📖 ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી 📖
—— અર્નેસ્ટ હેમિંગ્વે
✅ કોરોના સામે લડાઈ જીતવી છે ને ?
કોરોનાને મ્હાત આપવી છે ને ?
જિંદગી સામે લડાઈ જીતવી છે ને ?
તો સૌ મિત્રો આ નવલકથા વાંચી લે જો
આના ઉપર એક ખુબ સરસ ફિલ્મ પણ બની છે
જે યું ટ્યુબ પર પણ ઉપલબ્ધ છે
તે પણ જોઈ જ કાઢજો
✅ આ મારી એક અતિપ્રિય નવલકથા છે
જેનાં લેખક છે અર્નેસ્ટ હેમિંગ્વે
જ કોઈ એક નવલકથા મેં સૌથી વધુવાર વાંચી હોય તો તે છે
“ધ ઓલ્ડ મેન એન્ડ થ સી”
✅ એનું પ્રખ્યાત ક્વોટ એ મારી જિંદગીનો મોટો છે
જે મેં બધે જ વાપર્યું છે
“A Man Can Be destroyed
But Not Deafeted”
આ આખું સુવાક્ય નથી
આખું આ પ્રમાણે છે
But man is not made for defeat.
A man can be destroyed but not defeated.
જિંદગીમાંમાં લડત જ મહતવની છે હર કે જીત મહત્વની નથી
લડત આપો તો તમે જીતશો જ નહીં તો ડરીને તમે હારવાનાં છો એ પાકું
લડત આપવા માટે ઉંમર નથી જોવાતી પણ એનો હોંસલો જોવાય છે
ડર અને લાલચમાં ફસાયેલો માણસ જીનગી સામે લડવાની વાત તો દુર રહી પણ સારી રીતે જીવી શકતો નથી !!!
આનું એક ઉત્તમ દ્રષ્ટાંત એટલે આ નવલકથા
✅ આ નવલકથાનો સાર હું બહુ જ ટૂંકમાં સાદી અને સરળ ભાષામાં આપી દઉં
આ વાર્તા એક માછલીમારની છે
જેનું નામ છે સાંટીયાગો
તે દરરોજ દરિયામાં માછલી પકડવા જતો પણ તેની પાસે એક પણ માછલી નહોતી આવતી
આમનેઆમ ૮૪ દિવસ વીતી ગયાં
પણ તેની પાસે એક પણ માછલી પકડાવા માટે આવી નહીં
તેનાં મિત્રો અને તેનાં ગામવાળા તેને કમનસીબ ગણવાં લાગ્યાં અને તેને મેણાટોણા મારવા લાગ્યાં
અનુ નસીબ જ વાંકુ છે તેનાથી શેક્યો પાપડ પણ ભાંગી શકાય તેમ નથી
આના કરતાં તો ઘરમાં બેસીને આરામ કરીને પાછલી જિંદગી કાઢે તો વધારે સારું
એવું બધાં કહેવાં લાગ્યાં !!!
એનો એક સાથી હતો જે કિશોર હતો
એનાં માં બાબાપ એને કહ્યા કરતાં હતાં કે
” તું આની સાથે માછલી પકડવા ન જા આની પાસે તો એક પણ માછલી નથી આવતી
તે દિવસ રાત ખાલી ખોટી મહેનત કર્યા કરે છે
આનાં કરતાં તું કોઈ બીજાં કુશળ માછલીમાર સાથે જાય તો વધારે સારું !!!”
પણ એ છોકરાએ માં બાપની વાત ગણકારી જ નહિ અને સાંટીયાગો સાથે જ માછલી પકડવા જવાની જીદ પકડીને બેઠો હતો
એ છોકરાનું નામ મેનોલીન છે
✅ જયારે જ્યારે સાંટીયાગો માછલી પકડવા જઈને પાછો આવતો ત્યારે આ છોકરો
તેમની માછલી પકડવાની જાળી સરખી કરતો એણે ધોતો એણે સાફા કરતો અને તે સાંટીયાગો માટે ખાવાનું બનાવતો અન તેમનાં ઓરડાની સાફ સફાઈ કરતો
તેમની સાથે ખુબ વાતો કરતો
આમને આમ આમ ૮૪ દિવસ વીતી ગયાં
પણ ૮૫મો દિવસ એમને માટે વિધાતાએ કૈંક જુદો જ બનાવ્યો હતો
૮૪માં દિવસની રાતે સાંટીયાગોએ બહુજ આત્મવિશ્વાસથી કહ્યું કે —–
કાલના દિવસે હું જરૂરથી એક માછલી પકડીને બતાવીશ
એમાંનેએમાં એ બીજે દિવસે એ સમુદ્રમાં ખુબ આગળ નીકળી ગયો
અને જાળ પાથરીને માછલી પકડાય એની રાહ જોવાં લાગ્યો
એવામાં એક માર્લીન માછલી એ જાળમાં આવી ગઈ !!!
પણ આ માછલી એટલી બધી બધી મોટી હતી કે એ સાંટીયાગોને જ પોતાની તરફ ખેંચવા લાગી
આ ખેંચમતાણીમાં સાંટીયાગોના બંને હાથ ઝખ્મી થઇ ગયાં
પણ સાંટીયાગોએ હાર ના માની એ ઘવાયેલાં હાથથી એ માછલીને પોતાની તરફ ઘસડવા લાગ્યો
જાણે એ બન્ને વચ્ચે જીવ બચાવવાનું એક ઘમાસાણ યુદ્ધ ના થયું હોય
માછલી પણ ગાંજી જાય એમ નહોતી એ પણ જીવ બચવવા લડત આપતી હતી
ક્યારેક માછલી ઉપર તો ક્યારેક સાંટીયાગો ઉપર એમ દરિયાઈ યુદ્ધ થતું હતું
કોણ જીતશે એ નક્કી કરી શકાય એમ નહોતું !!!
અંતે સાંટીયાગોએ પોતાનાં હાર્પૂન વડે એ એ માર્લીન માછલીને મારી નાંખી અને પોતાનાં હાથથી ઘસડીને એ પોતાની બોટ તરફ લઇ આવ્યો
પણ એની નાવમાં એટલી જગ્યા નહોતી કે એ માર્લિન માછલીને રાખી શકે
તો સાંટીયાગોએ કીમિયો કર્યો કે એણે બોટ સાથે બાંધીને લટકાવી કિનારા તરફ આવવાં લાગ્યો
તો રસ્તામાં એનાથી પણ એક મોટી માછલી મળી(શાર્ક) જે આ માર્લીન માછલીને ખાઈ જવાની કોશિશ કરતી હતી !!!
તો સાંટીયાગો પોતાનાં હાર્પૂન વડે એ માછલીને મારવાનો પ્રયત્ન કરે છે
પણ નાવ સંભાળવાના ચક્કરમાં તેનો હાર્પૂન પાણીમાં પડી જાય છે
તો એ પોતાનાં ચપ્પુ વડે એ મોટી માછલીને મારવાની કોશિશ કરે છે !!!!
એ ચપ્પુના ઘા પર ઘા કરતો જાય છે પણ ત્યાં સુધીમાં તો એ મોટી માછલી આ માર્લીન માછલીને ખાઈ ચુકી હોય છે
માર્લીન માછલીનું માત્ર કંકાલ જ બચ્યું હોય છે
તે ખુશીમાં ખુશીમાં પોતાને ઘરે આવીને ઓરડામાં સુઈ જાય છે
બીજે દિવસે સવારે બીજાં કેટલાંક માછીમારોને સાંટીયાગોની બોટમાંથી માર્લીન માછલીનું કંકાલ મળે છે
જે ૫.૫ મીટર લાંબુ હોય છે !!!
આટલાં મોટાં કંકાલને જોવાં દૂરદૂરના ગામોમાંથી લોકોના ધાડાંને ધાડાં ઉમટે છે
એ ગામના લોકો માની જાય છે કે —–
સાંટીયાગો કોઈ નિષ્ફળ – નકામો માછલીમાર નથી !!!
આ સમાચાર ખુશી ખુશી મેન્ડોલીન હાથમાં કોફીનો કપ લઈને સાંટીયાગોને આપે છે
આ સાંભળીને સાંટીયાગો અતિપ્રસન્ન થાય છે
મેન્ડોલીન પણ હવે રાજીનો રેડ થઈને સાંટીયાગોને કહે છે કે —–
“હવેથી હું પણ તમારી સાથે માછલી પકડવા આવ્યાં કરીશ”
✅ જો લોકોની વાતોમાં આવી જઈને સાંટીયાગો જિંદગીથી હતાશ થઈને ઘરે બેસી રહ્યો હોત તો
સાંટીયાગો આવી ઉચ્ચતમ સફળતા હાંસલ કરી શક્યો હોત !!!
લડત જ જિંદગીને સફળ બનાવે છે
લડત વગની જિંદગી એ જિંદગી જ ના કહેવાય
પછી એ સંજોગો હોય કે કુદરતી કહેર કે માનવ સર્જિત કોરોના જેવી મોટી આફત
આપણે તો બસ લડતાં જ રહેવાનું છે
આજીવન અને અવિરત !!!!
✅ આ એક નાનકડી નવલકથા છે
જેને ફોર્મની દ્રષ્ટીએ લઘુ નવલ કહી શકાય
જે સાંટીયાગો અને માર્લીન માચાલીની જિંદગીની લડાઈ દર્શાવે છે
ખાસ તો સાંટીયાગોની
✅ આ નવલકથા એ કયુબન લેખક અર્નેસ્ટ હેમિંગ્વેની એક અતિઉત્તમ નવલકથા છે
જેની ગણના જગપ્રસિદ્ધ નવલકથામાં થાય છે
જે લખાઈ હતી ૧૯૫૧માં
છપાઈ ૧૯૫૨માં
સન ૧૯૫૩માં એને પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું
અને
અને
અને
સન ૧૯૫૪માં નોબેલ પારિતોષિક !!!
✅ આ જગપ્રસિદ્ધ વાર્તા આજે જ મેં પુસ્તકરૂપે વાંચી
જેનો ગુજરાતીમાં પણ અનુવાદ થઇ ચુક્યો છે
પણ આજે તે અપ્રાપ્ય છે
મારી પાસે બંને છે
વાંચવાનો આનંદ અનેરો જ હોય છે
તમે પણ વાંચજો બધાં
આજની પરિસ્થિતિમાં તમને જિંદગી સામે લડવાની ચાનક ચડશે
એટલે જ આજે મેં આ લખ્યું છે !!!
અસ્તુ !!!
——– જનમેજય અધ્વર્યુ
📚📚📚📚📚
Leave a Reply