🏏 ભારત -ઓસ્ટ્રેલીયા વનડે શ્રેણી એક નક્કર સચ્ચાઈ 🏏
(આઈ સી સીની ભૂમિકા )
A Must Read Staus
અમારે વર્લ્ડકપની તૈયારી કરવાં ભારત આવવું છે
તૈયાર નહોતું ભારત પણ ICCના ફરમાન આગળ ભારતનું એક ના ચાલ્યું
આમ ઓસ્ટ્રેલીયા બિન બુલાયે મહેમાન બન્યું છે
તેની આબરૂ પાછી લાવવા જ સ્તો !!!
આમાં ભરતજ એને મદદ કરે છે અને આઈ સી સી પણ !!!
આ ICC ક્વોલીફાયરના નામે લગભગ દરેક મહીને મેચ રમાડે છે
જેમાં અફઘાનિસ્તાન, આયર્લેન્ડ, સ્કોટલેંડ, UAE, બેહરીન , નેપાળ કેન્યા , નામિબિયા , સિંગાપુર,હોંગકોંગ, કટાર , કુવૈત એવા અનેક નાનાં નાનાં દેશો વચ્ચે રમાડે છે
એમાં અફઘાનિસ્તાન અને નેપાળ પાસે તો ક્રિકેટના ગ્રાઉન્ડસ પણ નથી
અમ ભારત બહુજ મદદ કરે છે
આ ટીમાં અફઘાનિસ્તાન ,આયર્લેન્ડ અને સ્કોટલેંડ આગળ આવે છે
આમાંના બેને તોટેસ્ટમેચ રમવાનો દરજ્જો પણ મળી ગયો છે અફઘાનિસ્તાન તો ટેસ્ટમેચ આપણીસામે રમ્યું પણ ખરું
વર્લ્ડકપમાં પણ આ ત્રણે ટીમો હશે જ હશે !!!
આવી મેચોમાં અનેકો વિશ્વવિક્રમ થાય છે
જોકે એ એમની આવડત અને મહેનતથી રમીને બનાવે છે
પણ ……. જો વર્લ્ક્પની મેચોમાં અમુક જ તોમોનો સમાવેશ કરવાનો હોય તો માત્ર એકાદ બે ટીમો ખાત્ર આવા પ્રયોગો શું કામ ?
જો રમાડવી જ હોય તો સારી ટીમો સાથે એમને રમાડો
આયર્લેન્ડ- સ્કોટ સામે તો ભારત,ઇંગ્લેન્ડ પાકિસ્તાન વગેરે આગાઉ ઘણી શ્રેણીઓ રમી જ ચુક્યું છે
પ્રશ્ન અફઘાનિસ્તાન અને નેપાળ તથા હોંગકોંગનો છે !!!
આ દેશો આગળ આવે છે પણ પણ ઓછી આંતરરાષ્ટ્રીય મેચો અલબત્ત સારાં દેશો સામે અને અનુભવની કમીને કારણે તેઓ એકાદ વર્લ્કાપ પછી પાછા આવા ક્વોલીફાય્રમાં ફેંકાઈ જાય છે
આવું ના જ થવું જોઈએ
એનો સારો રસ્તો છે ત્રિકોણીય શ્રેણી રમવાનો
જેમ કે આ વખતે ભારત -ઓસ્ટ્રેલીયા રમે છે તો એમાં સ્કોટલેંડ કે નેપાળ કે હોંગકોંગને સામેલ કરવાં જેવું હતું
તો જ તેઓ આગળ આવશે
ઝીમ્બાબ્વે આ જ રીતે આગળ આવ્યું હતું
શ્રીલંકા જે આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યું હતું તે સાઉથ આફ્રિકા સામે એમના જ ઘરે ટેસ્ટ મેચની શ્રેણી જીતીને પાછો મેળવી ચુક્યું છે
તેમની સામે આવી શ્રેણીઓ રમાડો
અફઘાનિસ્તાન તો રમ્યું જ છે આવી શ્રેણી બાંગ્લાદેશ સામે તો શ્રીલંકા સામે કેમ નહીં
આવું જો કરવામાં આવે તો શ્રીલંકા પણ પાછું ઊંચકાશે એમાં બે મત નથી
અને દુનિયાને આવી શ્રેણીઓમાથી સારાં ખેલાડીઓ મળશે જ મળશે !!!
બાકી ……. અમુક ખેલાડીઓ તો કમિન્સ, રબાડા, ક્રીસ વોક્સ, એન્ડરસન , સ્ટાર્ક, ટ્રેન્ટ બોલ્ટ, સાઉથી કે બુમરાહ
કે પછી નેથન લિયોન, ઝામ્પા, આદીલ રશીદ . મોઈન અલી , નિશામ , સોઢી , કુલદીપ યાદવ કે અશ્વિન કે જાડેજાનો મુકાબલો કરી શકતાં નથી
એક વાર હાર્યા ફોર્મેટણે કારણે ફરી કયારે રમવા મળશે એની જ એમને ખબર નથી હોતી
આ માટે આવી શ્રેણીઓ યોજો !!!!
હવે પાછી ઓસ્ટ્રેલિયાની વાત
એ ટીમ ૫ વાર વર્લ્ક્પ જીતી ચુકી છે એની ક્ષમતા વિષે કોઈ જ શંકા નથી
પણ એનું સ્ટાર ખરાબ જ નથી તો એને આવી તક શું કામ આપી ભારતે ?
બે દેશો વચ્ચે શ્રેણીઓ દર ૪ વર્ષે રમાય છે
અને તરતજ તો નથી રમાતી આ
અમે આવ્યાં પછી તમે આવો તરત જ આવી શ્રેણી પાછળ એકાદ વર્ષનો ગાળો તો જરૂર હોય છે
જેમકે વેસ્તીન્દીઝ્માં બાંગ્લાદેશ હાર્યું
એનાં લગભગ એક વર્ષ પછી વેસ્ટઇન્ડીઝ બાંગ્લાદેશમાં હાર્યું !!!
સચિનની રીટાયરમેન્ટ વખતે વેસ્ટ ઇન્ડીઝ ભારત આવેલું
સન ૨૦૧૩નાઅંતમાં પછી છેક ૨૦૧૮ના અંતમાં ભારત આવેલું
આ બે શ્રેણીઓ વચ્ચેનો ગાળો કેટલો ?
૫ વરસ
આવું જ ઓસ્ટ્રેલીયા સામે પણ બન્યું હતું
ભારત ઓસ્ટ્રેલીયા દર ચાર વરસે ગયું છે અને ઓસ્ટ્રેલીયા પણ દર ચાર વરસે ભારત આવ્યું છે
પણ એ ટેસ્ટ મેચ માટે એમાં ઘણી વખત વન ડે શ્રેણી અને ટી ૨૦ શ્રેણી સામેલ હોય છે ગની વખત ટેસ્ટ મેચ પૂરી થાય પછી ૧-૨ મહીને એ પાછી આવે છે વનડે અને ટી ૨૦ ર્શ્રેની રમવા માટે
કોક કોક વાર ત્રિકોણીય શ્રેણી પણ રમાય છે
ત્યારે આ પાછું આવવું સાર્થક ગણાય
ભારત છેલ્લા ૧૦ વરસમાં ૨જ વાર ઓસ્ટ્રેલીયા ગયેલું
આમેય ભારત અત્યાર સુધીમાં ૭ વખત જ ઓસ્ટેલિયા ગયું હતું
અને ઓસ્ટ્રેલીયા પણ એટલી જ વખત ભારત આવ્યું છે
પણ આ વનડે સ્શ્રેનીઓના અને ટી ૨૦ શ્રેણીઓના વાટકી વહેવારે તો માઝા જ મૂકી છે
વનડે શ્રેણીની વાત કરીએ તો આ અગાઉ ઓસ્ટ્રેલિયા ભારત ૨૦૧૭ -૧૮માં જ ભારત આવ્યું હતું
જેમાં ઓસ્ટ્રેલીયા ૪-૧ થી શ્રેણી હર્યું હતું
એ પહેલાં ઓસ્ટ્રેલીયા ભારત ૨૦૧૩ -૧૪માં આવ્યું હતું
જેમાં ભારત ૩ -૨ થી શ્રેણી જીત્યું હતું
એ પહેલાં ૨૦૧૦-૧૧માં આવ્યું હતું
જેમાં ભારત ૧-૦થી જીત્યું હતું
એ પહેલાં ઓસ્ટેલિયા ભારત ૨૦૯-૧૦માંઆવ્યું હતું
જેમાં ભારત ૪-૨થી શ્રેણી જીત્યું હતું
આમ છેલ્લા ૧૦ વર્ષમાં પ વાર ઓસ્ટ્રેલીયા ભારત આવ્યું છે
આટલું તો ઇંગ્લેન્ડ , સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ કે વેસ્ટ ઇન્ડીઝ પણ નથી આવ્યું !!!!
આવું કરવાનો આશય શું છે એજ સમજમાં નથી આવતો મને તો !!!
તરતને તરત ઉપરાછાપરી શ્રેણીઓ રમાડવી કેટલે અંશે વ્યાજબી ગણાય
ભારત ઓસ્ટ્રેલીયા ગયું
ભારત તરતજ ન્યુઝીલેન્ડ ગયું
અને
ઓસ્ટ્રેલીયા તરતજ ભારત આવ્યું
સ્મિથ -વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ત્રેલીની ટીમને આત્મવિશ્વાસ વધારવાને બહાને બોલાવીને એને જીતની ભેટ ધારાવે ભારત ઓ તેમાં નવાઈ નહીં
કારણકે પછી તરત જ આઇપીએલ જો રમાવાની છે
એમાં તૈયારી કરવી હતી ને! !!
અમે ત્યાં જીત્યાં તો તમને અહીં જીતવા દઈશું કદાચ !!!!
ખેલાડીઓના ભોગે જ સ્તો !!!
એટ લીસ્ટ ભારતનું ક્રિકેટ બોદ્દ દુનિયામાં સૌથી પૈસાદાર અને વગવાળું છે
એણે પોતાનો પક્ષ રાખવાની જરૂર હતી !!!!
ઓસ્ટ્રેલીયા સારું રમ્યું છે અને સારું જ રમે છે એ વાત તો જાણે બધાને જ ખબર છે
એમાં એ ટીમનો કોઈ વાંક ણા ગણાય
પણ આપની આબરૂ જાય છે એનો તો વિચાર કરો જરા !!!!
એક નજર આવી શ્રેણીઓ પર
આપના સુકાની અન્ય દેશોના ખેલાડીઓના બયાન જ આ શ્રેણી કોણ જીતશે તેની ભવિષ્યવાણી કરી જ દેતાં હોય છે
ખેલાડી આવી શ્રેણી ફિક્સ કરતાં હોય છે ?
“ના”
કોચ ફિક્સ કરતાં હોય છે
” આ શક્યતા નકારી શકાય એમ નથી જ ”
પણ આ શ્રેણીઓનું પરિણામ પહેલેથીજ નક્કી હોય છે
એની બાગડોર ICC પાસે જ હોય છે
કોણ કઈ મેચ કે કઈ શ્રેણી જીતશે એ બધું પહેલેથી જ નક્કી કરેલું હોય છે
કારણકે ICCને તો કમાણીમાં જ રસ છે
બાકી ખેલાડીઓ તો ખાલી ફ્રેન્ડલી એપીયરન્સ જ આપતાં હોય છે
મેચ ફિક્સિંગનો આરોપ ખેલાડીઓ પર લાગે છે જ્યારે હકીકત કંઈ ઓર જ હોય છે
આમાં બિચારા બુકીઓ તો નવાણીયા જ કુટાઈ જાય છે
કયો ખેલાડી કેટલા રન મારશે?
કયો બોલર કેટલી વિકેટ લેશે ?
કઈ ટીમના કેટલા રન થશે?
કોણ કઈ રીતે ફાઈનલમાં પહોંચશે ?
આ બધું આઈસીસી જ પહેલેથીજ નક્કી કરીને બેઠી હોય છે
એટલે અપના રેકોર્ડ તો બનતા ભાડમેં જાય જનતા
એવી જ નીતિ દરેક ક્રિકેટ ટીમ અપનાવતી હોય છે
આ વાતનો પુરાવો ગત વર્ષે પૂરી થયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીએ આપી જ દીધો
ભારત અને પાકિસ્તાનને ફાઈનલમાં લાવવા એમને ખુદ ઇંગ્લેન્ડ અને શ્રીઅલંકા અને આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયાનો ભોગ લીધો
ભારત -પાકિસ્તાન ફાઈનલમાં તો આવ્યાં ?
ત્યાં આઈસીસીનો હેતુ પૂરો જ થઇ ગયો હતો
પણ આપણા જ ખેલાડીઓએ વેચાઈ જઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો ?
આ આગાઉ અને આ વખતે આવા ખેલાડીઓ મેચફિક્સીંગમાં સામે આવે છે
જે પણ ના જ ચલાવી લેવાય !!!!
પોતાનાં પગતળે રેલો ના આવે માટે આઈ સી સી આવી મેચ ફિક્સિંગની તપાસ કરે છે અને એમને દંડે છે
જયારે હકીકતમાં તો તેઓ પોતેજ ગુનેગાર હોય છે !!!
આપણે જયારે ઇંગ્લેન્ડ હમણાં જઈ આવ્યાં ત્યારે ત્યાંના મીડીયાએ એક વાત લીક કરી દીધી
કે આઈ સી સી આવનાર વર્લ્ડકપમાં ફાઈનલમાં ઇંગ્લેન્ડ અને ભારતને લાવવા માંગે છે
અત્યારે આ વિશે હું કશું નથી કહેતો
પણ ભૂલેચૂકે જો ભારત ઇંગ્લેન્ડ ફાઈનલમાં આવે તો આ વાત સ્વીકારજો !!!
રેકોર્ડ પણ કાયમી નથી અને જીતની આદત પણ કાયમી નથી
આ વાત અપને પણ સમજી લેવાની જરૂર છે
પરિણામ જનતા હોઈએ એવી મેચ જોવાનો શું અર્થ ?
કાલની મેચમાં મને આવું અવશ્ય લાગ્યું છે ?
જેનો અણસારો મેક્સ્વેલના સ્ટેટમેન્ટ “આ વખતે ધોની પણ ભારતને બચાવી નહિ શકે”
એ વાત પરથી આવી જ ગયો છે
જો ભારત વ્યવસ્થિત રીતે રમે અને પોતાની અભા વિકસાવે તો જ
આવી કહીસુની વાતો અને અગાઉથી નિશ્ચિત થયેલાં પરિણામો બદલાઈ શકે છે
ભારતણા દર્શકો માટે ભારતીય ખેલાડીઓ રમે એવી મારી પ્રાર્થના છે
બાકી મેચ પત્યાં પછી કે શ્રેણી પત્યાં પછી જરાય દુખ લગાડવાની જરૂર જ નથી !!!!
પરિમાણ બદલો તો પરિણામ પણ બદલાશે !!!
નહીં તો એજ વોહી રફતાર !!!
અસ્તુ !!!
——— જનમેજય અધ્વર્યુ
🏆🏆🏆🏆🏆
Leave a Reply