-
સુલ્તાન જુના મહોમ્મદ અલાઉદ્દિન ખિલજી
પોતાની મહાત્વાકાંક્ષાના કારણે જ અલાઉદ્દિને પોતાના કાકા જલ્લાલુદ્દિન ફિરોઝની હત્યા કરી અને સત્તામાં આવ્યો. ભારત વર્ષના મોટાભાગના રાજ્યોને પોતાના હસ્તગત કર્યા બાદ ખીલજીને નવું નામ મેળવવાની ચાહના પેદા થઈ. તેના મગજના તંતુઓમાં એવુ કેમિકલ ચાલતું હતું કે, હું બીજો સિકંદર છું. એટલે તેણે પોતાનું નામ પણ સિકન્દરે-આઈ-સની રાખવાનું નક્કી કર્યું.