જાત સાથે કરાર કરવો છે.
આ સમયનો સ્વીકાર કરવો છે.
પીઠ પાછળ ક્યાં વાર કરવો છે ?
ખાલીપો તારતાર કરવો છે.
ખુદને મળવું છે એમ ધારી ને,
થાય ત્યાં ફેરફાર કરવો છે.
પ્રશ્ન છે તો જવાબ પણ મળશે
આટલો બસ વિચાર કરવો છે.
એક દીવો ગઝલનો પ્રગટાવી,
સાંજટાણે નિખાર કરવો છે.
કાચી સમજણને પાંખ ફૂટે તો,
મૌનથી બસ પ્રહાર કરવો છે.
હું ની સામે હું ને સજાવી ને,
હું ને પણ આરપાર કરવો છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply