-
એક હસિના થી એક દિવાના થા : દોનો નહીં હોતે તો અચ્છા થા…!
જો તમારી રાશિમાં ગુરૂ ગડથોલા ખાતો હોય, શનિ સમસમી રહ્યો હોય, શુક્ર શરમમાં હોય, રાહુ ‘રાઉડી’ બન્યો હોય, કેતુ કંટાળ્યો હોય ને ‘ફિલ્મદંશ યોગ’ બન્યો હોય ત્યારે તમને સવારના પો’રમાં ‘એક હસિના થી એક દિવાના થા’ જોવા જવાની ફરજ પડે.
-
‘જેન્ટલમેન’ની એક્ટિંગ ‘સુંદર’ નથી, સ્ટોરી-ડિરેક્શન ‘સુશીલ’ નથી છતાં એક વાર જોવામાં ‘રિસ્ક’ નથી!
અમેરિકામાં ઘરનું ઘર વસાવી ચુકેલો સીધો-સાદો યુવાન ગૌરવ(સિદ્ધાર્થ મલ્હોત્રા) તેની જ ઓફિસમાં કામ કરતી કાવ્યા(જેકલીન ફર્નાન્ડિઝ)ના પ્રેમમાં છે. પણ કાવ્યા તેને પસંદ નથી કરતી કારણ કે તે કંઈક વધારે પડતો જ ‘સુંદર’ અને ‘સુશીલ’ છે, ‘રિસ્કી’ નથી.
-
આ ‘સૂર્યાંશ’ કરતા તો આગિયો સારો!
ફ્રેડી, બકા ફિલ્મમાં મગજ પર આવડા મોટા હથોડા મારવા કરતા લે મારા લમણે ગોળી જ મારી દે એટલે પાર આવે!
-
ઈન્દુ સરકાર : હકલાતે હુએ હક માંગને નીકલી લોકશાહી!
ઈમરજન્સીમાં સરકારની રાક્ષસી મશીનરીના અત્યાચારોથી ત્રાહિમામ જનતા, તમામ વિરોધી અવાજોને કચડીને દેશ અને દુનિયામાં ફૂલગુલાબી વિકાસના ‘અચ્છેદિન’ બતાવવા મથતા સત્તાધીશો, સરકાર સામે મરણીયા થઈને ભુગર્ભ લડત ચલાવતા આંદોલનકારીઓ,
-
‘સિંઘસાબ ધ ગ્રેટ’: વીસ વર્ષ મોડી આવેલી ફિલ્મ!
અનિલ શર્મા હજૂ ‘ગદર’ના જમાનામાં જ જીવતા હોય એવું લાગે છે. ફિલ્મમાં હિરો ઈમાનદાર ઓફિસર છે. એક જમીનદાર બ્રાન્ડ વિલન છે. હિરો ઈમાનદારી બતાવીને હિરોગીરી કરે છે અને વિલન યેનકેન પ્રકારે તેને અને તેના પરિવારને હેરાન કરવાના પ્રયત્નો કરે છે.
-
‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ અને નોટબંધી : એકચ્યુલી, ડિરેક્ટર વિક્ટર પાસે આમિરની કોઈ ગુપ્ત CD હશે!
શું એ માત્ર જોગાનુજોગ હશે કે બે વર્ષ પહેલા નોટબંધી પણ 8 નવેમ્બરના દિવસે જ થયેલી અને ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ પણ 8 નવેમ્બરે જ રિલિઝ થઈ છે?!
-
‘અંધાધૂન’નું સસલું અગાઉ જાદુગરની પેટીમાં રહેતું હતું!
ફિલ્મ ‘અંધાધૂને’ તો પણ ખરી કરી છે. કહે છે કે કેટલાકને ઊંઘમાં પણ પેલું સસલું દેખાય છે ને કેટલાક તો ઘરે આવતા કુરિયર બોય કે દૂધવાળાને પણ પૂછી જોવે છે કે, ‘તને શું લાગે છે? ‘અંધાધૂન’ના અંતમાં શું થયુ હશે?
-
‘બજરંગી ભાઈજાન’: સલમાનની શ્રેષ્ઠ 10 ફિલ્મની યાદીમાં સ્થાન પામી શકે તેવી ફિલ્મ!
એક ટિપિકલ સલમાન મુવીમાં શું હોય? તો કે સલ્લુના પ્રહારોથી ન્યુટનના નિયમની ઐસી કી તૈસી કરીને હવામાં ઉડતા ગુંડાઓ. તૂટતા હાડકાઓની કડેડાટી ને ફાઈટ સિન્સમાં ફૂટતા માલ-સામાનની કિચુડાટી. ‘કન્ફ્યુઝ હો જાઓગે કી ખાએ કહાં સે ઓર પાદે કહાં સે’ ટાઈપના ચીપ અને તાલીમાર-સીટીમાર વનલાઈનર ડાઈલોગ્સની ભરમાર.
-
ચંદ્રકાંત બક્ષીનું કટારલેખન : એસિડ કરતા પણ કોઈ વસ્તુ જલદ છે તો એ….
પહેલા એક પ્રકારની ઉતાવળ રહેતી. છાપું આવતું અને ઘરના કોઈ પૂર્તિની વર્જિનીટી ભંગ કરે તે પહેલા પૂર્તિને તફડાવવાના પ્રયત્નો રહેતા. એ પ્રયત્ન જો સફળ જાય તો ગંગા નહ્યા કહેવાઈએ.
-
હું કામરાજ છું ખાટલા પર બેસીને પણ ચૂંટણી જીતી શકુ : અને હારી ગયા
ચૂંટણી માથા પર હતી અને પ્રચાર કરવો ફરજીયાત હતો. કામરાજની અગાઉની જીતને જોતા લોકો પણ એ વાત માનતા હતા કે કામરાજ ચૂંટણી જીતી જશે, પણ દાવ ઉલ્ટો પડી ગયો.
-
અચ્છે દિન કેસે આયેંગે : ભારત-વિશ્વ અને વિશ્વ નાગરિકોનું સ્વાસ્થ્ય
આપણે કઈ સ્વસ્થ બનવા માટે સંન્યાસી બની જવું ફરજીયાત નથી. ફક્ત વ્યસનોને અને સ્ટ્રેસને દૂર રાખીને ખાઈ-પીને (લિમિટમાં) જલસા કરવાના છે.
-
રમણલાલ શાહનો એક ઈન્ટરવ્યૂ : બાળસાહિત્યમાં આપને શા માટે રસ પડ્યો ?
રમણલાલ શાહે ‘બાલજીવન’ મેગેઝિન સંભાળ્યું હતું. હવે તો બાળસાહિત્યના મેગેઝિનો ક્યારે દેવહુમાની માફક બેઠા થાય તેની રાહ જોવાઈ રહી છે.
-
ઈન્દ્રકુમાર ગુઝરાલ અને 11મી લોકસભા
11મી લોકસભાને અટલ બિહાર વાજપેયીની 13 દિવસની સરકાર તરીકે યાદ રાખવામાં આવે છે. 13 દિવસ અને લોકસભામાં અટલજીનું ધારદાર ભાષણ ‘મેં અપના ત્યાગપત્ર રાષ્ટ્રપતિજી કો દેને જા રહા હું’
-
ચંદ્રકાંત બક્ષીની કુત્તી : સાલીના આંચળ જાડા થઈ ગયા છે હવે
ચંદ્રકાંત બક્ષીની કુત્તી. વર્ષો સુધી વિવાદોમાં રહી. જેણે વાંચી તે પણ તેના વિશે બે શબ્દ બોલતો હતો, નહોતી વાંચી તે તેના વિશે ચાર ચાર શબ્દ બોલતો હતો.
-
મોદીએ એવું તે શું કહી દીધું કે ચંદ્રાબાબુ નાયડુ બે ટ્રેન લઈ દિલ્હીમાં 12 કલાક ઉપવાસ પર બેસી ગયા
રાજનીતિમાં ઉપવાસની સિઝન ચાલી રહી છે. સૌથી પહેલા મમતા બેનર્જીએ ઉપવાસ કર્યા. તે ઉપવાસ સત્તા માટે ઓછા અને રાજીવ કુમાર ઉપયોગી વધારે લાગી રહ્યા હતા.
-
સંસ્કાર અને સંસ્કૃતિ
દરેક માં-બાપ સંતાનનું નસીબ કે કર્મ સ્વીકારતા નથી. લાગણીવશ થઈ પોતાના નસીબના જોરે સંતાનને પણ સુખ આપવાનું સ્વપ્ન જોતા રહે છે અને સંપત્તિ છોડતા જાય છે પણ સંતાન એ સંપતિનો યોગ્ય ઉપયોગ કરી શકશે કે નહિ કે પછી આ સંપત્તિ તેના ઉપયોગમાં આવી શકશે
-
સંબંધ અને સંબોધન
ક્યારેક ફુલણશી કાગડો થઈ જવાય કે વાહ, આપણા વિચારો કેવા મહાન ને સુ-લોકો સાથે મળતા આવે છે, તો ક્યારેક દુઃખ ભી થાય કે આપણા વિચારો સેરોગેટ મધરની જેમ આપણા મનના ગર્ભમાં ઉદભવ્યા ને તેનું પાલન(અમલી) કોઈક અન્ય દ્વારા થાય છે.
-
શું ખરેખર માત્ર માણસ જ સામાજિક પ્રાણી છે…
નાહકનો માનવી સામાજિક હોવાનો ખોટો ડોળ કરે છે. સમાજમાં રહેવું અને સંબંધમાં ટકવું, સાતત્યતા જાળવવી તો આપણને સમગ્ર જીવ સૃષ્ટિ જ શીખવે છે. ખરું ને ! હા બસ સમાજના કુરિવાજો, સામાજિક બંધનો કે સ્વાર્થભર્યા સંબંધો માત્ર માણસના ભાગે અને ભોગે છે.
-
શું આખી જિંદગી પ્રુવ જ કર્યા રાખવાનું…?
આ વાક્ય ઘણા સમયથી મારા વિચારોમાં હતું. એક વખત બસ એમ જ લખી પણ કાઢ્યુંતું બધાના અભિપ્રાયો જોવા. પણ મને મારા સવાલ નો જવાબ કે મારા જેવો વિચાર બીજા કોઈનો જોવા મળ્યો નહિ. કોઈક નો એવો અભિપ્રાય મળ્યો કે એમાં પ્રુવ શું કરવાનું તો કોઈએ કહ્યું
-
લોકપ્રિયતા ક્ષણિક છે, જયારે સફળતા જીવનભર…
આપણે સફળતા નહિ પણ લોકપ્રિયતા ને વધુ વફાદાર રહીએ છીએ.. લોકપ્રિયતાની માત્રા કદાચ સફળતા કરતા ઓછી હોય શકે..
-
લાગે છે જીવન જીવવાનો ડર….
રથી ડરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકતો નથી કે જીવન સરળ પણ બની જતું નથી. પરંતુ ડરને જીવનનો એક ભાગ માની એ બનાવ કે ઘટનાને કાળક્રમે ભૂલી જવો જ હિતાવહ છે. ડરનો હિંમતભેર સામનો કરવાનો છે.
-
દાન : સૌથી મોટું યોગદાન
જરૂરી નથી કે માત્ર પૈસાનું દાન જ દાન આપ્યું કહેવાય. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પૂરતા નાણા ન હોવાથી કેમ દાન કરવું ? પરંતુ દાન ગમ્મે તે પ્રકારે કરી શકાય. બસ, દાન કરવું એ જ છે સૌથી મોટું જીવનનું યોગદાન.
-
તુમ બિન….
કોઈને તેમની પ્રિય વસ્તુ કે વ્યક્તિ દુર જાય તે પસંદ નથી હોતું.. નજીક હોય ત્યારે ક્યારેક આપણે તેમની ફીલિંગ્સ કદાચ સંપૂર્ણપણે સમજી શકતા નથી પણ દુર જાય પછી કદાચ સમજાય છે… એના પરિણામ સ્વરૂપે ક્યારેક આપણે રડી લઈએ છીએ તો ક્યારેક ગુસ્સો કાઢી લઈએ છીએ.
-
એક સમયે ગમતું થોડા, પછી નડતું કેમ હોય છે
જુનું થાય તો જ નવું આવે સાચું પણ અમુક ગમતી વસ્તુઓ એવી હોય જે આપણે આજ સુધી સાચવી રાખી હોય. ખેર, વસ્તુઓ સુધી તો ઠીક પણ લાગણીઓ અને સંબંધો કે વિચારોનું શું જીવનમાં અમુક વખતે આપણે એટલા આગળ નીકળી જઈએ છીએ