ઉદયભાણ રાઠોર —- વીર યોદ્ધો કે દગાબાજ ?
✅ મરાઠાઓ એમનાં જોમ,જોશ ઝનુન અને ઝઝબાત અને ઝુઝારુપન માટે જાણીતાં છે
એમાં સૌ પ્રથમ નામ આવે છે મહાન છત્રપતિ શિવાજી મહારાજનું
ઘણા દસકાઓ પહેલાની એક વાત મેં ૩-૪ વર્ષ પહેલાં અહીં ફેસબુકમાં લખી હતી
મહારાષ્ટ્રનાં પ્રખ્યાત ઇતિહાસકાર પાણીકરે સૌ પ્રથમ એ લખ્યું હતું કે —-
શિવાજી મહારાજ એક રાજપૂત ફાંટાનાં વંશજ હતાં જેઓ પેઢીઓ પહેલાં મહરાષ્ટ્રમાં જઈને વસ્યાં હતાં
ફેસબુક અને અન્ય મીડીયાઓએ પણ અને પાછળથી અનુમોદન આપ્યું છે જ
એ વાત સૌ પ્રથમ સૌ પ્રથમ જાહેરમાં મેં કરી હતી લોકો આગળ પણ અને સોશિયલ મીડિયામાં પણ
પણ …… મહારાષ્ટ્ર અને આપણે એમને મરાઠા વીર રાજા તરીકે જોઈએ છે …….
જોકે એમાં કશો વાંધો ના જ હોવો જોઈએ કોઈને પણ !!!!
✅ એક રાજા બીજા રાજા સાથે આ પહેલાં પણ યુદ્ધ તો કરતાં જ હતાં
એમાં જાતિ અને કોમે બહુ મહત્વનો ભાગ ભજવ્યો
રાજપુતોનું લાંછન કેસરિયા કરો પણ મહત્વનું યુદ્ધ જીતવામાં તેઓ નિષ્ફળ રહ્યાં છે
ઈતિહાસ એનો સાક્ષી છે જ !!!!
એ ભૂંસ્યુ મહાન છત્રપતિ શિવાજીએ !!!!
કેસરિયા કરવાં માટે નહિ પણ કેસરિયો ધ્વજ ફેલાવી ભારતને સ્વતંત્ર બનાવવું એ મહાન છત્રપતિ શિવજીની નેમ હતી
તેઓ એમાં સફળ રહ્યાં હતાં અને એટલાં જ માટે આજે માત્ર મહારાષ્ટ્ર જ નહિ પણ સમગ્ર ભારત વર્ષ એમનું સદાય ઋણી રહેશે !!!
✅ મલેચ્છોની મેલી મુરાદ હિદુ સામે હિંદુ લડાવવાની વાત તો મુસ્લિમ ધર્મ અસ્તિત્વમાં આવ્યો તે પહેલાંની જ છે
બાબરની પહેલાં મોહમ્મદ ઘોરી ,ખીલજી અને તુઘલખ આવું કરી જ ચૂક્યાં છે
તેઓ તો ઓછાં સૈન્યબળ સાથે જ ભારતમાં આવ્યાં હતાં
એમને સાથ તો આપણા જ લોકોએ આપ્યો છે જે હજી આજે પણ બનતું જ આવ્યું છે
બસ ફર્ક છે તો રજવાડાં નથી પણ લોકોને ભોળવી- ફોસલાવી તો શકાય છે
આને નામ તો જરૂર આપી જ શકાય તેમ છે —–ગદ્દાર !!!
આ લોકો જેટલાં જવાબદાર છે તેટલાં જ એમની મહત્વાકાંક્ષાને પણ પોષનાર પણ જવાબદાર છે જ છે !!!
✅ પહેલાં કઇંક ખોટું જેની સાથે બન્યું હતું તેઓ માભોમ સાથે ગદ્દારી કરવાં કેમ તૈયાર થયાં
આનો જવાબ મેળવવા માટે તે સમયનો માહોલ અને તે સમયની રાજકીય પરિસ્થિતિ અને લોકોની દશા તપાસવી અત્યંત આવશ્યક છે !!!
આપણે જેને ખરેખર ગદ્દાર કહીએ છીએ તે સાચા અર્થમાં તો એક વીર યોદ્ધા જ છે !!!
આવો જ એક વીર યોદ્ધો ભારતની ભૂમિમાં જન્મ્યો પણ હતો અને ભારતનાં તે વખતના રાજવંશ માટે લડયો પણ હતો …..
નામ છે એનું ઉદયભાણ રાઠોર !!!
ઇતિહાસમાં અમર થવામાં નામ આમ તો વિના સંકોચે તાનાજી માલસુરેનું લઇ શકાય
એ વાત તો સિદ્ધ થઇ જ ચુકી છે જાણે પણ એની સાથે યુદ્ધ કરનાર મોગલસેના વતી લડનાર આ ઉદયભાણ રાઠોર પણ કઈ કમ વીર યોદ્ધો નહોતો !!!
ઇતિહાસે આ વાત એટલાં માટે આગળ કરી છે કે હિંદુ-હિંદુ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય !!!
✅ તાનાજી માલસુરે વિષે આ પહેલાં ૨ વર્ષ અગાઉ હું sharein india.inમાં લખી જ ચુક્યો છું
એટલે એ વાત હું અહીં દોહરાવતો નથી પણ એમાં આ નામ ઉદયભાણનું આવે જ છે
એ વખતે આ નામ એટલું પ્રચલિત નહોતું
અને એ ગદ્દાર પણ નહોતો કહેવાતો અને એ માટે આટલો વિવાદ પણ નહોતો ઉભો થયો !!!
હાલમાં રજુ થયેલી ફિલ્મ તાનાજીને લીધે આ નામ પ્રચલિત થયું છે અને ચર્ચાનાં વિષયનું એક કેન્દ્રસ્થાન પણબની ગયું છે !!!
✅ સવાલ એ પેદા થાય છે કે કોણ હતો આ ઉદયભાણ રાઠોર અને એ કેમ ગદાર બન્યો કહેવાનો મતલબ એ છે કે કેમ એણે માતૃભુમી સાથેવિશ્વાસઘાત કર્યો ?
✅ થોડીક જાણકારી આ ઉદયભાણ રાઠોર વિષે ——-
✅ ઉદયભાણ રાઠોર નું અખુનામ ઉદયભાણ સિંહ રાઠોર હતું
આમેય રાજપૂતોમાં સિંહ તો લખાય છે જ એટલાં માટે !!!
એમનો જન્મ સન ૧૬૩૫માં થયો હતો અને મૃત્યુ સન ૧૬૭૦માં ચોથી ફેબ્રુઆરીએ
તાનાજી દ્વારા સિંહગઢ (કોંકણા) કિલ્લાની લડાઈમાં !!!
એમનો જીવનકાળ માત્ર ૩૫ જ વર્ષનો રહ્યો હતો
તેઓ જન્મે અને કર્મે હિંદુ હતાં !!!
પણ તેમણે મોગલો વતી આ કિલ્લાની ની રક્ષા કાજે છત્રપતિ શિવાજીના સુબેદાર મહાન યોદ્ધા તાનાજી સાથે યુદ્ધ કર્યું હતું અને તેમાં જ તેઓ ને વીર તાનાજી બન્ને માર્યા ગયાં !!!
✅ ઇતિહાસમાં ઘણાં બધાં પ્રકારના યોદ્ધા અને ઘણીબધી જાતિનાં યોદ્ધાઓ થયાં છે
જેમને પોતાનો જાન જોખમમાં નાંખીને ભારતમાતાની રક્ષા કરી છે
આપણા ઇતિહાસની એક ખામી એ પણ છે કે આ બધા યોદ્ધાઓની લડાઈઓ કે જે મોગલ સલ્તનત થયેલી તેના જ સાક્ષ્ય પ્રમાણો વધારે જોવાં મળે છે
એ પહેલાના રજાઓ કથિત પ્રમાણના અભાવે છટકી જતાં ઈતિહાસકારોને હાથે જોવાં મળે છે
જો કે “રાસો સાહિત્ય “ને લીધે એમની પરાક્રમગાથાઓ આપણા સુધી પહોંચી જરૂર છે !!!!
✅ મોગલો સાથે લડાઈ થવાની વાત તો સર્વસામાન્ય છે
પરંતુ ઇતિહાસમાં એક એવો વ્યક્તિ પણ થયો છે જે હિંદુ હોવા છતાં મોગલો તરફથી લડયો હતો
અને આ ક્રૂર હિંદુ રાજાનું નામ ઉદયભાણ રાઠોર હતું !!!
ફિલ્મને લીધી એ ચર્ચામાં આવ્યું એટલે મને થયું કે લાવ એ વિષે પણ થોડુંક લખી જ દઉં !!!
એટલાં જ માટે હું આ લખવા પ્રેરાયો છું
✅ અરે ભાઈ કોણ છે આ ઉદયભાણ રાઠોર ?
✅ ઉદયભાણ સિંહ રાઠોર એક રાજપૂત યોદ્ધા હતાં જેમનો હોંસલો અત્યંત બુલંદ અને ઘણાં જ બુદ્ધિશાળી હતાં
સાથોસાથ એ મહાન વીર પણ હતાં કારણકે એમની તલવારબાજી કાબિલેતારીફ હતી
એમાં એમને ખાસ મહારત હાંસલ હતી
એમની તલવારબાજી આગળ મોટાં મોટાં યોદ્ધાઓ પણ નહોતાં ટકી શકતાં !!!
જયારે ઉદયભાણ સિંહ રાઠોર યુદ્ધ કરતાં હોય ત્યારે એમને નજરઅંદાજ કરવાં મુશ્કેલ હતાં !!!
પણ આ ઉદયભાણ સિંહ રાઠોર રાજપૂત રાજા નહોતાં અપિતુ કોંડાના કિલ્લાના એક રક્ષક હતાં જેમને મોગલ રાજા જયસિંહ પ્રથમ દ્વારા નિયુક્ત કરવામાં આવ્યાં હતાં.
તેઓ ઔરંગઝેબના કાર્યકાળ દરમિયાન મુગલસેનાના સેનાપતિ હતાં !!!
✅ ઉદયભાણ સિંહ રાઠોર દ્વારા લડાયેલું અંતિમ યુદ્ધ ———-
ઉદયભાણ સિંહ રાઠોર જાતિથી એક હિંદુ રાજપૂત હતાં પરતું ઇતિહાસમાં એમને એમણે મોગલોને સાથ આપ્યો હતો એ પણ એટલી જ સાચી વાત છે ………
એમને ઔરંગઝેબ દ્વારા મોગલોના સુબેદાર બનવવામાં આવ્યાં પરતું આ કેવી રીતે સંભવ બન્યું ???
એક હિંદુ રાજપૂત કે જે મૂળે હિન્દુસ્તાનનો રહેવાસી છે એણે મોગલોનો સાથ કેમ કરી આપ્યો ???
કેમ એ મોગલો તરફથી પોતાનાં જ હિંદુ દેશના મરાઠા છત્રપતિ શિવાજીની વિરુદ્ધ લડયા
અને કેમ મોગલોએ એના પર આટલો વિશ્વાસ કર્યો અને એણે આટલી મોટી જવાબદાર સોંપી ?
આ બધાંના જવાબ મેળવવનો દરેકનો અધિકાર છે !!!
✅ તો લ્યો એનો જવાબ થોડો સવિસ્તર ——–
✅ આ વાત છે સન ૧૬૭૦ની જ્યારે છત્રપતિ શિવાજીએ નિશ્ચય કર્યો હતો કે કોંડાનાનો કિલ્લો જીતવા માટે એના પર તેઓ ચડાઈ કરશે
કારણકે આ કિલ્લો જીતવો ખુબ જ જરૂરી હતો કેમ કે સુરક્ષાની દ્રષ્ટિએ આ સૌથી મહત્વપૂર્ણ કિલ્લો હતો
જેને જીતીને મરાઠા સામ્રાજ્ય પોતાનું ખોયેલું આત્મસન્માન પાછું મેળવવા માંગતા હતાં અને કોંડાના પાછું મેળવવાની જીદ ખુદ શિવજીની માતા જીજાબાઈની હતી !!!
એમણે જ શિવાજી મહારાજને એ આદેશ આપ્યો કે એ કોંડાના પર ચડાઈ કરે અને એને પાછું મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દે !!!
આ કાર્ય જેટલું સહેલું લાગતું હતું એટલું હતું નહીં તાત્પર્ય એ કે આ કાર્ય અત્યંત કઠીન હતું !!!
એક તો આ કિલ્લો દુર્ગમ હતો અને બીજું એ કે મોગલોએ આ કિલ્લાનો સુબેદાર ઉદયભાણ સિંહ રાઠોરને બનવ્યો હતો !!!
જેને ખબર તી હતી કે કિલ્લાની સુરક્ષા કેવી રીતે કરાય તે !!!
✅ ઉદયભાણ સિંહ રાઠોરએક બહુ જ શક્તિશાળી યોદ્ધા હતાં અને તેઓ શરુ શરૂમાંતો હિંદુ સામ્રાજ્યના જ વફાદાર હતાં
પરંતુ પાછળથી મોગલોએ એમનાં સાહસ અને શૌર્યથી પ્રાભાવિત થઈને એમને પોતાની સાથે મિલાવીને એમનો આ કિલ્લના સુબેદાર બનાવ્યા
આ જ તો એક રાજનીતિ -કૂટનીતિની ચાલ હતી ઔરંગઝેબની જેમાં તે સફળ પણ રહ્યો !!!
તો ય મનમાં એ પ્રશ્ન એ જરૂર ઉભો થાય કે ઔરંગઝેબ તો આવું કરે એમાં કશી નવી નથી પણ ઉદયભાણ સિંહ રાઠોર જેવો વીર યોદ્ધો એના કહ્યામાં આવ્યો કેવી રીતે ?
✅ આ માટે થોડાં પાછા પગલાં ભરવાં આવશ્યક છે …….
✅ આ એ સમયની વાત છે કે રાજઘરાનામાં જગતસિંહનાં રાજમહેલમાં રાજકુમારી કમલાદેવીને તલવારબાજી શીખવાડવાં જતાં હતાં
એ વખતે એમની મુલાકાત રોજ જ રાજકુમારી સાથે થતી હતી
સમય વીતતાં વીતતાં ઉદયભાણ સિંહ રાઠોર એ રાજકુમારીને પ્રેમ કરવાં લાગે છે !!!
થોડાં દિવસો પશ્ચાત ઉદયભાણ સિંહ રાઠોરરાજકુમારીએ પોતાનાં પ્રેમનો પ્રસ્તાવ મુકે છે
રાજકુમારી એમ કહીને એ પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવી દે છે કે —–
રાજકુમારી ને ઉદયભાણ સિંહ રાઠોરનો કોઈ મેળ ખાય જ નહીં અને આપનું મિલન ક્યારેય થઇ શકે જ નહીં !!!!
ત્યારે ઉદયભાણ સિંહ રાઠોર એમ કહે છે કે —–
“કેમ કોઈ મેળ ખાતો નથી મારાં પિતાજી પણ એક મહંત છે ”
ત્યારે રાજકુમારી એણે મ જવાબ આપે છે કે —–
” મ ને બધી જ ખબર છે કે તમારા પિતા એક મહંત છે પણ તમારી માતા ……..”
બસ આનાથી આગળ એ કશું જ કહેતી નથી
અને એ ચુપ થઇ જાય છે !!!
પણ આ વાત ઉદયભાણ સિંહ રાઠોરને ચુભાઈ જાય છે અને એણે રાજપૂતો પ્રત્યે નફરત થવા લાગે છે
તે પાછાં તો ફરી ગયાં અને માતાને ભેટી પડયા અને માતાને ગળે લગાડીને એક પ્રણ લે છે કે
અને પ્રાણ અનુસાર જ તેઓ મોગલો આગળ પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે જેનાથી ખુશ થઈને મિર્જા રાજા જયસિંહ ઉદયભાણ સિંહ રાઠોને મોગલસેનામાં શામિલ કરી દે છે !!!
અને આ તો ભાવતું’તુંને વૈદે કહ્યું એનાં જેવી જ વાત થઇ !!!
બદલો લેવાની ભાવનાનું તો આ પ્રથમ સોપાન હતું !!!
એમાં ને એમાં ઉદયભાણ સિંહ રાઠોરે મોગલોને સાથ આપી જ દીધો અને એ રાજકુમારીના લગ્ન જે રાજકુમાર સાથે થયાં હતાં એણે મારી નાંખીને અને રાજકુમારીને બંદી બનાવીને પોતાની સાથે લઇ જાય છે ઉદયભાણ સિંહ રાઠોર !!!
✅ આ એક પ્રેમ પ્રસંગને કારણે જ ઉદયભાણ સિંહ રાઠોર બદલો લેવાં માંગતા હતાં
અને આ જ બદલની ભાવનાથી રાજપૂત ઉદયભાણ સિંહ રાઠોર મોગલોને સાથ આપે છે /આપ્યો હતો !!!
એમની આ શક્તિ જોઇને જ મોગલોએ મોકાનો લાભ ઉઠાવ્યો અને ઉદયભાણ સિંહ રાઠોરને કોંડાનાના કિલ્લાના સુબેદાર બનાવી દીધાં !!!
✅ બસ માત્ર આટલું જ કારણ છે કે એક હિંદુ રાજપૂત હોવાં છતાં પણ ઉદયભાણ સિંહ રાઠોર મોગલોની સેના તરફથી લડે છે
તેમ છતાં એક પ્રશ્ન જરૂર દરેકના મનમાં ઉભો થાય જ છે કે આખરે ઉદયભાણ સિંહ રાઠોરની માં એ કોણ હતી કે
જેને કારણે રાજકુમારી કમલાએ આ પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો !!!
એ જવાબ તો કોઈ જ આપી શકે એમ નથી !!!
✅ ઉદયભાણ સિંહ રાઠોર વિષે તો આટલું જ બસ છે
તાનાજી વિષે તો લખ્યું જ છે
રહી વાત ફિલ્મની તો એ વખત આવે એ લખીશ ત્યારે કહીશ
✅ થોડીક ટીપ્પણી અવશ્ય કરવાનું મન થાય છે
એક માતાનું ખોયેલું આત્મસન્માન પાછું અપાવવા એક ક્ષત્રિય રાજાએ ભારતને એક કર્યું હતું
જેનો મુકાબલો પૃથ્વી પર કોઈ રાજા કરી શકે એમ જ નહોતો
માતાને સન્માન પણ અપાવ્યું અને ભારતને એક પણ કર્યું
નામ છે એમનું ——- ચક્રવર્તિ સમ્રાટ અશોક !!!
માતાને ખોયેલું સન્માન અપાવવાની આનાથી વધારે સારી રીત બીજી કઈ ????
કોઈ કહેશો જરા મને !!!
જે રસ્તો ઉદયભાણ સિંહ રાઠોરે અખત્યાર કર્યો એ સરસર ખોટો જ કહેવાય !!!
આ જ કારણે મલેચ્છો ૮૦૦ વર્ષ રાજ કરી શક્યાં !!!
ઉદયભાણ સિંહ રાઠોરનો બચાવ તો નથી કરતો પણ એટલું તો અવશ્ય કહું છું કે શિવાજી પણ મૂળે રાજપૂત હતાં અને શિવાજીનો એક વફાદાર નુર મોહમદ પણ મુસ્લિમ જ હતો
આમાં નાત જાતને આડે ના લાવશો કોઈ !!!!
“ભગવા” કાજે બધાં એ એક થવાની જરૂર હતી
આપણી એકતા ખંડિત તો પહેલાં પણ થઇ હતી ……… ઔરંગઝેબ વખતે પણ થઇ હતી અને આજે પણ થતી રહી છે !!!
માતાનું ખોએલું સન્માન તો દૂરની બાબત છે પહેલાં આપણે આપણા ખોવાયેલાં -ભ્રમિત થયેલાં આત્મસન્માનને પાછાં મેળવવાની જરૂર છે !!!
✅ ફિલ્મમાં અમુક વાતો ઢંગધડા વગરની છે
ઈતિહાસ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે
ખેર એ વાત ફિલ્મના રીવ્યુ વખતે રાખો !!!
✅ આ લેખનું હાર્દ આપણે જેટલાં જલ્દી સમજીએ એટલું વધારે સારું છે !!!
!! જય માં ભવાની !!
!! જય હિન્દ !!!
————– જનમેજય અધ્વર્યુ
🔪🗡🔪🗡🔪🗡🔪🗡🔪🗡
Leave a Reply