લલિતાદિત્ય મુકતાપીડ – ભાગ : ૨
⚔ લલિતાદિત્ય મુકતાપીડ – ભારતનો એક અત્યંત શક્તિશાળી રાજા ⚔
(ઇસવીસન ૭૨૩ – ઇસવીસન ૭૬૦)
✍ —ભાગ- ૨ — ✍…
👉 વિગતો જો પ્રાપ્ત થતી જ હોય તો લોકો સુધી પહોંચાડવી એ મારી પણ ફરજ છે
આમેય આ રાજા વિષે મેં જેને પણ પૂછ્યું છે એને આ લાલીતાદિત્ય મુક્તાપીડ વિષે ઓછી જ ખબર છે
ખબર નહી લોકો કેમ આવી વિગતોને ઉવેખતાં હશે તે જ
આપણું કામ તો ભાઈ તે લોકો સુધી પહોંચાડવાનું જ છે તે તો હું કરીને જ રહીશ
ચાલો હવે વાત આગળ ——
➡ લલિતાદિત્ય મુક્તાપીડનું વિજય અભિયાન ——-
ગતાંકથી ચાલુ ——
👉 કલ્હણ સાહિત્યકાર છે
એમની પાસે ભાષાનું પ્રભુત્વ છે
સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે એ વિષે તો તમને કશું કહેવાનું હોય જ નહીં !!
પણ કલ્હણની શૈલીની એક ઝલક અ જરૂર આપું છું
વિજીયતે પુણ્યબબલેર્બર્યતુ ન શસ્ત્રિણમ
પરલોકાત તતો ભીતિર્યસ્મિન નિવસતાં પરમ !!
👉 અર્થ : – અહીં (કાશ્મીર) પર શસ્ત્રોથી નહીં કેવળ પુણ્ય બળ દ્વારા જ વિજય પ્રાપ્ત કરી શકાય છે
અહીના નિવાસીઓ કેવળ પરલોકથી જ ભયભીત થાય છે ન કે શસ્ત્રધારીઓથી !!!
(કલ્હણકૃત રાજતરંગિણી, પ્રથમ તરંગ , શ્લોક ૩૯ )
👉 ઈતિહાસકાર કલ્હણે માં ભારતીના શીર્ષ કાશ્મીરની ગૌરવમયી ક્ષાત્ર પરંપરા અને અજેયશક્તિ પર ગર્વ લીધો છે
વિશ્વમાં મસ્તક ઊંચું રાખીને ૪૦૦૦ થી ૬૦૦૦ વર્ષ સુધી સ્વાભિમાનપૂર્વક સ્વતંત્રતાનો ભોગ કાશ્મીરે પોતાનાં બાહુબળ પર કર્યો છે
આ ધરતીનાં શુરવીરોએ કયારેય પણ વિદેશી આક્રમણકારો અને એમનાં શસ્ત્રો સન્મુખ કયારેય પણ મસ્તક નથી ઝુકાવ્યું
આ પુણ્ય ધરતીના રણઘોષ સમગ્ર સંસારમાં પણ સંભળાય છે
અહીંનાં વિશ્વવિજેતા સેનાનાયકોએ યુદ્ધઅભિમાનોનો લોહા સમસ્ત વિશ્વ પણ સ્વીકારે જ છે !!!
👉 રણબાંકુરોની ભૂમિ અનેક શતાબ્દીઓ સુધી આ વીરભૂમિનાં રણબાંકુરોએ વિદેશોથી આવવાંવાળી ઘોર રક્તપિપાસુ એવં અજેય કહેવાય એવી જાતિયો અને કબીલોંનાં જબરજસ્ત હુમલાઓથી પોતાની તલવારની ધાર
પર રોકી રાખ્યાં છે !!!
આ ધરતી પર જ્યાં અધ્યાત્મના ઊંચા શિખરોનું નિર્માણ થયું છે
ત્યાં એનાં જ સપૂતોએ વીરભોગ્યા વસુંધરા જેવાં ક્ષાત્રભાવને પોતાનાં જીવનનું એક આવશ્યક અંગ પણ બનાવ્યું છે
સંસ્કૃતના અનેક પ્રાચીન ગ્રંથોમાં આ વૈભવનું દર્શન અવશ્ય થાય છે !!!
આધુનિક ઈતિહાસવેત્તાઓએ એક દિવસ એવું પણ લખવું તો પડશે જ કે
કાશ્મીરે એક તરફ સુખશાંતિ માટે શૈવ દર્શન જેવાં અતુલનીય સિદ્ધાંત માનવજાતિના કલ્યાણ માટે આપ્યાં છે
ત્યાં અત્યાચાર એવં અમાનવીય વૃત્તિઓનાં દમન હેતુ ત્રિશુલ દર્શન પણ પ્રસ્તુત કર્યા છે !!!
આધુનિક ઈતિહાસનાં પાનાં પણ સાક્ષી છે કે કાશ્મીરી ખડગનાં વાર મધ્ય એશિયાના સુદૂર ક્ષેત્રોસુધી થયાં હતાં
કાશ્મીરની આ દિગ્વિજયી વિરાસતને ઝૂઠલાવી પણ નથી શકાતી !!!
👉 આમ તો કાશ્મીરની સર્વત્ર બોલબાલા તો મહાભારતના યુદ્ધથી જ પ્રારંભ થઇ ગઈ હતી
કાશ્મીરનો જ્ઞાત ઈતિહાસ આજે પણ સંસ્કૃતના રાજતરંગિણીનામનાં મહાગ્રંથમાં આજે પણ ઉપલબ્ધ છે
સમ્રાટ અશોક , શિવ ઉપાસક જાલૌક, મેઘવાહન,દુર્લભવર્ધન, ચંદ્રાપીડ, લલિતાદિત્ય, અવંતિવર્મન, સંગ્રામ રાજ, ત્રિલોચન પાલ, જય સિંહ, મહારાણી દિદ્દા એવંકોટારસી આદિ સેંકડો રાજા મહારાજા થયાં છે
જેમણે કાશ્મીરની દિગ્વિજયી સાંસ્કૃતિક અને માનવીય ધરોહારોને અક્ષુણ્ણ બનાવ્યાં !!
આઠમી શતાબ્દીનાં સૌથી શક્તિશાળી ભારતીય સમ્રાટ લલિતાદિત્યના સમયમાં કાશ્મીર અને કાશ્મીરિયતની બોલબોલા સમગ્ર ભારત સહિત આજે જેને આપણે મધ્ય એશિયા કહીએ છીએ ત્યાં સુધી હતી !!!
👉 લલિતાદિત્યએ પાંચ નવી શાખાઓની સ્થાપના કરી જે શાહી દરબારો અને અન્ય રાજકુમારો દ્વારા કબજે કરવામાં આવી હતી
કન્યાકુબ્જમાં માં શક્તિને એકીકૃત કર્યા પછી
ગંગા નદી હિમાલયથી પૂર્વી સમુદ્રમાં વહેતી હોય એની જેમ જ પૂર્વ સમુદ્રમાં આગળ વધતી હોય એમ જ લલિતાદિત્યની સેના આગળ વધી
લલિતાદિત્ય દ્વારા આચરવામાં આવેલાં અભિયાન દરમિયાન,
આ સૈન્યમાં હાથીઓએ તેમના જન્મભૂમિ જોઈ
લલિતાદિત્ય કલિંગ અને ગૌડ પહોંચ્યા અને સંખ્યાબંધ હાથીઓ ગૌડ(ગૌડા)થી તેમની સેનામાં જોડાયાં
પૂર્વી સમુદ્ર કિનારેથી લલિતાદિત્યનું સૈન્ય દક્ષિણના પ્રદેશમાં આગળ વધ્યું
જ્યાં કર્ણતા એ તેમની સામે નમી હતી
આ સમયે દક્ષિણપથની સાર્વભૌમ રાત્ત નામની કર્ણતા રાણી હતી
તેમણે વિંધ્ય પર્વતો પર અવરોધ મુક્ત રસ્તાઓ બનાવ્યા હતા અને તેઓ વિંધ્યવાસિની (દુર્ગા) દેવી જેટલી શક્તિશાળી હતાં !!!
તેના જેવા શક્તિશાળી વ્યક્તિએ પણ લલિતાદિત્યને નમન કર્યા
પછી લલિતાદિત્ય દક્ષિણમાં વિજય મેળવવાં નીકળી ગયાં
આ સમય દરમિયાન લલિતાદિત્યના સૈનિકો તેમની થાક ભૂલી ગયા
કારણ કે તેઓએ અહીંયા નાળિયેરનાં ઝાડનો રસ કાપીને તેને આરોગીને – પીને અને કાવેરી નદીના કાંઠે પડાવ નાખીને ત્યાં વાતા પવનનો આનંદ માણ્યો
લલિતાદિત્યના હુમલાના ડરથી ચંદનદ્રી (મલય પર્વતો) પર ચંદનના લાકડાંમાંથી નીકળતા સાપ વળાંકવાળી તલવાર જેવા દેખાતા હતાં
તેમને હરાવ્યા કારણકે કાશ્મીરી રાજાએ ટાપુઓ દ્વારા દરિયાને પાર કરી દીધાહતાં
કારણ કે કોઈ પથ્થરો ઉપર પગ મૂકીને એક નદી પાર કરે છે એની એમને મહારત હાંસલ હતી એટલાં માટે !!!
આ સાગર પસાર કાર્ય પછી લલિતાદિત્ય અને એમનાં સૈનિકો સાત કોંકણ પહોંચ્યાં
એ પહેલી જગ્યા કઈ હતી ખબર છે ?
એ પહેલી જગ્યા હતી ગુજરાતની દ્વારિકા !!!
👉 ત્યાંથી તેમની સેના અવંતિ જવાં રવાના થઇ
એ કહેવાની જરૂર ખરી કે લલિતાદિત્યે દ્વારિકા જીતી લીધું હતું !!!
તેમનું લશ્કર વિંધ્યાચલ પર્વતને પસાર કરતાં તેમને એક અદભૂત દ્રશ્ય જોવાં મળ્યું
અહીં જામેલી ધૂળથી વિંધ્યાચલ લાલ દેખાય છે
કારણ ખબર ના હોય તો કહી દઉં કે મહર્ષિ અગત્સ્યની રાહ જોતાં જોતાં આ વિંધ્યાચળ પર્વત જે એમના એક શ્રાપથી આડો થઇ ગયો હતો
અને મહર્ષિ અગત્સ્યે એમ કહ્યું હતું કે હું પાછો આવીને તને ઉભો કરીશ
પણ તેઓ ત્યાં પાછાં આવ્યાં જ નહિ અને વિન્ધ્યાચળ પર્વત આજે પણ ગુસાથી લાલચોળ થઈને એમની રાહ જુએ છે
બસ ત્યારથી જ એક મુહાવરો અમલમાં આવ્યો છે કે ——“અગત્સ્યનાં વાયદા ”
માટે આ માટી આજે લાલ છે !!!
👉 અવંતિમાં તેમના હાથીઓની કળીઓ માત્ર મહાકાળાના મૂર્તિ પર પડેલા ચંદ્રના પ્રકાશથી થી વિભાજિત થઈ હતી
(આ પરંપરાગત દંતકથાનો સંદર્ભ છે કે ચંદ્રનો પ્રકાશ હાથીની કળાઓને વિભાજીત કરી શકે છે)
બીજા મોટાભાગના રાજાઓને પરાજિત કર્યા પછી લલિતાદિત્ય અવંતિથી ઉત્તરાપથ (ઉત્તરીય પ્રદેશ) તરફ આગળ વધ્યાં
જ્યાં તેઓ અને તેમનું સૈન્ય ઘણા શકિતશાળી રાજાઓ સાથે લડયું !!!
તેમની સેનાએ ઘોડાઓના કમ્બોજા તબેલાઓને ખાલી કર્યા (સારી ગુણવત્તાવાળા ઘોડાઓ માટે કંબોજા દેશની પ્રતિષ્ઠાનો સંદર્ભ)
પરિણામે અંધકાર જાણે તેના બદલે કાળા ભેંસથી ભરાઈ ગયો હોય તેમ દેખાશે !!!
આ એક કાવ્યાત્મક વર્ણ છે કલ્હણનું !!!
જેમાં ઇતિહાસને વણી લેવામાં આવ્યો છે
ઇતિહાસનું કાવ્યાત્મક નિરૂપણ – વર્ણન હંમેશા ચાર ચાંદ લગાવ્નારું જ હોય અને એટલેજ એ આસ્વાદીય બનતું હોય છે
જે કલ્હણની એક આગવી વિશેષતા છે !!!
પછી પણ લલિતાદિત્યનું વિજય અભિયાન આગળ ધપ્યું !!!
તુહખારાઓ લલિતાદિત્યનાં અકર્મક અભિગમ જોઇને પાછાં પર્વતમાળા પર ભાગી ગયાં
પણ તેઓ તેમનાં ઘોડાઓ લલિતાદિત્યનાં સૈનિકો માટે છોડતાં ગયાં !!!
તેણે યુદ્ધમાં મુમ્મુનીને ત્રણ વાર પરાજિત કરી, અને ભૌતાઓ ને ખૂબ ચિંતા કરાવી
દારૂ પીનારા દરદાસને સહન કરવાંમાટે લલિતાદિત્ય ખૂબ જાણીતાં હતાં !!!
👉 આ તો માત્ર તમને કલ્હણની ઝલક જ આપી છે
આ પુસ્તક તો ઘણું લાંબુ છે અને એમાં લલિતાદિત્ય વિશેનું પ્રકરણ પણ ઘણું લાંબુ છે
એ આખું પ્રકરણ અહીં મુકતો નથી પણ ઇતિહાસની વાત આપણે ચાલુ રાખીએ !!!!
થોડોક આસ્વાદ તો કલ્હણની શૈલીમાં લેવો જ જોઈએ
એ આસ્વાદ જ કાશ્મીર અને એનાં ઈતિહાસનું હાર્દ છે
👉 લલિતાદિત્યનું લશ્કર જ્યારે પ્રાગીજ્યોતિષજે રણની નજીક આવેલું શહેર છે તેની નજીક પહોંચ્યું ત્યારે તેમણે જંગલોમાં કાળી કુંવારમાંથી ધુમાડો ઉભો થતો જોયો
વાલુકમબુધિમાં (“રેતીનો સમુદ્ર”) જ્યાં મૃગજળ પાણીના ભ્રમણાને પરિણામે લલિતાદિત્યના હાથીઓ મોટા મગરની જેમ દેખાયાં
આ એક કલ્પના છે અને આજ તો કાવ્ય છે
શું આપણે ઈતિહાસને કાવ્યાત્મક રીતે ના માણી શકીએ ?
કવિતામય ભાષા ઇતિહાસમાં આવે તો લોકોને પસંદ નથી પડતી આવું કેમ ?
આવું ના જ થવું જોઈએ કયારેય પણ !!!
લોકોને ગમે તેવું લખવું એના કરતાં તો જે છે એનું જ નિરૂપણ કરવું વધારે સારું છે
અને આ જ તો સચ્ચાઈ છે ને !!!
ભાષા જ આમાં શિરમોર હોય છે જેના તરફ કોઈનું પણ ધ્યાન ખેંચાતું નથી અને કદાચ એવું પણ બને કે આને લીધે લોકોને આમાં રસ પણ ઓછો પડે !!!
પણ મારું તો સ્પષ્ટપણે માનવું છે લોકોનો રસ ભાષામાં પડવો એ આપણા જ હાથમાં છે તે યેનકેનપ્રકારેણ કરે જ છૂટકો છે !!!
હજી જુઓ આ ભાષા —-
સ્ત્રી-રાજ્ય (શાબ્દિક રીતે “મહિલા સામ્રાજ્ય”) ની સ્ત્રીઓએ તેમના “ઉચ્ચ સ્થાનો” બતાવીને લલિતાદિત્યના યોદ્ધાઓના હૃદય ઓગળ્યા
જ્યારે સ્ત્રીરાજ્યની ધ્રૂજતી રાણી લલિતાદિત્યને મળી ત્યારે કોઈ પણ તે નક્કી કરી શક્યું નહીં કે તેમના દ્વારા પ્રદર્શિત કરેલી ભાવના આતંક હતી કે પ્રેમની ઇચ્છા !!!
લલિતાદિત્યના અભિગમ પર, ઉત્તરાકુરસે ગરુડનું દર્શન કરતા સાપ છિદ્રોમાં છુપાયેલાં હોય એની જેમ વૃક્ષોમાં આશ્રય લીધો હતો
👉 લલિતાદિત્ય પોતાના વિજયથી મેળવેલી પુષ્કળ સંપત્તિ લઈને કાશ્મીર પાછા ફર્યા
તેમણે જલધારા, લોહારા અને અન્ય દેશોના રાજા તરીકે તેમના સેવકોને નિયુક્ત કર્યા
લલિતાદિત્યના આદેશથી તેમના રાજ્યમાં તુરુષ્કાઓ અને દક્ષિણના લોકોએ શરમનો અનુભવ કરીને લલિતાદિત્ય આગળ માથું ઝુકાવવું પડયું હતું
તુરુષ્કાઓએ તેમના બંધનને ચિહ્નિત કરવા માટે તેમની પીઠ પર હાથ વહન કરવું અને તેમના માથાના અડધા ભાગને હજામત કરવી પડી હતી
દક્ષિણના લોકોએ પશુઓની સમાનતા દર્શાવવા માટે પૂંછડી પહેરી હતી જે જમીનને અડીને હતી
આજ વાત અપને સીધી સરળ હશામાં અને સીધાં શબ્દોમાં કરીએ !!!
👉 આમ ઘણાં બધાં વિજયો મેળવીને લલિતાદિત્ય જયારે કાશ્મીર પાછા ફર્યા ત્યારે તેમને કાશ્મીરમાં ઘણા ઘણા શહેરો અને ધાર્મિક સ્મારકો બાંધવાનું નક્કી કર્યું !!!
અને પછી તેમને કાશ્મીરમાં જ રહેવાનું નક્કી કર્યું
કારણકે એમને એમ લાગ્યું કે હવે કોઈ કાશ્મીર પર તો આક્રમણ તો કરશે જ નહીં ને અને એવું બન્યું પણ ખરું !!!
કોઈએ એમના સમય દરમિયાન ત્યાર પછી આક્રમણ કર્યું જ નહીં !!!
એમની તાકાત અને એમનો ભય જ આક્રાંતાઓ અને બીજાં રાજાઓને એટલો બધો સતાવતો હતો કે તેઓએ લલિતાદિત્ય તરફ આંખ ઉઠાવીને જોયું સુદ્ધાં પણ નહીં !!!
👉 લલિતાદિત્ય મુક્તાપીડ પોતાની સેના સાથે જયારે પંજાબ કુચ પર નીકળ્યાં હતાં
તો પંજાબની જનતાએ એના સ્વાગતમાં પલક પાંવડા બિછાવી દીધા
પંજાબના શાસક યશોવર્મનને પદચ્યુત કરીને પંજાબને કાશ્મીર રાજયની સીમાઓમાં ભેળવી દીધું
આ રીતે કાશ્મીરનો વિસ્તાર વધ્યો જ ગણાય !!!
આ એક સારી બાબત હતી કાશ્મીર માટે અને ભારત માટે પણ
જેનો લાભ આગળ જતાં પંજાબના મહારાજા રણજીતસિંહે ઉઠાવ્યો હતો અલબત્ત ૯૦૦ વર્ષ પછી !!!
ત્યાંથી લલિતાદિત્યએ પોતાનું સૈન્ય અભિયાન બંગાળ, બિહારઅને ઓરિસ્સા સુધી પોતાનાં સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો
આ સૈનિક કુછ પછી પશ્ચિમ તરફ આદરી …….
ગુજરાત, માલવાઅને મેવાડ સુધી સફળતાપુર્વક આગળ વધતાં જ ગયાં
👉 પણ અહીં એક વાત આપના ધ્યાન પર લાવવી છે કે જો લલિતાદિત્ય મેવાડ સુધી પહોંચી ગયા હોય
તે તો મેવાડના સુપ્રસિદ્ધ શાસક બપ્પા રાવલનો સમય અને એમનું જ રાજ્ય હતું
આ બંનેનો આમનો સામનો કેમ થયો નહીં ?પંજાબ પણ બપ્પા રાવલ હસ્તક જ હતું
કદાચ બાપ્પા રાવલની પ્રતિભા જોઇને અને એમનાં બંનેનું અભિયાન અને હેતુ એક જ છે એમ માનીને ચાલીએ તો
અ બંને વચ્ચે કદાચ સુલેહ -સંધિ થઇ હોય એવું માનવા મન લલચાય છે
અને બીજી વાત લલિતાદિત્ય અત્યંત શક્તિશાળી રાજા હતાં અને ક્ષત્રિય પણ
ક્ષત્રિયો ક્યારેય શુભ હેતુ હોય તો આપસમાં લડે જ નહીં !!!
જે હેતુ બપ્પા રાવલનો હતો એજ હેતુ લલિતાદિત્યનો પણ હતો
કદાચ એ બંને મળીને એકબીજાને ભેટ્યા પણ હોય
ઈતિહાસ ખાલી એજ વાતની નોંધ લે છે કે લલિતાદિત્ય મેવાડ સુધી પહોંચી ગયો હતો
પણ મેવાડ જીત્યું હતું તેની નોંધ કયાંય પણ લેવાઈ નથી
બાપ્પા રાવલનું નામ અપરાજિત યોધ્ધાઓમાં તો નથી
અને એવું કરવામાં આપણા ઈતિહાસકારો લલિતાદિત્ય મુક્તાપીડને પાછો ફરેલો બતાવે છે
કલ્હણે પણ આનો માત્ર નિર્દેશ માત્ર કર્યો છે મેવાડને જીત્યું હતું એમ તો એ પણ છાતી ઠોકીને નથી કહેતાં
આમાં સત્ય શું છે એતો જાણે કોઈનેય ખબર નથી
પણ આપણે ખાલી એમ માનીને જ ચાલીએ કે બપ્પા રાવલ અને લલિતાદિત્ય વચ્ચે યુદ્ધ થયું જ નહોતું
બપ્પા રાવલ પણ મહાન હતા અને લલિતાદિત્ય પણ મહાન હતાં
પણ જે કાર્ય લલિતાદિત્યે કર્યું છે એવું કદાચ બીજાં કોઈએ પણ નથી કર્યું !!!
આમાં બાપ્પા રાવલ એમની જગ્યાએ ઉત્તમ જ છે અને લલિતાદિત્ય એની જગ્યાએ
કાશ જો આ બંને મહાશક્તિશાળી રાજાઓ એકબીજાં સાથે મળીને એક થઈને વિદેશી તાકાત સામે લડયા હોત તો
ભવિષ્યમાં જે મલેચ્છોનું શાસન સ્થપાયું એ ના સ્થપાયું હોત !!!
કદાચ એવું પણ બંનેની ગતિવિધિથી એક બીજાં અજાણ હોય
આ માન્યતાને જ અનુમોદન મળતું જણાય છે !!!
આમેય મેવાડ એટલેકે બપ્પા રાવલ પોતાના રાજ્ય પર કોઈ આક્રમણના કરે એવું જ ઇચ્છતા હતાં અને લલિતાદિત્ય મુક્તાપીડ પણ
પણ બાપ્પા રાવલે રાજયનો વિસ્તાર ના કર્યો અને પોતાનાં રાજયને વધુ સુરક્ષિત બનાવ્યું
જયારે લલિતાદિત્યે રાજ્યનો વિસ્તાર કર્યો હતો
આટલો જ આ બંનેમાં ફેર છે ખાલી !!!
👉 તેમ છતાં જો મેવાડને બાકાત રાખીએ આમાં તો
લલિતાદિત્યનાં આ સફળ યુદ્ધ અભિયાનોને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં કાશ્મીરની ધરતીના આ પરાક્રમી પુત્રનું નામ યશસ્વી થયું !!!
કાશ્મીરી સૈન્યના ક્ષાત્ર તેજ આગળ મોટાં – મોટાં સામ્રાજ્ય નતમસ્તક થયાં !!!
👉 દિગ્વિજયી કાશ્મીરી પ્રતિભા દૂર-સુદૂર દક્ષિણ સુધી વિજય પ્રાપ્ત કાર્ય પછી સમ્રાટ લલિતાદિત્ય હવે એનાથી પણ ઊંચા શિખરો સર કરવાં માટે લાલાયિત થઇ ઉઠયાં
ઈતિહાસકાર મજૂમદારના શબ્દોમાં —
” દક્ષિણનાં આ મહત્વપૂર્ણ વિજયો પછી લલિતાદિત્યે કાશ્મીરની ઉત્તરી સીમાઓ પર સ્થિત ક્ષેત્રો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું
એ સમયમાં ભારતથી ચીન સુધી કારવાં (વણઝારા) માર્ગોને નિયંત્રિત કરવાં વાળી કરાકોરમ પર્વતમાળાનું સૌથી ઊંચું અને સૌથી છેલ્લું સ્થાન પણ લલિતાદિત્યે જીત્યું હતું
અને એ સ્થાન કબજે કરીને ત્યાં સુધી એમનું સામ્રાજય ફેલાવ્યું હતું
ઉલ્લેખનીય બાબત એ છે કે આઠમી સદીની શરૂઆતમાં આરબોનું આક્રમણ કાબુલની ખીણોમાં ચુનૌતી આપી રહ્યું હતું !!!
અ દરમિયાન સિંધના રસ્તેથી મુસ્લિમ શક્તિ ઉત્તર તરફ વધવાનો પ્રયાસ કરી રહી હતી
એ સમયે કાબુલ અને ગાંધારનું શાહી સામ્રાજ્ય આ આક્રમણોમાં વ્યસ્ત હતું
લલિતાદિત્ય માટે ઉત્તરીય ક્ષેત્રોમાં પોતાની ધાક જમાવવાનો આ સોનેરી અવસર હતો
તેઓ પોતાની વિજયી સેના સાથે દર્દ દેશ (દર્દીસ્તાન)માં થઈને તુર્કસ્તાન (ટર્કી) તરફ આગળ વધ્યા
અસંખ્ય કાશ્મીરી ભિક્ષુઓ તથા મધ્ય એશીયાઇ નગરોનાં કાશ્મીરી લોકોના પ્રયાસોનાં ફળસ્વરૂપ આ આખો વિસ્તાર કાશ્મીરી પરંપરાઓ તથા શિક્ષણથી સમૃદ્ધ હતો !!!
અતએવ: એવું સમજવું અઘરું નથી કે લલિતાદિત્યનાં માર્ગદર્શનમાં કાશ્મીરી સેનાએ ત્યાં સરળતાથી વિજય પ્રાપ્ત કર્યો હતો
તાંગ શાસનની સમાપ્તિ તથા આંતરિક અસૈનિક યુધ્ધો આદિને કારણે
તેઓ જે ચીની સામ્રાજ્યને આધીન આવ્યાં હતાં તેઓ પહેલેથી જ વિભાજિત થઇ રહ્યાં હતાં !!!”
(આર. સી. મજૂમદાર, એશિયંટ ઇન્ડિયા- પૃષ્ઠ ૩૮૩)
👉 થોડીક સાલવારી પર પાછી નજર નાંખી લઈએ
કલ્હણની ભાષા સંસ્કૃત હતી અને એમાં શ્લોકમાં કાશ્મીરનાં ઇતિહાસને વણી લેવામાં આવ્યો છે
જેનું અર્થઘટન આપને તો ના કરી શક્યા પણ અંગ્રેજોએ બહુ જ સારી રીતે કર્યું છે
એમ તો મેં પણ આ જ લેખમાં થોડોક રસ્સાસ્વાદ કરવાનો પ્રયત્ન કર્યો જ છે
પણ તેમાં કદાચ ઈતિહાસ સીધેસીધી રીતે કોઈને ખબર ના પડે કે ના સંજય એવું પણ બને અને એ સ્વાભાવિક પણ છે
પણ અંગ્રેજોએ એનું અર્થઘટન બહુ જ સારી રીતે કર્યું છે એ વાત તો સ્વીકારવી જ રહી !!!
👉 લલિતાદિત્ય મુક્તાપીડનાં વિજય અભિયાનોની વાત કરીએ તો
એ રાજા રાજગાદી પર તો આવ્યો છે ઇસવીસન ૭૨૩માં અને એ જયારથી આવ્યાં ત્યારથી જ તેમને વિજય અભિયાન શરુ કર્યું હતું
જેમાં શરૂઆતમાં જ એમણે અફઘાનિસ્તાન એટલેકે મુસ્લિમ આક્રમણ થતાં હતાં તેમની સામે યુદ્ધ કર્યું હતું અને તેમાં તેઓ જીત્યા હતાં
આની સાલ છે ઇસવીસન ૭૩૦
તો શું આ સાત વર્ષ સુધી સમ્રાટ લાલીતાદિત્ય માત્ર શાંત બેસી રહ્યાં હતાં અને તાલ જોતાં હતાં કે તાગ મેળવતાં હતાં ?
ના ભાઈ ના !!!
તેઓ શાંત નહોતાં બેસી રહ્યાં !!!
કાશ્મીર બહુ પહેલેથી ૩ હિસ્સામાં વહેંચાયેલું છે
જમ્મુ ,કાશ્મીર ખીણ અને લદાખ
હવે જમ્મુ પર તો એમ લાગે છે કે સમ્રાટ લલિતાદિત્યે ચઢાઈ કરી જ નથી
કાશ્મીર ખીણમાં તો તેઓ ખુદ જ રાજા હતાં અને બીજા કોઈ ત્યાં રાજાઓ કે રજવાડાં હતાં જ નહીં
એટલે એમની સાથે સંઘર્ષમાં આવવાનો કે એમનો સાથ મેળવવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી !!!
હવે બાકી રહ્યું લદાખ આ એક સંવેદનશીલ વિસ્તાર હતો તિબેટ એને અડીને જ આવેલું છે અને ત્યાંથી જ ચીન જવાય -અવાય છે
આ અગાઉ આ જ રસ્તેથી હ્યુ-એન -સંગ આવ્યો હતો
એટલે એ રસ્તો જાણે એ સમયથી જ પ્રચલિત હતો
અને આમેય ચીની સંસ્કૃતિ અને સભ્યતા આપણા કરતાં જૂની છે
તે સમયે ચીનમાં તાંગ વંશીય રાજાઓનું રાજ હતું
ચીની નરેશ પાસે આરબો સામે લડવા માટે આ અગાઉ પણ કાશ્મીરી નાગવંશી રાજાઓએ ધા નાખી જ હતી
પણ ચીની નરેશે મદદ તો ના કરી પણ તેમનું સ્થાન જોખમમાં નાં આવે એટલા માટે લલિતાદિત્યનાં પૂર્વજોને સમ્રાટની પડવી આપી ખુશ કર્યા હતાં
ઈતિહાસ તો એવું કહે જ છે કે ચીની નરેશની મદદ વિના આ આરબો એટલે કે મોહંમદ -બિન -કાસિમ ને કાશ્મીરમાંથી પાછો ધકેલ્યો હતો
પણ એક વાત તમને જણાવી દઉં કે મોહંમદ -બિન-કાસિમે ભારત પર આક્રમણ કર્યું જ નહોતું
તે કાશ્મીર કે રાજસ્થાનના મેવાડ સુધી આવ્યો જ નથી !!!
કારણકે આ કાસિમે સિંધ પ્રાંતમાં જ પોતાનો ડેરો જમાવ્યો હતો અને ત્યાં જ એણે ઉલકાપાત મચાવ્યો હતો
એનાં આક્રમણો એ સિંધની આજુબાજુ અને અફઘાનિસ્તાન બાજુ જ થતાં હતાં
નહીં કે ભારતના અંદરી ભાગ પર એટલે એ તો સાબિત થાય છે જ ને કે મહોંમદ બિન કાસિમે ભારતમાં મંદિરો નથી તોડયાં અને ભારતીય પ્રજાને મુસ્લિમ નથી બનાવી
આ એક ઇતિહાસની સોચી સમજી સાજીશ માત્ર છે ભારતને બદનામ કરવાની
માન્યું કે તે વખતે તો સિંધને પંજાબ પ્રાંત તો ભારતમાં હતું પણ અફઘાનિસ્તાન નહીં
સવાલ એ જ હતો આ કરાકોરમ પર્વતમાળા
આના પર કોનું આધિપત્ય !!!
એ કાશ્મીરનો તો ભાગ તો હતું જ સાથે જ એ ચીનનાં તાંગવંશના કાબુમાં પણ હતું
આ પર્વતમાળા એટલી મોટી છે કે એને સંપૂર્ણ પણે પોતાનાં તાબામાં લઇ શકાય એમ જ નથી
👉 પણ એક વાત ધ્યાન ખેંચે એવી એ છે કે આ મોહંમદ બિન કાસિમે સિંધુ નદીની ખીણમાં એટલે કે સિંધુ નદીના કિનારે મુલતાનના રાજા દાહિરને માર્યો હતો
અ રાજા દાહિરે બહુજ બહાદુરીથી મહોંમદ બિન કસીમનો સામનો કર્યો હતો
આ સિંધુ નદી અને સિંધને અડીને જો કોઈ ભારતના અત્યારના પ્રદેશો હોય તો હોય તો એ છે કચ્છ, કાઠીયાવાડ , પંજાબ અને રાજસ્થાનના થાર પારકારના રણનાં નિકટવર્તી રાજયો
જેમાં મેવાડનો સમાવેશ કરવો હોય તો કરાય ખરો !!!
પણ કાસિમનું રાજ્ય એ તો ગુજરાતની સીમા પૂરી થાય પછી જ હતું
તાત્પર્ય એ કે એને ગુજરાત પર આક્રમણ કર્યું જ નથી
હા રાજસ્થાનનો થોડોક ભાગ એમાં જરૂર આવી જાય છે
પણ એ તો એવું પણ કહી શકાય જ ને કે એ તો ભારત-પાકિસ્તાનના ભાગલા પછી એ આપણામાં ભળ્યાં હોય
આમાં ક્યાંય પણ કાશ્મીરનો ઉલ્લેખ નથી થતો
હા….. ખાલી પંજાબના જાટોએ આ કાસિમનો મુકાબલો બહાદુરીપૂર્વક કર્યો હતો
અને એની પછી પણ આ જ જાટો એ ગઝની જેવાને પણ રોક્યો હતો !!!
પણ આમાં કાશ્મીર ક્યાં ?
અને જો રાજા બપ્પા રાવલની વાત કરીએ તો તેમને કાસિમને મુલતાનમાં હરાવ્યો હતો
અને ત્યાંથી એને એને વતન સાઉદી અરેબિયા ભગાડયો હતો !!!
બાપ્પા રાવલ જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી કે કદાચ આ કાસિમ ભારત પર મેવાડ પર આક્રમણ કરે એનો એમને અંત લાવી દીધો હતો
કહેવાનો મતલબ એ છે કે રાજા બાપ્પા રાવલે કાસીમને એનાં જ વિસ્તારમાં એટલે કે મુલતાનમાં જઈને હરાવ્યો હતો
અને ખુદ પોતે મુલ્તાનમાં રહ્યાં હતાં !!!
આમ એક રીતે તો આપને બાપ્પા રાવલના ઋણી જ ગણાઈએ કે
જે પ્રદેશમાં રાજા દાહિર હાર્યો હતો અને મરાયો હતો એ જ પ્રદેશમાં અને એનીજ ભૂમિ એજ કાસિમને હરાવીને એના પર પોતાનું આધિપત્ય જમાવ્યું હતું
આ કંઈ નાનીસુની સિદ્ધિ તો નહોતી જ !!!
👉 હવે આનો થોડોક અણસાર સમ્રાટ લલિતાદિત્યને હતો
એટલે એમણે પહેલું કાર્ય કર્યું હતું અફઘાનિસ્તાનને જીતવાનું
પણ એ પહેલાં જેના પર કોઈનું ધ્યાન નહોતું ગયું અને કોઈએ એ કાર્ય નહોતું કર્યું એવું એક ઉત્તમ કાર્ય તેમણે કર્યું હતું !!
શું હતું એ કાર્ય ?
એ કાર્ય વિગતવાર જોઈએ !!!
મુલતાન તો એ સમયે રાણા બપ્પા રાવલ પાસે જ હતું એટલે એ કબજે કરવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો
આ એક પૂર્વભૂમિકા હતી સમ્રાટ લલિતાદિત્યની વણથંભી વિજયકૂચની !!!
લલિતાદિત્યે એટલાં જ માટે પહેલાં કાશ્મીરની ઉત્તર પૂર્વીય સરહદો અને એની પેલીપારના રાજ્યો-દેશોને જીતવાનું નક્કી કર્યું હતું
સમ્રાટ લલિતાદિત્યએ પહેલાં જ પોતાની નાગવંશી પરંપરાને અનુસરીને ચીની નરેશ પાસે પોતાનો રાજદૂત મોકલ્યો જ હતો
જેમાં તેમણે ચીની નરેશ પાસે આ આરબો સામેના આક્રમણ માટે સહાયતાની યાચના કરી હતી
પણ ચીની નરેશે એ યાચિકા ઠુકરાવી દીધી હતી
આનાથી લલિતાદિત્યને ખરાબ લાગ્યું
એટલે એમને ચીનને જ પાઠ પહેલાં ભણાવવાનું નક્કી કર્યું
પહેલાં તેમણે હિમાલીય પ્રદેશ તિબેટને જીતવાનું નક્કી કર્યું
અને તેમને તિબેટ પર કબજો જમાવ્યો પણ ખરો
તિબેટ જીતનાર તેઓ પ્રથમ રાજા હતાં આપછી તેઓ ચીન તરફ આગળ વધ્યાં
અને વાછેના પ્રદેશો જીતતાં જીતતાં તેઓ ચેક પેકિંગ સુધી પહોંચી ગયાં
ખયાલ રહે કે એ વખતનું પેકિંગ એ અત્યારનું બેઇજીંગ છે અને તે તે વખતે પણ ચીની નારેશોની રાજધાની હતું
અને અત્યારે પણ ચીનની રાજધાની છે
જોકે ચીનનું ફોરબીડન સીટી ત એ વખતે બંધાયું નહોતું નહીં તો લલિતાદિત્યે એને પણ કબજે કરી ભારતીય બનાવી દીધું હોત !!!
અરે જે રાજા કારકોરમ જીતી શકતો હોય એને માટે બેઇજીંગ સ્થિત ચીનની જંગી દિવાલ કંઈ વિસાતમાં નથી
એમ કહેવાય છે કે સમ્રાટ લલિતાદિત્યે ચીનની જંગી દિવાલ પર પણ પોતાનો કબજો જમાવ્યો હતો
આ વાત કદાચ અતિશયોક્તિ ભરેલી લાગે પણ એમાં જો જરાક પણ સચ્ચાઈ હોય તો એ સચ્ચાઈ ચીને છુપાવી જ છે
પણ એક વાત તો બધા ઈતિહાસકારો છાતી ઠોકીને કહે જ છે કે સમ્રાટ લલિતાદિત્ય પેકિંગ પર પોતાનો કબજો જમાવવામાં સફળ રહ્યાં હતાં
આ વાત બહુ જ ઓછા લોકો જાણે છે જેને પણ આ વાત કરીએ તો એ લોકો એમ જ કહે છે કે
” અરે વાહ ……… એમ આ તો અમને ખબર જ નથી !!!”
જો ખબર ના હોય તો રાખવી જોઈએ કે નહીં !!!
આ ઘટના ઇસવીસન ૭૨૪ થી ૭૩૦ દરમિયાન બની હોવાનું અનુમાન છે
ચીન જેને કોઈ પણ હંફાવી નથી શકતું આજે પણ અને એ સામ્રાજ્યવાદી દેશ છે
જેને આપણા કાશ્મીરના આસ્કાઇન ચીન પ્રદેશ પચાવી પાડયો છે
એને હરાવવાનો શ્રેય સમ્રાટ લલિતાદિત્યને જાય છે !!!
આ આખી ઘટના ઈતિહાસમાંથી ડીલીટ કરીદેવામાં આવી છે ચીન દ્વારા !!!
પણ આ કાર્યના સંયોગિક પુરાવાના અભાવે ચીન બચી જાય છે આજે પણ !!!
પણ તેમાં કંઈ સમ્રાટ લલિતાદિત્યની મહતા ઓછી નથી થઇ જતી એ ખાલી જાણ સારું !!!
થોડીક અતિશયોક્તિ જરૂર છે પણ આ વાત અત્યાર સુધી તો કોઈએ પણ ખોટી તો સાબિત નથીજ કરી ને !!!
👉 આનું એક ગંભીર પરિણામ પણ આવ્યું એ પણ જાણી લેવું જોઈએ દરેકે !!!
આ રસ્તે સૈન્ય કુચ કરી શકાય છે
અને આજ રાતે ભારત અને અફઘાનિસ્તાન -સિંધ-પ્નાજબ પ્રાંત જઈ શકાય છે એ વાત મુસ્લિમ આક્રાંતોને ખબર પડી
કારણ અત્યાર સુધી તો એકલ દોકલ જ ભારતીય ભારતમાં આવતાં હતાં
અને તે પણ યાત્રીઓ પણ આ ઘટના પછી મોંગોલિયન આક્રમણકારોને પોતાનો રસ્તો ખુલ્લો થયેલો નજરે પડયો
અને શરૂથી એક મુસ્લિમ આક્રમણકારોની કુચ જેને ભારતની બરબાદી નોંતરી
આની પહેલ કરી સિકંદર બુટશિકાને
એજ તો પહેલો આક્રમણકાર બન્યો ભારત પર ચઢાઈ કરવામાં !!!
આ તો ખાલી લોકોએ મહોંમદ બિન કાસિમને મહત્વ આપ્યાં કરે છે
બાકી ભારતને લુંટવાની , મંદિરો તોડવાની અને પરાણે મુસ્લિમ બનાવવાની શરૂઆત થઇ ગઈ !!!
એ પણ કયારે જયારે લલિતાદિત્યનું અવસાન થયું પછી તરત જ !!!!
***** સમ્રાટ લલિતાદિત્યની વણથંભી વિજયકૂચ જારી રહેશે
ભાગ – ૩ માં
ભાગ -૨ સમાપ્ત !!!
આ ભાગ -૩ એ આખરી ભાગ હશે
એટલું તો અત્યારથી જ કહી દઉં છું !!! *****
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply