Sun-Temple-Baanner

વિશ્વ ચશમીસ દિવસ – ૧૮ માર્ચ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


વિશ્વ ચશમીસ દિવસ – ૧૮ માર્ચ


👓 વિશ્વ ચશમીસ દિવસ 👓
(૧૮ માર્ચ )

✅ એ તમે ગાંધીજીને કઈ રીતે ઓળખો છો?
ગાંધીજીની ઓળખાણ માત્ર પોતડીથી જ નહીં પણ એમના ચશ્માથી દુનિયાને થઇ હતી
એમની એ ચશ્માની ફ્રેમ આજે પણ ગાંધી આશ્રમમાં સચવાયેલી છે જ લોકો એ જોવાં ખાસ જાય છે
રેંટીયો અને ચશ્માં એ એમનું આગવું વ્યક્તિત્વ ઉપસાવનાર અંગો છે
એમનો નિખાર અને આભા આ ચશ્માથી જ થયો હતો
દુનિયાના કંઈ કેટલાય લોકો છે જેમનું વ્યકતિત્વ આ “ચશ્મા”ને કારણે જ જાણીતું થયું હતું
ભારતીય આર્યનારીની સાદગી અને સુંદરતા પણ “ચશ્મા”થી જ ખીલી ઉઠે છે !!!
હવે આ ચશ્માની શોધ કોણે કરી એવો પ્રશ્ન તમારાં મનમાં જરૂર ઉભો થાય એ સવ્ભાવિક જ છે
આજે એને આપને ૧૮મી માર્ચે વિશ્વ ચસમીસ દિવસ તરીકે ઓળખીએ છીએ
ઈન્ટરનેટ અને વોટસએપ ના હોત તો તો આપણે આવા દિવસોથી વંચિત જ રહી જાત !!!

✅ ચશ્માનો ઈતિહાસ ———

✅ ચશ્માનો ઈતિહાસ આશરે ૭૦૦ વરસથી પણ વધુ પુરાણો છે
ચાસ્માનો વિધિવત આવિષ્કાર ઇસવીસન ૧૨૮૬માં ઇટાલીના ખુબજ જાણીતા નગર પીસામાં એક શોધકારે કર્યો હતો
અફસોસ એ વાતનો છે કે આટલી મહાન શોધના શોધકનું નામ પણ આપણને સુધ્ધાં ખબર નથી
આ પિસાએ એના ઢળતાં મિનારા માટે જાણીતું છે એ તો આપ સૌ જાણતા જ હશો !!!
જોકે આ અજ્ઞાત શોધકની આ મહાનતમ શોધને લોકપ્રિય બનવવાનું કામ
એક રોમન કેથોલિક ભિક્ષુ આલેઝાંદ્રો ડેલા સ્પિનાએ કર્યું હતું !!!
વેનિસમાં એક કાચ ઉદ્યોગની ઉપસ્થિતમાં તેરમી – ચૌદમી સદીમાં ઈટાલીમાં લોકપ્રિય બનાવવમાં અને એનાં ઉત્પાદનમાં મહત્વનું યોગદાન આ રોમન કેથોલિક ભિક્ષુએ કર્યું હતું

✅ પેટ્રાક (૧૩૦૪-૧૩૭૪) આ માણસ કે જેનેમાનવવાદીનો અગ્રણી માનવામાં આવે છે એણે
પોતાની પ્રેમપૂર્ણ કવિતાઓ માટે ઓળખવામાં આવે છે એણે
પોતાના પુસ્તક “લેટર્સ ટુ પોસ્ટારિટી”માં પોતાની આંખો અને નજર કમજોર હોવાને લીધે
ચશ્માનો વપરાશ અને ઉપયોગ કરવાંનો ઉલ્લેખ કર્યો છે !!!

✅ વગર પ્રકાશ વિજ્ઞાન (ઓપ્ટીક્સ) ઓપ્ટિક્સના વિકાસની સમજ વિના, ચશ્માનો ઇતિહાસ સમજી શકાતો નથી.
પ્રાચીન ગ્રીકમાં, એરિસ્ટોટલ પહેલાં, તે એક માન્યતા હતી કે વસ્તુઓ આપણને દેખાય છે
કારણ કે આપણા આંખોમાંથી આવતા પ્રકાશ તેમના પર પડે છે.
યુક્લિડે આ વિચારને બરતરફ કર્યો અને કહ્યું કે વસ્તુઓ પોતાને આંખોમાં પ્રકાશની કિરણો મોકલે છે,
જેના કારણે તેઓ આપણને જુએ છે.
પરંતુ ઓપ્ટિક્સ પર ઇબ્ન અલ-હયથમે સૌથી ક્રાંતિકારી અને સૂચક પુસ્તક લખ્યું

✅ ૧૧મી સદીમાં લખાયેલાં ઇબ્ન અલ-હયથમનાં પુસ્તકનું શીર્ષક હતું ——- ” કિતાબ અલ મનાજીર’ એટલેકે બુક ઓફ ઓપ્ટીક્સ !!!
આ પુસ્તક ઇસવીસન ૧૫૭૨માં લેટીન ભાષમાં પણ અનુવાદિત થયું હતું !!!

✅ મધ્યયુગીન ઇસ્લામ અને વિજ્ઞાનના વિદ્વાન, હોવર્ડ ટર્નરે જણાવ્યા પ્રમાણે,
વિવિધ માધ્યમો (દા.ત. મધ્યમ, પવન, પાણી, ગ્લાસ વગેરે) દ્વારા પ્રકાશને કેવી રીતે રિફ્રેક્ટ કરવામાં આવે છે તે પ્રથમ અભ્યાસ કરે છે. છે
અથવા વિચલિત છે.
ઇબ્ન અલ-હયથમે પણ બતાવ્યું કે સુર્યાસ્ત સમયે ક્ષિતિજથી નીચે રહીને પણ સૂર્ય
આપણને વાતાવરણમાં થનારાં પ્રકાશનાં અપવર્તનણે કારણે આપણણે તે જોવાં મળે છે
ટૂંકમાં —– પર્યાવરણમાં પ્રકાશના પ્રતિબિંબને કારણે સૂર્યાસ્ત કેવી રીતે જોવા મળે છે
તે આનાથી સાબિત થતું , ફલિત થતું જોવાં મળે છે !!!
ચીનમાં પણ, ચશ્માનો ઉપયોગનો પ્રથમ ઉલ્લેખ ૧૫ મી સદીની મધ્યમાં પ્રથમ થતો જોવાં મળે છે.

✅ દૂર દ્રષ્ટિદોષ માટે તો ઉત્તલ લેન્સનો પ્રયોગતો ૧૬મી સદીની પહેલાં જ શરુ થયો હતો
પણ નિકટ દ્રષ્ટિદોષ માટે અવતલ લેન્સનો નો પ્રયોગ તો ૧૬મી સદીમાં જ શરુ થઇ શક્યો !!!
લેન્સની ક્ષમતાનો ઠીક -ઠીક અંદાજો ના કરી શકવાને કારણે
લાંબા સમય સુધી ચશ્મા માટે લોકોને “ટ્રાયલ-એન્ડ- એરર”
( વપરાશ કર્યા પછી જ એ સાચું છે કે ખોટું )
આ પ્રણાલી પર જ ભરોસો કરવો પડતો હતો !!!

✅ હવે તમને એ પ્રશ્ન થાય કે તો પછી ભારતમાં આ ચશ્માં કયાંથી અને કેવી રીતે આવ્યાં ?
એનો જવાબ પણ હું આપી જ દઉં છું ચલો !!!
ભારતમાં ચશ્માનો આવિષ્કાર ઈસ્વીસન પૂર્વે ૫૦૦ વર્ષ પહેલાં જ થઇ ચુક્યો હતો
એટલે કે આજથી ૨૫૦૦ વરસ પહેલાં !!!
જો કે એનું કોઈ પ્રમાણ આજ સુધી પ્રાપ્ત થયું નથી એ જાણે જુદી વાત છે
પણ આવું કહેવાય છે !!!
ત્યાર બાદ ……છઠ્ઠી શતાબ્દીમાં ભારતમાં એક ચીની મુસાફર આવ્યો હતો
નામ એનું હ્યુ એન સંગ આ મુસાફર ભારતના મધ્યયુગીન છેલ્લા સમ્રાટ હર્ષવર્ધનના કાળમાં આવ્યો હતો !!!
આ મુસાફરે ભારતની અનેક અદભૂત વસ્તુઓનું વર્ણન પોતાનાં પુસ્તકમાં કર્યું જ છે
ભારતની બહાર યુનાની પ્રસિદ્ધ ચિકિત્સક મુક્લીડે આંખો પર એક પુસ્તકમાં વિશ્લેષણ પણ કર્યું હતું !!!
પરંતુ એમાં ઓપ્ટીક્સ વિષે કોઈ જાણકારી નહોતી !!!
ઇસવીસન ૧૦૩૮માં મિસ્રમાં આંખો પર એક પુસ્તકમાં આંખોની રોશની વધારવા માટે લેન્સના ઉપયોગની ચર્ચા જરૂર કરવામાં આવી હતી !!!!
ચીનમાં આનો ઉલ્લેખ તો ઈસ્વીસન પૂર્વે ૨૮૮૩ વરસ પહેલાં જ થયેલો જણાય છે
એમ તો ભારતમાં મહાભારતકાળમાં સંજયને દિવ્યદ્રષ્ટિ અને ગાંધારીને પણ એક દિવસ માટે હી સહી નરી આંખે જોઈ શકે વી દ્રષ્ટિ ક્યાં નહોતી પ્રદાન કરાઈ !!!
આવું થઇ શકે છે ?
પણ કેવી રીતે એ સમયમાં કોઈનેય ખબર નહોતી જ !!!
શું ભારત કે ચીન !!!
નેત્રજ્યોતનું ટેકનીકલ જ્ઞાન હ્યુ એન સંગના જણાવ્યા અનુસાર ચીને એ આવડત ભારત પાસેથી જ લીધી હતી
આની પુષ્ટિ લેટોરેટે પોતાના પુસ્તક ચીની ઈતિહાસ અને સભ્યતામાં કર્યું છે ખાસ કરીને ચીની તંગ વંશના સમયમાં !!!
આ પુસ્તકમાં અતિસ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ચીને આવી જાણકારી ભારત પાસેથી જ લીધી છે !!!આનું વિવરણ એમને તંગ વંશના સમયમાં ઈસ્વીસન ૬૧૮માં કર્યું !!!!
જયારે ચીની કહેવાતા લેખકોનું એમ કહેવું છે કે એમણે આવું જ્ઞાન તુર્કસ્તાન પાસેથી લીધું હતું !!! ચીન સાચી વાત તો પહેલાંય કબુલ કરતુ નહોતું અને આજે પણ નહીં
આ વાત જ એની સાબિતી છે !!!!
આનાથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ કે ભારતમાંથી જ આજાણકારી બધે લીક થઇ હતી
અને આજે દરેક દેશ એ પોતાનો આવિષ્કાર માને છે !!!
ભારત જ આના મૂળમાં છે ———- ઇતિ સિધ્ધમ !!!

✅ આ ચીનીઓ પછીથી ખાઈ ખાપુચીને ચશ્માં બનાવવા પાછળ મહેનત કરવા લાગ્યાં
છઠ્ઠી સદીમાં પ્રાપ્ત થયેલી જાણકારીનો વિકાસ એમણે કર્યો છેક ૧૪મી સદીમાં
ચીનમાં ચશ્માં એ પ્રતિભા અને ઉચ્ચપદનું પ્રતિક ગણાવા લાગ્યું !!!
એ સમયે ચીનીઓ ઘોડા આપીને પણ ચશ્મા ખરીદતાં હતાં
ચીનાઓ કાચબાને પવિત્ર ગણતાં હોય છે
એટલે એની પીઠના હાડકાંમાંથી ચશ્માની ફ્રેમ બનાવતાં હતાં જે અત્યંત મજબુત હોતી હતી !!!
કેટલીક ફ્રેમો તો પશુઓના શીંગડામાંથી પણ બનાવી

✅ પણ ઇસવીસન ૧૪૮૦માં ઈટાલીમાં લેન્સને ઉપયોગમાં લઈને ચશ્મા બની ચુક્યા હતાં !!!
આ વર્ષેજ ત્યાં બનેલાં એક પાદરીના ચિત્રમાં ચશ્માનું રેખાંકન પણ કરવામાં આવ્યું હતું !!!

✅ ઈસ્વીસન ૧૭૮૫માં બાયફોકલ ચશ્માનો આવિષ્કાર થયો
જેમાં નીચલા હિસ્સામાં વાંચવાના અને ઉપરના હિસ્સામાં દૂર સુધીનું સ્પષ્ટ જોવામાં લેન્સ લગાડવામાં આવતો હતો
એક જ ચશ્માથી બે ચશ્માં વસાવવાની ઝંઝટ જ મટી ગઈ
આનું આધુનિક સ્વરૂપ ઈસ્વીસન ૧૮૮૭એક નવી ક્રાંતિકારી શોધ રૂપે “કોન્ટેક્ટ લેન્સ”માં ફેરવાઈ
નેત્ર જ્યોતિ ઓછી થવાને કારણે એના પર જો તત્કાલ ચશ્માં લગાવવામાં આવે તો એનાથી નેત્ર જયોતિ યતાવત રક્વમાં મદદરૂપ બનતી હોય છે
નહીંતર એ જ્યોતિ ધીમે ધીમે ઓછી થતી જાય છે પછી એ સદંતર જતી રહેતી હોય છે !!!!

✅ ચશ્માનો પ્રકાર ધીમે ધીમે ધ્રુવ પ્રદેશો સુધી પહોંચ્યો બરફનો પ્રકાશ આંખોની રોશનીને કમ કરી દેનારો નીવડતો હોય છે એનાથી બચવા ત્યાં ચશ્માનો ઉપયોગ થવાં પણ માંડ્યો અને વધવા પણ માંડયો
ભારત ચીનમાં તાપથી બચવા માટે ગોગલ્સનો ઉપયોગ પણ થવા માંડયો આ પછી એનો વપરાશ અન્ય દેશોમાં થવાં લાગ્યો અને વધવા લાગ્યો !!!

✅ આજે એના ઉપયોગની સાથે એમાં ફેશને પણ ભાગ ભજવવા માંડયો છે
અનેકો પ્રકારના રંગેબેરંગી અનેકો ડીઝાઈનમાં ઉપલબ્ધ ચશ્મા આજે ભારતમાં જ નહિ પણ વિશ્વભરના અબાલવૃધ્ધોને આકર્ષે છે
રે બેન
ફાસ્ટ ટ્રેક
પોલોરોઈડ
લેન્સકાર્ટ
ઇન્ગુર
વગેરે અનેક કંપનીઓના ચશ્માં-ગોગલ્સ સસ્તાથી માંડીને અતિ મોંઘા એવા શોપમાંથી કે ઓનલાઈન મંગાવતા જ હોય છે
તહેવારની ઉજવણીમાં પણ આવા ચશ્માં એ અગત્યનો ભાગ ભજવે છે
વાહન ચલાવતી વખે સુગમતા રહે તે માટે લોકો શોખથી કહો કે શોખથી
કે પછી જરૂરીયાત કહો કે જરૂરીયાત !!!
આજે એનો વપરાશ ભોળા પ્રમાણમાં વધ્યો છે અને વધતો જ રહેવાનો છે

✅ એટલે
આજે સૌને
——— વિષમ ચશ્મીસ દિવસ મુબારક ———-

——— જનમેજય અધ્વર્યુ

🕶🕶🕶🕶🕶🕶🕶🕶🕶

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.