુવાનો ભેગાં થયાં હોય એમણે આતંકવાદી બનવાં ઉપસાવતો હતો !!!
નાયકૂ સૌથી પહેલાં જાન્યુઆરી ૨૦૧૬માં આતંકી શરીકઅહમદ ભટનાં જનાજામાં નજરે પડયો હતો
એનાં પછી આતંકીઓના જનાજાઓમાં જ્ઞ સેલ્યુટ અને નવયુવાનોની ભરતી કરવાનું ચાલુ કર્યું હતું
એટલું જ નહીં આ રિયાઝ નાયકૂ એ વર્ષ ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીર પોલીસનાં જવાનોનાં ઘણાં પરિવારજનોનું અપહરણ કરી દીધાં હતાં
આનાં ઘણાં વિડીયો પણ સોશિયલ મીડિયા અને ન્યુઝ ચેનલો પર વાઈરલ થયાં હતાં
નાયકૂએ અપહૃત લોકોને છોડાવવામાટે પોતાનાં પિતાની પોલીસ દ્વારા રિહાઈ પણ કરાવી
એનાં પછી નાયકૂએ સ્થાનીય નિકાય ચુનાવમાં ભાગલેવાંવાળાં પર એસિડ હુમલાની ધમકી પણ આપી હતી !!!
👉 ઘાટીમાં કોઈક સ્થાનીય નાગરિકની નિર્મમ કરવાંવાળો આ રિયાઝે પછીથી આઈએસએસનો જ રસ્તો અખત્યાર કર્યો
૧૫ નવેમ્બર ૨૦૧૮માં એક ૧૮ વર્ષીય યુવકનું અપહરણ કરીને પછી એની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી
રિયાઝ નાયકૂએ વિડીયો વાઈરલ કરીને હત્યાની જવાબદારી પોતાનાં શિરે લીધી અને મુખબિરી કરવાંવાળાની એ કેટલી બેરહેમીથી હત્યા કરી શકે છે એની ચેતવણી પણ આપી
👉 આજે જ્યારે આ નાયકૂ ઠાર મરાયો છે તો કાશ્મીરમાં હિજબુલ મુજાહિદ્દીનની કમર જ તૂટી ગઈ છે
ગૃહ મંત્રાલય તરફથી એક બહાર પાડવામાં આવેલાં આતંકીઓનાં લીસ્ટમાં એની રેન્કિંગમાં
આ રિયાઝ નાયકૂને એ પ્લસ પ્લસ શ્રેણીમાં સૌથી ઉપર રાખવામાં આવ્યો હતો !!!
મોસ્ટ વોન્ટેડ આતંકીઓની સૂચિમાં સૌથી પહેલું નામ રિયાઝ નાયકૂનું હતું જેનાં પર ૧૨ લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું !!!
👉 નાયકુનાં માર્યા જવાથી હવે હિજબુલ મુજાહિદ્દીનની સાથે બીજાં અનેક આતંકી સંગઠનોનો હોંસલો પણ તૂટી જશે જ !!!
એવું જાણવા મળે છે કે નવી નવી ભરતીઓથી લઈને આતંકીઓને છુપાવાના સ્થળો અને અને ખતરનાક હુમલાઓને અંજામ આપવાંની સાઝીશ રચવામાં નાયકૂને મહારત હાંસલ હતી !!!
👉 આ એક મોટી કામયાબી છે ભારતીય સેઅના અને પોલીસની જોઈન્ટ કામગીરીની
પ્રથમ હરોળ જરૂર નેસ્તનાબુદ થી છે
પણ હજી સમગ્ર હિજબુલ મુજાહિદ્દીનતો બાકી જ છે
નવાં લોકો એમાં આવતાં અચકાશે
કદાચ મોટા હુમલાઓ અને જવાનોની હત્યા પર રોક આવશે એનું પ્લાનિંગ બરોબર નહી થાય !!!
એવું કહેવાય છે કે હવે આતંકીઓનું મનોબળ તૂટશે
પણ ….. આ અપની ન્યુઝ ચેનલોનાં પ્રતાપે મને હમણાં હમણાં જ જાણવા મળ્યું છે કે
રિયાઝ નાયકૂ પછી હિજ્બુલની કમાન સૈફઉલ્લાહ સંભાળવાનો છે
જે પોતે પણ ‘A++” કેટેગીરીનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે
આવા તો કુલ ૧૨ હતાં 3 મરાયા રહ્યાં ૯ એ બધાં જ આ વર્ષમાં જશે
એ તો નક્કી જ છે !!!
આ બારે બારના નામો મને ખબર જ છે
એ વાત ત્યારે કરીશું જયારે તેઓ મરાશે
પણ આ સૈફઉલાહનો પણ અંત આવો જ આવશે જેવો રિયાઝનો આવ્યો છે એવો
આ બધામાં એક વાત તો કહેવાની જ રહી ગઈ છે તે એ છે કે
આ રિયાઝ નાયકૂએ કુલ ૧૦૦ થી ઉપપ્ર નવયુવાનોને આતંકવાદી -જિહાદી બનવ્યા હતાં !!!
👉 આ રિયાઝ કેવી રીતે મરાયો ?
એણે શું શું કર્યું હતું?
કેટલાં વખતથી એને મારવાનું પ્લાનિંગ થઇ રહ્યું હતું ?
એ વાંચજો તમારું મગજ કામ નહિ કરે એ બધું વાંચીને
એ બધું આવતાં લેખમાં આવશે !!!
👉 બાકી અત્યારે તો
!! જય શ્રી રામ !!
!! જય હિંદ !!
!! ભારતમાતાકી જય !!
——- જનમેજય અધ્વર્યુ
🌻🌺🍁🍀🍀🍂☘🌿🌿🌱🌴
Leave a Reply