જાણવા જેવું : “પત્ની” નાં સબંધની વ્યાખ્યા
શકુંતલા પોતાનાં પતિ દુષ્યંતને “પત્ની” નાં સબંધની વ્યાખ્યા સમજાવતાં કહે છે :
सा भार्या या गृहे दक्षा सा भार्या या प्रजावती।
सा भार्या या पतिप्राणा सा भार्या या पतिव्रता।। २२ ।।
અર્થાત: પત્ની એને કહેવાય જે ઘર-કામમાં કુશળ હોય , સંતતિ (પુત્રી અને પુત્ર) પ્રદાન કરે , પતિને પ્રાણ સમાન માનતી હોય અને સાચી પતિવ્રતા હોય.
अर्धं भार्या मनुष्यस्य भार्या श्रेष्ठतमः सखा।
भार्या मूलं त्रिवर्गस्य यः सभार्यः स बन्धुमान्।। २३ ।।
અર્થાત: પત્ની પતિનો અર્ધાંગ છે , અને એનો એકમાત્ર ઉત્તમ સખા છે . પત્ની દ્વારા અર્થ , ધર્મ અને કામની સિદ્ધિ થાય છે અને મોક્ષનાં પથ પર હંમેશા સહાયતા આપે છે.
भार्यावन्तः क्रियावन्तः सभार्या गृहमेधिनः।
भार्यावन्तः प्रमोदन्ते भार्यावन्तः श्रियावृताः।। २४ ।।
અર્થાત: પત્નીની સહાયતાથી શ્રેષ્ઠ કર્મ થાય છે , ગૃહસ્થી કાયમ બની રહે છે , સદા સુખ મળે છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે
सखायः प्रविविक्तेषु भवन्त्येताः प्रियंवदाः।
पितरो धर्मकार्येषु भवन्त्यार्तस्य मातरः।। २५ ।।
અર્થાત: પત્ની સદા એકાંતમાં મધુરભાષી સખા છે , ધર્મ કાર્યમાં પિતા છે અને દુ:ખનાં સમયે માતાનું કામ કરે છે
जायां पतिः संप्रविश्य यदस्यां जायते पुनः।
जायायास्तद्धि जायात्वं पौराणाः कवयो विदुः।।
અર્થાત: પત્નીનાં દ્વારા પુત્રનાં રૂપમાં સ્વયં પતિનો જન્મ થાય છે આથી પ્રાચીન વિદ્વાનોએ પત્નીને “જાયા” કહે છે
– મહાભારત , આદિ પર્વ , ૯૮ અધ્યાય
Leave a Reply