Sun-Temple-Baanner

કવિના નામે ચરી ખાનારા – હવે આગળ


Post Published by


Post Published on


Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


કવિના નામે ચરી ખાનારા – હવે આગળ


કવિના નામે ચરી ખાનારા 😜

– કેમ છો ખવિ ? આજકાલ તો તમારા પેલા ખવિમિત્રનો વિવાદ ભારે ચગ્યો હતો કાં !

“શું કહું… ઘણા લોકો છે જે કવિના નામે ચરી ખાય છે.”

– ઓહ ! અચ્છા… તો જે લોકો કવિના નામે ચરી નથી ખાતા એ લોકોથી પણ દુનિયાને શું ફરક પડે ?
અને એમ પણ કવિઓ એમની અંગત ભોળીભાળી, કોમળ લાગણીઓ પાળે અને એવી લાગણીભીની કવિતાઓ લખે તો એનાથી દુનિયાને શું ફરક પડે ?🤣

“યાર તમે પાછા આવી ગયા એમ ને ! ગઈ કાલે તમેં મને વિચારતો કરી મૂક્યો કે સાલું દુનિયાને શું ફરક પડે ?☺️
પણ આજે તો તમને જવાબ આપવો છે.”

– તો જવાબ આપો કે તમે આ બધું લખો છો એના તમને રૂપિયા પણ મળે. કોઈ ભોલીભલી તમારી પેલી ભ્રમઆનંદ સહોદરના ભ્રમમાં પડી જાય એ લાભ પણ આબોટી લો છો. તો એનાથી તો સ્પષ્ટ છે કે તમને જ ફરક પડે છે. દુનિયાને શું ફરક પડે ?

” અરે… રે… એવું ન હોય ભલા માણસ ? આતો કલા છે. એમાં બધું મોજ કરવાનું આવે. અને આ કવિતા તો વાંચવાનિબજ નહિ સાંભળવાની પણ કલા છે. એમાં કવિતા પઠન પણ મોટી વાત છે. એ કાનની કળા પણ કહેવાય ભાઈ… એટલે આ બધા મુશાયરા કરવાના થાય. ગઈ કાલનો જવાબ…ok ! કેમ મુશાયરા કરો છો ? હવે બોલ ! “☺️
(કવિ ઉત્સાહના અતિરેકમાં ગઈકાલનો જવાબ આજના મુદ્દામાં મિક્સ કરીને આપવા લાગ્યા. )

– કવિતા સાંભળવામાં કાનનો જ ઉપયોગ થાય કવિ ! શું આમ તેમ તર્ક કરીને લોકોને બનાવો છો ! અને કવિતા કાનની કળા હોય તો પણ શું ? એનાથી દુનિયાને શું ફરક પડે ?
અને આજના મુદ્દે જ બોલો… ગઈકાલની વાત આજના મુદ્દામાં ભેળવીને આજના મુદ્દાને સ્પૉઇલ ન કરો બૉસ !

“અરે ભાઈ… લોકો રંગીન મિજાજના હોય અને કવિઓ તો એમ પણ રંગદર્શી – ભાવનાદર્શી એ બધું તો તું ભણ્યો જ છે ને ! અને આમાં તો થોડુંઘણું એવું રહેવાનું જ બૉસ !

– તો પછી તમે બધા કવિ બ્રહ્માથી પણ મોટા અને એવું બધું લોકોને ઇમ્પ્રેસ કરવાનું બન્ધ કરો. કદાચ આ તમે ખોટેખોટી મોટીમસ વાતો છોડો છો એમાં જ આ બધું થાય એમ નથી લાગતું ?

” એજ તો કલા છે. લોકો વાણીના પ્રભાવમાં આવે એ સાધારણ ન કહેવાય ! બાકી તું બે માણસને બેવકૂફ બનાવી શકે ? અમે કવિઓ આમ ચપટી વગાડતાં ગમે તેવાને બાટલીમાં ઉતારી શકીએ !”

– તો પછી કાનની કળા એમ કેમ કહો છો ? તમારે કાચાકાનની કળા એમ કહેવું જોઈએ. એ બધી તો તમારી ચીકણીચુપડી વાતોની કળા થઈ !
અને તમારી લોકોને બાટલીમાં ઉતારનારી ચીકણીચુપડી વાતોથી દુનિયાને શું ફરક પડે ?

“કોઈપણ પાત્ર કવિથી પ્રભાવિત થઈ જાય એમાં કવિનો દોષ નથી. પહેલી વાત ! અને બીજીવાત કે કવિઓ નિજાનંદ હોય છે… કોઈ આવે તો પણ વાહ અને ન આવે તો પણ વાહ !”

– આ તમે પાછા નવું લાવ્યા ! ભ્રમઆનંદ પછી નિજાનંદ…

“ઓ… લે ! ત્યારે તને એય ખબર નથી કે નિજાનંદ એટલે શું ? અને માર જોડે કાલનો માથાપચ્ચી કરી રહ્યો છે.”
(મને એ નથી આવતું એમ સમજીને ખવિ ગેલમાં આવી ગયા.)

– અરે સાહેબ મને ખબર છે કે નિજાનંદ એટલે આત્મનિર્ભર સમજયા ? અને આ અર્થ તાજેતરનો છે. જાણી રાખજો…ભાષાપરિવર્તન ઉપર હવે રાજનીતિક ઘટનાની પણ અસરો થઈ રહી છે. અભ્યાસ રાખો કવિ ! તમારું જ્ઞાન હવે કટાઈ રહ્યું છે. કોઈ પ્રભાવિત નહિ થાય અને તમારી પટ્ટીમાં કોઈ પડશે નહિ. નવી દુનિયામાં ડોકિયું કરતા રહેવાનું…કેમ કે પેલો નવો નવો કવિ બન્યો છે એ જિગો… ધૂમ મચાવી રહ્યો છે સમજ્યા !
☺️
“કોણ જિગો? “

તમને નથી ખબર ? આ વર્ષે જેને સાહિત્યનો નવોન્મેશ ઍવૉર્ડ મળ્યો એ..

“અરે પણ એ ઍવૉર્ડ તો નવા કવિઓને થોડો આપવામાં આવે ?”
– ઍવૉર્ડ આપનારની ગેરસમજ થઈ હશે. નવોદિતની જગ્યાએ આ નવોન્મેશ ઍવૉર્ડ આપી દીધો હશે.

“ના બને ભાઈ… આમાં મને લોચો લાગે છે…”

(કવિ તો જાણે એમની દુનિયા લૂંટાઈ ગઈ હોય એમ ચિંતામાં હતા. કેમ કે આ નવો કવિ જિગો કેવી રીતે ધૂમ મચાવી શકે ? એમને એમ કે અમે ભલે ઉંમર લાયક થયા પણ અમારામાં હજીય દમખમ છે ! અમે અનુભવી લોકો આમ હાથમાં હાથ લઈને બેસી રહીએ અને આમ નવા નિશાળિયાઓ ઑનલાઈન સુપરનોવા બની જાય છે ? એમને એ સહન ન થયું. કવિ અકળામણમાં બોલી ગયા.)

” આ બધું નકામું છે ! આમ કવિતા ઑનલાઈ કરી દેનાર સામે ઑનલાઇન જઈને જ કંઈક બોલવું પડશે ! આમ આવા તૂત ચલાવવાથી દુનિયાને કોઈ જ ફાયદો નથી !

☺️- (વર્ચસ્વ બૉસ વર્ચસ્વ ! વર્ચસ્વ સાચવવાની ચિંતામાં આખરે ખવિશ્રી સાચું બોલી ગયા.)

– જવાબમાં મારાથી બોલાઈ ગયું કે રાજનીતિ બડી ગંદી ચીજ હોતી હે ! વર્ચસ્વ હી સર્વસ્વ હોતા હે…

” શું બોલ્યો ? અમે ખવિઓ અંદરો અંદર રાજનીતિ કદી ન કરીએ. અમે અમારી પોલ અમારા પૂરતી જ રાખીએ પણ આ નવા નિશાળિયા સમજતા નથી. જગજાહેર ભૂલો કરે છે. અને ભોગવવાનું અમારે માથે આવે છે. પણ હવે તું એમ ન સમજતો કે મેં હાર માની લીધી !”

(કવિઓના નામે ચરી ખાનારા આજકાલ વધી ગયા છે ! ગોબર એ ફેલાવે અને સફાઈ અમારે કરવાની ? આવા લેભાગુઓના કારણે દુનિયાને ફરક પડે છે. પણ… કવિ આમ તેમ બબડી રહ્યા.)

– આ કવિઓના નામે ચરી ખાતા હોય એમનાથી દુનિયાને ફરક પડે છે ! તો કવિઓના નામે ચરી ખાતા ન હોય એમનાથી પણ દુનિયાને શું ફરક પડે ?

“કશુંય નહિ… બધા પોત પોતાની તૂતડી બજાવી જવામાં માને છે. બોલ… અમે કવિઓ નકામા છીએ… ok… હવે ખુશ ? શાંતિ હવે ?

😊⚡😀

– જયેશ વરિયા

– તારીખ : 23-05-2020

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.