‘શેખચલ્લીના’ ખ્વાબ સમજે છે,
જે ગઝલને શરાબ સમજે છે.
એ પ્રગટ થઇ ગઈ શું છાપામાં!
પદ્મશ્રીનો ખિતાબ સમજે છે.
કોઇ ‘ ફોરમ ‘ નથી પરખતો પણ,
દોસ્ત, સૌને ગુલાબ સમજે છે.
લક્ષ મારા તરફ હું રાખું છું,
લોક ખુદનો જવાબ સમજે છે.
ખુબ સુંદર જગતને – સારા લોક,
કેમ આજે ખરાબ સમજે છે?
એ ભલે પહેરતા નથી બુરખા,
પણ, વધારે નકાબ સમજે છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply