Sun-Temple-Baanner

મેવાડનો ઈતિહાસ – કેટલાંક રોચક તથ્યો


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મેવાડનો ઈતિહાસ – કેટલાંક રોચક તથ્યો


✪ વંશ – ગુહિલ – ગુહિલોત – ઘેલોત
✪ કૂલ – સૂર્યવંશી
✪ પ્રાચીન જનપદ – શિવી
✪ રાજધાની – માધ્યમિકા
✪ પ્રાચીનનામ – મેદપાટ
✪ સંસ્થાપક – ગુહિલ
✪ સ્થાપના – ઇસવીસન ૫૬૬
✪ વાસ્તવિક સંસ્થાપક – બપ્પા રાવલ
✪ મધ્યકાલીન મેવાડનો સુવર્ણકા કાલ (ડૉ. દશરથ શર્મા અનુસાર) રાવલ જૈત્રસિંહ
✪ કુળદેવી – બાણમાતા
✪ વિશેષતા – વિશ્વનો સૌથી પ્રાચીનતમ એવં એકમાત્ર જીવિત -હયાત રાજવંશ
✪ રાજધ્વજ – ઉગતો સૂર્ય એવં ધનુષબાણ અંકિત
✪ ઉત્પત્તિ – ભગવાન શ્રીરામ પુત્ર “કુશ”ના વંશજ
– ઈરાની બાદશાહ નૌ શેરવાં આદિલના વંશજ (અબુલફઝલ)
– વલ્લભી નરેશ શિલાદિત્ય એવં રાણી પુષ્પાવતીના પુત્ર ગુહિલ ( કર્નલ ટોડ એવં નૈણસીરી ખ્યાત)

✪ રાજવાક્ય – ” જો દ્રઢ રાખે ધર્મ કો, તિહિ રાખે કરતાર ”
✪ કુલ શખાઓ – ૨૪ ( મૂહણોત નૈણસી અનુસાર)

✪ મેવાડ પર શાસન કરવાંવાળી શાખાઓ –
– રાવલ શાખા (સંસ્થાપક ક્ષેમસિંહ – અંતિમ નરેશ રાવલ રત્નસિંહ
– સિસોદિયા શાખા (સંસ્થાપક રાહપ પ્રથમ નરેશ – રાણા હમીર

✪ રાજધાનીઓ –
– આહડ (અલ્ટ દ્વારા)
– ચિત્તોડ (જૈત્રસિંહ દ્વારા)
– ઉદયપુર (રાણા ઉદયસિંહ દ્વારા ઇસવીસન ૧૫૫૯માં સ્થાપિત)
– ચાવડ (મહારાણા પ્રતાપ દ્વારા ઈસવીસન ૧૫૮૫માં સ્થાપિત)

✪ કુપ્રથાઓનો અંત –
– ડાકણ પ્રથાનો સમ્પૂર્ણ અંત રાજપૂતોએ સર્વપ્રથમ ખેરવાડા (ઉદયપુર)માં ઈસવીસન ૧૮૫૩માં રાણા સ્વરૂપસિંહનાં કાળમાં કેપ્ટન જે.સી .બુક દ્વારા પ્રતિબંધિત
– સતીપ્રથાનો અંત ઇસવીસન ૧૮૬૧માં
– માનવ વ્યાપાર પ્રથા પી એ મેજર ટેલર દ્વારા ઇસવીસન ૧૮૬૩માં મહારાણા શમુસિંહના કાળમાં પ્રતિબંધિત

✪ મેવાડ નરેશ કે જેમણે વિદેશીકન્યા સાથે વિવાહ કર્યા – અલ્લટ (આલુરાવ)નો હુણ રાજકુમારી હિરણ્યાદેવી સાથે
✪ દિલ્હી સલ્તનત સાથે પ્રથમ વિખ્યાત સંઘર્ષ – રાવલ જૈત્રસિંહ દ્વારા સુલતાન ઈલ્તુમીશ સાથે …….. ભૂતાના યુદ્ધ (ઇસવીસન ૧૨૨૧ -૧૨૨૯ મધ્યે ) )

✪ સિક્કાઓ –
– પદશાહી ભિલાડી, ચાંદોડી (રાણા ભીમસિંહ દ્વારા પોતાની બહેન ચંદ્રકંવરની સ્મૃતિમાં પ્રચલિત સુવર્ણ સિક્કા)
– એલચી (અકબર દ્વારા) ઉદ્ય્પુરી,ચિત્તોડી, ઢીંગલા, સ્વરૂપશાહી, ત્રિશુલિયા, ભીડરિયા,નાથદ્વારીયાં, દ્રમ

✪ અફઘાન (શેરશાહ સુરિની આધિનતા સ્વીકાર કરવાંવાળા નરેશ – રાણા ઉદેસિંહ ( ચિત્તોડ દુર્ગની ચાવીઓ શેરશાહ સૂરીને મોકલાવી)
✪ એકમાત્ર અવસર જયારે કુંભલગઢ પર વિદેશી અધિકાર થયો મહારાણા પ્રતાપના કાળમાં એપ્રિલ ૧૫૭૮માં શાહબાઝ ખાં જે અકબરનો સેનાપતિ હતો તેનાં દ્વારા
✪ મુગલ અધીનતા અસ્વીકાર કરીને કરીને સંઘર્ષ કરનાર પ્રથમ નરેશ – રાણા ઉદેસિંહ (ઉદયસિંહ)
✪ મોગલો સાથે સંઘર્ષમાં છાપામાર યુદ્ધ પદ્ધતિનો પ્રયોગ કરવાંવાળા પ્રથમ નરેશ – રાણા ઉદેસિંહ
✪ મુગલો સાથે સંઘર્ષ કરનાર રાજપુતાનાના પ્રથમ નરેશ – રાણા સાંગા (ખાનવા યુદ્ધ (૧૭ માર્ચ ઇસવીસન ૧૫૨૭)

✪ મોગલો સાથે સંઘર્ષ (યુદ્ધ) કરવાંવાળા અન્ય સિસોદિયા નરેશ –
– રાણા ઉદયસિંહ – અકબર સાથે ચિત્તોડ યુદ્ધ ઇસવીસન ૧૫૬૭-૧૫૬૮
– મહારાણા પ્રતાપ – અકબર સાથે હલ્દીઘતી યુદ્ધ – ૧૮ જુન ઇસવીસન ૧૫૭૬
-. રાણા અમરસિંહ – જહાંગીર સાથે
-. રાણા જયસિંહ – ઔરંગઝેબ સાથે
-. રાણા રાજસિંહ – ઔરંગઝેબ સાથે
✪ પ્રથમ મેવાડ – મુગલ સંધિ – રાણા અમરસિંહ એવં જહાંગીર સાથે (૫ ફેબ્રુઆરી ઇસવીસન ૧૬૧૫)
✪ બ્રિટીશ કંપની સાથે સંધિ – રાણા ભીમસિંહ દ્વારા (૧૩ જાન્યુઆરી ઇસવીસન ૧૮૧૮માં)

✪ ઇસવીસન ૧૮૫૭નો બળવો –
-. રાણા સ્વરુપ્સિંહના સમયમાં
-. પી. એ કેપ્ટન શોકર્સ

✪ મેવાડ પ્રજામંડલ – રાણા ભૂપાલસિંહના કાળમાં
– સ્થાપના – ૨૪ એપ્રિલ ઇસવીસન ૧૯૩૮
– સ્થાપક – માણિક્યલાલ વર્મા
– અશ્વપતિ – રાણા કુંભા

✪ એકીકરણ સમયે અંતિમ નરેશ –
– રાણા ભૂપાલસિંહ
– તૃતીય ચરણ સંયુક્ત રાજસ્થાન સંઘમાં
– ૧૮ એપ્રિલ ૧૯૪૮ન રોજ

✪ સ્રોત स्त्रोत-
– એકલિંગ પ્રશસ્તિ (ઇસવીસન ૯૭૧ )
– કીર્તિસ્તંભ પ્રશસ્તિ (ઇસવીસન ૧૪૬૦)
– કુંભલગઢ પ્રશસ્તિ (ઇસવીસન ૧૪૬૦)

✪ ઉપાધિયો એટલેકે તેમને મળેલા બિરુદો –
– ભારતના ચાર્લ્સ માર્ટલ (ચાર્લ્સમાદિત્ય) – બપ્પા રાવલ
– રણરસિક – રાવલ જૈત્રસિંહ
– ઉમાપતિવરલબ્ધપ્રૌઢપ્રતાપ – રાવલ તેજસિંહ
– શત્રુઓનો સંહાર કરવામાં સિંહ સમાન શુરવીર – રાવલ સમરસિંહ
– વિષમઘાટી પંચાનન – રાણા હમીર
– મેવાડના ભીષ્મ પિતામહ – યુવરાજ ચુન્ડા
– મેવાડના કર્ણ – ભામાશા (કર્નલ ટોડ અનુસાર)
– કીકા (નાનો છોકરો) – મહારાણા પ્રતાપ
– વિજયકટકાઉ – રાણા રાજસિંહ
– ઓ નીલા ઘોડા રા અસવાર – મહારાણા પ્રતાપ
– સ્થાપત્યકલાનો રાજકુમાર – રાણા કુંભા
– ભારતના અજેય શાસક – રાણા કુંભા
– અભિનવ ભરતાચાર્ય (કુંભાનો સંગીતપ્રેમ) – રાણા કુંભા
– રાણોરાસૌર (સાહિત્યકારોનાં આશ્રયદાતા)- રાણા કુંભા
– રાજગુરુ( રાજનીતિક સિદ્ધાંતોમાં દક્ષ) – રાણા કુંભા
– હાલગુરુ (પહાડી દુર્ગોના સ્વામી – રાણા કુંભા
– પરમગુરુ ( પોતાના સમયના સર્વોચ્ચ શાસક – રાણા કુંભા
– છાપગુરુ (છાપામાર યુદ્ધકલામાં દક્ષ) – રાણા કુંભા
– નરપતિ – રાણા કુંભા
– ગજપતિ – રાણા કુંભા
– દાનગુરુ – રાણા કુંભા
– હિંદુ સુરતાણ – રાણા કુંભા
– હિંદુપત – રાણા સાંગા
– સૈનિકોનો ભગ્નાવશેષ – રાણા સાંગા ( કર્નલ ટોડ અનુસાર)
– મેવાડ કેસરી – મહારાણા પ્રતાપ
– હલ્દીઘાટીનાં સિંહ – મહારાણા પ્રતાપ

** નોંધ : આમાંની કેટલીક બાબતો સાથે હું સહમત નથી બાકી બપ્પા રાવલ રાણા કુંભા, રાણા સાંગા, રાણા હમીર,રાવલ રત્નસિંહ અને મહારાણા પ્રતાપ પર હું આગાઉ લખી જ ચુક્યો કચું તેમ છતાં હું આ મેવાડના રાજાઓના રોચક તથ્યો આપવાનો જ છું. બીજાં રાજાઓ પર ક્યારેક લખીશ બાકી હવે તો ગુજરાતનો ઈતિહાસ એ જ મારુ લક્ષ્ય ! **

સંકલન – જનમેજય અધ્વર્યુ

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

One response to “મેવાડનો ઈતિહાસ – કેટલાંક રોચક તથ્યો”

  1. Sambad Isha Avatar
    Sambad Isha

    93161 33978

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.